Print Page Options
Previous Prev Day Next DayNext

Old/New Testament

Each day includes a passage from both the Old Testament and New Testament.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
1 કાળવૃત્તાંતનું 1-3

વંશાવળીઓની નોંધ – આદમથી નૂહ

આદમ, શેથ, અનોશ; કેનાન, માહલાલએલ, યારેદ; હનોખ, મથૂશેલા, લામેખ; નૂહ.

નૂહના પુત્રો: શેમ, હામ તથા યાફેથ.

યાફેથના વંશજો

યાફેથના પુત્રો: ગોમેર, માગોગ, માદાય, યાવાન, તુબાલ, મેશેખ તથા તીરાશ.

ગોમેરના પુત્રો: આશ્કનાજ, રીફાથ અને તોગાર્માહ.

યાવાનના પુત્રો: એલિશા, તાશીર્શ, કિત્તીમ તથા દોદાનીમ.

હામના વંશજો

હામના પુત્રો: કૂશ, મિસરાઈમ, પૂટ તથા કનાન.

કૂશના પુત્રો: સબાહ, હવીલાહ, સાબ્તાહ, રાઅમાહ તથા સાબ્તેકા.

રાઅમાહના પુત્રો: શબા અને દદાન.

10 કૂશનો બીજો એક પુત્ર નિમ્રોદ હતો જે પૃથ્વી પરનો સૌથી પહેલો શકિતશાળી યોદ્ધો હતો.

11 મિસરાઈમ આ બધાનો પિતૃ હતો: લૂદીમ, અનામીમ, લહાબીમ, નાફતુહીમ, 12 પાથરૂસીમ, કાસ્લુહીમ (પલિસ્તી કાસ્લુહીમથી ઉતરી આવ્યાં હતા) અને કાફતોરીમ.

13 કનાનના પુત્રો: સિદોન જ્યેષ્ઠ પુત્ર અને હેથ. 14 યબૂસી, અમોરી, ગિર્ગાશી; 15 હિવ્વી, આકીર્, સીની; 16 આર્વાદી, સમારી તથા હમાથી.

શેમનાં વંશજો

17 શેમના પુત્રો: એલામ, આશ્શૂર, આર્પાકશાદ, લૂદ, અરામ, ઉસ, હૂલ, ગેથેર, તથા મેશેખ.

18 આર્પાકશાદથી શેલાહ થયો, ને શેલાહથી એબેર થયો.

19 એબેરને બે પુત્રો હતા; એકનું નામ પેલેગ હતું, કારણ તેના દિવસોમાં પૃથ્વીના લોકોમાં વિભાજન થયું હતું; એના ભાઈનું નામ યોકટાન 20 અને તેના પુત્રો હતા: આલ્મોદાદ, શેલેફ, હસાર્માવેથ, યેરાહ; 21 હદોરામ, ઉઝાલ, દિકલાહ, 22 એબાલ અબીમાએલ, શબા, 23 ઓફીર, હવીલાહ અને યોઆબ, આ બધા યોકટાનના વંશજો હતા.

24 શેમ, આર્ફાકશાદ, શેલાહ, 25 એબેર, પેલેગ, રેઉ, 26 સરૂગ, નાહોર, તેરાહ, 27 ઇબ્રામ (એટલે ઇબ્રાહિમ).

ઈબ્રાહિમના વંશજો

28 ઇબ્રાહિમના પુત્રો: ઇસહાક અને ઇશ્માએલ. 29 આ તેઓની વંશાવળી છે:

ઇશ્માએલનો: જયેષ્ઠ પુત્ર નબાયોથ, કેદાર, આદબએલ, મિબ્સામ, 30 મિશ્મા, દૂમાહ, માસ્સા, હદાદ, તેમા, 31 યટર, નાફીશ અને કેદમાહ. આ ઇશ્માએેલના પુત્રો હતા.

32 ઇબ્રાહિમની ઉપપત્ની કટૂરાહના પુત્રો: ઝિમ્રાન, યોકશાન, મદાન, મિદ્યાન, યિશ્બાક અને સૂઆહ થયા.

