Revised Common Lectionary (Semicontinuous)
5 જે માણસને સહાય કરનાર યાકૂબના દેવ છે;
અને જેની આશા તેના દેવ યહોવામાં છે; તે આશીર્વાદિત છે.
6 યહોવાએ પૃથ્વી તથા આકાશો,
સમુદ્રો તથા તેમાંના સર્વસ્વનું સર્જન કર્યુ છે,
તે પોતાના પ્રત્યેક વચનનુઁ પાલન કરે છે.
7 તે કચડાયેલાઓનો ન્યાય જાળવી રાખે છે,
તે ભૂખ્યાઓને અનાજ પૂરું પાડે છે.
યહોવા કેદીઓને મુકત કરાવે છે.
8 યહોવા આંધળાને દેખતાઁ કરે છે;
યહોવા ભારે બોજથી દબાયેલાઓનો બોજો હલકો કરે છે,
કારણકે યહોવા ન્યાયી માણસને પ્રેમ કરે છે.
9 યહોવા નિરાશ્રિતોનું રક્ષણ કરે છે;
અને અનાથો તથા વિધવાઓની કાળજી લે છે;
પણ દુષ્ટોની યોજનાઓને ઊંધી વાળે છે.
10 યહોવા સદાકાળ રાજ કરશે, હે સિયોન,
તમારા દેવ પેઢી દર પેઢી રાજ કરશે.
યહોવાની સ્તુતિ થાઓ!
હાન્નાનું વચનપાલન
2 પછી હાન્નાએ આ મુજબ દેવને પ્રાર્થના કરી:
“યહોવા તમે માંરું હૃદય આનંદથી ભરી દીધું છે.
હું માંરા દેવમાં બહું વિશ્વાસ કરું છું
અને હવે માંરા શત્રુઓને હું જવાબ આપીશ.
દેવે મને મદદ કરીને માંરી મુશ્કેલી દૂર કરી છે.
એથી હું તમાંરા તારણમાં અતિ આનંદમાં છું.
2 યહોવા જેવાં પવિત્ર દેવ કોઈ નથી.
તેમના સિવાય બીજા કોઈ દેવ નથી.
આપણા દેવ જેવા કોઈ રક્ષણહાર નથી.
3 અભિમાંન અને બડાઇ હાંકનાર ન બનો.
બડાશ માંરવાનું બંધ કરો
કારણકે દેવ બધું જાણે છે.
તે લોકોને દોરવે છે અને તેમનો ન્યાય કરે છે.
4 બળવાન યોદ્ધાઓના ધનુષ્ય તૂટે છે,
પણ હવે નિર્બળ બળવાન બન્યા છે.
5 જે ધનવાન લોકો પાસે પુષ્કળ
ખોરાક ભૂતકાળમાં હતો
તેઓએ ખોરાક માંટે
હવે કામ કરવું પડશે.
જયારે ભૂખ્યાઓને હવે ભૂખ રહી નથી.
વાંઝણી સ્ત્રીઓને સાત સાત સંતાનો છે
અને જે સ્ત્રીને ઘણાં સંતાનો હતા
તે દુ:ખી છે કેમકે તેમના સંતાનો જતા રહ્યાં છે.
6 યહોવા જ માંરે છે,
અને તે જ જીવન આપે છે.
યહોવા જ માંણસોને મૃત્યુલોકમાં લઈ જાય છે
અને પાછા લાવે છે.
7 યહોવા જ રંક બનાવે છે,
ને તવંગર પણ એજ બનાવે છે.
યહોવા કોઇ લોકોને ઉતારી પાડે છે,
અને બીજાને માંનવંતા બનવા દે છે.
8 યહોવા જ એકલા ગરીબ લોકોને ધૂળમાંથી ઉપાડે છે
અને તેમની મુશ્કેલીઓ દુર કરે છે.
યહોવા જ તેમને રાજાઓની સાથે બેસાડે છે
અને ઇચ્છા પ્રમાંણે બહુમુલ્ય આસનો અને સન્માંન આપે છે.
આ આખી ધરતી યહોવાની પોતાની છે, તેના પાયાઓ સુધી,
યહોવાએ તેના પર જગત ઉભુ કર્યું છે.[a]
યોહાનનો ઉપદેશ
(માથ. 3:1-12; માર્ક 1:1-8; યોહ. 1:19-28)
3 પોંતિયુસ પિલાત તિબેરિયસ કૈસરના રાજ્યશાસનના 15માં વર્ષ યહૂદિયાનો અધિપતિ હતો.
ગાલીલ પર હેરોદ;
ત્રાખોનિતિયા અને યટૂરિયા પર હેરોદનો ભાઈ ફિલિપ,
લુસાનિયાસ, અબિલેનીનો રાજા હતો.
