Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
1 શમુએલનું 13

શાઉલની પહેલી ભુલ

13 એ સમયે શાઉલના રાજયશાસનનું એક વર્ષ પસાર થઈ ગયું હતું. ઇસ્રાએલ ઉપર 2 વર્ષ શાસન કર્યા પછી તેણે ઇસ્રાએલમાંથી 3,000 સૈનિકોની ભરતી કરી. તેમાંના 2,000 પોતાની સાથે બેથેલ પહાડી દેશમાં મિખ્માંશમાં રાખ્યા. જયારે બાકીના હજારનું સૈન્ય શાઉલનો પુત્ર યોનાથાનની સાથે બિન્યામીનના પ્રદેશના ગિબયાહમાં રાખ્યું. બાકીના સૈનિકોને શાઉલે પોતપોતાને ઘેર મોકલી દીધા.

પછી યોનાથાને ગેબામાંના પલિસ્તી સેનાપતિને માંરી નાખ્યો અને પલિસ્તીઓએ આના વિશે સાંભળ્યું.

પછી શાઉલે તેના સૈનિકોને ધરતીના એક છેડાથી બીજા છેડા સુધી રણસિંગુ ફૂકવા કહ્યું અને કહ્યું, “ભલે હિબ્રૂ લોકો આ સમાંચાર સાંભળે.” અને બધાં ઇસ્રાએલીઓએ આ સમાંચાર સાંભાળ્યા અને કહ્યું, “શાઉલે પલિસ્તી સેનાપતિને માંરી નાખ્યો છે. હવે પલિસ્તીઓ ઇસ્રાએલીઓને ખરેખર ધિક્કારે છે.”

અને ગિલ્ગાલમાં ઇસ્રાએલીઓને શાઉલ સાથે જોડાવા કહેવામાં આવ્યું. પલિસ્તીઓ ઇસ્રાએલ ઉપર હુમલો કરવા માંટે ભેગા થયા. તેમની પાસે 3,000 રથ, 6,000 ઘોડેસ્વાર અને દરિયાકાંઠાની રેતીની જેમ અગણિત પાયદળ હતું. તેમણે બેથ આવેનની પૂર્વમાં મિખ્માંશ જઈને છાવણી નાખી.

ઇસ્રાએલી સૈનિકોએ જોયું કે તેઓ ભારે સંકટમાં છે અને તેઓનું લશ્કર ભીંસમાં આવી પડયું છે, ત્યારે તેઓ ગભરાઇ ગયા અને ગુફાઓમાં, ઝાડીઓમાં, ખડકોમાં, અને કોતરોમાં તેમજ પાણીની ટાંકીઓમાં સંતાઈ જવા લાગ્યા. તેથી કેટલાક હિબ્રૂઓએ યર્દન નદી ઓળંગી અને ગિલયાદ ગાદ ભૂમિ તરફ ગયા. શાઉલ હજુ ગિલ્ગાલમાં રહ્યો. તેની સાથે તેના બધા લોકો હતા જેઓ ગભરાયેલા હતા.

અને શમુએલે કરેલા વાયદા મુજબ શાઉલે સાત દિવસ રાહ જોઈ; પણ શમુએલ ગિલ્ગાલમાં આવ્યો નહિ, એટલે લશ્કર શાઉલને છોડીને વિખરાઈ જવા લાગ્યું. તેથી શાઉલે તેમને કહ્યું: “માંરી પાસે દહનાર્પણ તથા શાંત્યર્પણો લાવો.” પછી તેણે દહનાર્પણ અર્પ્યા. 10 અર્પણોની વિધિ તે પૂર્ણ કરી રહ્યો ત્યાં જ શમુએલ આવી પહોંચ્યો. શાઉલ તેને આવકાર આપવા સામે ગયો.

11 કહ્યું, “તેં આ શું કયુંર્?”

શાઉલે જવાબ આપ્યો, “મેં જોયું કે લોકો માંરી પાસેથી વિખરાઈ રહ્યા છે, તેઁ જણાવેલા સમય પ્રમાંણે તું આવ્યો નહિ, અને પલિસ્તીઓ મિખ્માંશ પાસે યુદ્ધને માંટે એકત્ર થયા છે. 12 તેથી મેં વિચાયુંર્ કે, ‘હવે પલિસ્તીઓ ગિલ્ગાલ ઉપર હુમલો કરવાને તૈયાર છે, અને મેં હજી યહોવાને પ્રસન્ન કરવા પ્રાર્થના કરી નથી; તેથી માંરું હૃદય દુ:ખાવીને વધારે રાહ જોયા વિના દહનાર્પણોનાં[a] બલિદાન અર્પણ કર્યા.’”