33 મિદ્યાનના પુત્રો: એફાહ, એફેર, હનોખ, અબીદા અને એલ્દાઆહ, આ સર્વ કટૂરાહના વંશજો હતા.

ઇબ્રાહિમના પુત્રો

34 ઇબ્રાહિમ ઇસહાકનો પિતા હતો. ઇસહાક, એસાવ અને ઇસ્રાએલનો પિતા હતો.

35 એસાવના પુત્રો: અલીફાઝ, રેઉએલ, યેઉશ, યાલામ તથા કોરાહ.

36 અલીફાઝના પુત્રો: તેમાન, ઓમાર, સફી, ગાતામ, કનાજ, તિમ્ના તથા અમાલેક.

37 રેઉએલના પુત્રો: નાહાથ, ઝેરાહ, શામ્માહ તથા મિઝઝાહ.

સેઇરનું કુટુંબ

38 સેઇરના પુત્રો: લોટાન, શોબાલ, સિબયોન, અનાહ, દિશોન, એસેર, તથા દીશાન.

39 લોટાનના પુત્રો: હોરી અને હોમામ અને લોટાનની બહેન તિમ્ના હતી.

40 શોબાલના પુત્રો: આલ્યાન, માનાહાથ, એબાલ, શફી તથા ઓનામ.

સિબયોનના પુત્રો: આયાહ તથા અનાહ.

41 અનાહનો પુત્ર:

દિશોન, દિશોનના પુત્રો: હામ્રાન, એશ્બાન, યિથાન તથા કરાન.

42 એસેરના પુત્રો: બિલ્હાન, ઝાઅવાન તથા યાઅકાન,

દિશાનના પુત્રો: ઉસ તથા આરાન.

અદોમના રાજાઓ

43 ઇસ્રાએલમાં કોઇ પણ રાજાએ રાજ કર્યું તે અગાઉ આ બધાં રાજા હતા;

બયોરનો પુત્ર બેલા, જે દીનહાબાહ નગરમાં રહેતો હતો.

44 બેલા મૃત્યુ પામ્યો પછી બોસ્રાહના વતની ઝેરાહનો પુત્ર યોબાબ રાજા બન્યો.

45 યોબાબના મૃત્યુ પછી, તેમાનીઓના દેશનો હૂશામ રાજા બન્યો.

46 હૂશામના મૃત્યુ પછી, બદાદનો પુત્ર હદાદ રાજા બન્યો. હદાદે મોઆબના મેદાનમાં મિદ્યાનીઓને હરાવ્યા; તેના નગરનું નામ અવીથ હતું.

47 હદાદના મુત્યુ પછી, તેની જગ્યાએ માસ્રેકાહના સામ્લાહે રાજ કર્યુ.

48 સામ્લાહના મૃત્યુ બાદ, તેની જગ્યાએ નદી પરના રહોબોથના શાઉલે રાજ કર્યુ.

49 શાઉલના મૃત્યુ પછી, આખ્બોરનો પુત્ર બઆલ-હાના રાજા થયો.

50 બઆલ-હાનાના મૃત્યુ પછી, પાઇ નગરનો હદાદ રાજા થયો. તેની પત્નીનું નામ મહેટાબએલ હતું. તે મેઝાહાબની પુત્રી માટેદની પુત્રી હતી.

51 હદાદ મૃત્યુ પામ્યો પછી અદોમના સરદારો આ હતા: તિમ્ના, આલ્યાહ, યથેથ, 52 આહોલીબામાહ, એલાહ, પીનોન, 53 કનાઝ, તેમાન, મિબ્સાર, 54 માગ્દીએલ અને ઇરામ. આ બધા અદોમના સરદારો હતા.

ઇસ્રાએલના વંશજો

ઇસ્રાએલના પુત્રો આ છે: રૂબેન, શિમોન, લેવી, યહૂદા, ઇસ્સાખાર, ઝબુલોન, દાન, યૂસફ, બિન્યામીન, નફતાલી, ગાદ તથા આશેર.

