M’Cheyne Bible Reading Plan
યાજકોની ફરજો
24 હારુનનાં વંશજોને પણ જૂથોમાં વહેંચી નાખવામાં આવ્યા હતા. હારુનને પુત્રો હતા: નાદાબ, અબીહૂ, એલઆઝાર અને ઇથામાર. 2 નાદાબ અને અબીહૂ તેમના પિતા જીવતા હતા એ દરમ્યાન જ નિ:સંતાન મરી ગયા હતા. આથી એલઆઝાર અને ઇથામાર યાજકપદે આવ્યા. 3 દાઉદે એલઆઝારના વંશજ સાદોક અને ઇથામારના વંશજ અહીમેલેખેની મદદથી હારુનના કુલસમૂહોને તેમની ફરજ પ્રમાણે જૂથોમાં વહેંચી નાખ્યા. 4 એલઆઝાર વંશજો ઇથામારના વંશજો કરતાં સંખ્યામાં વધારે હતા, આથી એલઆઝારના વંશજોનાં જુદાં-જુદાં કુટુંબના સોળ જૂથ પાડવામાં આવ્યા અને ઇથામારના વંશજોનાં કુટુંબોના આઠ જૂથ પાડવામાં આવ્યાં. અને એ દરેક જૂથનો આગેવાન તે પોતાના કુટુંબનો વડો હતો. 5 બન્ને, એલઆઝારના વંશજો અને ઈથામારના વંશજોમાં પ્રખ્યાત માણસો મંદિરના અધિકારીઓ હતા. તેથી ચિઠ્ઠીઓ નાખીને જુદા જુદા જૂથોને તેમની ફરજો સોંપવામાં આવી હતી.
6 નથાનએલનો પુત્ર, લેવી કુલસમૂહનો શમાયા, નોંધણીકાર હતો. આ બધું કામ તે રાજા તથા સાદોક યાજક, અબ્યાથારના પુત્ર અહીમેલેખ તથા યાજકો અને લેવીઓના મુખ્ય આગેવાનોની હાજરીમાં તે કરતો હતો. એલઆઝારના કુંળકુટુંબોએ અને ઇથામારના કુલ કુટુંબોએ ફરજોને વહેંચી લીધી હતી.
7 પહેલું સમૂહ યહોયારીબનું હતું;
બીજુ સમૂહ યદાયાનું હતું;
8 ત્રીજું સમૂહ હારીમનું હતું;
ચોથું સમૂહ સેઓરીમનું હતું;
9 પાંચમું સમૂહ માલ્કિયાનું હતું;
છઠ્ઠું સમૂહ મીયામીનનું હતું;
10 સાતમું સમૂહ હાક્કોસનું હતું;
આઠમું સમૂહ અબિયાનું સમૂહ અલિયાનું હતું;
11 નવમું સમૂહ યેશૂઆનું હતું;
દસમું સમૂહ શખાન્યાનું હતું;
12 અગિયારમું સમૂહ એલ્યાશીબનું હતું;
બારમું સમૂહ યાકીમનું હતું;
13 તેરમું સમૂહ હુપ્પાહનું હતું;
ચૌદમું સમૂહ યેશેબઆબનું હતું;
14 પંદરમું સમૂહ બિલ્ગાહનું હતું,
સોળમું સમૂહ ઇમ્મેરનું હતું;
15 સત્તરમું સમૂહ હેઝીરનું હતું;
અઢારમું સમૂહ હાપ્પિસ્સેસનું હતું;
16 ઓગણીસમું સમૂહ પથાહ્યાનું હતું;
વીસમું સમૂહ યહેઝકેલનું હતું;
17 એકવીસમું સમૂહ યાખીનનું હતું;
બાવીસમુઁ સમૂહ ગામૂલનું હતું;
18 ત્રેવીસમું સમૂહ દલાયાનું હતું;
ચોવીસમું સમૂહ માઆઝયાનીનું હતું.
19 આ બધાં માણસોને યહોવાના મંદિરમાં જવા માટે અને ઇસ્રાએલના દેવ યહોવાએ જણાવ્યા મૂજબ આ માણસોના વડવા હારુને નક્કી કરેલી ફરજો બજાવવા માટે નીમવામાં આવ્યા હતા.
બાકીના લેવીઓ
20 લેવી કુટુંબના બાકીના વંશજો નીચે મુજબ છે:
આમ્રામનો વંશજ શુબાએલ
અને શુબાએલનો વંશજ યહદયા;
21 રહાબ્યાનો વંશજ યિશ્શિયા જે આગેવાન હતો;
22 યિસ્હારના વંશજ શલોમોથનો વંશજ યાહાથ;
23 હેબ્રોનના પુત્રો: સૌથી મોટો યરિયા,
બીજો અમાર્યા,
ત્રીજો યાહઝીએલ અને
ચોથો યકામઆમ;
24 ઉઝઝીયેલના વંશજ
મીખાહનો પુત્ર શામીર;
25 મીખાહનો ભાઇ યિશ્શિયા,
યિશ્શિયાનો પુત્ર ઝખાર્યા;
26 મરારીના વંશજો; માહલી, મૂશી અને તેનો પુત્ર યાઅઝીયાહ,
27 મરારીના વંશજો વચ્ચે એના પુત્ર યાઅઝીયાના મારફતે: શોહામ, ઝાક્કૂર અને ઇબ્રી.
