Print Page Options
Previous Prev Day Next DayNext

Old/New Testament

Each day includes a passage from both the Old Testament and New Testament.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
યર્મિયા 22-23

દેવનું દુષ્ટ રાજાઓ વિષે ન્યાયાસન

22 પછી યહોવાએ મને યહૂદિયાના રાજાના મહેલમાં જઇને આ પ્રમાણે સીધી વાત કરવા કહ્યું: “‘દાઉદના રાજ્યાસન પર બેઠેલા હે યહૂદિયાના રાજા, તું અને તારા અમલદારો તથા યરૂશાલેમના બધાં વતનીઓ હું જે કહું છું તે ધ્યાનથી સાંભળો. હું, યહોવા આ પ્રમાણે તમને કહું છું; ન્યાયથી અને સદાચારથી વતોર્, જે વ્યકિત તેના જુલ્મીના હાથે લૂંટાઇ ગઇ છે તેને બચાવો; પરદેશીઓ, અનાથો અને વિધવાઓ પ્રત્યે હિંસા આચરો નહિ, આ સ્થાને નિર્દોષનું લોહી રેડશો નહિ. જે હું તને કહું છું જો તું સાચે જ કરે તો, હું ખાતરી કરીશ કે તે રાજાઓ જે દાઉદના રાજ્યાસન પર બેસે છે. તેઓ આ દ્વાર તરફથી જશે. તેઓ રથોમાં અને ઘોડા પર સવારી કરશે અને તેઓના ચાકરો અને તેઓના લોકો પણ. પણ જો તમે મારી ચેતવણી તરફ ધ્યાન નહિ આપો, ને મારું કહ્યું નહી કરો તો હું મારા પોતાના સમ ખાઇને કહું છું કે, આ મહેલ ખંડેર બની જશે. આ હું યહોવા બોલું છું.’”

યહૂદિયાના રાજમહેલ વિષે યહોવાએ કહ્યું છે કે,

“તું મારે મન ગિલયાદ જેવો,
    લબાનોન પર્વતના શિખર જેવો છે.
તેમ છતાં હું સમ ખાઉ છું,
    તને વેરાન અને વસ્તીહિન સ્થળ જેવું બનાવી દઇશ.
હું તારો વિનાશ કરવા માટે માણસો નક્કી કરીશ.
    તેઓ દરેક જણ હાથમાં કુહાડો લઇને
તારા ગંધતરૂના સુંદરમાં સુંદર વૃક્ષોને
    કાપી નાખશે અને અગ્નિમાં હોમી દેશે.

“તારાજ થયેલા આ નગરની પાસેથી પસાર થતાં, ઘણી પ્રજાઓના લોકો એકબીજાને કહેશે, ‘યહોવાએ શા માટે આ નગરનાં આવા હાલ કર્યા? શા માટે તેમણે આવા મહાન નગરનો વિનાશ કર્યો?’ ત્યારે પ્રત્યુત્તર મળશે, ‘કારણ કે એ લોકોએ પોતાના દેવ યહોવા સાથેના કરારને ફગાવી દઇ બીજા દેવોની પૂજા કરી.’”

રાજા યહોઆહાઝ વિરુદ્ધ ન્યાય

10 યહૂદિયાના લોકો, જે મૃત્યુ પામ્યા છે
    તેને માટે ચિંતા કરશો નહિ,
તેમ તેનો શોક પણ ન કરશો;
    પણ જે ચાલ્યો ગયો છે તેને માટે હૈયાફાટ રૂદન કરજો,
કારણ તે કદી પાછો આવવાનો નથી.
    તે કદી ફરી જન્મભૂમિના દર્શન કરવાનો નથી.

11 તેના પિતા યોશિયા રાજાની જગ્યાએ ગાદીએ આવનાર શાલ્લૂમને બંદીવાસમાં લઈ જવામાં આવ્યો છે. તેના વિષે યહોવા કહે છે: 12 “તેને જ્યાં કેદ પકડીને લઇ જવામાં આવ્યો છે તે દેશમાં જ તે મૃત્યુ પામશે અને આ ભૂમિને કદી જોવા પામશે નહિ.”

