Print Page Options
Previous Prev Day Next DayNext

Old/New Testament

Each day includes a passage from both the Old Testament and New Testament.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
અયૂબ 38-40

યહોવાએ આપેલો જવાબ

38 પછી યહોવાએ વંટોળિયામાંથી અયૂબને જવાબ આપતાં કહ્યું કે,

“મૂર્ખતાથી ઇશ્વરી ઘટનાને પડકારનાર
    આ વ્યકિત કોણ છે?”
તારી કમર બાંધ; કારણકે હું તને પૂછીશ,
    અને તું મને જવાબ આપીશ, જવાબ આપવાનો તારો વારો છે.

“જ્યારે મેં પૃથ્વીના પાયા નાખ્યા ત્યારે તું ક્યાં હતો?
    તું બહુ સમજે છે તો એ તો કહે કે
પૃથ્વીને ઘડવા માટે એનાં તોલમાપ કોણે નક્કી કર્યા હતાં?
    દુનિયાને એક માપરેખાથી કોણે માપી હતી?
એના મજબૂત પાયાં શાના ઉપર નાંખવામાં આવ્યા છે?
    તેની જગ્યામાં પહેલો પથ્થર કોણે મૂક્યો?
પ્રભાતના તારાઓએ સાથે ગીત ગાયું
    અને દેવદૂતોએ જ્યારે તે થઇ ગયું ત્યારે આનંદથી બૂમો પાડી!

“સમુદ્રને પૃથ્વીના ઊંડાણમાંથી ધસી આવતા
    રોકવા દરવાજાઓ કોણે બંધ કર્યા હતા?
વાદળાં અને ગાઢ અંધકારરૂપી
    વસ્રો મેં તેને પહેરાવ્યેં.
10 મે તેની બાજુઓની હદ બનાવી
    અને બંધ દરવાજાઓની સીમાઓ પાછળ તેને મૂકી.
11 મે સમુદ્રને કહ્યું, ‘તું અહીં સુધી ગતિ કરજે, અહીંથી આગળ ઉલ્લંઘન કરીશ નહિ.
    તારા પ્રચંડ મોજા અહીં અટકી જશે.’

12 “શું આ પ્રભાત થાય છે, તે તમારા આદેશથી થાય છે?
    સવારે સૂર્યના કિરણોએ કઇં દિશામાં ઊગવું તે શું તમે નક્કી કરો છો?
13 અયૂબ, તે ક્યારે પણ પ્રભાતના પ્રકાશને પૃથ્વીને ઝૂંટવી લઇને
    દુષ્ટ લોકોને તેઓની સંતાવાના સ્થાનેથી જાવી નાખવાનું કહ્યું છે?
14 પ્રભાતનો પ્રકાશ ટેકરીઓ અને ખીણોને ષ્ટિ ગોચર કરે છે.
    જ્યારે દિવસનો પ્રકાશ પૃથ્વી પર પડે છે,
ત્યારે તે જગ્યાઓની આકૃતિ,
    કપડાની ઘડીની જેમ બહાર દેખાય છે.
તે સ્થળો પોચી માટી પર છાપ વડે
    પડેલી છાપ જેવો આકાર લે છે.
15 દુષ્ટ લોકોને દિવસનો પ્રકાશ ગમતો નથી.
    જ્યારે તે તેજથી પ્રકાશે છે, તે તેઓને તેઓના દુષ્કર્મોની યોજના કરતા રોકે છે.

16 “અયૂબ, તું કદી સમુદ્રના ઉદ્ગમસ્થાનના ઊંડાણમાં ગયો છે ખરો?
    તું ક્યારેય મહાસાગરની સપાટી પર ચાલ્યો છે?
17 શું તે કદી મૃત્યુના દ્વાર જોયા છે?
    તમે કદી મૃત્યુની અંધારી જગાના દ્વાર જોયા છે?
18 તું જાણે છે કે પૃથ્વી કેટલી વિશાળ છે.
    આવું જ્ઞાન તારી પાસે હોય તો તે મને કહે!