28 માહલીના પુત્રો: એલઆઝાર અને કીશ. એલઆઝારને પુત્ર નહોતો.
29 કીશનો યરાહમએલ.
30 મૂશીના પુત્રો: માહલી, એદેર અને યરીમોથ.
આ બધા તેમના પૂર્વજોની વંશાવળી પ્રમાણે નોંધેલા લેવીઓના વંશજો હતા. 31 બરાબર તેમના કુટુંબી હારુનના વંશજોની માફક આ કુટુંબોમાં પણ મોટા અને નાના કુટુંબનો ભેદ રાખ્યા વિના ચિઠ્ઠીઓ ફેંકીને તેમની ફરજો નક્કી કરવામાં આવી હતી. આ બંધુ રાજા દાઉદ, સાદોક, અહીમેલેખ અને યાજકોના આગેવાનોની અને લેવીઓનાં કુટુંબને સાક્ષી રાખીને કરવામાં આવ્યું હતું.
મંદિરના સંગીતકારોની ફરજો
25 દાઉદે અને તેના મુખ્ય અમલદારોએ આસાફના, હેમાનના અને યદૂથૂનના કુટુંબને સેવા માટે નિમ્યા. તેમને સિતાર વીણા અને ઝાંઝ વગાડતાં વગાડતાં ભવિષ્યવાણી કરવાની હતી. તેમના નામો તથા એમની સેવાના પ્રકાર નીચે પ્રમાણે છે:
2 આસાફના પુત્રો હતા; ઝાક્કૂર, યૂસફ, નથાન્યા અને અશ્શારએલાહ. આ બધા આસાફના પુત્રો હતા અને તે તેઓનો આગેવાન હતો. તે રાજાની સૂચના મુજબ દેવની ભવિષ્યવાણી કરતો હતો.
3 યદૂથૂનના છ પુત્રો હતા: ગદાલ્યા, સરી, યશાયા, શિમી, હશાબ્યા અને માત્તિથ્યા. એ છ પોતાના પિતા યદૂથૂનની આગેવાની હેઠળ વીણા વગાડતાં અને ભવિષ્યવાણી કરતા, અને તેઓ યહોવાનો આભાર માનતા અને તેની સ્તુતિ કરતાં હતા.
4 હેમાનના પુત્રો: બુક્કીયા, માત્તાન્યા, ઉઝઝીએલ, શબુએલ, યરીમોથ, હનાન્યા, હનાની, અલીઆથાહ, ગિદાલ્તી, રોમામ્તી-એઝેર, યેશ્બકાશાહ, માલ્લોથી, હોથીર અને માહઝીઓથ. 5 દેવે પોતે વચન આપ્યા મુજબ રાજાના ષ્ટા હેમાનને તેનું ગૌરવ વધારવા ચૌદ પુત્રો અને ત્રણ પુત્રી આપ્યાં હતા.
6 એ બધા પોતપોતાના પિતાની આગેવાની હેઠળ, યહોવાના મંદિરમાં સારંગી, વીણા અને ઝાંઝની સંગાથે ગાતા અને રાજાએ સોંપેલા કામ મુજબ દેવના મંદિરમાં સેવા બજાવતા. 7 યહોવાના કીર્તન ગાવાની તાલીમ પામેલા તેમના કુટુંબીઓ બીજા લેવીઓ સાથે ગણાતાં કુશળ સંગીતકારોની કુલ સંખ્યા 288 ની હતી. 8 કામની વહેંચણી માટે જુવાન ઘરડા, ઉસ્તાદ અને શાગીર્દ સૌએ ચિઠ્ઠી નાખી હતી.
9 પ્રથમ ચિઠ્ઠી આસાફના સમૂહની નીકળી: એમાં કુલ બાર માણસો હતા જેમાં યૂસફ, તેના ભાઇઓ અને પુત્રોનો સમાવેશ થતો હતો.
બીજી ચિઠ્ઠી ગદાલ્યાની: તેના ભાઇઓની અને પુત્રોની નીકળી; તેઓ કુલ બાર હતા.
10 ત્રીજી ચિઠ્ઠી ઝાક્કૂરની: તેના પુત્રોની અને તેના ભાઇઓની નીકળી. તેઓ કુલ બાર હતા.
11 ચોથી ચિઠ્ઠી મિસ્રીની: તેના પુત્રોની અને તેના ભાઇઓની નીકળી. જે બધાં કુલ મળીને બાર હતા.