યહૂદાના પુત્રો

યહૂદાના પુત્રો: એર, ઓનાન અને શેલાહ, એ ત્રણેની માતા કનાની સ્રી બાથશુઆ હતી. યહૂદાનો જ્યેષ્ઠપુત્ર એરે એવું કર્યું જે યહોવાની નજરમાં અનિષ્ટ હતું અને યહોવાએ તેનું મોત નિપજાવ્યું. પછી યહૂદાની પુત્રવધૂ તામાર અને યહૂદા પેરેસ તથા ઝેરાહના માતાપિતા બન્યાં. આમ યહૂદાને પાંચ પુત્રો હતા.

પેરેસના પુત્રો: હેસ્રોન અને હામૂલ.

ઝેરાહના પુત્રો: ઝિમ્રી, એથાન, હેમાન, કાલ્કોલ અને દાશ; તેઓ બધા થઇને કુલ પાંચ હતા.

કામીર્નો પુત્ર: આખાર કે જે દેવને સમર્પિત વસ્તુઓની ચોરી કરીને ઇસ્રાએલ પર સંકટ લાવનાર હતો.

એથાનનો પુત્ર: અઝાર્યા હતો.

હેસ્રોનના પુત્રો: યરાહમએલ, રામ અને કલૂબાય.

રામના વંશજો

10 રામનો પુત્ર આમ્મીનાદાબ હતો અને તેનો પુત્ર નાહશોન હતો, તે યહૂદાનો આગેવાન હતો. 11 નાહશોનનો પુત્ર સાલ્મા હતો અને તેનો પુત્ર બોઆઝ હતો. 12 બોઆઝ ઓબેદનો પિતા હતો અને ઓબેદ યશાઈનો પિતા હતો. 13 યશાઈનો જયેષ્ઠપુત્ર અલીઆબ, બીજો અબીનાદાબ, ત્રીજો શિમઆ; 14 ચોથો નથાનિયેલ, પાંચમો રાદ્દાય, 15 છઠ્ઠો ઓસેમ, અને સાતમો દાઉદ; 16 તેમની બહેનો સરૂયા તથા અબીગાઈલ હતી. સરૂયાના પુત્રો: અબીશાય, યોઆબ તથા અસાહેલ, એ ત્રણ. 17 અબીગાઈલે અમાસાને જન્મ આપ્યો અને અમાસાના પિતા ઇશ્માએલી યેથેર હતો.

કાલેબના વંશજો

18 હેસ્રોનના પુત્ર કાલેબ, તેની પત્ની અઝુબાહ દ્વારા થયેલા પુત્ર યરીઓથનો પિતા હતો. તેના પુત્રો આ હતા: યેશેર, શોબાબ તથા આદોર્ન. 19 અઝુબાહના મૃત્યુ પછી, કાલેબ એફાથને પરણ્યો, જેણે હૂરને જન્મ આપ્યો. 20 હૂરથી ઉરી અને ઉરીથી બસાલએલ થયો.

21 પાછળથી 60 વર્ષની વયે હેસ્રોન ગિલયાદના બાપ માખીરની પુત્રીને પરણ્યો અને તેણીને પેટે તેને સગૂબ જનમ્યો. 22 સગૂબથી યાઈર થયો, યાઈર ગિલયાદનાં 23 શહેરોનો ધણી હતો. 23 પાછળથી ગશૂર અને અરામના લોકોએ ત્યાંનાં 60 શહેરો જીતી લીધાં; એમાં યાઈરનાં ગામોનો તથા કનાથ અને તેની આસપાસનાં ગામોનો સમાવેશ થતો હતો. એ બધાંમાં ગિલયાદના પિતા માખીરના વંશજો વસતા હતા.

24 હેસ્ત્રોનના મૃત્યુ પછી કાલેબને તેના પિતા હેસ્ત્રોનની વિધવા એફ્રાથા સાથે જાતિય સંબંધ હતો અને તેનાથી તેણીએ તકોઆના સ્થાપક આશ્શૂરને જન્મ આપ્યો.