19 “પ્રકાશનું ઉદગમસ્થાન ક્યાં છે?
    અંધકારની જગા ક્યાં છે?
    મને જણાવ.
20 તમે પ્રકાશ અને અંધકારને તે જે સ્થાનેથી આવ્યા હતા,
    ત્યાં પાછા લઇ જઇ શકો છો?
    તમે તેના ઉદ્ભવસ્થાને જઇ શકો છો?
21 આ બધું તો તું જાણે છે, કારણકે ત્યારે તારો જન્મ થઇ ચૂક્યો હતો ને!
    અને તું તો ઘણો અનુભવી વૃદ્ધ ખરું ને?
22 બરફના તથા કરાઁ ભંડારોમાં બેઠો છે?
    તથા સંગ્રહસ્થાન છે, શું તેઁ જોયાં છે?
23 મેં બરફ અને કરાઁની જગાઓને આફતના સમય
    અને લડાઇ અને યુદ્ધના સમય માટે બચાવી રાખી છે.
24 તમે કદી જ્યાં સૂર્ય ઊગે છે, જ્યાં તે પૂર્વ તરફના પવનને
    આખી પૃથ્વી પર ફૂંકાવે છે તે સ્થળે ગયા છો?
25 વરસાદના પ્રચંડ પ્રવાહ માટે નાળાં અને ખીણો કોણે ખોદ્યા છે?
    ગર્જના કરતો વીજળીનો માર્ગ કોણે બનાવ્યો છે?
26 જ્યાં માનવીએ પગ પણ નથી મૂક્યો એવી સૂકી
    અને ઉજ્જડ ધરતી પર તે ભરપૂર વરસે છે.
27 જેથી ઉજ્જડ તથા વેરાન જમીન તૃપ્ત થાય અને લીલોછમ ઘાસચારો ફૂટી નીકળે,
    તે માટે ત્યાં વરસાદ કોણ મોકલે છે?
28 શું વરસાદનો કોઇ જનક છે?
    ઝાકળનાં બિંદુઓ ક્યાંથી આવે છે?
29 કોના ગર્ભમાંથી હિમ ને
    કોણ જન્મ આપે છે?
30 પાણી તો પથ્થરના ચોસલા જેવું થઇ જાય છે,
    અને મહાસગાર પણ થીજી જાય છે.

31 “આકાશના તારાઓને શું તું પકડમાં રાખી શકે છે?
    શું તું કૃતિકા અથવા મૃગશીર્ષના બંધ નક્ષત્રોને છોડી શકે છે?
32 શું તું રાશિઓને નક્કી કરેલા સમયો અનુસાર પ્રગટ કરી શકે છે?
    શું તું સપ્તષિર્ને તેના મંડળ સહિત ઘેરી શકે છે?
33 શું તું આકાશને અંકુશમાં લેવાના સિદ્ધાંતો જાણે છે?
    શું તું તેઓને પૃથ્વી પર શાસન કરાવી શકે છે?

34 “શું તમે તમારો અવાજ વાદળાં સુધી પહોંચાડી શકો છો?
    જેથી તમે પુષ્કળ વરસાદ લાવી શકો?
35 શું તમે વીજળીને આજ્ઞા કરી શકો છો?
    એ તમારી પાસે આવીને કહેશે કે, ‘અમે અહીંયા છીએ, તમને શું જોઇએ છે?’
    તમારે તેને જ્યાંજયાં લઇ જવી હશે શું તે જશે?