12 પાંચમી ચિઠ્ઠી નથાન્યાની: તેના ભાઇઓ અને પુત્રો મળીને કુલ બાર હતા.
13 છઠ્ઠી બુક્કીયાની: તેના પુત્રો અને ભાઇઓ મળીને કુલ બાર હતા.
14 સાતમી યશારએલાહની: તેના પુત્રો અને ભાઇઓ મળીને કુલ બાર હતા.
15 આઠમી યશાયાની: તેના પુત્રો અને ભાઇઓ મળીને કુલ બાર હતા.
16 નવમી મત્તાન્યાની: તેના પુત્રો અને ભાઇઓ મળીને કુલ બાર હતા.
17 દશમી શિમઇ: તેના પુત્રો અને ભાઇઓ મળીને કુલ બાર હતા.
18 અગિયારમી અઝારએલ: તેના પુત્રો અને ભાઇઓ મળીને કુલ બાર હતા.
19 બારમી હશાબ્યાની: તેના પુત્રો અને ભાઇઓ મળીને કુલ બાર હતા.
20 તેરમી શુબાએલની: તેના પુત્રો અને ભાઇઓ મળીને કુલ બાર હતા.
21 ચૌદમી માત્તિથ્યાની: તેના પુત્રો અને ભાઇઓ મળીને કુલ બાર હતા.
22 પંદરમી યરેમોથની: તેના પુત્રો અને ભાઇઓ મળીને કુલ બાર હતા.
23 સોળમી હનાન્યાની: તેના પુત્રો અને ભાઇઓ મળીને કુલ બાર હતા.
24 સત્તરમી યોશ્બકાશાહની: તેના પુત્રો અને ભાઇઓ મળીને કુલ બાર હતા.
25 અઢારમી હનાનની: તેના પુત્રો અને ભાઇઓ મળીને કુલ બાર હતા.
26 ઓગણીશમી માલ્લોથીની: તેના પુત્રો અને ભાઇઓ મળીને કુલ બાર હતા.
27 વીસમી અલીયાથાહની: તેના પુત્રો અને ભાઇઓ મળીને કુલ બાર હતા.
28 એકવીસમી હોથીરની: તેના પુત્રો અને ભાઇઓ મળીને કુલ બાર હતા.
29 બાવીસમી ગિદ્દાલ્તીની: તેના પુત્રો અને ભાઇઓ મળીને કુલ બાર હતા.
30 ત્રેવીસમી માહઝીઓથની: તેના પુત્રો અને ભાઇઓ મળીને કુલ બાર હતા.
31 ચોવીસમી રોમામ્તી-એઝેરની: તેના પુત્રો અને ભાઇઓ મળીને કુલ બાર હતા.
દેવનું ટોળું
5 હવે તમારા સમૂહના વડીલોને મારે કંઈક કહેંવું છે. હું પણ વડીલ છું. મેં પોતે ખ્રિસ્તની યાતનાઓ જોઈ છે. અને જે મહિમા આપણને પ્રગટ થનાર છે તેનો હું પણ ભાગીદાર છું, તેથી તેઓને વિનંતી કરું છું કે, 2 દેવનું જે ટોળું તમારામાં છે તેનું પ્રતિપાલન કરો. અધ્યક્ષનું કામ ફરજ પડ્યાથી નહિ પણ ખુશીથી કરો. નીચ લોભને માટે નહિ, પણ હોંસથી કરો, દેવની આવી ઈચ્છા છે. તમે સેવા કરવાથી પ્રસન્ન થાઓ છો તેથી આમ કરજો. પૈસાને માટે ન કરતા. 3 જે લોકો પ્રત્યે તમે જવાબદાર છો, તેઓના સત્તાધીશ ન બનશો. પરંતુ તે લોકોને આદશરુંપ થાઓ. 4 પછી જ્યારે મુખ્ય ઘેંટાપાળક (ખ્રિસ્ત) આવશે ત્યારે, તમને મુગટ મળશે. તે મુગટ ઘણોજ મહિમાવંત હશે અને તેની સુંદરતા કદી પણ નાશ પામશે નહિ.
5 જુવાનો, મારે તમને પણ કંઈક કહેવું છે. તમારે વડીલોની સત્તાને સ્વીકારવી જોઈએ અને એકબીજા પ્રત્યે તમારે બધાને વિનમ્ર બનવું જોઈએ.
“દેવ અભિમાની લોકોની વિરૂદ્ધ છે.
પરંતુ વિનમ્ર લોકો પ્રતિ તે કૃપા (દયા) રાખે છે.” (A)
6 તેથી દેવના સમર્થ હાથો નીચે પોતાને વિનમ્ર બનાવો પછી યોગ્ય સમયે તે તમને ઉચ્ચપદે મૂકશે. 7 તમારી બધીજ ચિંતાઓ તેને સોંપી દો, કારણ કે તે તમારી સંભાળ રાખે છે.