13 ત્યારે શમુએલે શાઉલને કહ્યું, “તે ગાંડપણ કર્યું છે, તને તારા દેવ યહોવાએ જે આજ્ઞા આપી હતી તેનું તેઁ પાલન નથી કર્યુ. તેં જો તેમ કર્યું હોત તો યહોવાએ ઇસ્રાએલ ઉપર તારી અને તારા વંશની રાજસત્તા કાયમ માંટે સ્થાપી હોત. 14 પરંતુ હવે તારી સત્તા ટકશે નહિ. યહોવા પોતાને મનગમતો માંણસ શોધી કાઢશે અને તેને પોતાના લોકો ઉપર રાજય કરવા નીમશે, કારણ તેં તેમની આજ્ઞાનું પાલન કર્યુ નથી.” 15 ત્યારબાદ શમુએલ ગિલ્ગાલ છોડીને દૂર ગયો.

મિખ્માંશની લડાઇ

બાકીનાં સૈન્યે શાઉલ સાથે ગિલ્ગાલ છોડયું. તેઓ ગિલ્ગાલથી બિન્યામીનના ગિબયાહમાં ગયા. તેણે સૈન્યમાં માંણસો ગણ્યાં ત્યાં લગલગ 600 માંણસો હતાં. 16 શાઉલે, તેના પુત્ર યોનાથાનને અને તેમની સાથેના લશ્કરે બિન્યામીનના પ્રદેશમાં ગેબા ખાતે મુકામ કર્યો, અને પલિસ્તીઓએ મિખ્માંશમાં છાવણી નાખી.

17 પલિસ્તીઓની છાવણીમાંથી ધાડપાડુઓની ત્રણ ટુકડીઓ બહાર પડી. એક ટુકડી શૂઆલ જિલ્લામાં આવેલા ઓફાહ ભણી ગઈ. 18 બીજી બેથ-હોરોન તરફ ગઈ અને ત્રીજી રણ તરફ સબોઈમની ખીણમાં ગઈ.

19 સમગ્ર ઇસ્રાએલમાં એક પણ ઇસ્રાએલી લુહાર શોધ્યો જડતો ન હતો. કારણ, પલિસ્તીઓએ ઇસ્રાએલીઆને લોઢાની તરવાર અને ભાલા બનાવવાની કળા શીખવી હતી નહિ તેના કારણે તેઓ ઇસ્રાએલીઓથી ડરતા હતા. 20 તેથી ઇસ્રાએલીઓને પોતાનાં હળ, ખરપડી, કુહાડા, અને દાતરડાંને ધાર કઢાવવા પલિસ્તીઓ પાસે જવું પડતું. 21 હળ અને ખરપડીને ધાર કાઢવાની મજૂરી આ પ્રમાંણે આપવી પડતી; હળની ધાર કાઢવા માંટે બે તૃતિયાંશ શેકેલ, ખરપડીની ધાર કાઢવાના બે તૃતિયાંશ શેકેલ, કુહાડીની ધાર કાઢવા માંટે એક તૃતિયાંશ શેકેલ, દાતરડાની ધાર કાઢવાના એક તૃતિયાંશ શેકેલ. બળદને હાંકવાની પરોણીની ધાર કાઢવાના એક તૃતિયાંશ શેકેલ. 22 આથી જયારે યુદ્ધ ફાટી નીકળ્યું ત્યારે શાઉલ અને તેના પુત્ર યોનાથાન સિવાય તેમના કોઈ લડવૈયા પાસે નહોતી તરવાર કે નહોતો ભાલો.

23 પછી પલિસ્તીઓની એક ટૂકડી મિખ્માંશ ઘાટનું રક્ષણ કરવા પહોંચી ગઈ.