36 “અયૂબ, વાદળાંમાં જ્ઞાન કોણે મૂક્યું છે?
    અથવા ધૂમકેતુને કોણે સમજણ આપી છે?
37 બધાં વાદળોની ગણતરી કરી શકે અથવા પાણી ભરેલી
    આકાશની મશકો રેડી શકે એવો પર્યાપ્ત વિદ્વાન કોઇ છે?
38 જેથી ધરતી પર સર્વત્ર ધૂળ
    અને ઢેફાં પાણીથી પલળીને એકબીજા સાથે ચોંટી જાય છે.

39 “શું તમે સિંહણને માટે શિકાર પકડી શકો?
    શું તમે સિંહણના બચ્ચાંની ભૂખને સંતોષી શકો છો?
40 એટલે જ્યારે તેઓ તેમની બોડમાં લપાઇને બેઠા હોય ત્યારે
    અથવા ઝાડીમાં સંતાઇને તેઓના શિકાર પર તરાપ મારવા તૈયાર બેઠા હોય ત્યારે?
41 જ્યારે કાગડીનાં બચ્ચાં તેઓના માળામાં ભૂખે ટળવળતાં હોય
    અને દેવને પોકારતાં હોય ત્યારે તેઓને ખોરાક કોણ પૂરો પાડે છે?

39 “ડુંગર પરની જંગલી બકરીઓ કેવી રીતે બચ્ચાંને જન્મ આપે છે તે શું તું જાણે છે?
    જંગલી હરણીં બચ્ચાઁને જન્મ આપે ત્યારે તમે એમને જોયાં છે?
તમે તેને જાણો છો પર્વતની બકરી અને હરણે કેટલા મહિનાઓ સુધી તેઓના બચ્ચાંઓને પેટમાં રાખવા જોઇએ?
    તમે જાણો છો તે ક્યારે પ્રસવ કરશે?
તે પ્રાણીઓ નીચે સૂવે છે, તેઓને પ્રસૂતિ પીડાનો અનુભવ થાય છે
    અને તેઓ તેઓના બચ્ચાને જન્મ આપે છે.
આ બચ્ચાં વનવગડામાં ઊછરે છે અને મોટાં થાય છે.
    પછી તેઓ પોતાની માતાને છોડીને જાય છે અને પાછા ફરતાં નથી.

“જંગલી ગધેડાંને કોણે છૂટો મૂક્યો?
    અથવા જંગલી ગધેડાના બંધ કોણે છોડી નાખ્યા છે?
મેં જંગલી ગધેડાઓ માટે રણને ઘર તરીકે રહેવા દીધુ છે.
    મેં તેઓને રહેવા માટે ખારી જમીન આપી છે.
જંગલી ગધેડાઓ ઘોંઘાટવાળા નગરો પર હસે છે.
    અને કોઇ તેઓને અંકુશમાં લઇ શકતા નથી.
જંગલી ગધેડાઓ પર્વતો પર રહે છે,
    કે જે તેઓનું ચરાણ છે.
    અને તેઓ તેઓનો ખોરાક શોધી કાઢે છે.

“શું તમારી સેવા કરવામાં જંગલી બળદો આનંદ માનશે ખરા?
    તેઓ તમારી ગમાણમાં રાત્રે આવીને તે રહેશે ખરાં?
10 જમીન ખેડવા માટે તમે તેને ઉપયોગમાં લઇ શકશો?
    શું તે તમારા માટે હળ ખેંચશે?
11 જંગલી બળદ ખૂબ શકિતશાળી છે!
    પણ તમારું કામ કરાવવા માટે શું તમે તેની અપેક્ષા કરી શકશો?
12 ખળામાંથી દાણા લાવીને વખારમાં ભરવા
    માટે તેના પર ભરોસો રાખી શું તેને મોકલશો?