8 તમારી જાતને નિયંત્રિત કરો અને સાવધાન રહો! શેતાન તમારો દુશ્મન છે, અને તે ગાજનાર સિંહની પેઠે કોઇ મળે તેને ખાઇ જવા માટે શોધતો ફરે છે. 9 શેતાનનો વિરોધ કરો. અને તમારા વિશ્વાસમાં સુદઢ બનો. તમે જાણો છો કે તમારા જેવી જ યાતના દુનિયાભરમાં તમારા ભાઇઓ અને બહેનો ભોગવી રહ્યા છે.
10 હા, થોડા સમય માટે તમારે સહન કરવું પડશે. પરંતુ તે પછી, દેવ બધુંજ સાંરું કરશે. તે તમને શક્તિશાળી બનાવશે. તમારું પતન ન થાય તે માટે તમારો આધાર બની રહેશે. તે જ સર્વ કૃપાનો દેવ છે. તેણે તમને ખ્રિસ્તમાં પોતાના મહિમામાં સહભાગી થવા બોલાવ્યા છે. આ મહિમા સદાસર્વકાળ પર્યંત રહેશે. 11 તેને સદાસર્વકાળ સત્તા હોજો. આમીન.
અંતિમ શુભેચ્છાઓ
12 સિલ્વાનુસ, મને ખબર છે કે તે ખ્રિસ્તમાં વિશ્વાસુ ભાઈ છે. તમને આદર સાથે હિંમત અને પ્રોત્સાહન આપવા તેની હસ્તક મેં ટૂંકમા આ લખ્યું છે. મારે તમને કહેવું હતું કે આ તો દેવની ખરી કૃપા છે. અને તે કૃપામાં સ્થિર ઊભા રહો.
13 બાબિલોનની મંડળી તમને સલામ કહે છે. તમારી જેમ તે લોકો પસંદ કરાયેલા છે. ખ્રિસ્તમાં મારો પુત્ર માર્ક પણ તમને સલામ કહે છે. 14 જ્યારે તમે મળો ત્યારે પ્રિતિના ચુંબનથી અકબીજાને સલામ કરજો.
ખ્રિસ્ત ઈસુમાં તમ સર્વને શાંતિ થાઓ.
ઇસ્રાએલના પ્રશાસકો દુષ્ટતાના અપરાધી
3 મેં કહ્યું, “હે યાકૂબના નેતાઓ, અને ઇસ્રાએલ દેશના શાસકો,
હવે આ શું તમારા માટે ન્યાયને જાણવાની જગ્યા નથી?
2 પણ તમે ન્યાયને ધિક્કારો છો, ને અન્યાય પર પ્રેમ રાખો છો!
તમે મારા લોકોના શરીર પરથી ચામડી
અને તેના હાડકાં ઉપરથી માંસ ઊતારી લો છો.
3 તમે મારા લોકોનું માંસ ખાઓ છો,
તેમના શરીર ઉપરથી ચામડી ઉઝરડી નાખો છો,
તેમના હાડકાં ભાંગીને ચૂરાં કરી નાંખો છો અને તેને માંસની જેમ રાંધવા માટે તમે તેને કઢાઇમાં પાથરી દો છો.
4 અને પછી સંકટના સમયે મદદ માટે તમે યહોવાને વિનંતી કરો છો!
પરંતુ તે તમને જવાબ નહિ આપે.
તમે અનિષ્ટ કામો કર્યા છે,
તેથી તે તમારાથી મોઢું ફેરવી લેશે.”
જૂઠા પ્રબોધકો
5 હે જૂઠા પ્રબોધકો, તમે યહોવાના લોકોને ખોટા માર્ગે લઇ જાઓ છો:
“તમને ખોરાક આપે તેઓને તમે શાંતિ થાઓ એમ કહો છો
અને જેઓ નથી આપતા તેઓને તમે ધમકાવો છો.
તમારા માટે દેવનો આ સંદેશો છે.
6 “તમારા ઉપર રાત્રીના ઓળાં ઊતરશે;
તમને કોઇ સંદર્શન નહિ થાય,
તમારા ઉપર અંધારા ઊતરશે,
તમે કોઇ ભવિષ્ય ભાખી શકશો નહિ,
તમારો સૂર્ય આથમી જશે
અને તમારો દિવસ
અંધારમય થઇ જશે.
7 દ્રષ્ટાઓ લજ્જિત થશે,
અને ભવિષ્યવેત્તાઓ ગૂંચવાઇ જશે,
તેઓ બધા પોતાના હોઠ ઢાંકી દેશે;
કારણકે દેવ તરફથી કઇં પણ ઉત્તર મળતો નથી.”