રોમનો 11

દેવ પોતાના માણસોને ભૂલ્યો નથી

11 તેથી હું પૂછું છું, “શું દેવે પોતાના માણસોને તરછોડી દીઘા?” ના! હું પોતે ઈસ્રાએલનો (યહૂદિ) છું. હું ઈબ્રાહિમના વંશનો અને બિન્યામીનના કુળનો છું. ઈસ્રાએલના લોકો જનમ્યા તે પહેલાં દેવે તેમને પોતાના માણસો તરીકે પસંદ કર્યા. અને દેવે એ લોકોને તરછોડ્યા નથી. એલિયા પ્રબોધક વિષે ધર્મશાસ્ત્ર જે કહે છે તે તમે સારી રીતે જાણો છો. ઈસ્રાએલના લોકોની વિરુંદ્ધમાં દેવને પ્રાર્થના કરતા એલિયા વિષે શાસ્ત્રમાં ઉલ્લેખ છે. એલિયા બોલ્યો, “હે પ્રભુ, આ લોકોએ તારા પ્રબોધકોને મારી નાખ્યા છે અને તારી વેદીઓનો વિનાશ કર્યો છે. પ્રબોધકોમાં એક માત્ર હું જ હજી જીવતો છું. અને હવે એ લોકો મને પણ મારી નાખવાનો પ્રયત્ન કરી રહ્યાં છે.”(A) પરંતુ દેવે એલિયાને શું જવાબ આપ્યો, તે જાણો છો? દેવે તેને કહ્યું, “જે 7,000 માણસો હજી પણ મારી ભક્તિ કરે છે તેઓને મેં મારા માટે રાખી મૂક્યા છે. આ 7,000 માણસો ‘બઆલ’ની આગળ ઘૂંટણે પડયા નથી.”

એવું જ અત્યારે પણ છે. થોડાક માણસો એવા છે કે જેઓ દેવ કૃપાથી પસંદ કરાયા છે. અને જો દેવ-કૃપાને કારણે એમની પસંદગી થઈ હોય, અને તેઓ દેવના માણસો થયા હોય, તો તે તેઓનાં કર્મોને આધારે નહિ. પરંતુ તેમનાં કર્મોને આધારે તેઓ દેવના ખાસ માણસો થઈ શક્યા હોત તો, દેવ લોકોને કૃપાની જે બક્ષિસ આપે છે તે ખરેખર બક્ષિસ ન ગણાત.

તો એ આમ થયું છે: ઈસ્રાએલના લોકોએ દેવ-પ્રાપ્તિ માટે યોગ્યતા કેળવવાનો પ્રયત્ન કર્યો. પરંતુ તેઓ સફળ ન થયા. પરંતુ દેવે જે માણસો પસંદ કર્યા, તેઓ સુપાત્ર થયા. બીજા લોકો કઠણ થયા અને તેમણે દેવનો આદેશ સાંભળવાનો ઈન્કાર કરી દીઘો. શાસ્ત્રોમાં લખ્યું છે તેમ:

“દેવે તેઓની પર ભર ઊંઘનો આત્મા રેડયો છે.” (B)

“દેવે તેઓની આંખો બંધ કરી દીધી જેથી તેઓ સત્ય જોઈ શકે નહિ,
    અને દેવે તેઓના કાન પણ બંધ કરી દીધા જેથી કરીને તેઓ સત્ય સાંભળી શકે નહિ.
અત્યાર સુધી આ સ્થિતિ ચાલુ જ રહી છે.” (C)

અને દાઉદ કહે છે:

“મિજબાની ઉડાવતા લોકો ભલે ફસાઈ જાય, અને પકડાઈ જાય.
    ભલે તેઓને પડવા દો અને શિક્ષા થવા દો.
10 તેઓ જોઈ શકે નહિ એવી તેઓની આંખો અંધકારમય થાઓ,
    અને તેઓની પીઠ તું સદા વાંકી વાળ, અને પછી હંમેશને માટે ભલે તેઓ દુ:ખ ભોગવે.” (D)

11 તેથી હું પૂછી રહ્યો છું: યહૂદિઓની પડતીના કારણે શું તેઓ તેમનો વિનાશ લાવ્યા? ના! એમની ભૂલો જ બિનયહૂદિ લોકો માટે મુક્તિ લાવી. અને યહૂદિઓમાં ઈર્ષા ઉત્પન્ન થાય માટે આમ બન્યું. 12 જો કે યહૂદિઓની ભૂલ આખી દુનિયા માટે સમૃદ્ધ આશીર્વાદો લઈ આવી. અને યહૂદિઓએ જે ખોયું તે બાબતે બિનયહૂદિ લોકો માટે અઢળક આશિષ લાવી. દેવની ઈચ્છા પ્રમાણે યહૂદિઓ જ્યારે લોકો પ્રત્યેક દયાળુ બનશે ત્યારે આખી દુનિયા ખરેખર વધારે સમૃદ્ધ આશીર્વાદ પ્રાપ્ત કરશે.