યરાહમએલના વંશજો

25 હેસ્રોનના જ્યેષ્ઠ પુત્ર યરાહમએલને પાંચ પુત્રો હતા: જ્યેષ્ઠ પુત્ર રામ, પછી બૂનાહ, ઓરેન, ઓઝઝેમ અને અહિયા. 26 યરાહમએલને અટારાહ નામે બીજી પત્ની હતી, તેનાથી ઓનામ જન્મ્યો હતો.

27 યરાહમએલના જ્યેષ્ઠ પુત્ર રામના પુત્રો: માઆસ, યામીન અને એકેર.

28 ઓનામના પુત્રો: શામ્માય અને યાદા. શામ્માયના પુત્રો: નાદાબ અને અબીશૂર. અબીશૂર અબીહાઈલને પરણ્યો હતો.

29 તેનાથી તેને આહબાન અને મોલીદ જનમ્યાં હતા.

30 નાદાબના પુત્રો: સેલેદ અને આપ્પાઈમ, સેલેદ નસંતાન અવસાન પામ્યો હતો.

31 આપ્પાઇમનો પુત્ર: યિશઈ, યિશઇનો પુત્ર શેશાન અને શેશાનનો પુત્ર આહલાય.

32 શામ્માયના ભાઈ યાદાના પુત્રો: યેથેર અને યોનાથાન, યેથેર નસંતાન અવસાન પામ્યો.

33 યોનાથાનના પુત્રો: પેલેથ અને ઝાઝા, આ બધા યરાહમએલના વંશજો હતા.

34 શેશાનને પુત્ર નહોતો, ફકત પુત્રીઓ જ હતી, અને ત્યાં યાર્હા નામે એક મિસરી ચાકર હતો, 35 તેની સાથે તેણે પોતાની પુત્રીને પરણાવી હતી, અને તેને આત્તાય નામે એક પુત્ર થયો હતો. 36 આત્તાયનો પુત્ર નાથાન, તેનો પુત્ર ઝાબાદ, 37 તેનો પુત્ર એફલાલ, તેનો પુત્ર ઓબેદ, 38 તેનો પુત્ર યેહૂ, તેનો પુત્ર અઝાર્યા, 39 તેનો પુત્ર હેલેસ, તેનો પુત્ર એલઆસાહ, 40 તેનો પુત્ર સિસ્માય, તેનો પુત્ર શાલ્લૂમ, 41 તેનો પુત્ર યકામ્યા અને યકામ્યાનો પુત્ર અલીશામા થયો.

કાલેબનું કુટુંબ

42 યરાહમએલના ભાઈ કાલેબના પુત્રોમાં આ બધાં હતા: જયેષ્ઠપુત્ર મેશા, જે ઝીફનો પિતા હતો; અને હેબ્રોનના પિતા મારેશાહના પુત્રો.

43 હેબ્રોનના પુત્રો: કોરાહ, તાપ્પુઆહ, રેકેમ તથા શેમા. 44 શેમા રાહામનો પિતા અને રાહામ ર્યોકઆમનો પિતા હતો. રેકેમ શામ્માયનો પિતા હતો. 45 શામ્માયનો પુત્ર માઓન હતો; માઓન બેથસૂરનો પિતા હતો.

46 કાલેબની ઉપપત્ની એફાહથી થયેલા કાલેબના પુત્રો: હારાન, મોસા, અને ગાઝેઝ તથા હારાનનો એક પુત્ર હતો, તેનઁુ નામ ગાઝેઝ હતું.

47 યહદાયના પુત્રો: રેગેમ, યોથામ, ગેશાન, પેલેટ, એફાહ તથા શાઆફ.

48 કાલેબની ઉપપત્ની માઅખાહને પેટે શેબેર તથા તિર્હનાહ થયા. 49 વળી તેને પેટે માદમાન્નાહનો પિતા શાઆફ, માખ્બેનાનો પિતા શવા તથા ગિબયાના પિતા થયા; કાલેબની પુત્રી આખ્સાહ હતી.