મીખાહ દેવનો નિખાલસ પ્રબોધક
8 પરંતુ જ્યારે મારા માટે,
યાકૂબને તેના અપરાધ વિષે અને ઇસ્રાએલને
તેના પાપો વિષે જણાવવા માટે યહોવાના આત્માએ મને સાર્મથ્ય,
ન્યાય અને શકિતથી ભરી દીધો છે.
ઇસ્રાએલના આગેવાનો જવાબદાર
9 હે યાકૂબના વંશના નેતાઓ અને ઇસ્રાએલના કૂળના શાસકો,
જેઓ ન્યાયને ધિક્કારો છો,
અને સર્વ નીતિમત્તાને ઉલટાવો છો,
હવે ધ્યાનથી સાંભળો.
10 તમે સિયોનને હિંસાથી
અને યરૂશાલેમને અન્યાય દ્વારા બાંધ્યા છે.
11 તેના આગેવાન નેતાઓ
લાંચ લઇને ન્યાય કરે છે.
ને તેના યાજકો પગાર લઇને બોધ કરે છે
અને તેના પ્રબોધકો
પૈસા લઇને ભવિષ્ય ભાખે છે.
એમ છતાં પણ તેઓ
યહોવા પર આધાર રાખે છે,
અને કહે છે, “શું યહોવા આપણી પાસે નથી?
આપણા પર કોઇ આફત આવશે નહિ.”
12 આથી, તમારે કારણે સિયોનને
ખેતરની જેમ ખેડી નાખવામાં આવશે,
અને યરૂશાલેમ કાટમાળનો ઢગલો થઇ જશે;
અને ટેકરી ઉપરનું મંદિર ઝાડી ઝાંખરાથી ઢંકાઇ જશે.
ફરોશીઓ જેવા ના બનો
12 ઘણા હજારો લોકો ભેગા થયા. ત્યાં એટલા બધા લોકો હતા કે તેઓ એકબીજા પર પડાપડી કરતા હતા. ઈસુ લોકોને બોલ્યો તે પહેલા તેના શિષ્યોને તેણે કહ્યું, “ફરોશીઓના ખમીરથી સાવધ રહો. હું સમજું છું કે તેઓ ઢોંગી છે. 2 જે કંઈ છુપાવી રાખેલું છે તે બતાવશે. જે કંઈ ગુપ્ત છે તે પ્રગટ કરાશે. 3 તમે જે કંઈ અંધારામાં કહો છો તે અજવાળામાં કહેવાશે, અને ગુપ્ત ઓરડામાં તમે જે કંઈ કાનમાં કહ્યું હશે તે ઘરના ધાબા પરથી પોકારાશે.”
ફક્ત ઈસુથી ડરો
(માથ. 10:28-31)
4 પછી ઈસુએ લોકોને કહ્યું, “હું તમને કહું છું, મારા મિત્રો, લોકોથી ડરો નહિ, લોકો શરીરને મારી શકે છે, પણ તે પછી તેઓ તમને ઇજા કરતાં વધારે કઈ કરી શકશે નહિ. 5 હું તમને એકથી ડરવાનું બતાવીશ. તમારે તેનાથી ડરવું જોઈએ જેનામાં તમને મારી નાખવાનો અને પછી તમને નરકમાં નાખવાનો અધિકાર છો. હા, તે એક છે જેનાથી તાર ડરવું જોઈએ.
6 “જ્યારે પક્ષીઓ વેચાય છે, પાંચ નાના પક્ષીઓની કિંમત માત્ર બે પૈસા છે. પણ દેવ તેમાંના કોઈને ભૂલી શકતો નથી. 7 હા, દેવને એ પણ ખબર છે કે તમારા માથાંના વાળ કેટલા છે. ડરશો નહિ. તમે ઘણા પક્ષીઓ કરતાં વધારે મૂલ્યવાન છો.
ઈસુથી શરમાશો નહિ
(માથ. 10:32-33; 12:32; 10:19-20)
8 “હું તમને કહું છું, જો કોઈ વ્યક્તિ બીજા લોકો આગળ ઊભો રહે અને કહે કે તેને મારામાં વિશ્વાસ છે. પછી હું કહીશ કે તે વ્યક્તિ માકી છે. હું આ દેવના દૂતોની આગળ કહીશ. 9 પણ જો કોઈ વ્યક્તિ લોકો આગળ ઊભો રહીને જાહેર કરે કે તેને મારામાં વિશ્વાસ નથી પછી હું કહીશ કે તે વ્યક્તિ મારી નથી. હું આ દેવના દૂતોની આગળ કહીશ.
10 “કોઈ વ્યક્તિ માણસના દીકરાની વિરૂદ્ધ કંઈક કહે છે, તો તેને માફી આપી શકાય છે. પણ કોઈ વ્યક્તિ પવિત્ર આત્માની વિરૂદ્ધ કંઈ વાત કહેશે તો તેને માફ કરી શકાશે નહિ.
