M’Cheyne Bible Reading Plan
યોનાથાને પલિસ્તીઓ પર આક્રમણ કર્યું
14 એક દિવસે શાઉલના પુત્ર યોનાથાને પોતાના શસ્ત્ર ઉપાડનાર માંણસને કહ્યું, “ચાલ, આપણે પેલી બાજુ પર આવેલી પલિસ્તીઓની ચોકીએ જઈએ.” પરંતુ તેણે એ વિષે પોતાના પિતાને કશું કહ્યું નહિ.
2 શાઉલે પહાડની કિનારે આવેલા મિગ્રોનમાં દાડમના ઝાડ નીચે મુકામ કર્યો હતો. તે ખળાની નજીક હતું. તેની સાથે લગભગ 600 સૈનિકો હતાં. 3 તે સમયે શીલોહમાં અહિયા યાજક હતો. તે અહીટુબના ભાઇ ઇખાબોદનો પુત્ર હતો. ઇખાબોદ ફીનહાસનો પુત્ર હતો, ફીનહાસ યાજક એલીનો પુત્ર હતો. હવે અહિયાએ એફોદ પહેરેલો હતો.
યોનાથાન ગયેલો છે તે લોકો જાણતા નહોતા. 4 યોનાથાન ઘાટીમાં થઈને પલિસ્તીઓની છાવણીમાં જવાની યોજના કરતો હતો. ધાટીની બન્ને બાજુએ મોટા ખડકો હતા. આ ખડકોના નામ બોસેસ અને સેનેહ હતા. 5 એક મોટો ખડક ઉત્તરમાં મિખ્માંશની સામે અને બીજો ખડક દક્ષિણમાં ગેબાની સામે હતો.
6 યોનાથાને પોતાના શસ્ત્રસજ્જ યુવાન માંણસને કહ્યું, “ચાલ, આપણે આ વિદેશીઓની છાવણીમાં જઈએ. કદાચ યહોવા આપણને તેઓને હરાવવા મદદ કરે. કઈં પણ યહોવાને રોકી શકે નહિ- ભલે આપણી પાસે વધારે સૈનિકો કે થોડા સૈનિકો હોય.”
7 તેથી શસ્ત્રવાહકે કહ્યું, “તમાંરા મનમાં જે કંઈ હોય તે પ્રમાંણે કરો, હું તમાંરી સાથે છું,”
8 યોનાથાને કહ્યું, “ઠીક આપણે સામી બાજુ જઈએ અને તે લોકોની નજર આપણા ઉપર પડે તેમ કરીએ. 9 જો તેઓ એમ કહે કે, ‘અમે આવીએ ત્યાં સુધી ઊભા રહો.’ તો આપણે આપણી જગ્યાએ ઊભા રહીશું, તેમની પાસે નહિ જઈએ. 10 પણ જો તેઓ એમ કહે કે, ‘અહી અમાંરી પાસે ઉપર આવો.’ તો આપણે ઉપર જઈશું. કારણ, યહોવા આપણને તેમને હરાવવા દેશે. એ આપણ માંટે એંધાણી રહેશે.”
11 આથી તેઓ પલિસ્તીઓની નજરે ચડયા અને પલિસ્તીઓ બોલી ઊઠયા, “જુઓ, પેલા હિબ્રૂઓ ગુફાઓમાં છુપાયેલા હતા ત્યાંથી બહાર આવે છે.” 12 પલિસ્તી ચોકીદારોએ યોનાથાનને અને તેના સેવકને કહ્યું, “અહી ઉપર આવો, અમાંરે તમને કંઈક કહેવું છે.”
તેથી યોનાથાને તેના સેવકને કહ્યું, “માંરી પાછળ પર્વત ઉપર આવ. યહોવા ઇસ્રાએલીઓને પલિસ્તીઓને હરાવવા દેશે.”
13 આથી તેઓ ધૂંટણિયે પડીને ઉપર ચઢી ગયાં અને યોનાથાને તથા તેના યુવાન રક્ષકે પલિસ્તીઓ પર હુમલો કરીને તેઓને માંરી નાખ્યા. 14 આ પહેલા હુમલામાં, યોનાથાને અને તેના મદદગારે આશરે દોઢ એકર ક્ષેત્રમાં વીસેક માંણસોને મોતને ઘાટ ઉતાર્યા.
15 પલિસ્તીઓની છાવણીમાં, અને સમગ્ર સૈન્યમાં ભય વ્યાપી ગયો. સૈનિક ટોળીઓના માંણસો થથરી ગયા. ધરતી ધ્રધ્રૂજવા લાગી. ભયંકર ભીતિ ફેલાઈ ગઈ.
16 બિન્યામીનના ગિબયાહમાંના શાઉલના પહેરેગીરોએ જોયું; પલિસ્તીઓનાં ટોળાના માંણસો આમતેમ વિખરાઈ જતાં હતા. 17 તેથી શાઉલે પોતાના માાંણસોને હુકમ કર્યો, “સૈનિકોની હાજરી લો અને કોણ ખૂટે છે તે શોધી કાઢો.”
તેઓએ જોયું તો યોનાથાન અને તેનો અંગરક્ષક ત્યાં ન હતા.
18 શાઉલે અહિયાને દેવનો પવિત્રકોશ લાવવા આજ્ઞા કરી, કારણ તે ઈસ્રાએલીઓ પાસે હતો. 19 પરંતુ જ્યારે શાઉલ યાજક અહિયા સાથે બોલતો હતો તે દરમ્યાન પલિસ્તીઓની છાવણીમાં કોલાહલ વધતો જ ગયો. શાઉલે યાજકને કહ્યું, “બસ! તારો હાથ નીચે કર અને!”