રાજા યહોયાકીમ વિરુદ્ધ ન્યાય

13 “યહોયાકીમ રાજા તારી પર શરમ છે,
    કારણ કે તેં પ્રામાણિકતાથી અને અન્યાયથી લોકો પર દબાણ મુક્યું છે,
કે તારી માટે તેઓ સખત કામ કરે અને જેની ઉપરની તરફ ઓરડા હોય તેવો મહેલ બનાવે.
    તેં જ તારા સાથી માણસોને તેમને
    તેમનો પગાર આપ્યા વગર કામ કરવા માટે દબાણ કર્યુ હતું.

14 “તે કહે છે,
    ‘હું મારા માટે જેમાં વિશાળ ઉપરી ઓરડાઓ હોય તેવો એક ભવ્ય મહેલ બંધાવીશ,’
    પછી તેમાં બારીઓ મૂકાવીશ,
સુગંધીદાર એરેજકાષ્ટથી તેને મઢાવીશ
    તથા મનમોહક કિરમજી રંગથી તેને રંગાવીશ.”

15 “પરંતુ ભવ્ય મહેલ બનાવ્યા તેથી કાઇં મહાન રાજા થઇ શકાતું નથી!
    તારા પિતા યોશિયાએ શા માટે ઘણાં વર્ષો સુધી રાજ કર્યું?
કારણ કે તે ન્યાયી હતો
    અને સર્વ વ્યવહારમાં પ્રામાણિક હતો.
    તેથી દેવે તેને આશીર્વાદ આપ્યો હતો.
16 ગરીબો તથા જરૂરતમંદોને ન્યાય તથા સહાય પૂરી પાડવામાં તેણે કાળજી રાખી,
    તેથી તે બધી વાતે સુખી હતો.
આમ કરવાથી માણસ દેવની નજીક રહી શકે છે.
    આ યહોવાના વચન છે.

17 “પણ તને તો સ્વાર્થ સિવાય બીજું
    કશું જોવાને આંખો જ નથી,
નથી તને નિર્દોષનું લોહી રેડવા
    અને ઘાતકી અત્યાચારો કરવા સિવાય બીજા કશા વિચાર આવતા.”
આ યહોવાના વચન છે.

18 તે માટે યહૂદિયાના રાજા યોશિયાના પુત્ર યહોયાકીમ વિષે યહોવા કહે છે કે,
“તે મૃત્યુ પામશે ત્યારે તેનું કુટુંબ તેને માટે શોક કરશે નહિ,
    ઓ મારા ભાઇ!
    અથવા ઓ મારી બહેન!
એવું બોલીને રડશે નહિ.
    તેની પ્રજા પણ તેના મૃત્યુની નોંધ લેશે નહિ.
    ‘મારા માલિક! મારા રાજા!’
એમ કહીને કોઇ રડશે નહિ.
19 એક ગધેડાંના જેવી તેની અંતિમ યાત્રા થશે,
    તેને ઘસડીને યરૂશાલેમના દરવાજા બહાર નાખી આવશે.

20 “હે યરૂશાલેમની પ્રજા, લબાનોનના પહાડ પર જઇને હાંક માર!
    બાશાનમાં જઇને પોકાર કર!
અબારીમ પર્વત પરથી હાંક માર!
    કારણ, તારા બધા મિત્રો પાયમાલ થઇ ગયા છે.

21 “જ્યારે તુ સમૃદ્ધ થતો હતો;
    ત્યારે મેં તારી સાથે વાત કરી હતી, પણ તેં કહ્યું,
હું નહિ સાંભળુ.
    તારી યુવાનીથી માંડીને તું આ રીતે વર્તતી આવી છે,
    તેં કદી મારું કહ્યું કર્યું નથી.
22 તારા સર્વ આગેવાનો પવન દ્વારા ઘસડાઇ જશે.
    તારા સર્વ મિત્રોને ગુલામો
તરીકે દેશવટે લઇ જવામાં આવશે,
    આખરે તારી દુષ્ટતાને કારણે
તારી બદનામી થશે,
    ને તું શરમ અનુભવશે.