11 “જ્યારે લોકો તમને સભાસ્થાનોમાં અધિપતિઓ અને અધિકારીઓની આગળ લઈ જાય ત્યારે શું કહેવું તેની ચિંતા ન કરો અને તમારો બચાવ કેવી રીતે કરવો તેની પણ ચિંતા ન કરો. 12 તે વખતે પવિત્ર આત્મા તમારે શું કહેવું જોઈએ તે શીખવશે.”
ઈસુની સ્વાર્થપણા સામે ચેતવણી
13 ટોળામાંના એક માણસે ઈસુને કહ્યું, “ગુરુંજી, હમણા જ અમારા પિતાનું મૃત્યુ થયું છે. મારા ભાઈને કહે કે અમારા પિતાની માલિકીની વસ્તુઓનો ભાગ મને આપે.”
14 પણ ઈસુએ તેઓને કહ્યું, “કોણે કહ્યું કે હું તમારો ન્યાયાધીશ થઈશ કે તમારા પિતાની વસ્તુઓ તમારા બંને વચ્ચે વહેંચવાનો નિર્ણય કરીશ?” 15 પછી ઈસુએ તેઓને કહ્યું, “સાવધાન રહો અને બધાજ પ્રકારના સ્વાર્થીપણા સામે જાગ્રત રહો. વ્યક્તિ તેની માલિકીની ઘણી વસ્તુઓમાંથી જીવન પ્રાપ્ત કરી શકતો નથી.”
16 પછી ઈસુએ આ વાર્તાનો ઉપયોગ કર્યો: “એક ધનવાન માણસ હતો જેની પાસે કેટલીક જમીન હતી. તેની જમીનમાં ઘણી સારી ઉપજ થઈ. 17 તે ધનવાન માણસે તેની જાતે મનમાં વિચાર કર્યો, ‘મારે શું કરવું? મારી પાસે ઉપજ ભરી મૂકવાની જગ્યા નથી.’
18 “પછી પૈસાદાર માણસે કહ્યું, ‘હું જાણું છું કે હું શું કરીશ.’ હું મારી વખારોને પાડી નાંખીને વધારે મોટી વખારો બાંધીશ! હું ત્યાં મારા બધાજ ઘઉં અને સારી વસ્તુઓ એક સાથે નવી વખારમાં મૂકીશ. 19 પછી હું મારી જાતને કહીશ, ‘મારી પાસે ઘણી સારી વસ્તુઓનો સંગ્રહ છે, મેં ઘણાં વરસ માટે પૂરતું બચાવ્યું છે આરામ લે, ખા, પી અને જીવનમાં આનંદ કર!’
20 “પરંતુ દેવે તે માણસને કહ્યું, ‘અરે! મૂર્ખ માણસ આજે રાત્રે તારું મૃત્યુ થશે. તેથી તેં તારી જાત માટે તૈયાર કરેલી વસ્તુઓનું શું? હવે તે વસ્તુઓ કોની થશે?’
21 “જે વ્યક્તિ તેની જાત માટે જ ફક્ત વસ્તુઓ બચાવે છે તેનું આમ જ થશે. દેવ સમક્ષ તે વ્યક્તિ ધનવાન નથી.”
દેવના રાજ્યને પ્રથમ સ્થાન આપવું
(માથ. 6:25-34, 19-21)
22 ઈસુએ તેના શિષ્યોને કહ્યું, “તેથી હું તમને કહું છું કે, તમારે જીવવા માટે જે ખોરાક જોઈએ તેની ચિંતા કરશો નહિ, તમારા શરીર માટે જરૂરી કપડાંની તમે ચિંતા કરશો નહિ. 23 જીવન ખોરાક કરતા વધારે મહત્વનું છે અને શરીર કપડાં કરતા વધારે મહત્વનું છે. 24 પક્ષીઓ તરફ જુઓ, તેઓ વાવતા નથી કે લણતાં નથી. પક્ષીઓ વખારમાં કે ઘરમાં અનાજ બચાવતા નથી. પરંતુ દેવ તેમની સંભાળ રાખે છે. અને તમે તો પક્ષીઓ કરતાં ઘણા મૂલ્યવાન છો. 25 તમારામાંથી કોઈ પણ તેના અંગે ચિંતાઓ કરીને તમારા જીવનમાં થોડા સમયનો પણ વધારો કરી શકતો નથી. 26 જો તમે નાની બાબત પણ કરી શકતા નથી તો પછી બીજી બાબતોની ચિંતા શા માટે કરો છો?
27 “જંગલી ફૂલોને જુઓ, તેઓ કેવી રીતે ઊગે છે. તેઓ તેમની જાત માટે નથી કપડાં બનાવતા કે નથી કંઈ કામ કરતાં. પણ હું તમને કહું છું કે મહાન ધનવાન રાજા સુલેમાન પણ સુંદર રીતે શણગારાએલાં ફૂલોમાંના એક જેવો પણ પહેરેલો ન હતો. 28 એ પ્રમાણે દેવ ખેતરના ઘાસને સુંદર વસ્ત્રો પહેરાવે છે તેમ ઘાસ આજે જીવે છે. પણ આવતીકાલે તેને બાળી નાખવા આગમાં નંખાય છે. તેથી તું જાણ કે દેવ તને વધારે સારું પહેરાવશે. તેથી આવો અલ્પવિશ્વાસ ન રાખો.