13 હવે, જે લોકો યહૂદિ નથી તેમને હું સંબોધું છું. બિનયહૂદિઓનો પણ હું પ્રેરિત છું. તેથી જ્યાં સુધી મારે એ કાર્ય કરવાનું છે, ત્યાં સુધી હું મારાથી શક્ય હોય એવી સર્વોત્તમ રીતે કરીશ. 14 મને આશા છે કે હું મારા પોતાના લોકોને ઈર્ષાળુ બનાવી શકીશ. એ રીતે કદાચ એમાંના કેટલાએકને હું બચાવી શકીશ. 15 દેવ યહૂદિઓથી વિમુખ થઈ ગયો. જ્યારે એવું થયું ત્યારે દેવે દુનિયાના અન્ય લોકો સાથે મૈત્રી કરી. તેથી જ્યારે દેવ યહૂદિઓને સ્વીકાર કરશે. ત્યારે લોકોને ખરેખર મૃત્યુ પછીનું તે સાચું જીવન પ્રાપ્ત થશે. 16 જો રોટલીનો પ્રથમ ટૂકડો દેવને અર્પણ કરવામાં આવે છે, તો તે આખી રોટલી પવિત્ર બની જાય છે. જો વૃક્ષનાં મૂળિયાં પવિત્ર હોય તો વૃક્ષની ડાળીઓ પણ પવિત્ર હોય છે.

17 એ વાત એવી છે જાણે કે ઉછેરવામાં આવેલ જૈતૂન વૃક્ષની કેટલીક ડાળીઓ કાપી નાખવામાં આવી છે અને જંગલી જૈતૂન વૃક્ષની એક ડાળીની તેમાં કલમ કરવામાં આવી છે. તમે બિનયહૂદિઓ તે જંગલી ડાળી જેવા છો, અને તમે હવે પ્રથમ વૃક્ષની શક્તિ અને જીવનના સહભાગી થયા છે. 18 અસલ વૃક્ષની ડાળીઓ જે કાપી નાખવામાં આવી હતી, તે વિષે તમે ગર્વ કરશો નહિ. એનું ગર્વ કરવા માટે તમારી પાસે કોઈ યોગ્ય કારણ પણ નથી. શા માટે? કેમ કે તમે એ અસલ વૃક્ષનાં મૂળિયાંને જીવન આપતા નથી. તે મૂળિયાં તમને જીવન આપે છે, તમારા જીવનને આધાર આપે છે. 19 તમે કહેશો, “ડાળીઓ એટલા માટે તોડી નાખવામાં આવી હતી કે જેથી કરીને હું તે ઝાડમાં જોડાઈ શકું.” 20 એ સાચું છે. પરંતુ એ ડાળીઓ તોડી નાખવામાં આવી હતી કેમ કે અસલ વૃક્ષમાં તેઓને વિશ્વાસ ન હતો. અને તમે એ અસલ વૃક્ષના ભાગ બની જીવી રહ્યાં છો, કારણ કે તમે વિશ્વાસ ધરાવો છો. અભિમાન ન કરશો, પરંતુ દેવનો ડર રાખો. 21 જેમ દેવે એ વૃક્ષની કુદરતી ડાળીઓને રહેવા ન દીઘી, એ જ રીતે જો તમે વિશ્વાસ નહિ રાખો તો, દેવ તમને પણ રહેવા નહિ દે.