23 “લબાનોનના એરેજવૃક્ષો મધ્યે ભવ્ય
    મહેલમાં સુખચેનથી રહેવું ઘણું સારું છે.
પરંતુ પ્રસૂતાની વેદનાની જેમ તારા પર આફત આવશે
    ત્યારે તારી દશા, કેવી દયાજનક હશે!”

રાજા કોન્યાહ વિરુદ્ધ ન્યાય

24 જેમ સાચે જ હું જીવું છું, એવું યહોવા કહે છે, “જો યહૂદિયાના રાજા, યહોયાકીન રાજા યહોયાકીમના પુત્ર, જો તું મારા જમણા હાથ પરની વીંટી હોત, તો મેં તેને મારા હાથમાંથી દૂર કર્યો હોત. 25 તું જેનાથી ડરે છે અને જે તારો જીવ લેવા તાકે છે તે બાબિલના રાજા નબૂખાદનેસ્સાર અને તેના સૈન્યના હાથમાં સોંપી દઇશ. 26 હું તને તથા તારી માતાને આ દેશમાંથી બહાર ફેંકી દઇશ. અને તમે પરદેશી ભૂમિમાં મૃત્યુ પામશો. 27 અને તમે જ્યાં પાછાં જવા માટે ઝૂરતાં હશો તે ભૂમિમાં કદી જવા પામશો નહિ.”

28 મેં કહ્યું, આ માણસ કોન્યા,
    એટલે ફૂટેલા અને ફેંકી દીધેલા ઘડા જેવો છે.
તેને તથા તેનાં બાળકોને દૂરના અજાણ્યા પ્રદેશમાં ફેંકી દેવામાં આવ્યા છે.
    અને એક એવી ભૂમિમા નાંખી દેવામાં આવ્યા છે જેને તેઓ જાણતા પણ નથી.
29 હે ભૂમિ, ભૂમિ, ભૂમિ!
    તું યહોવાના વચન સાંભળ!
30 યહોવા કહે છે: “‘લખી રાખોકે આ માણસને સંતાન નહી થાય.
    જીવનમાં એ કદી સફળ નહિ થાય.
એ કોઇ વંશજ નહિ મૂકી જાય,
    જે દાઉદના રાજ્યાસન પર
    બેસે અથવા ફરીથી યહૂદીઓ પર રાજ કરે.’”

23 “ઇસ્રાએલના દેવ યહોવા તેમની પ્રજાના રખેવાળો વિષે આ પ્રમાણે કહે છે, જે ધેટાંપાળકો મારા બીડના ઘેટાંનો નાશ કરે છે, તથા તેઓને વિખેરી નાખે છે. તેઓને હાય હાય!” આ યહોવાના વચન છે.

તેની પ્રજાનું ધ્યાન રાખવાની જેમની ફરજ હતી તે ઘેટાંપાળકો માટે યહોવા આમ કહે છે, “એ તમે છો જેણે મારા ટોળાને વિખેરીને ભગાડી મૂક્યાં છે, તમે ક્યારેય તેમની પર ધ્યાન નથી આપ્યું, હવે હું તમે કરેલા દુષ્કૃત્યો માટે તમને સજા કરીશ” એવું યહોવા કહે છે. “પરંતુ મારા લોકોમાંના બચેલાઓને હું જાતે જે દેશોમાં મેં તેમને હાંકી કાઢયા છે ત્યાંથી પાછા એકત્ર કરીને, તેમના વાડામાં પાછા લાવીશ. ત્યાં તેઓનો વંશવેલો ફૂલશે-ફાલશે અને વૃદ્ધિ પામશે. હું એવા પાળકોની નિમણૂંક કરીશ જેઓ તેમની સંભાળ રાખે. એટલે પછી તેમને બીવાનું કે ડરવાનું રહેશે નહિ. તેમની સતત ગણતરી કરવામાં આવશે જેથી કોઇ ભૂલું પણ નહિ પડે.” આ યહોવાના વચન છે.