20 પછી શાઉલ અને તેના માંણસો રણભૂમિમાં જતા રહ્યા. પલિસ્તી સૈનિકો ભારે અંધાધૂધીમાં હતા અને એકબીજા ઉપર તરવાર ચલાવી રહ્યાં હતા. 21 અત્યાર સુધી જે હિબ્રૂઓ પલિસ્તીઓના પક્ષમાં હતા અને જેઓ તેમની સાથે છાવણીમાં ગયા હતા, તેઓ ફરી ગયા અને શાઉલ અને યોનાથાન સાથેના ઇસ્રાએલીઓ સાથે જોડાઈ ગયા. 22 તેમજ જે ઇસ્રાએલી સૈનિકો એફાઈમના પહાડી પ્રદેશમાં છુપાઈ ગયા હતાં તે બધા પણ, પલિસ્તીઓ નાસે છે એવું સાંભળીને, તેઓ પણ યુદ્ધમાં જોડાયા અને પલિસ્તીઓની પાછળ પડયા.
23 આ રીતે યહોવાએ ઇસ્રાએલને વિજય અપાવ્યો, અને લડાઈ બેથ-આવેન સુધી પ્રસરી ગઈ. બધી સેના શાઉલ સાથે હતી. તેની પાસે લગભગ 10,000 પુરુષો હતા, એફાઇમના પર્વતીય પ્રદેશના દરેક શહેરમાં યુદ્ધનું વાતાવરણ હતું.
ફરી ભૂલ કરતો શાઉલ
24 તે દિવસે ઇસ્રાએલીઓ થાકીને લોથ થઈ ગયા હતા, કારણ, શાઉલે લોકોને સમ દઈને કહ્યું હતું કે, “હું માંરા શત્રુઓ ઉપર વેર વાળું તે પહેલાં સાંજ સુધી કાંઈ ખાશો નહિ, જે ખાશે તેને માંથે શાપ ઊતરશે.” આથી કોઈએ કશું ય ખાધું નહોતું.
25 તેઆએ જંગલમાં પ્રવેશ કર્યો ત્યારે તેમણે જમીન પર મધ જોયું. મધપૂડામાંથી મધ ટપકતું હતું. 26 તેઓ મધપૂડા સુધી ગયા છતાં શાઉલને આપેલા સોંગદને કારણે કોઇએ તે ખાધું નહિ. 27 પણ શાઉલે લોકોને સમ દીધા હતા એની યોનાથાનને ખબર નહોતી, આથી તેણે પોતાના હાથમાંની લાકડી લંબાવીને મધપૂડામાં ખોસી મોઢામાં નાખી; તેથી તે એકદમ તાજો થઈ ગયો.
28 ત્યારે લોકોમાંથી કોઈએ તેને કહ્યું, “તારા પિતાએ લોકોને સમ દીધા છે કે, ‘આજે જે કોઈ કાંઈ ખાશે તેના ઉપર શાપ ઊતરશે.’ તેથી જ આ બધા લોકો ભૂખથી અર્ધા થઈ ગયા છે.”
29 યોનાથાને તેને કહ્યું, “માંરા પિતાએ લોકોની ભારે કુસેવા કરી છે. જો, થોડું મધ ચાખવાથી પણ હું કેવો તાજો થઈ ગયો છું! 30 એ જ રીતે જો આપણા બધા માાંણસોએ શત્રુઓ પાસેથી પ્રાપ્ત થયેલી લૂંટમાંથી ધરાઈને ખાધું હોત, તો તેમણે હજી કેટલા બધા પલિસ્તીઓનો ઘાણ કાઢી નાખ્યો હોત!”
31 પરંતુ ભૂખ્યા હોવા છતાં તેઓએ મિખ્માંશથી આયાલોન સુધી પલિસ્તીઓનો પીછો કરીને આખો દિવસ તેઓની હત્યા કરીને હરાવ્યા. 32 પરંતુ ઇસ્રાએલીઓ ભૂખથી અર્ધા થઈ ગયા હોવાથી લૂંટ ઉપર તૂટી પડયા, અને ઘેટાં, બળદ અને વાછરડાં લઈને તેમને જમીન ઉપર વાઢી નાખ્યા, અને લોહી સાથે જ માંસ ખાવા લાગ્યા,
33 કોઈકે શાઉલને કહ્યું, “તારા લોકો રકત સાથે માંસ ખાઈને યહોવાની વિરુદ્ધ પાપ કરે છે.”
શાઉલે કહ્યું, “તમે પાપ કર્યું છે! એક મોટો પથ્થર લાવીને અહીં મુકો.” 34 પછી તેણે તેમને કહ્યું, “જાવ, અને પુરુષોને કહો કે દરેક પોતાનું ઘેટું ને બળદ અહીં લઈ આવે, અને તેને કાપીને ખાય. તેઆએ લોહીવાળું માંસ ખાવાનું નથી કારણ કે તે યહોવા વિરુદ્ધ પાપ છે.”
ત્યાર પછી તે રાત્રે તેઓ બધાં તેમના પશુઆને લાવ્યા અને ત્યાં કાપ્યા. 35 પછી શાઉલે યહોવાને માંટે એક વેદી બાંધી. તેણે પોતે તેને બાંધવાનું શરુ કર્યું. યહોવાને માંટે બાંધેલી તેની તે પહેલી વેદી હતી.
36 શાઉલે કહ્યું, “ચાલો, આપણે આજે રાત્રે પલિસ્તીઓ ઉપર છાપો માંરીએ, સવાર સુધી તેમને લૂંટીને અને એકેએકને પૂરા કરીએ.”
સૈનિકોએ કહ્યું, “તમને ઠીક લાગે તેમ કરો.”
પરંતુ યાજકે કહ્યું, “આપણે દેવની સલાહ લઈએ.”
37 તેથી શાઉલે દેવને પૂછયું, “હું પલિસ્તીઓ પર હુમલો કરું? તમે એમને ઇસ્રાએલના હાથમાં સુપ્રત કરશો?” પણ તે દિવસે દેવે કોઈ જવાબ આપ્યો નહિ.