50 આ બધા કાલેબના વંશજો હતા: એફ્રાથાહથી જન્મેલા હૂરને શોબાલ નામે પુત્ર હતો. તે કિર્યાથયઆરીમનો પિતા હતો. 51 સાલ્મા, જે બેથલેહેમનો પિતા હતો, અને હારેફ, બેથગાદેરનો પિતા હતો.

52 કિર્યાથયઆરીમનો પિતા શોબાલને આ પુત્રો હતા: હારોએહ તથા મનુહોથના અર્ધા ભાગના લોકો, 53 અને કિર્યાથયઆરીમના કુટુંબો: યિથીર્, પૂથી, શુમાથી અને મિશ્રાઈ, સોરઆથી અને એશ્તાઓલીઓ આ લોકોના વંશજ હતા.

54 સાલ્માના વંશજો હતા: બેથલેહેમ, નટોફાથીઓ, આટોથ, બેથ-યોઆબના લોકો તથા માનાહાથીઓનો અધોર્ ભાગ અને સોરઇઓ હતા. 55 યાબ્બેસમાં વસતા લહિયાઓનઁા કુટુંબો: તિરઆથીઓ, શિમઆથીઓ અને સૂખાથીઓ. આ સર્વ બેથ રેખાબના કુટુંબના પૂર્વજ હામ્માથથી ઉતરી આવેલા કેનીઓ હતા.

રાજા દાઉદના વંશજો

દાઉદને હેબ્રોનમાં જે પુત્રો થયા તેમાં યિઝએલી અહીનોઆમથી જન્મેલો આમ્મોન,

દાઉદ રાજાનો જયેષ્ઠ પુત્ર હતો.

બીજો પુત્ર, કામેર્લની અબીગાઈલથી જન્મેલો દાનિયેલ હતો.

દાઉદનો ત્રીજો પુત્ર, ગશૂરના રાજા તાલ્માયની પુત્રી માઅખાહથી જન્મેલો આબ્શાલોમ હતો.

ચોથો, હાગ્ગીથનો પુત્ર અદોનિયા હતો.

પાંચમો, શફાટયા જેની માતા અબીટાલ હતી,

અને છઠ્ઠો, યિથઆમ જેની માતા એગ્લાહ હતી.

આ છ પુત્રો હેબ્રોનમાં જન્મ્યાં હતા.

જયાં દાઉદે સાત વર્ષ અને છ માસ રાજ કર્યુ હતું. યરૂશાલેમમાં તેણે તેત્રીસ વર્ષ રાજ કર્યુ હતું અને ત્યાં તેને આમ્મીએલની પુત્રી બાથ-શૂઆથી જન્મેલા પુત્રો:

શિમઆ, સોબાબ, નાથાન અને સુલેમાન. દાઉદને બીજા નવ પુત્રો હતા: યિબ્હાર, અલીશામા, અલીફેલેટ. નોગાહ, નેફેગ, યાફીઆ; અલીશામા, એલ્યાદા અને અલીફેલેટ. તેની ઉપપત્નીઓના પુત્રો ઉપરાંત એ સઘળા દાઉદના પુત્રો હતા; અને તામાર તેઓની બહેન હતી.

દાઉદ પછીના યહૂદાના રાજાઓ

10 સુલેમાનનો પુત્ર રહાબઆમ, તેનો પુત્ર અબિયા, તેનો પુત્ર આસા, તેનો પુત્ર યહોશાફાટ; 11 તેનો પુત્ર યહોરામ, તેનો પુત્ર અહાઝયા, તેનો પુત્ર યોઆશ; 12 તેનો પુત્ર અમાસ્યા તેનો પુત્ર અઝાર્યા, તેનો પુત્ર યોથામ; 13 તેનો પુત્ર આહાઝ, તેનો પુત્ર હિઝિક્યા, તેનો પુત્ર મનાશ્શા; 14 તેનો પુત્ર આમોન, તેનો પુત્ર યોશિયા હતો.