13 “શાહમૃગ પોતાની પાંખો આનંદથી હલાવે છે.
    તેની પાંખો અને પીંછાઓ બગલાંની પાંખો જેવા નથી.
14 તે પોતાનાં ઇંડા જમીન પર મૂકે છે
    અને તેઓ રેતીમાં હૂંફાળા થાય છે.
15 કોઇ પગ મૂકીને ઇંડાને છૂંદી નાંખશે અથવા જંગલી પ્રાણીઓ
    તેમનો નાશ કરી નાખશે તેની તેને ચિંતા નથી.
16 તે પોતાના બચ્ચાં વિષે એવી બેદરકાર રહે છે કે જાણે તે બચ્ચાં તેના પોતાના હોય જ નહિ.
    તે મરી જાય તો પણ તેને તેમની કશી ચિંતા હોતી નથી.
    કે તેની તે બધી મહેનત નિરર્થક થઇ ગઇ હતી.
17 કારણકે દેવે તેને બુદ્ધિહીન સરજી છે;
    તેણે તેને અક્કલ આપી નથી.
18 પરંતુ તે જ્યારે કૂદે છે અને દોડવા લાગે છે, તે ઘોડા અને તેના સવાર પર હસે છે,
    કારણકે તે કોઇપણ ઘોડા કરતાં વધુ ઝડપથી દોડી શકે છે.

19 “શું ઘોડાને તમે બળ આપો છો?
    તેની ગરદનંને કેશવાળીથી તમે ઢાંકો છો?
20 તીડની જેમ તમે તેને કુદાવો છો?
    તેનો હણહણાટ કેવો ભવ્ય અને ભયજનક હોય છે?
21 એક ઘોડો ખુશ છે કારણકે તે ખૂબ બળવાન છે.
    તે તેની પગની ખરીથી જમીન ખોતરે છે અને યુદ્ધમાં ઝડપથી દોડી જાય છે.
22 તે ડરતો નથી, તે ડર ઉપર હસે છે.
    તે તરવાર જોઇને પાછો પડતો નથી.
23 સૈનિકના તીરો નું ભાથું ઘોડાની બાજુમા જતા જે છે.
    ભાલો અને બીજા શસ્ત્રો જે તેનો સવાર ઊંચકીને લઇ જાય છે.
    તે સૂર્યથી ચળકે છે.
24 ઘોડો ઊશ્કેરાઇ જાય છે.
    તે ખૂબ ઝડપથી જમીન પર દોડે છે.
જ્યારે રણશિંગડાનો અવાજ તે સાંભળે છે,
    તે સ્થિર રહી શકતો નથી.
25 રણશિંગડાના નાદે નાદે એ હણહણે છે.
    યુદ્ધની ગંધ તેને દૂરથી આવે છે. સેનાપતિઓના હુકમો
    અને હકોટા એ સમજી જાય છે.

26 “બાજ પક્ષી કેવી રીતે આકાશમાં ઊડે છે અને પોતાની પાંખો દક્ષિણ તરફ ફેલાવે છે તે શું તેઁ શીખવ્યું છે?
27 શું તારી આજ્ઞાથી ગરૂડ પક્ષી ઊંચે ઊડે છે?
    શું તેં તેને પર્વતોમાં ઉંચે માળો બાંધવાનું કહ્યું હતું?
28 ગરૂડ પર્વતના શિખર પર રહે છે.
    ખડક એ ગરૂડોનો કિલ્લો છે.
29 ત્યાંથી તે પોતાનો શિકાર શોધી કાઢે છે,
    તેની આંખો તેને દૂરથી શોધી કાઢે છે.
30 તેનાં બચ્ચાં પણ લોહી ચૂસે છે,
    અને જ્યાં મુડદાં પડ્યાં હોય ત્યાં જાય છે.”

40 યહોવાએ અયૂબને ઉત્તર આપતાં કહ્યું કે,

“અયૂબ, તેઁ સર્વસમર્થ દેવ સાથે દલીલ કરી છે?
    તે મને ખોટું કરવા માટે દોષિત ઠરાવ્યો.
હવે તું કબૂલ કરીશ કે તું ખોટો છે?
    શું તું મને જવાબ આપીશ?”