પ્રામાણિક “અંકુર”

યહોવા કહે છે,
“એવો સમય આવી રહ્યો છે
    જ્યારે હું દાઉદના વંશમાં એક ન્યાયી ‘અંકુર’ ઉગાવીશ,
તેને રાજા તરીકે પસંદ કરીશ.
    જે ડહાપણપૂર્વક રાજ્ય શાસન કરશે
અને દેશમાં ન્યાય અને નીતિમત્તાની આણ વર્તાવશે.
તેની કારકિદીર્ દરમ્યાન યહૂદિયાનો
    અને ઇસ્રાએલનો ઉદ્ધાર થશે
અને તેઓ સુરક્ષિત રહેશે લોકો
    તેમને યહોવા અમારું ન્યાયીપણું છે.
    એ નામે બોલાવશે.”

યહોવા કહે છે, “હવે એવો સમય આવશે, જ્યારે લોકો સમ ખાતી વખતે એમ નહિ કહે કે, ‘હું ઇસ્રાએલીઓને મિસરમાંથી બહાર લાવનાર યહોવાના નામે સોગંદ લઉં છું!’ પણ એમ કહેશે કે, ‘ઇસ્રાએલના વંશજોને ઉત્તરના પ્રદેશમાંથી અને પોતે તેમને જ્યાં હાંકી કાઢયા હતા તે બધા દેશોમાંથી ફરી પાછા લાવનાર જીવતા યહોવાના સમ!’ તેઓ તેમની પોતાની ભૂમિમાં વસશે.”

જૂઠા પ્રબોધકો વિરુદ્ધ ન્યાય

અતિ કપટી જૂઠા પ્રબોધકોથી મારું હૃદય વ્યથિત થયું છે.
હું ભયથી જાગી જાઉં છું
    અને દ્રાક્ષારસ પીધેલાં માણસની જેમ લથડીયાં ખાઉં છું,
કારણ કે તેઓ માટે ભયંકર શિક્ષા રાહ જુએ છે,
    અને તેઓની વિરુદ્ધ યહોવાએ ન્યાયાસનનાં પવિત્ર વચનો ઉચ્ચાર્યાં છે.
10 કારણ કે દેશ વ્યભિચારીઓથી ભરાઇ ગયો છે;
    આ શાપને કારણે દેશ ઘેરી વ્યથામાં છે
અને દુકાળ પડ્યો છે.
    લોકો ખોટા માર્ગે છે
અને તેઓ પોતાની સત્તાનો
    યોગ્ય ઉપયોગ કરતા નથી.
11 યહોવા કહે છે,
“પ્રબોધકો અને યાજકો બંને ષ્ટ થઇ ગયા છે.
    મેં તેમને મારા મંદિરમાં પણ દુષ્ટતા આચરતા જોયા છે.
12 તેને લીધે તેઓના રસ્તાઓ અંધકારમય
    તથા લપસણા થઇ ગયા છે.
અંધકારમય જોખમી માર્ગ પર
    તેઓનો પીછો પકડવામાં આવશે અને તેઓ પછડાશે.
કારણ કે હું તેમના પર વિપત્તિ લાવવાનો છું.
    જ્યારે તેઓનો સમય આવશે
    ત્યારે તેઓને તેમનાં સર્વ પાપોની સજા કરવામાં આવશે.

13 “મેં સમરૂનના પ્રબોધકોમાં ઘૃણાજનક વસ્તુઓ જોઇ છે;
    તેઓએ બઆલ દેવને નામે પ્રબોધ કર્યો છે
    અને ઇસ્રાએલીઓને ખોટે માર્ગે દોર્યા છે.
14 પરંતુ યરૂશાલેમના પ્રબોધકોમાં તો મેં આનાથી પણ ભયંકર કૃત્યો જોયાં છે;
    તેઓ વ્યભિચાર કરે છે,
અને અન્યોને છેતરે છે,
    દુષ્ટ માણસોને સાથસહકાર આપે છે
જેથી દુષ્ટતામાંથી કોઇ પાછું વળતું નથી;
    મારે મન તેઓ બધા સદોમ અને ગમોરાના લોકો જેવા છે,
જેઓ સંપૂર્ણ રીતે ષ્ટ થઇ ગયા છે.”