22 આમ, તમે જોઈ શકો છો કે દેવ દયાળુ છે, પરંતુ તે ઘણી સખતાઈ પણ રાખી શકે છે. જે લોકો દેવને અનુસરવાનું બંધ કરે છે તેઓને દેવ શિક્ષા કરે છે. પરંતુ જો તમે દેવની દયા હેઠળ જીવન જીવતા હશો તો તે હંમેશા તમારા પ્રત્યે કૃપાળુ રહેશે. જો તમે દેવની દયાને અનુસરવાનું ચાલુ નહિ રાખો તો વૃક્ષમાંથી ડાળીની જેમ કપાઈ જશો. 23 અને જો યહૂદિઓ ફરીથી દેવમાં માનતા થશે તો, દેવ એમને ફરી પાછા અપનાવી લેશે. તેઓ જ્યાં હતા ત્યાં મૂળ સ્થાને તેમને પુન:સ્થાપિત કરવા દેવ સમર્થ છે. 24 કોઈ જંગલી ડાળી એક સારા વૃક્ષનું અંગ બને એ કાંઈ કુદરતી ઘટના નથી. તમે બિનયહૂદિઓ તો કોઈ જંગલી જૈતૂન વૃક્ષની તૂટેલી ડાળી જેવા છો. અને એક સારા જૈતૂન વૃક્ષ સાથે તમને જોડવામાં આવ્યા હતા. પરંતુ પેલા યહૂદિઓ તો સારા વૃક્ષની ફૂટેલી ડાળી જેવા છે. તેથી, તેમના પોતાના અસલ વૃક્ષ સાથે તેમને ફરીથી જોડી શકાય છે.

25 ભાઈઓ તથા બહેનો, આ રહસ્યમય સત્ય હું તમને સમજાવવા માગું છું. હું ઈચ્છું છું કે આ સત્ય તમને સમજવા માટે સહાયરૂપ થશે કે તમે સર્વજ્ઞ નથી. તે સત્ય આ છે: ઈસ્રાએલના એક ભાગને હઠીલો બનાવવામાં આવ્યો છે. પરંતુ પુરતા પ્રમાણમાં બિનયહૂદિઓ જ્યારે દેવના શરણે આવશે ત્યારે એ સ્થિતિ પણ બદલાશે. 26 અને એ રીતે આખા ઈસ્રાએલને બચાવશે. શાસ્ત્રોમાં લખેલું છે:

“સિયોનમાંથી ઉદ્ધાર કરનાર આવશે;
    તે યાકૂબના કુટુંબના અધર્મને તથા સર્વ અનિષ્ટોને દૂર કરશે.
27 અને જ્યારે હું તેઓનાં પાપ દૂર કરીશ,
    ત્યારે તેઓની સાથેનો મારો કરાર પૂર્ણ થશે.” (E)

28 યહૂદિઓ સુવાર્તા સ્વીકારવાનો ઈન્કાર કરે છે, તેથી તેઓ દેવના શત્રું છે. તમે બિનયહૂદિઓને મદદ કરવા આમ કર્યુ છે. પરંતુ એ ભૂલશે નહિ કે યહૂદિઓ હજૂ પણ દેવની ખાસ પસંદગી પામેલા લોકો છે. તેથી દેવ તેઓને ખૂબજ ચાહે છે. દેવે તેમના બાપદાદાઓને વચનો આપ્યાં હતાં, તેથી દેવ તેમને ચાહે છે. 29 દેવ જ્યારે જે લોકોને પાસે બોલાવીને એમને કઈક આપે છે, તે પછી દેવ લોકોને આપેલું પોતાનું વચન કદી પણ પાછું ખેંચી લેતો નથી. 30 એક સમય એવો હતો કે જ્યારે તમે દેવના આદેશનો અનાદર કરતા હતા. પરંતુ હમણા તમે દયાપાત્ર બન્યા, કેમ કે પેલા યહૂદિ લોકોએ દેવ-આજ્ઞાનો અનાદર કર્યો છે. 31 અને હવે યહૂદિઓ આજ્ઞાપાલનનો અનાદર કરે છે, કેમ કે દેવે તમને ક્ષમા આપી છે. પરંતુ આમ એટલા માટે બન્યું, જેથી તેઓની ઉપર દેવ દયા કરે. 32 દેવ-આજ્ઞાનો અનાદર બધા લોકોએ કર્યો જ છે. આજ્ઞાનું ઉલ્લંઘન કરનારા બધા લોકોને દેવે એક સાથે એક જગ્યાએ એકત્રિત કરી રાખ્યા છે, જેથી કરીને તે તેઓ પર દયા વરસાવી શકે.