38 પછી શાઉલે કહ્યું, “લોકોના સર્વ આગેવાનો, તમે આગળ આવો; અને આજે શામાં આ પાપ થયું છે એ તપાસ કરી શોધી કાઢો. 39 ઇસ્રાએલને વિજય અપાવનાર યહોવાના સમ ખાઈને હું કહું છું કે, માંરા પુત્ર યોનાથાનનો દોષ હશે તો તેને પણ મોતની સજા થશે.” પણ કોઈ કશું બોલ્યું નહિ.
40 પછી ઇસ્રાએલીઓને તેણે કહ્યું, “તમે બધા એક બાજુએ ઊભા રહો અને હું માંરો પુત્ર યોનાથાન બીજી બાજુએ ઊભા રહીએ.”
લોકોએ કહ્યું, “તમને ઠીક લાગે તેમ કરો.”
41 પછી શાઉલે પ્રાર્થના કરી, “ઈસ્રાએલના દેવ યહોવા, તમે તમાંરા સેવકને આજે જવાબ કેમ નથી આપ્યો. જો મે કે માંરા પુત્રે પાપ કર્યું હોય તો ઉરીમ આપ. જો ઈસ્રાએલીઓએ પાપ કર્યું હોય તો થુમ્મીમ આપ. શાઉલ અને યોનાથાન પસંદગી પામ્યા પણ લોકો બચી ગયા.”
યોનાથાન અને શાઉલનો દોષ નીકળ્યો અને લોકો નિર્દોષ ઠર્યા. 42 પછી શાઉલે કહ્યું, “માંરી અને માંરા પુત્ર વચ્ચે નિર્ણય કરવા પાસા નાખો.” અને દોષ યોનાથાનનો નીકળ્યો.
43 શાઉલે યોનાથાનને પૂછયું, “તે શું કર્યુું છે તે મને કહે.”
યોનાથાને કહ્યું, “મેં માંરી લાકડીને છેડે લાગેલું સહેજ મધ ખાધું હતું. હું અહીં ઊભો છું અને હું મરવાને તૈયાર છું.”
44 શાઉલ બોલ્યો, “યોનાથાન, હું જો તને મોતની સજા ન કરું તો દેવ મને પૂછે.”
45 પણ લોકોએ શાઉલને કહ્યું, “ઇસ્રાએલને માંટે આવો મોટો વિજય મેળવનાર યોનાથાનને મરવું પડશે? એ તો કદી ય બને જ નહિ. અમે દેવના સમ ખાઈને કહીએ છીએ કે, એનો એક વાળ પણ વાંકો નહિ થાય, કારણ, આજે એણે જે કંઈ કર્યું છે તે દેવની મદદથી કર્યું છે.” આમ, લોકોએ યોનાથાનને મરતો ઉગારી લીધો.
46 શાઉલે પલિસ્તીઓનો પીછો કરવો છોડી દીધો. અને તેઓ પોતાના પ્રદેશમાં પહોંચી ગયા.
ઇસ્રાએલના દુશ્મનો સામે લડતો શાઉલ
47 ઇસ્રાએલમાં રાજપદ ધારણ કર્યા પછી શાઉલે ચારે બાજુના દુશ્મનો સામે યુદ્ધ ખેડયાં, તેણે મોઆબીઓ, આમ્મોનિઓ, અદોમીઓ, સોબાહના રાજા, અને પલિસ્તીઓ સાથે યુદ્ધ કર્યા, તે જે દિશામાં વળ્યો ત્યાં તેને વિજય મળ્યો. 48 તેણે ભારે પરાક્રમ કરીને અમાંલેકીઓને પણ હરાવ્યાં. તેણે ઇસ્રાએલીઓને બધા દુશ્મનોના હુમલામાંથી બચાવ્યા.
49 હવે શાઉલના પુત્ર યોનાથાન, યિશ્વી અને માંલકીશૂઆ હતા. તેની બે પુત્રીઓનાં નામ આ પ્રમાંણે હતા: મોટીનું નામ મેરાબ અને નાનીનું નામ મીખાલ. 50 શાઉલની પત્નીનુ નામ અહીનોઆમ હતું. એ અહીમાંઆસની પુત્રી હતી.
શાઉલના સેનાપિતનું નામ આબ્નેર હતું. તે તેના કાકા નેરનો પુત્ર હતો. 51 શાઉલના પિતા કીશ અને આબ્નેરના પિતા નેર અબીએલના પુત્ર હતા.
52 શાઉલને જીવનપર્યંત ઇસ્રાએલીઓ માંટે પલિસ્તીઓની સાથે ખૂનખાર યુદ્ધો લડવાં પડયાં. તેથી શાઉલ કોઈ પરાક્રમી વ્યકિતને કે કોઈ શૂરવીર માંણસને જોતો, તો તેને પોતાના લશ્કરમાં ભરતી કરી દેતો.
તમારું જીવન દેવને સમર્પિત કરો
12 હે ભાઈઓ તથા બહેનો, હું તમને વિનંતી કરું છું કે હવે તમે કઈક કરો. દેવે આપણા પ્રત્યે પુષ્કળ દયા દર્શાવી છે. તેથી દેવની દયાની ખાતર તમે તમારા શરીરોનું જીવતું, પવિત્ર તથા દેવને પસંદ પડે એવું અર્પણ કરો. તમારું અર્પણ માત્ર પ્રભુ અર્થે જ થાય, અને તેથી દેવ પ્રસન્ન થશે. તમારું અર્પણ દેવની સેવાનો આધ્યાત્મિક માર્ગ છે. 2 આ દુનિયાના લોકો જેવા થવા માટે તમે તમારા જીવનનું પરિવર્તન કરશો નહિ. પરંતુ નવી વિચાર-શૈલી અપનાવીને તમે તમારા જીવનમાં પૂર્ણ રીતે આંતરિક પરિવર્તન પામો, તો જ દેવ તમારા માટે શું ઈચ્છે છે તે તમે નક્કી કરી શકશો અને તે સ્વીકારી શકશો. તમે જાણી શકશો કે કઈ વસ્તુઓ સારી છે અને દેવને પ્રિય છે, અને કઈ વસ્તુઓ સંપૂર્ણ છે.