15 તેથી સૈન્યોનો દેવ યહોવા કહે છે,
“હું તેઓને કડવી વેલ ખવડાવીશ
    અને ઝેર પાઇશ કારણ કે તેઓને લીધે
આ દેશ દુષ્ટતાથી ભરાઇ ગયો છે.”

16 સૈન્યોનો દેવ યહોવા કહે છે,
“મારા લોકોને મારી આ ચેતવણી છે.
    જ્યારે આ જૂઠા પ્રબોધકો તમને પ્રબોધ કરે છે
અને તમને જૂઠી આશાઓ આપે ત્યારે તમે સાંભળશો નહિ.
    તેઓ ધડમાથા વગરની વાતો કરે છે,
    તેઓ મારાં મુખનાં વચનો નથી કહેતાં.
17 જેઓ મારી વાણીનો તિરસ્કાર કરે છે
    તેમને કહેવાય છે કે,
‘તમારી સાથે બધું સારું થશે,’
    જેઓ પોતાની ઇરછા મુજબ વતેર્ છે
તેમને કહે છે, કોઇ પણ આફતથી
    તમારે ગભરાવાની જરૂર નથી,
18 હા, જ્યાં યહોવાએ પોતાનો સંદેશો જાહેર કર્યો હતો
    ત્યાં આ બધા પ્રબોધકોમાંથી કોણ ત્યાં ઊભું હતું અને તેને ધ્યાનથી સાંભળ્યો હતો?
    કોઇ પણ પ્રબોધકે ધ્યાનથી સાંભળવાની કાળજી રાખી છે ખરી?
19 આ યહોવાના ક્રોધનો વંટોળ ચડ્યો છે;
    એ ધૂમરી લેતો લેતો
    દુષ્ટોને માથે અફળાશે.
20 તેઓની વિરુદ્ધ જે શિક્ષા યહોવાએ ઉચ્ચારી છે તેનો સંપૂર્ણ અમલ થશે નહિ,
    ત્યાં સુધી તેમનો ક્રોધ શાંત થશે નહિ.
પાછળથી જ્યારે યરૂશાલેમનું પતન થશે
    ત્યારે મેં જે કહ્યું છે તે તમે સમજી શકશો.”
21 યહોવાએ કહ્યું, “આ પ્રબોધકોને મેં મોકલ્યા નથી.
    છતાં તેઓ દોડાદોડ કરે છે;
મેં આ લોકોને કઇં કહ્યું નથી.
    છતાં તેઓ મારે નામે બોલે છે.
22 તેઓ જો મારી મંત્રણામાં ઉપસ્થિત રહ્યા હોત
    તો મારા લોકોને મારી વાણી સંભળાવી હોત
અને તેમને ખોટે માર્ગેથી
    અને ખોટાં કાર્યોથી પાછા વાળ્યા હોત.”

23 “શું હું એ દેવ છું કે જે દૂરના સ્થળે રહે છે?
અથવા શું હું એ દેવ છું
    જે પોતાના લોકોની નજીક રહે છે?
24 શું કોઇ મારાથી પોતાને સંતાડી શકે?
    શું હું આકાશ તથા પૃથ્વીમાં સર્વત્ર હાજર નથી?”
    આ યહોવાના વચન છે.