દેવની સ્તુતિ

33 હા, દેવની સમૃદ્ધિ અત્યંત મહાન છે! દેવની કૃપા અને ક્ષમા અપરંપાર છે! દેવનું જ્ઞાન અને વિવેક-બૂદ્ધિ અનંત છે! દેવના નિર્ણયોને કોઈ પણ વ્યક્તિ સમજી શકશે નહિ. દેવના માર્ગો કોઈ પણ વ્યક્તિ સમજી શકશે નહિ. 34 શાસ્ત્ર કહે છે તેમ,

“પ્રભુનું મન કોણે જાણ્યું છે?
    તેનો મંત્રી કોણ થયો છે?” (F)

35 “દેવને કોઈએ કઈ પણ ક્યારે આપ્યું છે?
    દેવ કોઈ પણ વ્યક્તિનો ઋણી નથી. જેથી કોઈને પાછું ભરી આપવામાં આવે?” (G)

36 હા, બધી વસ્તુઓના સર્જક દેવ છે. અને દરેક વસ્તુ દેવ દ્વારા અને દેવ માટે જ ટકી રહે છે. દેવનો સર્વકાળ મહિમા થાઓ! આમીન.

યર્મિયા 50

બાબિલના લોકોનું ભાવિ

50 યહોવાએ યર્મિયા પ્રબોધક મારફતે બાબિલ અને ખાલદીઓ વિરુદ્ધ આ સંદેશો મોકલાવ્યો,

“સર્વ પ્રજાઓને આ સંદેશો કહો!
    ઢંઢેરો પિટાવો, બધી પ્રજાઓને જાહેર કરો,
છુપાવશો નહિ, ખબર આપો કે,
    ‘બાબિલ જીતાયું છે,
બઆલ દેવની બેઆબરું થઇ છે,
    મેરોદાખ દેવના ફુરચા ઉડાવી દેવામાં આવ્યાં છે;
બાબિલની મૂર્તિઓને શરમજનક કરવામાં આવી છે,
    તેના પૂતળાંને ભાંગી નાખવામાં આવ્યાં છે.’
કારણ કે, ઉત્તરમાંથી એક પ્રજા તેના પર ચઢી આવે છે;
    તેઓ એ દેશને વેરાન બનાવી દેશે,
જ્યાં કોઇ રહેશે નહિ, જ્યાંથી માણસો
    અને પશુઓ ભાગી જશે.”
યહોવા કહે છે, “તે દિવસોમાં,
    તે સમયે, તેઓ સાથે મળીને આવશે,
તેઓ રડતાં રડતાં આવશે અને તેમના દેવ યહોવાની શોધ કરશે.
    તેમને ફકત તેઓ જ અને બીજું કોઇ નહિ જોઇએ.
તેઓ સિયોનના માર્ગ પૂછશે
    અને તેની તરફ આગળ વધશે.
તેઓ કહેશે, ‘આવો, કદી ભૂલી
    ન જવાય તેવો સનાતન કરાર
    કરીને આપણે યહોવા સાથેના સંબંધમાં જોડાઇએ.’

“મારા લોકો ખોવાયેલાં ઘેટાં જેવાં હતા,
    તેઓના ઘેટાં પાળકોએ તેમને ભૂલા પડવા દીધા,
અને પર્વતો પર ગમે તેમ ભટકવા દીધા,
    તેઓ પોતાના માર્ગ ભૂલી ગયા
    અને વાડામાં કઇ રીતે પાછા આવવું તે તેઓને યાદ રહ્યું નહિ.
જે કોઇએ તેમને જોયા,
    તેઓને મળ્યા તે સર્વ તેઓને ખાઇ ગયા,
અને કહ્યું, તેઓ પર આક્રમણ કરવા અમે મુકત છીએ,
    કારણ કે તેમણે યહોવા
તેમના ખરેખરા પોષક (ચરાણ) વિરુદ્ધ જેમનો
    તેમના પૂર્વજોએ વિશ્વાસ કર્યો હતો પાપ આચર્યુ છે.