15 યોશિયાના પુત્રો: તેના જયેષ્ઠપુત્ર યોહાનાન; બીજો યહોયાકીમ; ત્રીજો, સિદકિયા; ચોથો, શાલ્લૂમ,

16 યહોયાકીમના પુત્રો: તેનો પુત્ર યખોન્યા, તેનો પુત્ર સિદકિયા.

બાબિલમાં બંદીવાન દાઉદનું કુટુંબ

17 બંદીવાન યખોન્યાના પુત્રો: તેનો પુત્ર શઆલ્તીએલ. 18 માલ્કીરામ, પદાયા, શેનઆસ્સાર, યકામ્યા, હોશામા તથા નદાબ્યા.

19 પદાયાના પુત્રો: ઝરુબ્બાબેલ તથા શિમઈ; ઝરુબ્બાબેલના પુત્રો: મશુલ્લામ તથા હનાન્યા; તેઓની બહેન શલોમીથ હતી: 20 અને હશુબાહ, ઓહેલ, બેરેખ્યા, હસાદ્યા તથા યુશાબહેસેદ, એ પાંચ ઝરૂબ્બાબેલના બીજા પુત્રો હતા.

21 હનાન્યાના પુત્રો: પલાટયા અને તેનો પુત્ર યશાયા, તેનો પુત્ર રફાયા, તેનો પુત્ર આનાન, તેનો પુત્ર ઓબાદ્યા, તેનો પુત્ર શખાન્યા,

22 શખાન્યાનો વંશજ શમાયા, શમાયાના છ પુત્રો: હાટુશ, યિગઆલ, બારિયા, નઆર્યા, તથા શાફાટ.

23 નઆર્યાના ત્રણ પુત્રો: એલ્યોએનાય, હિઝિક્યા તથા આઝીકામ.

24 એલ્યોએનાયના સાત પુત્રો: હોદાવ્યા, એલ્યાશીબ, પલાયા, આક્કૂબ, યોહાનાન, દલાયા તથા અનાની.

યોહાન 5:25-47

25 હું તમને સત્ય કહું છું, હવે મહત્વનો સમય આવે છે, તે સમય અહીં આવી ચુક્યો છે. જે લોકો પાપમાં મૃત્યું પામ્યા છે, તેઓ દેવના દીકરાની વાણી સાંભળશે, અને તે લોકો એ જે કહે છે તેનો સ્વીકાર કરશે તેઓને અનંતજીવન પ્રાપ્ત થશે. 26 કારણ કે પિતા (દેવ) ના પોતાનામાંથી જીવન આવે છે. તેથી પિતાએ દીકરા (ઈસુ) ને પણ જીવન આપવાનો અધિકાર આપ્યો છે. 27 અને પિતાએ દીકરાને બધા લોકોનો ન્યાય ચુકવવાનો અધિકાર પણ આપ્યો છે. શા માટે? કારણ કે તે દીકરો માણસનો દીકરો છે.

28 “આથી તમે આશ્ચર્ય પામશો નહિ. એ સમય આવે છે જ્યારે જે લોકો મૃત્યુ પામ્યા છે અને તેઓની કબરોમાં છે તેઓ તેની વાણી સાંભળશે. 29 જે લોકોએ જીવનમાં સારા કામો કર્યા છે તેઓ સજીવન થશે અને અનંતજીવન મેળવશે. પરંતુ જે લોકોએ ભૂંડા કામ કર્યા છે તેઓને ન્યાયની સામે ઊભા કરવામાં આવશે.

30 “હું એકલો કંઈ કરી શક્તો નથી. જે પ્રમાણે મને કહેવામાં આવ્યું છે તે જ રીતે હું ફક્ત ન્યાય કરું છું. તેથી મારો ન્યાય અદલ છે. શા માટે? કેમ કે હું મારી જાતને ખુશ કરવા પ્રયત્ન કરતો નથી. પરંતુ જેણે મને મોકલ્યો છે, તેને (દેવને) હું ખુશ કરવા પ્રયત્ન કરું છું.