3 દેવે મને એક વિશિષ્ટ કૃપાદાન આપ્યું છે. તેથી જ તો તમારામાંની દરેક વ્યક્તિને મારે કઈક કહેવાનું છે. તમે એવું ન માની લો કે તમે ખરેખર જેવા છો તેના કરતાં તમે વધારે સારા છો. તમે ખરેખર જેવા છો તેવા તમારી જાતને ઓળખો. દેવે તમને કઈ જાતનો વિશ્વાસ આપ્યો છે, એના આધારે નક્કી કરો કે તમે કોણ છો! 4 આપણામાંના દરેક માનવને એક શરીર છે, અને એ શરીરને ઘણાં અવયવો છે. આ બધાં અવયવો એક જ પ્રકારનું કાર્ય કરતાં નથી. 5 આપણી સાથે એમ જ છે, જો કે આપણે લોકો ઘણા છીએ. પરંતુ આપણે ઘણા હોવા છત્તાં ખ્રિસ્તમાં એક શરીર છીએ. અને અરસપરસ એકબીજાનાં અવયવો છીએ.
6 આપણ સૌને જુદાં જુદાં કૃપાદાનો મળેલ છે. આપણા પર થએલ દેવની કૃપાને કારણે પ્રત્યેક કૃપાદાન આપણને પ્રાપ્ત થયેલ છે. જો કોઈ વ્યક્તિને પ્રબોધ કરવાનું કૃપાદાન મળ્યું હોય તો એ વ્યક્તિએ પૂરા વિશ્વાસથી પ્રબોધ કરવો જોઈએ. 7 જો કોઈ વ્યક્તિને સેવા કરવાનું કૃપાદાન હોય, તો તેણે માનવોની સેવા કરવી જોઈએ. કોઈ વ્યક્તિને શિક્ષણ આપવાનું કૃપાદાન હોય. તો તેણે લોકોને શિક્ષણ આપવામાં મંડયા રહેવું. 8 જો કોઈ વ્યક્તિને એવું કૃપાદાન મળ્યું હોય કે તે બીજા લોકોને આશ્વાસન આપી શકે, તો તેણે દુ:ખી લોકોને આશ્વાસન આપવું જોઈએ. અન્ય લોકોને મદદરૂપ થવા કોઈ વ્યક્તિને દાન આપવાની ક્ષમતા પ્રાપ્ત થઈ હોય, તો તેણે ઉદારતાથી દાન કરવું જોઈએ. કોઈ વ્યક્તિમાં અધિકારી થવાની આવડત હોય, તો તેણે સારો અધિકાર ચલાવવા સખત શ્રમ કરવો જોઈએ. જો કોઈ વ્યક્તિમાં અન્ય લોકો પ્રત્યે દયા દર્શાવવાનું કૃપાદાન મળ્યું હોય તો તેણે ઉમંગથી એ કાર્ય ઉપાડી લેવું જોઈએ.
9 તમારો પ્રેમ સાચો હોવો જોઈએ. ભુંડું છે તેને ધિક્કારો. માત્ર સારાં જ કર્મો કરો. 10 જે રીતે ભાઈઓ-બહેનો વચ્ચે પ્રેમ હોય છે એ રીતે તમે એક બીજાને પ્રેમ કરો, જેથી તમને એ આત્મીયતાનો અનુભવ થાય. તમે માન-સન્માનની જે અપેક્ષા રાખો છો, તેના કરતાં વધારે માન-સન્માન તમારા ભાઈ-બહેનોને આપવું જોઈએ. 11 દેવનું કાર્ય કરવાની જરૂર હોય ત્યારે તમે આળસુ ન થાઓ. અને જ્યારે દેવની સેવા કરો ત્યારે પૂર્ણ આધ્યાત્મિક ઉત્સાહ સાથે કરો. 12 ઉજજવળ ભવિષ્યની આશા છે તેથી આનંદમાં રહો. જ્યારે મુશ્કેલીઓ આવે ત્યારે ધીરજ રાખો. અને હંમેશા દેવની પ્રાર્થના કરો. 13 દેવના લોકો જેમને મદદની જરૂર છે, તેમના સંતોષ માટે તેમના સહભાગી બનો. એવા લોકોની મહેમાનગતી કરો.
14 જે લોકો તમારું ખરાબ કરતા હોય, તેમના વિષે ફક્ત સારું જ બોલો. એમને શાપ ન આપો, પરંતુ એમને આશીર્વાદ જ આપો. 15 બીજાના આનંદમાં આનંદી થાઓ, અને બીજાના દુ:ખમાં તમે એમના સહભાગી બનો. 16 એક બીજા સાથે હળીમળીને રહો અને શાંતિથી જીવો, અભિમાની બનશો નહિ. બીજા લોકોને મન જે માણસો અગત્યના ન હોય, તેવાની મિત્રતા કરવા તૈયાર રહો. મિથ્યાભિમાની ન બનો.
17 જો કોઈ તમને નુક્સાન કરે તો તેને નુક્સાન પહોંચાડીને વેર વાળવાની વૃત્તિ ન રાખો. બધા લોકો જેને સારા કાર્યો તરીકે સ્વીકારે છે, એવા કાર્યો જ તમે કરો. 18 સૌ લોકો સાથે શાંતિથી જીવવા માટે તમારા તરફથી બને તેટલો સારામાં સારો પ્રયત્ન કરો. 19 હે મારા મિત્રો, જ્યારે લોકો તમને નુકસાન કરે ત્યારે એમને શિક્ષા કરવાનો પ્રયત્ન ન કરો. દેવના પોતાના કોપથી એમને શિક્ષા કરે ત્યાં સુધી રાહ જુઓ. શાસ્ત્રમાં લખેલું છે: “પાપીઓને શિક્ષા કરનાર હું જ એક માત્ર છું; હું તેમનો બદલો લઈશ,”(A) એમ પ્રભુ કહે છે. 20 પરંતુ તમારે આમ કરવું જોઈએ:
“જો તારો દુશ્મન ભૂખ્યો હોય
તો એને ખવડાવ.