29 “તેથી હંમેશા તમે શું ખાશો અને શું પીશો તેના વિષે વિચાર ન કરો. તેના વિષે ચિંતા ન કરો. 30 જગતના બધા લોકો તે વસ્તુઓ મેળવવા પ્રયત્ન કરે છે. તમારો પિતા જાણે છે કે તમારે તે વસ્તુઓની જરૂર છે. 31 જે વસ્તુઓ તમને જોઈએ છે તે દેવનું રાજ્ય છે. પછી આ બધી જરૂરી વસ્તુઓ તમને આપવામાં આવશે.
પૈસામાં વિશ્વાસ ન રાખો
32 “ઓ નાની ટોળી, તમે ડરશો નહિ, તમારા પિતા તમને રાજ્ય આપવા ઈચ્છે છે. 33 તમારી પાસે જે વસ્તુઓ છે તે વેચી દો અને જેઓને જરૂર છે તેઓને તે પૈસા આપી દો. આ જગતની સંપત્તિ સદા રહેતી નથી. તેથી જે સંપત્તિ સતત રહે તે મેળવો. તમારી જાત માટે આકાશમાં ખજાનો પ્રાપ્ત કરો. તે ખજાનો સદા રહેશે. આકાશમાંના ખજાનાને ચોરો ચોરી શકતા નથી, અને કીડા તેનો નાશ કરી શકતા નથી. 34 જ્યાં તમારો ખજાનો હશે ત્યાં જ તમારુંચિત્ત રહેશે.
હંમેશા તૈયાર રહો
(માથ. 24:42-44)
35 “તૈયાર થાઓ, પૂર્ણ પોષાક પહેરો, તમારા દીવા સળગતા રાખો. 36 લગ્ન સમારંભમાંથી ઘેર પાછા આવતા ધણીની રાહ જોતાં સેવકો જેવા થાઓ. ધણી આવે છે અને ટકોરા મારે છે. દાસો ધણી માંટે બારણું ઉઘાડે છે. 37 એ દાસોને ધન્ય છે કારણ કે જ્યારે તેઓનો ધણી ઘરે આવે છે અને તે જુએ છે કે તેના દાસો તૈયાર છે અને તેની વાટ જુએ છે. હું તમને સત્ય કહું છું, ધણી તેની જાતે કામ માટે કપડાં પહેરશે અને દાસોને મેજ પાસે બેસવા કહેશે. પછી ધણી તેમની સેવા કરશે. 38 પેલા દાસોને મધરાત પછી મોડેથી તેઓના ધણીની આવવાની રાહ જોવી પડે. તેઓનો ધણી જ્યારે આવે છે, ત્યારે તેઓને રાહ જોતા જોઈને તે આનંદ પામે છે.
39 “આ યાદ રાખો, ઘરનો ધણી જો જાણતો હોત કે ક્યા સમયે ચોર આવશે તો પછી ધણી ચોરને તેના ઘરમાં ઘૂસવા દેત નહિ. 40 તેથી તમે પણ તૈયાર રહો! માણસનો દિકરો તમે ધાર્યુ નહિ હોય તેવા સમયે આવશે.”
વિશ્વાસપાત્ર સેવક કોણ?
(માથ. 24:45-51)
41 પિતરે કહ્યું, “પ્રભુ, તેં આ વાર્તા અમારા માટે કહી કે બધા લોકો માટે?”
42 પ્રભુએ કહ્યું, “શાણો અને વિશ્વાસપાત્ર સેવક કોણ છે? ધણી એક દાસ પર વિશ્વાસ રાખે છે જે બીજા દાસોને સમયસર તેમનું ખાવાનું આપશે. એ દાસ કોણ છે જેના પર ધણી તે કામ કરવાનો વિશ્વાસ રાખે છે? 43 જ્યારે ધણી આવે છે અને પોતે દાસને સોંપેલું કામ કરતાં જુએ છે, ત્યારે તે દાસ ઘણો સુખી થશે. 44 હું તમને સત્ય કહું છું, ધણી તે દાસને પોતાની સર્વ માલમિલકતની સંભાળ રાખવા પસંદ કરે છે.