2 અન્નાસ અને કાયાફા પ્રમુખ યાજકો હતા. તે સમય દરમ્યાન ઝખાર્યાના દીકરા યોહાનને દેવે આજ્ઞા કરી. યોહાન તો અરણ્યમાં રહેતો હતો. 3 તેથી યોહાને યર્દન નદીની આજુબાજુના પ્રદેશમાં યાત્રા કરીને લોકોને પસ્તાવો કરવા માટે, પાપોની માફીની ખાતરી મેળવવા તથા બાપ્તિસ્મા પામીને જીવન ગુજારવાનો ઉપદેશ આપ્યો. 4 યશાયા પ્રબોધકના પુસ્તકમાં લખેલા વચનો મુજબ:
“અરણ્યમાં કોઈ વ્યક્તિનો પોકાર સંભળાય છે:
‘પ્રભુને માટે માર્ગ તૈયાર કરો.
તેનો માર્ગ સીધો બનાવો.
5 પ્રત્યેક ખીણો પૂરી દેવાશે.
અને બધાજ પર્વતો અને ટેકરીઓ સપાટ બનાવાશે.
રસ્તાના વળાંક સીધા કરવામાં આવશે.
અને ખાડા ટેકરાવાળા રસ્તાઓ સરખા કરવામાં આવશે.
6 પ્રત્યેક વ્યક્તિ દેવનું તારણ જોશે!’” (A)
7 ત્યારે ઘણા લોકો તેનાથી બાપ્તિસ્મા પામવા સારું આવ્યા. યોહાને તેઓને કહ્યું: “તમે ઝેરીલા સાપો જેવા છો, દેવનો કોપ અને જેણે તમને તેમાંથી બચવા માટે ચેતવણી આપી છે તેમાંથી ઉગારવા માટે તમને કોણે સાવધાન કર્યા? 8 તમે એવાં કામ કરો કે જે દર્શાવે કે તમે તમારું હ્રદય પરિવર્તન કર્યું છે. તમારી જાતને તમે કહેવાનું શરું ના કરશો. ‘ઈબ્રાહિમ અમારો પિતા છે.’ કારણ કે હું તમને કહું છું કે દેવ આ પથ્થરોમાંથી પણ ઈબ્રાહિમ માટે સંતાન ઉત્પન્ન કરી શકે છે. 9 વૃક્ષો કાપવા માટે હવે કુહાડી તૈયાર છે. દરેક વૃક્ષ જે સારાં ફળ ન આપતાં હોય તે બધાને કાપી નાખીને અજ્ઞિમાં નાખી દેવામાં આવશે.”
10 લોકોના ટોળાએ યોહાનને પૂછયું, “અમારે શું કરવું જોઈએ?”
11 યોહાને ઉત્તર આપ્યો, “જો તમારી પાસે બે અંગરખા હોય તો જેની પાસે એક પણ નથી તેને આપો. અને જેની પાસે ખોરાક હોય તો તે પણ વહેંચવો જોઈએ.”
12 જકાતનાકાના કર ઉઘરાવનારા અમલદારો પણ બાપ્તિસ્મા પામવા તેની પાસે આવ્યા. તેઓએ યોહાનને પૂછયું, “ઉપદેશક, અમારે શું કરવું?”
13 યોહાને તેમને કહ્યું, “તમને જેટલી જકાત લેવાનો હુકમ કર્યો હોય તેનાથી વધારે જકાત લોકો પાસેથી ઉઘરાવો નહિ.”
14 સૈનિકોએ યોહાનને પૂછયું, “અમારું શું? અમારે શું કરવું જોઈએ?”
યોહાને તેઓને કહ્યું, “બળજબરીથી કોઈની પાસેથી પૈસા લેશો નહિ. કોઈને માટે જુઠું બોલશો નહિ. તમને જે કંઈ પગારમાં મળે છે તેમાં સંતોષ રાખો.”
15 બધાજ લોકો ખ્રિસ્તના આગમનની પ્રતિક્ષા કરી રહ્યા હતા અને યોહાન અંગે નવાઇ પામી વિચારતા હતા કે, “કદાચ યોહાન એ તો ખ્રિસ્ત નહિ હોય.”
16 યોહાને બધા લોકોને ઉત્તર આપ્યો, “મેં તો તમારું ફક્ત પાણીથી બાપ્તિસ્મા કર્યુ પણ હું જે કરું છું, તેનાથી વધારે શક્તિશાળી વ્યક્તિનું આગમન થઈ રહ્યું છે. હું તો તેના પગના જોડાની દોરી ખોલવા માટે પણ યોગ્ય નથી. તે પવિત્ર આત્માથી અને અજ્ઞિથી તમારું બાપ્તિસ્મા કરશે. 17 તેનું સૂંપડું તેના હાથમાં છે. તે ખળીમાંથી દાણા જુદા પાડવા તેયાર છે. તે દાણા ભેગા કરશે અને તેની વખારમાં મૂકશે. અને તે ભૂસાંને આગમાં બાળશે, જે કદી હોલવાશે નહિ.” 18 યોહાને લોકોને સુવાર્તા આપવાનુ ચાલુ રાખ્યું અને લોકોને મદદરૂપ થવા બીજી ઘણી બાબતો કહી.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International