જો તારો દુશ્મન તરસ્યો હોય
તો તેને પાણી પા;
આ રીતે તું એ માણસને શરમિંદો બનાવી શકીશ.” (B)
21 ભૂંડાથી તું હારી ન જા, પણ સારાં કર્મો કરીને તારે ભૂંડાનો પરાજય કરવો.
51 યહોવા કહે છે કે,
“જુઓ, હું બાબિલની વિરુદ્ધ,
તથા ખાલદીઓના સમગ્ર દેશની વિરુદ્ધ
હું વિનાશક વાયુ લાવીશ અને તે તેઓનો નાશ કરશે.
2 હું વિદેશીઓને બાબિલમાં મોકલીશ;
તેઓ તેને ઊપણશે અને દૂર સુધી ઉડાડી મૂકશે,
વિપત્તિના દિવસે તેઓ ચારે તરફથી તેના પર ચઢી આવશે
અને દેશને ચારેબાજુથી ઘેરી લઇ ઉજ્જડ કરી નાખશે.
3 ભલે તેમના ધર્નુધારી માણસો પોતાના હથિયાર વાપરવા માટે તૈયાર ન હોય.
તેમના સૈનિકોને બખતર પહેરવા દેશો નહિ.
તેઓના સૈનિકો પર દયા ન બતાવશો,
તેમના સૈન્યનો નાશ કરો.
4 ખાલદીઓના દેશમાં તેઓની હત્યા થઇને પડશે
અને તેની શેરીઓમાં તેઓના મૃતદેહો પડ્યા રહેશે.”
5 કારણ કે, ઇસ્રાએલને તેમના સૈન્યોનો
દેવ યહોવા નીચું નહિ પાડે.
બાબિલની ભૂમિ ઇસ્રાએલના સૈન્યોનો
યહોવા દેવની વિરુદ્ધ અપરાધોથી ભરેલી છે.
6 બાબિલમાંથી ભાગી જાઓ!
સૌ પોત પોતાના જીવ બચાવવા નાસી જાઓ!
બાબિલના પાપે તમે મરશો નહિ,
કારણ કે બદલો લેવાનો આ યહોવાનો સમય છે.
તે તેને ઘટતી સજા કરી રહ્યા છે.
7 બાબિલ તો યહોવાના હાથમાં સોનાના પ્યાલા સમું હતું.
તેણે સમગ્ર સૃષ્ટિને તેનો દ્રાક્ષારસ પીવડાવ્યો છે.
પ્રજાઓએ તે પીધો
અને તેઓ ઘેલા થયા.
8 પરંતુ હવે બાબિલનું અચાનક પતન થયું છે.
તે ભાંગ્યું છે.
તેને માટે ચિંતા કરો,
તેના ઘા માટે ઔષધી લઇ આવો.
કદાચ તે સાજું થાય પણ ખરું.
9 બાબિલના ઘા રૂઝવવા અમારાથી શક્ય તેટલો પ્રયત્ન અમે કર્યો,
પરંતુ તે સ્વસ્થ ન થયું. એને છોડી દઇને,
ચાલો આપણે સહુ પોતપોતાના દેશમાં પાછા ફરીએ,
કારણ કે તે અમાપ સજાને પાત્ર છે.
10 યહોવાએ કહ્યું કે આપણે ન્યાયી છીએ.
ચાલો, આપણા યહોવાએ જે સર્વ કર્યું છે
તે આપણે યરૂશાલેમમાં જઇને કહી સંભળાવીએ.
11 તમારાં બાણને ધારદાર બનાવો!
તમારા ભાથાં ભરી લો!
ઢાલ ઊંચી કરો!
કારણ કે બાબિલ પર ચઢાઇ કરી તેનો વિનાશ કરવા યહોવાએ માદીઓના રાજાઓને કહ્યું છે.
અનિષ્ટ આચરણ કરનાર મંદિરને અપવિત્ર કરનાર લોકો પર
આ રીતે યહોવા વૈર વાળી રહ્યાં છે.
12 બાબિલની દીવાલો પર આક્રમણ કરવા માટે સંકેત આપો,
સંરક્ષણ મજબૂત કરો અને ચોકિયાતોને શહેરની આસપાસ ગોઠવો.
ઓચિંતો છાપો મારવા માટે છુપાઇને પડ્યા રહો,
કારણ કે યહોવાએ જે કહ્યું છે તે સર્વ તે સંપૂર્ણ કરશે.
13 તમે બાબિલની નદીઓને કાંઠે વસવાટ કરો
અને તેની વિપુલ સમૃદ્ધિને માણો.
તારો અંત આવ્યો છે;
તારી જીવનદોરી કપાઇ જશે.
14 સૈન્યોનો દેવ યહોવાએ પોતાના નામના સમ ખાઇને પ્રતિજ્ઞા કરી છે કે,
“હું તીડોના ટોળાંની જેમ ગણ્યા ગણાય નહિ તેટલા માણસોને
તારી સામે લાવીશ
અને તેઓ તારો પરાજય કરી વિજયનાદ કરશે.”
15 યહોવાએ પોતાની શકિત અને બુદ્ધિથી પૃથ્વીનું સર્જન કર્યું છે,
પોતાના જ્ઞાનથી તેને સ્થિર કરીને સ્થાપી છે,
પોતાના કૌશલથી આકાશને ફેલાવ્યું છે.
16 જ્યારે તે બોલે છે, ત્યારે આકાશમાં ગર્જના થાય છે.
દુનિયાના દૂર દૂરના ખૂણેથી તે વાદળોને ઉપર ચઢાવે છે.
તે વરસાદ લાવે છે અને સાથે વીજળી ચમકાવે છે,
અને પવનને મોકલે છે.
17 તેમની સરખામણીમાં સર્વ માણસો મૂર્ખ છે,
તેમને કશી ખબર નથી.