45 “પણ જો દાસ દુષ્ટ હોય અને વિચારે કે તેનો ધણી જલદીથી પાછો આવશે નહિ, તો પછી શું બને? પેલો દાસ બીજા દાસો અને દાસીઓને મારવાનું શરૂ કરશે. તે ખાશે, પીશે અને છાકટો બનશે. 46 પછી પેલા દાસનો ધણી આવશે ત્યારે પેલો દાસ તૈયાર હશે નહિ. દાસે ધારણા નહિ કરી હોય કે ધણી આવશે તેવા સમયે તે આવશે પછી ધણી પેલા દાસને શિક્ષા કરશે. ધણી તેને બીજા લોકો જે તેની આજ્ઞા પાળતા નથી તેમની સાથે દૂર કાઢી મૂકશે.
47 “પેલા દાસે જાણ્યું, તેનો ધણી તેની પાસે શું કરાવવા માંગતો હતો પણ તે દાસે તેની જાતને તૈયાર કરી નહિ અથવા તેના ધણીની ઈચ્છા પ્રમાણે જે કરવાનું હતું તે માટે પ્રયત્ન પણ કર્યો નહિ, તેથી તે દાસને ઘણી બધી શિક્ષા થશે! 48 પણ તે દાસોનું શું કે જેઓ તેમના ધણી શું ઈચ્છે છે તે જાણતા નથી? તે દાસ શિક્ષા થાય તેવાં જ કામ કરે છે. પણ જે દાસો તેમને શું કરવાનું છે તે જાણે છે તેના કરતા તેને ઓછી શિક્ષા થશે. જે વ્યક્તિને વધારે આપવામાં આવ્યું હશે તે વધારે હોવા માટે પણ જવાબદાર થશે. જે વ્યક્તિ પાસેથી વધારે અપેક્ષા રાખવામાં આવશે ત્યારે તેની પાસેથી વધારે માંગણી કરવામાં આવશે.”
ઈસુ વિષે લોકોનો અસ્વીકાર
(માથ. 10:34-36)
49 ઈસુએ બોલવાનું ચાલુ રાખ્યું, “હું પૃથ્વી પર આગ વરસાવવા આવ્યો છું. જો આગ પ્રસરી જ ગઇ હોય તો હું બીજું શું ઈચ્છું! 50 મારે જુદા જ પ્રકારના બાપ્તિસ્મા સાથે બાપ્તિસ્મા પામવું જોઈએ અને તે પૂરું થતાં સુધી હું ઘણી ચિંતામાં છું. 51 શું તમે એમ માનો છો કે હું દુનિયાને શાંતિ આપવા આવ્યો છું? ના હું તો દુનિયાના ભાગલા પાડવા આવ્યો છું! 52 કેમ કે હવે એ પરિવારના પાંચ માણસોમાં ભાગલા પડશે. એટલે કે ત્રણ બેની સામે, અને બે ત્રણની સામે.
53 પિતા અને પુત્રમાં ભાગલા પડશે:
દીકરો તેના પિતાની વિરૂદ્ધ થશે.
પિતા તેના પુત્રની વિરૂદ્ધ થશે.
મા અને પુત્રીમાં ભાગલા પડશે:
પુત્રી તેની માની વિરોધી થશે.
મા તેની પુત્રીની વિરોધી
થશે સાસુ અને વહુમાં ભાગલા પડશે:
વહુ તેની સાસુની વિરોધી થશે.
સાસુ તેની વહુની વિરોધી થશે.”
સમયને પારખો
(માથ. 16:2-3)
54 પછી ઈસુએ લોકોને કહ્યું, “જ્યારે તમે પશ્ચિમમાં મોટાં વાદળા ઘેરાતાં જુઓ છો ત્યારે તમે કહો છો કે, ‘વર્ષાનું ઝાપટું આવશે;’ અને વરસાદ પડશે. અને ખરેખર વરસાદ પડે છે. 55 જ્યારે તમને લાગે છે કે દક્ષિણમાંથી પવન ફૂંકાય છે ત્યારે તમે કહો છો કે, ‘તે દિવસે ખૂબ ગરમી પડશે,’ અને તમે સાચા છો. 56 ઓ ઢોંગીઓ! તમે હવામાન સમજી શકો છો તો હમણાં જે બની રહ્યું છે તે તમે શા માટે સમજતા નથી?
તમારી સમસ્યા ઉકેલો
(માથ. 5:25-26)
57 “શું સાચું છે તેનો તમે તમારી જાતે કેમ નિર્ણય કરતા નથી? 58 જ્યારે તારા વિરોધી સાથે ફરિયાદ નોંધાવવા માટે ન્યાયાલયમાં જતો હોય તો રસ્તામાં જ તેની સાથે સમાધાન કરવાનો પ્રયત્ન કર. જો તું તેનો ઉકેલ નહિ લાવે તો તે તને ન્યાયાધીશ આગળ ઘસડી જશે. રખે ન્યાયાધીશ તને અધિકારીને સોંપે. અને તે તને બંદીખાનામાં નાખે. 59 હું તને કહું છું તું પ્રત્યેક દમડી જે તારે ચુકવવાની છે તે નહિ આપે ત્યાં સુધી તું ત્યાંથી બહાર નીકળશે નહિ.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International