ત્યારે અયૂબે યહોવાને જવાબ આપ્યો કે,

“મારી કશીજ વિસાત નથી.
    હું તમને કેવી રીતે જવાબ આપી શકું?
    મારો હાથ મારા મોં પર
    રાખીને હું મૌન રહું છું.
હું એક વખત બોલ્યો, પણ, હું ફરીથી બોલીશ નહિ.
    હું બે વખત બોલ્યો, પણ હવે હું વધારે કહીશ નહિ.”

પછી યહોવાએ વંટોળિયામાંથી અયૂબને જવાબ આપ્યો કે:

“તું અયૂબ, તારી જાતને કાબૂમાં રાખ
    અને હું પ્રશ્ર્ન પૂછું તેનો જવાબ આપવા તૈયાર થા.

“અયૂબ, શું તું માને છે કે હું ગેરવાજબી છુ?
    તું કહે કે હું ખોટું કરવા માટે દોષિત છું, તેથી શું તું નિર્દોષ દેખાઇ શકીશ?
તારે મારા જેવા ભુજ છે?
    મારી જેમ તું ગર્જના કરી શકે છે?
10 તો તું જો દેવ સમાન હોય, તો તું ગર્વ કરી શકે.
    જો તું દેવ સમાન હોય, તો માન અને પ્રતિષ્ઠાને વસ્ત્રો ની જેમ ધારણ કરી શકીશ.
11 જો તું દેવ સમાન હોય,
    તો તું તારો ક્રોધ વ્યકત કરી શકીશ અને ઘમંડીઓને પછાડીશ.
12 હાં અયૂબ! એ ગવિર્ષ્ઠ લોકો સામે જો
    અને તેઓને નમ્ર બનાવ. દુષ્ટો જ્યાં ઊપસ્થિત હોય, કચરી નાખ.
13 સર્વ ગવિર્ષ્ઠ લોકો ને ધૂળમાં દાટી દો.
    તેઓના મુખને કબરોમાં ઢાંકી દે.
14 જો તું એવું કરી શકીશ તો હું પણ તારા વખાણ કરીશ મને ખાતરી થશે કે
    તું તારા પોતાના બળથી પોતાને બચાવી શકશે.

15 “ગેંડાની સામે જો.
    મેં તારી સાથે ગેંડાને ઉત્પન્ન કર્યો છે,
    તે બળદની જેમ ઘાસ ખાય છે.
16 તેના પેટમાંના સ્નાયુઓ ખુબજ બળવાન છે
    તેના શરીરમાં ઘણી શકિત છે.
17 એની પૂંછડી દેવદાર વૃક્ષની જેમ ટટ્ટાર ઊભી રહે છે,
    એની પગની પિંડીના સ્નાયુઓ કેવા મજબૂત છે!
18 તેના હાડકાં કાંસા જેવા છે.
    તેના પગ લોખંડના સળિયા જેવા મજબૂત છે.
19 મારા પ્રાણીઓના સર્જનોમાં ગેંડો શ્રેષ્ઠ છે.
    જો કોઇ તેનું સર્જન કરવાનો દાવો કરે
    તો ભલે તે મારી સાથે તરવાર લઇને લડવા આવે.
20 જંગલનાં બીજાં પ્રાણીઓ જ્યાં વસે છે
    તેવા પર્વતો પરથી તેને ઘાસ મળી રહે છે.
21 તે કાદવ કીચડવાળી જગ્યામાં કમળના છોડ નીચે પડી રહે છે.
    તે બરૂઓની વચ્ચે કાદવ કીચડમાં સંતાય છે.
22 કમળના છોડો તેને પોતાની છાયાથી ઢાંકે છે;
    તે નદી પાસે ઉગતા વેલા નીચે રહે છે.
23 જો નદીમાં પૂર આવે, તો ગેંડો ભાગી જશે નહિ.
    તે યર્દન નદી તેના મોઢા પર પાણી ઊડાડે તો પણ તે ગભરાતો નથી.
24 તેને આંકડીમાં ભરાવીને કોણ તેને પકડી શકે?
    તેના નાકમાં નથ કોણ નાખી શકે છે?