25 તેઓ કહે છે, “ગઇ રાત્રે યહોવા તરફથી મને એક સ્વપ્નદર્શન થયું. તે સાંભળો, ‘અને પછી તેઓ મારા નામે જૂઠી વાતો કરે છે.’ 26 આવું કયાં સુધી ચાલશે? જો તેઓ ‘પ્રબોધકો’ છે તો તેઓ જૂઠા પ્રબોધકો છે અને તેઓ જે કહે છે તે સર્વ ઉપજાવી કાઢેલું છે. 27 તેઓ એકબીજાને સ્વપ્નોની વાત કહીને મારું નામ ભૂલાવી દેવાની કોશિશ કરે છે. બરાબર એવી જ રીતે-જેમ તેમના પિતૃઓ મારું નામ ભૂલીને બઆલદેવનું નામ લેતા થયા હતા. 28 આ જૂઠાં પ્રબોધકોને પોતાનાં સ્વપ્નો કહેવા દો અને મારા સંદેશાવાહકોને પણ વિશ્વાસપૂર્વક મારું પ્રત્યેક વચન કહેવા દો. ઘઉંની તુલનામાં તેનાં ફોતરાની શી કિંમત? 29 મારુ વચન આગ જેવુ નથી? ખડકના ચૂરેચૂરા કરનાર હથોડા જેવુ નથી?

30 “એટલે મારો વિરોધ એકબીજાના શબ્દો ચોરી લઇ એને મારે નામે ખપાવનાર પ્રબોધકો સામે છે. 31 જે પ્રબોધકો પોતાની વાણીને મારી વાણી તરીકે ખપાવે છે. તેમની સામે મારો વિરોધ છે. 32 જુઓ હું તે બધા પ્રબોધકોની વિરુદ્ધમાં છું જેમના સ્વપ્નો કેવળ નિર્લજ્જ જૂઠાણાં છે અને જેઓ મારા લોકોને જૂઠાણાં દ્વારા અને મોટી મોટી વાતો દ્વારા પાપમાં દોરી જાય છે. મેં તેઓને મોકલ્યા નથી. અને મારા લોકને માટે તેઓની પાસે કોઇ સંદેશો નથી, જેઓ તેમના માટે કઇક છે.” એમ યહોવા કહે છે.

યહોવાથી દુ:ખના સંદેશ

33 પછી યહોવાએ મને કહ્યું, “જ્યારે લોકોમાંથી કોઇ એક યાજક અથવા કોઇ પ્રબોધક તેમનામાંથી કોઇ તને પૂછે કે, ‘યહોવાએ કયા સંદેશા દ્વારા તારી પર બોજો[a] નાખ્યો છે?’ તો તારે જવાબ દેવો કે, ‘તમે જ યહોવા પર બોજારુંપ છો અને તે તમને ફગાવી દેશે.’” એમ યહોવા કહે છે.

34 “જો કોઇ પ્રબોધક કે યાજક કે કોઇ બીજો ‘યહોવાની વાણી ભારરૂપ છે.’ એમ કહેશે તો હું તેને અને તેનાં કુટુંબને ભારે પડીશ. 35 તમે અંદરોઅંદર એકબીજાને પૂછી શકો છો, ‘યહોવાનો સંદેશો શો છે? યહોવા શું કહે છે?’ એવો જ પ્રયોગ કરવો. 36 આજ પછી, તમારે ક્યારે પણ ‘યહોવાનો બોજો’ એમ બોલવું નહીં, જે કોઇ તેનો ઉપયોગ કરશે તે ખરેખર મુશ્કેલીમાં મુકાઇ જશે કારણ કે તેઓ, મેં જે કહ્યું છે તેનો અવળો અર્થ કરે છે અને લોકોને, એમ કહી છેતરે છે કે આ એ છે જે જીવતા જાગતા દેવ, આપણા યહોવા દેવ જે દરેક વસ્તુ પર શાસન કરે છે. કહે છે.

37 “તમે આદરપૂર્વક પ્રબોધકને પૂછી શકો, ‘યહોવાનો સંદેશ શો છે? તેણે તમને શું કહ્યું છે?’ 38 મેં તમને આ શબ્દો નહિ વાપરવા માટે ચેતવણી આપી છે છતાં જો તમે યર્મિયાને પૂછો છો, ‘યહોવા તરફથી આજે શું બોજ છે? 39 પછી જે તમે મને ભારરૂપ છો, તે ભાર હું ફેંકી દઇશ. તમને તથા આ નગરને જે મેં તમને અને તમારા પિતૃઓને આપ્યું હતું. મારી નજરથી બહાર કરી દઇશ. 40 અને હું તમારાથી કદી ભૂલાય નહિ એવી નામોશી અને નિરંતર નિંદા તથા સતત અપમાન હું તમારા પર આણીશ.’”