દરેક પોતે બનાવેલી મૂર્તિ
જોઇને લજ્જિત થાય છે,
કારણ કે તે બધી મૂર્તિઓ તો ખોટી છે.
પ્રાણ વગરની છે.
18 મૂર્તિઓ વ્યર્થ છે, હાંસીપાત્ર છે,
તે ખોટી છે;
દેવ તેમને સજા કરશે
ત્યારે તે સર્વનો નાશ કરશે.
19 પરંતુ યાકૂબનો દેવ એવો નથી;
તે તો સમગ્ર સૃષ્ટિનો સર્જક છે,
અને ઇસ્રાએલીઓને તે પોતાની પ્રજા ગણે છે,
તેનું નામ સૈન્યોનો દેવ યહોવા છે.
20 યહોવા કહે છે, “હે બાબિલ નગરી,
તું મારી ફરશી તથા યુદ્ધશસ્ત્રો છે;
તારા વડે હું સર્વ પ્રજાઓનું ખંડન કરીશ;
અને તારા વડે હું રાજ્યોનો નાશ કરીશ;
21 તારા વડે હું સૈન્યોને, ઘોડા તથા તેના સવારોને
અને રથ તથા રથસવારોને કચડી નાખીશ,
22 અને હા, સામાન્ય લોકોને પણ,
એટલે વૃદ્ધોને તથા જુવાનોને,
છોકરાઓને તથા કન્યાઓને,
23 ઘેટાંપાળકોને તથા ઘેટાબકરાનાં ટોળાંને,
ખેડૂતોને તથા બળદોને, કપ્તાનોને
તથા અધિકારીઓને હું કચડી નાખીશ.
24 બાબિલે તથા ખાલદીઆના બધાં લોકોને,
તેમણે સિયોનમાં આચરેલા કુકર્મોને લીધે હું સજા કરીશ.
તે હું તમારી નજર સામે જ કરીશ.”
એમ યહોવા કહે છે.
25 યહોવા કહે છે,
“હે બળવાન પર્વત બાબિલ, પૃથ્વીનો નાશ કરનાર,
હું તારી વિરુદ્ધ મારો હાથ ઉગામીશ
અને તારી ઊંચાઇઓ પરથી તને નીચે ગબડાવીશ,
અને અગ્નિથી ભસ્મ થયેલા પર્વત જેવો કરી તને છોડી દઇશ.
26 તારો કોઇ પણ પથ્થર બાંધકામ માટે કે
પાયાના પથ્થર તરીકે પણ નહિ વપરાય.
તું સદાને માટે ખંડેર રહેશે.”
આ હું યહોવા બોલું છું.
27 “પૃથ્વી પર ઝંડો ફરકાવો,
બધી પ્રજાઓમાં રણશિંગડા ફૂંકાવો,
બાબિલ સામે જેહાદ જગાવવાને પ્રજાને આહવાન આપો,
અરારાટ, મિન્ની અને આશ્કેનાઝના રાજ્યોને
તેની સામે લડવા બોલાવો,
તેની સામે હુમલો લઇ જવાને સેનાપતિ નીમો.
તીડોના ટોળાંની જેમ ઘોડેસવારોને ભેગા કરો.
28 તેની વિરુદ્ધ માદીઓના રાજાઓ વિરુદ્ધ,
અને તેના અધિકારીઓ અને અમલદારો સાથે
તે સર્વ દેશોના લોકો જે તે તેના રાજ્યનો ભાગ છે
તેની વિરુદ્ધ લડાઇને માટે તૈયારી કર.
29 પૃથ્વી ધણધણી અને ધ્રુજી ઊઠે છે,
કારણ કે યહોવા બાબિલને નિર્જન
વગડાઉ સ્થળ બનાવવાની
તેની યોજના પાર પાડે છે.
30 બાબિલના અતિ પરાક્રમી યોદ્ધાઓ
હવે યુદ્ધ કરતા નથી.
તેઓ કિલ્લાઓમાં ભરાઇ ગયા છે,
તેઓ હિંમત હારી ગયા છે.
અને સ્ત્રીઓ જેવા થઇ ગયા છે.
આક્રમણ કરનારાઓએ તેઓનાં ઘરો બાળી નાખ્યા છે
અને નગરના દરવાજાઓ તોડી નાખ્યાં છે.
31 આખું શહેર કબ્જે થઇ ગયું છે.
તેવું કહેવાને ચારેબાજુથી સંદેશાવાહકો
એક પાછળ એક રાજા પાસે દોડી આવ્યા છે!
32 નદી પાર કરવાના દરેક રસ્તાઓ કબ્જે કરાયા છે.
બરૂની ઝાડીઓને આગ લગાડવામાં આવી છે,
અને સૈનિકો ગભરાઇ ગયા છે.”
33 ઇસ્રાએલના દેવ, સૈન્યોનો દેવ યહોવાના આ વચન છે:
“બાબિલની સ્થિતી તો ઘઉ ઝૂડવાની
ખળી જેવી છે જ્યાં ઘઉં ઝૂડવાના છે.
થોડી વાર પછી ત્યાં લણણીની ઉપજને ધોકાવાનું શરું થશે.”
34 યરૂશાલેમ કહે છે, “બાબિલનો રાજા નબૂખાદરેસ્સાર
મને ખાઇ ગયો છે,
મને ચૂસી લીધો છે,
તેણે મને ખાલી પ્યાલાની જેમ
એક બાજુએ ફગાવી દીધું છે.
તે મને એક અજગરની જેમ આખે આખું ગળી ગયો છે,
અમારી સંપત્તિથી તેણે પોતાનું પેટ ભર્યું છે
અને અમારા પોતાના શહેરમાંથી અમને હાંકી કાઢયા છે.
35 યરૂશાલેમના લોકો બોલી ઊઠશે,
અમારી પર કરેલા દુષ્કૃત્યો બદલ બાબિલને સજા મળો!”