ઈસુ યહૂદિઓ સાથે વાતો કરવાનું ચાલુ રાખે છે

31 “જો હું મારા વિષે લોકોને કહું, તો પછી લોકો મારા વિષે હું જે કઈ કહું છું તે સ્વીકારશે નહિ. 32 પરંતુ ત્યાં બીજી એક વ્યક્તિ છે જે લોકોને મારા વિષે કહે છે અને હું જાણું છું કે તે મારા વિષે જે કઈ કહે છે તે સાચું છે.

33 “તમે યોહાન પાસે માણસો મોકલ્યા છે અને તેણે તમને સત્ય વિષે કહ્યું છે. 34 મારા વિષે લોકોને કહેવા માટે મારે માણસની જરૂર નથી. પણ હું તમને આ બાબતો કહું છું તેથી તમારો ઉદ્ધાર થઈ શકે છે. 35 યોહાન એક દીવા જેવો હતો જે સળગતો અને પ્રકાશ આપતો અને તમે ઘડીભર તેના અજવાળામાં આનંદ પામતા હતા.

36 “પણ મારી પાસે મોટી સાબિતી છે જે યોહાનના કરતાં મોટી છે. જે કામો હું કરું છું તે મારી સાબિતી છે. આ તે કામો છે જે મારા પિતાએ મને કરવા માટે આપ્યાં હતાં. આ કામો બતાવે છે કે મને પિતાએ મોકલ્યો હતો. 37 અને જે પિતાએ મને મોકલ્યો તેણે તેની જાતે મારા વિષે સાબિતી આપેલ છે. પરંતુ તમે કદી તેની વાણી સાંભળી નથી. તે કોના જેવો દેખાય છે તે તમે કદી જોયું નથી. 38 પિતાની વાત તમારામાં રહેલી નથી. શા માટે? કારણ કે પિતાએ જેને મોકલ્યો છે તેમાં તમને વિશ્વાસ નથી. 39 શાસ્ત્રોને તમે કાળજીપૂર્વક તપાસી જુઓ. તમે ઘારો છો કે તે શાસ્ત્રો તમને અનંતજીવન આપે છે. પેલા એ જ શાસ્ત્રો મારા વિષે પણ કહે છે! 40 પરંતુ તમે તે જીવન પામવા માટે મારી પાસે આવવાનું ઈચ્છતા નથી.”

41 “મારે માણસો પાસેથી પ્રસંશા જોઈતી નથી. 42 પણ હું તમને જાણું છું-હું જાણું છું કે દેવ પરની પ્રીતિ તમારામાં નથી. 43 હું મારા પિતા પાસેથી આવ્યો છું. હું તેના માટે બોલું છું. પણ જો બીજી કોઈ એક વ્યક્તિ ફક્ત પોતાના માટે જ બોલતો આવે છે ત્યારે તમે તેને સ્વીકારશો. 44 એકબીજાની પ્રસંશા થાય તે ગમે છે. પણ દેવ પાસેથી પ્રસંશા મેળવવા તમે કદી પ્રયત્ન કરતા નથી. તેથી તમે કેવી રીતે વિશ્વાસ કરશો? 45 એમ ના માનશો કે હું પિતા આગળ ઊભો રહીને કહીશ કે તમે ખોટા છો. મૂસા એ વ્યક્તિ છે જે કહે છે કે તમે ખોટા છો. અને મૂસા એ તે જ છે જે તમને બચાવશે એવી તમે આશા રાખી હતી. 46 જો તમે ખરેખર મૂસામાં વિશ્વાસ કર્યો હતો તો, તમે મારા પર વિશ્વાસ કર્યો હોત. શા માટે? કારણકે મૂસાએ મારા વિષે લખ્યું છે. 47 પરંતુ તમે મૂસાએ જે લખ્યું છે તેનો વિશ્વાસ કરતા નથી. તેથી હું જે વાતો કહું છું તેના પર તમે વિશ્વાસ કરી શકશો નહિ.”

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International