તિતસ 1

દેવના દાસ તથા ઈસુ ખ્રિસ્તના પ્રેરિત પાઉલ તરફથી કુશળતા હો. દેવની પસંદગી પામેલા લોકોના વિશ્વાસને મદદરૂપ થઈ શકાય તે માટે અને એ લોકો સત્યને જાણી શકે તે માટે સહાય કરવા મને મોકલ્યો છે. અને તે સત્ય લોકોને બતાવે છે કે કેવી રીતે દેવની સેવા કરવી. અનંતજીવનની આપણી આશામાંથી જ એ વિશ્વાસ અને જ્ઞાન જન્મે છે. સમયનો પ્રારંભ થયો તે પહેલા દેવે એ જીવનનું વચન આપ્યું હતું અને દેવ કદી જૂઠુ બોલી શકતો નથી. યોગ્ય સમયે દેવે એવા જીવન વિષે જગતને જાણવા દીધું. દેવે સુવાર્તા દ્વારા દુનિયાને એ વાત જણાવી. એ કાર્ય માટે દેવે મારામાં વિશ્વાસ મૂક્યો. આપણા તારનાર દેવે મને આજ્ઞા આપી તેથી એ બધી બાબતોનો મેં ઉપદેશ કર્યો છે.

હવે હું તિતસને આ લખું છું કે જે વિશ્વાસના આપણે સહભાગી છીએ, તેમાં તું મારા સગા પુત્ર સમાન છે.

દેવ જે પિતા તથા આપણા તારનાર ખ્રિસ્ત ઈસુ તરફથી તને કૃપા અને શાંતિ પ્રાપ્ત થાઓ.

ક્રીત ટાપુમાં તિતસનું કાર્ય

તને ક્રીત ટાપુ પર એટલા માટે રાખ્યો છે કે ત્યાં જે કાર્યો કરવાની જરૂર છે, તે તું પરિપૂર્ણ કરી શકે અને મેં તને ત્યાં એટલા માટે પણ રાખ્યો છે કે જેથી કરીને દરેક નગરમાં માણસોની વડીલો તરીકે તું પસંદગી કરી શકે. વડીલ થવા માટે એ વ્યક્તિ કોઈ પણ ખરાબ કામ માટે અપરાધી ઠરેલી ન હોવી જોઈએ. એ માણસને એક જ પત્ની હોવી જોઈએ. તેનાં બાળકો વિશ્વાસી હોવાં જોઈએ. તેનાં બાળકો ઉદ્ધત અને આજ્ઞાનું ઉલ્લંઘન કરનારાં હોવાં ન જોઈએ. દેવના કાર્યની સંભાળ રાખવાનું કામ એ અધ્યક્ષનું છે. તેથી કોઈ પણ ખરાબ કાર્યનો તે ગુનેગાર હોવો ન જોઈએ. તે વ્યક્તિ એવી ન હોવી જોઈએ કે જે અભિમાની અને સ્વાર્થી હોય, અથવા તો જે વારંવાર ગુસ્સે થઈ જતી હોય. તેણે અતિશય મદ્યપાન ન કરવું જોઈએ. તે વ્યક્તિ એવી ન હોવી જોઈએ જેને ઝઘડા પસંદ હોય. અને તે વ્યક્તિ એવી તો ન હોવી જોઈએ જે કે હમેશાં લોકોને છેતરીને ધનવાન થવાનો પ્રયત્ન કરતી હોય. વડીલ તો એવો હોવો જોઈએ કે જે લોકોને પોતાના ઘરમાં આવકારવા અને તેઓને મદદ કરવા હંમેશા આતુર હોય. જે કંઈ સત્કર્મ હોય તેનો તે ચાહક હોવો જોઈએ. તે વિવેકબુદ્ધિ ઘરાવતો હોવો જોઈએ. તેણે ન્યાયી જીવન જીવવું જોઈએ. તે પવિત્ર જ હોવો જોઈએ, તે પોતાની જાત પર અંકુશ રાખી શકતો હોવો જોઈએ. આપણે જે સત્યનો ઉપદેશ આપીએ છીએ તેનું તે પોતે પણ વફાદારીપૂર્વક પાલન કરતો હોવો જોઈએ. તે વડીલમાં સારા કે શુદ્ધ ઉપદેશ દ્વારા લોકોને સહાય કરવાની ક્ષમતા હોવી જોઈએ. જે લોકો સાચા શિક્ષણથી વિમુખ હોય તેઓ ખોટા છે, એવું તેઓને સ્પષ્ટ કહેવા શક્તિમાન હોવો જોઈએ.