“અમારું જે લોહી વહેવડાવવામાં આવ્યું છે
તેની પૂરી કિંમત તેને ચૂકવવા દો!”
36 આથી યહોવા પોતાના લોકોને કહે છે,
“હું જાતે તમારો પક્ષ લઇશ
અને તમારું વૈર વાળીશ.
હું બાબિલની નદીને સૂકવી નાખીશ
અને તેના ઝરણાંને વહેતા બંધ કરી દઇશ,
37 અને બાબિલને ખંડેરનો ઢગલો બાનવી દઇશ.
જ્યાં શિયાળવાં આવીને વસશે.
લોકો તેની હાંસી અને નાલેશી કરશે
અને કોઇ ત્યાં વાસો કરશે નહિ.
38 “બાબિલવાસીઓ બધા ભેગા થઇને સિંહની જેમ ગર્જના કરે છે.
સિંહના બચ્ચાંની જેમ ઘૂરઘૂરાટ કરે છે.
39 જ્યારે તેઓ પોતાના દ્રાક્ષારસથી મસ્ત બનશે
ત્યારે હું તેઓને માટે અલગ પ્રકારની ઉજાણી તૈયાર કરીશ,
તેઓ બેભાન થઇને ભોંય પર પછડાય ત્યાં સુધી
તેઓ પીયા જ કરે, એવું હું કરીશ.
તેઓ સદાને માટે ઊંઘી જશે
અને ફરીથી કદી જાગશે નહિ,”
એમ યહોવા કહે છે.
40 “હું તેઓને કતલ માટે લઇ જવાતા
ઘેટાંઓની જેમ લઇ જઇશ.”
41 બાબિલ વિષે યહોવા કહે છે; “જે નગરની પ્રસંશા સમગ્ર દુનિયા કરતી હતી
તે નગરનું પતન થયું છે.
બાબિલની આવી બિહામણી સ્થિતી
જોઇ દુનિયાની પ્રજાઓ આઘાત અનુભવે છે.
42 બાબિલ પર સમુદ્ર ફરી વળ્યો છે.
તેના મોજાઓએ તેને ઢાંકી દીધું છે.
43 તેના નગરો ખંડેર સ્થિતીમાં પડ્યાં છે.
સમગ્ર દેશ સૂકા અરણ્ય સમાન થઇ ગયો છે.
ત્યાં કોઇ રહેતું નથી અને તેમાં થઇને યાત્રીઓ
પણ પસાર થતા નથી.”
44 યહોવા કહે છે, “હું બાબિલમાં બઆલ દેવને સજા કરીશ
અને તે જે ગળી ગયો છે તે તેના મુખમાંથી પાછું કાઢીશ.
પ્રજાઓ તેની પાસે આવશે નહિ અને તેની પૂજા કરશે નહિ.
અને બાબિલની ફરતે આવેલી દીવાલો પડી જશે.
45 ઓ મારી પ્રજા, બાબિલમાંથી નાસી જાઓ;
યહોવાના ભયંકર રોષમાંથી
જીવ બચાવવા સૌ ભાગી જાઓ!
46 “હિંમત હારશો નહિ,
દેશમાં ફેલાતી અફવાઓથી ગભરાઇ જશો નહિ,
એક વરસે એક અફવા ફેલાય છે,
અને બીજે વરસે બીજી-
દેશમાં બધે આંતરિક યુદ્ધો
અને જુલમ ચાલી રહ્યો છે.
47 તેથી, જુઓ એવા દિવસો આવી રહ્યા છે,
જ્યારે બાબિલની મૂર્તિઓને હું સજા કરનાર છું.
આખો દેશ લજ્જિત થશે,
અને તેના બધા માણસો કપાઇને પડ્યા હશે.
48 ઉત્તરમાંથી લોકો આવીને તેનો નાશ કરશે,
અને ત્યારે આકાશ અને પૃથ્વી તેમજ
તેમાંનું સર્વ કઇં બાબિલના
પતનથી હર્ષના પોકારો કરશે.”
આ યહોવાના વચન છે.
49 “બાબિલને કારણે સમગ્ર પૃથ્વીમાં માણસો કપાઇને પડ્યા છે
અને હવે ઇસ્રાએલમાં હત્યા થયેલાઓને
કારણ કે બાબિલને પડ્યા વગર છૂટકો નથી.
50 તમે જેઓ તેની તરવારનો ભોગ બનતા બચી ગયા છો,
તે ભાગી જાઓ!
રોકાશો નહિ!
દૂર દેશમાં યહોવાને સંભારજો,
અને યરૂશાલેમને ભૂલશો નહિ.”
51 લોકો કહે છે, “તે અત્યાચારોની વાતો
સાંભળીને આપણે સૌ લજવાઇ મરીએ છીએ,
આપણે લજ્જિત થયા છીએ,
કારણ કે, વિદેશીઓ યહોવાના મંદિરના પવિત્રસ્થાનોમાં પેસી ગયા છે.”
52 તેથી યહોવા કહે છે, “જુઓ, એવો સમય આવી રહ્યો છે
જ્યારે હું બાબિલની મૂર્તિઓને સજા કરીશ
અને સમગ્ર દેશમાં ઘવાયેલાઓનો
આર્તનાદ સંભળાતો હશે.
53 જો કે બાબિલ આકાશે પહોંચે તોપણ
અને તે પોતાના ઉંચા કોટોની કિલ્લેબંધી કરે
તોપણ હું તેને હતું ન હતું કરી
નાખવા માણસો મોકલીશ.”
આ યહોવાના વચન છે.
54 “સાંભળો, બાબિલમાંથી આવતા રૂદનસ્વર,
અને જ્યાં ખાલદીઓ શાસન કરે છે ત્યાંથી આવતા ભયંકર વિનાશના અવાજો.
55 યહોવા બાબિલનો વિનાશ કરી રહ્યા છે.
અને તેના કોલાહલને શમાવી રહ્યા છે.