“ઇસ્રાએલના લોકો બાબિલમાંથી ભાગી જાઓ!
    ટોળાને દોરતા બકરાની
    જેમ આગળ થાઓ.
કારણ કે, હું બળવાન પ્રજાઓના જૂથને
    બાબિલ વિરુદ્ધ ઉશ્કેરવાનો છું.
તેઓ ઉત્તરમાંથી આવી
    એની સામે મોરચો માંડશે અને એને કબજે કરશે.
તેમના બાણાવળીઓ કસાયેલા શિકારીની
    જેમ કદી ખાલી હાથે પાછા નહિ ફરે.
10 બાબિલ લૂંટી લેવામાં આવશે
    અને એને લૂંટનારા ધરાઇ જાય ત્યાં સુધી લૂંટ ચલાવશે.”
આ યહોવાના વચન છે.

11 યહોવા કહે છે, “હે બાબિલવાસીઓ,
    તમે મારી પોતાની ભૂમિને લૂંટી છે;
તમે ભલે આનંદ માણો અને મોજ કરો,
    ગોચરમાં ઠેકડા મારતા વાછરડાની જેમ દોડો અને ઘોડાની જેમ હણહણો;
12 તેમ છતાં તમારી માતૃભૂમિ બાબિલને બેઆબરૂ કરવામાં આવશે.
    તમારા જન્મદાતાઓની નામોશી કરવામાં આવશે;
બીજી બધી સમૂહની પ્રજાઓમાં બાબિલનું સ્થાન સૌથી છેલ્લું રહેશે.
    તમારી ભૂમિ વેરાન સૂકું રણ બની જશે.
13 મારા ક્રોધને કારણે
    તે નિર્જન બની જશે,
    તે વેરાન વગડો બની જશે.
બાબિલ થઇને જતા સૌ કોઇ તેની હાલત જોઇને ભયભીત થઇ જશે
    અને તેના સર્વનાશને કારણે તેઓ સિસકારા બોલાવશે.

14 “બાબિલની આસપાસ રહેનારી પ્રજાઓ બાબિલ સામે યુદ્ધ માટે ગોઠવાઇ જાઓ,
    તેને ઘેરી લો, ઓ બાણાવળીઓ!
તીર વરસાવો, અચકાશો નહિ,
    કારણ, તેણે મારી વિરુદ્ધ અપરાધ કર્યો છે.
15 તેની ચારે બાજુએથી રણનાદ જગાવો,
    જુઓ, તે શરણાગતિ સ્વીકારે છે!
    તેનો કોટ પડી ગયો છે,
યહોવાએ બદલો લીધો છે,
    તેણે કર્યું હતું તેવું જ તેને કરો!
16 બાબિલમાં કોઇને વાવવા કે લણવા દેશો નહિ.
    લોહીતરસી તરવારથી ભાગીને
ત્યાંના બધા વિદેશીઓ પોતાના વતનમાં પાછા જશે.

17 “ઇસ્રાએલની પ્રજા તો એવાં ઘેટાં જેવી છે
    કે જેની પાછળ સિંહ પડ્યો હોય,
પ્રથમતો આશ્શૂરનો રાજા તેઓને ખાઇ ગયો.
    પછી બાબિલના રાજા નબૂખાદરેસ્સારે તેઓનાં હાડકા ચાવ્યાં.”
18 તેથી ઇસ્રાએલના દેવ, સૈન્યોનો દેવ યહોવા કહે છે,
“મેં જે રીતે આશ્શૂરના રાજાને સજા કરી હતી તે રીતે બાબિલના રાજાને
    અને તેના દેશને પણ સજા કરીશ.

19 “‘હું ઇસ્રાએલને પાછો એના ચરાણમાં લઇ આવીશ,
    તે કામેર્લ પર્વત અને બાશાન પર ચઢશે.
તેની ભૂખ એફ્રાઇમ
    અને ગિલ્યાદના ડુંગરો પર સંતોષાશે.’”
20 “જ્યારે એ સમય આવશે
    ત્યારે ઇસ્રાએલમાં અધર્મ શોધ્યો નહિ જડે,
યહૂદિયામાં કોઇ પાપ શોધ્યું નહિ જડે,
    કારણ કે, જેમને હું જીવતા
રહેવા દઇશ તેમને માફ કરીશ.”
    આ યહોવાના વચન છે.

21 યહોવા કહે છે, “મેરાથાઇમના અને પેકોદના વતનીઓ પીછો પકડો,
ચઢાઇ કરો,
    બંડખોર દેશ બાબિલનો હું ન્યાય કરવાનો છું;
મેં તમને આજ્ઞા કરી છે
    તે પ્રમાણે તેઓનો સંહાર કરો.