10 એવા અનેક લોકો છે કે જે આજ્ઞાનું પાલન કરતા નથી-એવા લોકો કે જે નકામી બાબતો વિષે ચર્ચા કર્યા કરતા હોય અને બીજા લોકોને ખોટા માર્ગે દોરતા હોય છે. હું ખાસ તો એવા લોકો વિષે ઉલ્લેખ કરવા માગું છું કે જેઓ એમ કહેતા ફરે છે કે સૌ બિનયહૂદિ લોકોની સુન્નત કરવી જ જોઈએ. 11 વડીલ એવો હોવો જોઈએ કે જે એવા લોકોને સ્પષ્ટ બતાવી શકે કે તેઓની માન્યતા ખોટી છે, અને તેઓને નકામી બાબતો વિષે બોલતા બંધ કરી દે. જેનો ઉપદેશ તેઓએ આપવા જેવો નથી એવી બાબતનો ઉપદેશ આપીને તે લોકો આખા કુટુંબનો નાશ કરી રહ્યા છે. તેઓ લોકોને માત્ર છેતરવા અને પૈસા બનાવવા એવું બધું શીખવી રહ્યા છે. 12 એમના જ ક્રીત ટાપુના તેઓના પોતાના પ્રબોધકોમાંના એકે આમ કહ્યું પણ છે કે, “ક્રીતના લોકો તો હંમેશા જૂઠું બોલનારા હોય છે, તેઓ જંગલી પશુઓ જેવા અને આળસુ છે કે જેઓ ખાવા સિવાય બીજું કંઈ કરતા નથી.” 13 એ પ્રબોધકે કહેલા શબ્દો સાચા છે. તેથી તું એ લોકોને કહે કે તેઓ ખોટા છે. તારે એમની સાથે કડક થવું જ પડશે. તો જ એમનો વિશ્વાસ દૃઢ થશે. 14 ત્યારબાદ તેઓ યહૂદી વાર્તાઓને માની લેવાનું બંધ કરશે. અને જે લોકો સત્યને સ્વીકારતા નથી તેઓ આદેશોને અનુસરવાનું પણ તેઓ બંધ કરશે.

15 જે લોકો પોતે શુદ્ધ છે, તેઓના માટે તો બધી વસ્તુઓ શુદ્ધ હોય છે. પરંતુ પાપથી ભરેલા અને અવિશ્વાસીઓને માટે કંઈ પણ શુદ્ધ હોતું નથી. ખરેખર, એ લોકોના વિચારો દુષ્ટ બન્યા છે અને સત્ય શું છે તે જાણવા તેઓનું જ્ઞાન નષ્ટ થઈ ગયુ છે. 16 એ લોકો તો એમ કહેતા હોય છે કે તેઓ દેવને જાણે છે, ઓળખે છે. પરંતુ એ લોકો જે ખરાબ કાર્યો કરે છે તે બતાવે છે કે તેઓ દેવનો નકાર કરે છે. તેઓ તો ભયંકર લોકો છે, તેઓ દેવની આજ્ઞાનો ભંગ કરે છે, અને તેઓ કોઈ પણ સારાં કામને માટે નકામા છે.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International