શત્રુઓનું સૈન્ય મહાસાગરના તરંગોની જેમ ગર્જના
અને ઘૂઘવાટા કરતું ધસી રહ્યું છે.
56 હા, સંહાર કરનારાઓ બાબિલ પર તૂટી પડ્યા છે;
તેના યોદ્ધાઓ કેદ પકડાયા છે
અને તેમનાં ધનુષ્ય તોડી પડાયા છે,
યહોવા તે યહોવા છે જે દુષ્કૃત્યો માટે સજા કરે છે;
તે પૂરો બદલો લેશે.”
57 સૈન્યોનો દેવ યહોવા કહે છે,
“હું તેના સરદારોને,
જ્ઞાની માણસોને, રાજકર્તાઓને, કપ્તાનીઓને,
તથા શૂરવીર યોદ્ધાઓને ચકચૂર કરીશ,
તેઓ અનંત નિંદ્રામાં પોઢી જશે,
ફરી કદી જાગશે જ નહિ.
58 “બાબિલની મજબૂત દીવાલો ભોંયભેગી થઇ જશે,
તેના ઊંચા દરવાજાને આગ ચાંપવામાં આવશે,
જે બાંધવા માટે ઘણાં લોકોએ
પોતાની જાતને ધસી નાખી હતી
તે બધું ભસ્મ થઇ જશે,
લોકોએ કરેલી બધી મહેનત ધૂળમાં મળી જશે.”
બાબિલ માટે યર્મિયાનો સંદેશ
59 યહૂદિયાના રાજા સિદકિયાના શાસનના ચોથા વર્ષમાં જ્યારે તેની સાથે યહૂદિયાનો રાજા માહસેયાના પુત્ર નેરિયાનો પુત્ર સરાયા બાબિલ ગયો, ત્યારે જે સૂચનાઓ યર્મિયા પ્રબોધકે સરાયાને આપી તે આ: સરાયા તો લશ્કરનો અફસર હતો. 60 યર્મિયાએ એક પોથીમાં બાબિલ પર આવનારી આફતનું પૂરું વર્ણન અહીં જે બધું નોંધવામાં આવેલું છે તે લખી કાઢયું હતું.
61 તેણે સરાયાને કહ્યું, “જ્યારે તું બાબિલ પહોંચે ત્યારે આમાંના શબ્દે શબ્દ અચૂક વાંચી સંભળાવજે અને પછી કહેજે કે, 62 ‘હે યહોવા, તે જાતે જાહેર કર્યું છે કે, આ જગ્યાનો નાશ કરવામાં આવશે, અહીં ફરી કોઇ વાસો કરશે નહિ. માણસ કે પશુ કોઇ નહિ; તે સદાકાળ ઉજ્જડ રહેશે.’ 63 જ્યારે તું આ પોથી વાંચી રહે ત્યારે તેને પથ્થરો બાંધીને ફ્રાંત નદીની વચ્ચોવચ્ચ એમ કહીને નાખી દેજે કે, 64 ‘આવા જ હાલ બાબિલના થશે, યહોવા બાબિલ પર એવી આફત ઉતારનાર છે જેથી તે ડૂબી જાય અને ફરી કદી પર આવે નહિ.’”
અહીં યર્મિયાના વચન પૂરા થાય છે.
મંદિરની પ્રતિષ્ઠા માટેનાં ગીતોમાંનુ. દાઉદનું ગીત.
1 હે યહોવા, હું તમારી સ્તુતિ કરીશ,
કારણ તમે મને મુશ્કેલીઓમાંથી બહાર કાઢયો છે.
તમે મારા શત્રુઓને વિજયનો આનંદ લેવા દીધો નથી.
2 હે યહોવા, મારા દેવ, મેં તમને અરજ કરી,
અને તમે મને સાજો કર્યો છે.
3 હે યહોવા, તમે મને શેઓલમાંથી પાછો કાઢી જીવતો રાખ્યો છે,
તમે મને કબરમાં પડવા દીધો નથી.
4 હે દેવના વિશ્વાસુ અનુયાયીઓ, તમે સૌ તેમની સ્તુતિ ગાઓ.
અને તેમના પવિત્ર નામની આભાર સ્તુતિ ગાઓ.
5 તેમનો કોપ તો કેવળ ક્ષણિક છે,
પણ તેમની કૃપા “જીવન” ભર માટે છે.
રૂદન ભલે આખી રાત રહે,
પણ સવારમાં હર્ષાનંદ થાય છે.
6 હું જ્યારે નિર્ભય અને સુરક્ષિત હતો, ત્યારે મેં કહ્યું હતું, “હું ડગીશ નહિ.”
હું સમજતો હતો કે આ સ્થિતિ સદાય રહેશે.
7 હે યહોવા, તમે મારા પર કૃપા કરી
મને પર્વતની જેમ સ્થિર બનાવ્યો છે,
પણ પછી મારાથી મુખ આડુ ફેરવીને
તમે મને ભયભીત કર્યો છે.
8 હે યહોવા, મેં તમને પોકાર કર્યો
અને મેં તમને વિનંતી કરી.
9 “હે યહોવા, હું મરી જઇશ તો
તમારું શું સારું થશે?
મારી કબરની ધૂળ
તમારી સ્તુતિ કરી શકશે?
શું તે તમારી વિશ્વસનીયતા વિષે કહી શકશે?
10 હે યહોવા, મારા પર દયા કરો,
મારી અરજીને સંભળો મને સહાય કરો.”
11 પછી તમે મારા દુ:ખનું સુખ કર્યુ, અને રૂદનને બદલે નૃત્યુ આપ્યું;
મારા શોકના વસ્ત્રો ઉતારી લીધા
અને મને ઉત્સાહથી ઢાંકી દીધો.
12 કબરમાં શાંત પડી રહેવાને બદલે, હું આનંદપૂર્વક યહોવાની સ્તુતિ કરીશ;
હે યહોવા, મારા દેવ, હું સદાય તમારી આભારસ્તુતિ કરીશ.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International