પ્રેરિતોનાં કૃત્યો 16:1-21

પાઉલ અને સિલાસ સાથે તિમોથીનું જવું

16 પાઉલ દર્બે અને લુસ્ત્રાના શહેરોમાં ગયો તિમોથી નામનો એક ઈસુનો શિષ્ય ત્યાં હતો. તિમોથીની માતા એક યહૂદિ વિશ્વાસી હતી. તેના પિતા એક ગ્રીક હતા. લુસ્ત્રા અને ઈકોનિયામાંના વિશ્વાસીઓ તિમોથીને માન આપતા. તેઓ તેના વિષે સારી વાતો કહેતા. પાઉલની ઈચ્છા હતી કે તિમોથી તેની સાથે મુસાફરી કરે. પરંતુ તે પ્રદેશમાં રહેતા તમામ યહૂદિઓ જાણતા હતા કે તિમોથીના પિતા ગ્રીક હતા. તેથી યહૂદિઓ ખાતર પાઉલે તિમોથીની સુન્નત કરાવી.

પછી પાઉલ અને તેની સાથેના માણસોએ એક ગામથી બીજે ગામ મુસાફરી કરી. તેઓએ વિશ્વાસીઓને પ્રેરિતો અને વડીલો તરફથી યરૂશાલેમમાં નિયમો અને નિર્ણયો આપ્યા. તેઓએ વિશ્વાસીઓને આ નિયમોનું પાલન કરવા કહ્યું. તેથી મંડળીઓ વિશ્વાસમાં વધારે મજબૂત થતી હતી અને પ્રતિદિન વધારે મોટી થતી જતી હતી.

આસિયા (એશિયા માઈનોર) માં પાઉલની યાત્રા

પાઉલ અને તેની સાથેના માણસો ફુગિયા અને ગલાતિયાના પ્રદેશોમાં થઈને ગયા. પવિત્ર આત્માએ તેઓને આસિયામાં સુવાર્તાનો બોધ કરવાની મના કરી હતી. પાઉલ અને તિમોથી મૂસિયાની નજીકના પ્રદેશમાં ગયા. તેઓ બિથૂનિયાના પ્રદેશમાં જવા ઈચ્છતા હતા. પરંતુ ઈસુનો આત્મા તેઓને અંદર જવા દેતો ન હતો. તેથી તેઓ મૂસિયાથી પસાર થઈ ત્રોઆસ આવ્યા.

તે રાત્રે પાઉલે એક દર્શન જોયું. આ દર્શનમાં મકદોનિયાનો એક માણસ પાઉલની પાસે આવ્યો. તે માણસે ત્યાં ઊભા રહીને વિનંતી કરી, “મકદોનિયા પાર કરીને આવો, અમને મદદ કરો!” 10 પાઉલે દર્શન જોયું પછી, અમે તરત જ મકદોનિયા જવાની તૈયારી કરી. અમે સમજ્યા કે દેવે અમને પેલા લોકોને સુવાર્તા પ્રગટ કરવા માટે બોલાવ્યા છે.

લૂદિયાનું બદલાણ

11 અમે વહાણમાં બેસીને ત્રોઆસ છોડ્યું, અને અમે સમોર્થાકી ટાપુ તરફ વહાણ સીધા હંકારી ગયા. બીજે દિવસે અમે નિયાપુલિસના શહેર તરફ વહાણ હંકાર્યુ. 12 પછી અમે ફિલિપ્પી ગયા. ફિલિપ્પી મકદોનિયાના પ્રદેશમાં એક મહત્વનું શહેર છે. તે રોમનો માટેનું શહેર છે. અમે તે શહેરમાં થોડાક દિવસો માટે રહ્યા.

13 વિશ્રામવારના દિવસે શહેરના દરવાજા બહાર નદીએ ગયા. અમે વિચાર્યુ કે અમને પ્રાર્થના માટે નદી કિનારે જગ્યા મળશે. કેટલીક સ્ત્રીઓ ત્યાં ભેગી થઈ હતી. તેથી અમે ત્યાં બેઠા અને તેઓની સાથે વાતો કરી. 14 ત્યાં થુવાતિરા શહેરની એક લૂદિયા નામની સ્ત્રી હતી. તેનું કામ જાંબુડિયાં વેચવાનું હતું. તે સાચા દેવની ભક્તિ કરતી હતી, લૂદિયાએ પાઉલને ધ્યાનથી સાંભળ્યો. પ્રભુએ તનું હ્રદય ઉઘાડ્યું. તેણે પાઉલે જે કહ્યું તેમાં વિશ્વાસ મૂક્યો. 15 તે અને તેના ઘરમાં રહેતા બધા લોકોનું બાપ્તિસ્મા કરવામાં આવ્યું. પછી લૂદિયાએ અમને તેના ઘરમાં નિમંત્રણ આપ્યું. તેણે કાલાવાલા કરીને કહ્યું, “જો તમે વિચારતા હોય કે હું પ્રભુ ઈસુની સાચી વિશ્વાસી છું, તો પછી મારા ઘરમાં આવો અને રહો.” તેણે અમને તેની સાથે રહેવા ઘણો આગ્રહ કર્યો.

પાઉલ અને સિલાસ કારાવાસમાં

16 જ્યારે અમે પ્રાર્થના માટેની જગ્યાએ જતા હતા ત્યારે એક વખતે અમારી સાથે કંઈક બન્યું. એક જુવાન દાસી અમને મળી. તેનામાં એક અગમસૂચક આત્મા[a] હતો. આ આત્મા તેને ભવિષ્યમાં શું થવાનું છે તે કહેવાનું સાર્મથ્ય આપતો. આમ કરવાથી તેણે ખૂબ પૈસા તેના માલિકને કમાવી આપ્યા. 17 આ છોકરી પાઉલને અને અમને અનુસરી. તેણીએ મોટે સાદે કહ્યું, “આ માણસો પરાત્પર દેવના સેવકો છે! તેઓ તમને કહે છે તમારું તારણ કેવી રીતે થશે?” 18 ઘણા દિવસો સુધી તેણે આ કરવાનું ચાલુ રાખ્યું. પાઉલ બેચેન હતો. તેથી તેણે તેના તરફ ફરીને આત્માને કહ્યું, “ઈસુ ખ્રિસ્તના પરાક્રમથી હું તને આજ્ઞા કરું છું કે તું એનામાંથી બહાર નીકળી જા!” તરત જ તે આત્મા બહાર નીકળી ગયો.

19 જે માણસોની માલિકી આ સેવિકા છોકરી પર હતી તેઓએ આ જોયું. આ માણસોએ જાણ્યું કે હવે તેઓ પૈસા બનાવવા માટે તેણીનો ઉપયોગ કરી શકશે નહિ. તેથી તેઓએ પાઉલ અને સિલાસને પકડ્યા અને શહેરની સભાની જગ્યામાં ઘસડી લાવ્યા. શહેરના અધિકારીઓ ત્યાં હતા. 20 તે માણસો પાઉલ અને સિલાસને આગેવાનોની આગળ લાવ્યા અને કહ્યું, “આ માણસો યહૂદિઓ છે. તેઓ આપણા શહેરમાં મુશ્કેલીઓ ઊભી કરે છે, 21 તેઓ લોકોને એવું કહે છે, જે આપણા માટે યોગ્ય નથી. આપણે રોમન નાગરિકો છીએ. આપણે આ વસ્તુઓ કરી શકીએ નહિ.”

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International