22 “દેશમાં રણનાદ ગાજે છે
    અને ભયંકર વિનાશ થઇ રહ્યો છે.
23 બાબિલને હથોડા સમાન બનીને જગતના
    દેશોના ભૂક્કા બોલાવી દીધા હતા.
હવે તે હથોડો ભાંગી ગયો છે.
    બાબિલની તારાજી જોઇને લોકો આંચકો અનૂભવે છે.
24 હે બાબિલ! મેં તારા માટે
    જાળ બિછાવી હતી
અને તું તેમાં સપડાઇ ગયો છે.
    કારણ કે તેં યહોવાની વિરુદ્ધ યુદ્ધ કર્યું.
25 યહોવાએ પોતાનો શસ્ત્રભંડાર ખોલ્યો છે
    અને પોતાના શત્રુઓ પર પોતાનો ક્રોધાગ્નિ પ્રગટાવવા માટે શસ્ત્રો બહાર કાઢયા છે.
બાબિલ પર જે આફત આવી પડશે
    તે યહોવા દેવ સૈન્યોનો દેવ તરફથી હશે.

26 “હા, દૂરના દેશોમાંથી સૌ કોઇ તેના પર ચઢી આવો;
    તેના અનાજના ભંડારો ખોલી નાખો,
લૂંટના માલનો અનાજની જેમ ઢગલો કરો,
    એનો નાશ કરો;
કશું જ બચવા ન દેશો તેના બધા રહસ્યનો નાશ કરો,
    કોઇ બાકી ન રહે,
27 તેના સર્વ ઢોરઢાંખરને પણ મારી નાખો,
    તેઓની હત્યા થવા માટે નીચે ઊતરી જવા દો!
એમના દિવસો ભરાઇ ચૂક્યા છે!
    તેમની સજાનો દિવસ આવી પહોંચ્યો છે.
28 ધ્યાનથી સાંભળો, બાબિલમાંથી જેઓ ભાગી છૂટયા હતા તે શરણાથીર્ઓ,
    દેવે બાબિલના લોકો પર બદલો લીધો છે
એવું જાહેર કરવા માટે સિયોન આવ્યા.
    જેઓએ તેના મંદિરનો નાશ કર્યો છે
    તેના પર દેવે વૈર વાળ્યું છે.

29 “બાબિલની સામે બાણાવળીઓનો જમાવ કરો,
    ધનુષ્યબાણ ચલાવનારા સૌ કોઇ
નગરને ચારે તરફથી ઘેરી લો.
    જેથી કોઇ ભાગી જવા પામે નહિ,
તેના કૃત્યોનો તેને બદલો આપો,
    એણે બીજાની જે દશા કરી છે
    તે એની કરો. કારણ કે,
એ મારા પ્રત્યે ઇસ્રાએલના પરમપવિત્ર
    યહોવા પ્રત્યે તોછડાઇથી વત્ર્યો છે.
30 તેથી યુવાન માણસો ચોકમાં માર્યા જશે.
    તેના તે જ દિવસે, તેના સર્વ યોદ્ધાઓ માર્યા જશે.”
આ યહોવાના વચન છે.

31 આપણા પ્રભુ સૈન્યોનો દેવ યહોવા કહે છે,
    “હે અભિમાની લોકો!
    હું તમારી વિરુદ્ધ છું.
હવે તમને શિક્ષા કરવાનો
    સમય આવી ગયો છે.
32 હે અભિમાની પ્રજા, તું ઠોકર ખાઇને પડશે,
    કોઇ તને મદદ નહિ કરે!
હું તારા ગામોમાં આગ લગાડીશ
    અને તે આસપાસનું બધું બાળીને ભસ્મ કરી નાખશે.”

33 આ સૈન્યોનો દેવ યહોવાના વચન છે,
“ઇસ્રાએલના અને યહૂદિયાના લોકો પર સિતમ ગુજારાઇ રહ્યો છે;
    તેમને કેદ પકડનારાઓ તેમને છટકવા દેતા નથી.
34 પરંતુ તેઓનો ઉદ્ધારક મહાન છે.
    તેનું નામ ‘યહોવા સર્વસમર્થ’ છે.
તે અસરકારક રીતે તેઓના મુકદમાની વકીલાત કરશે
    અને ઇસ્રાએલમાં અને જગતમાં શાંતિ લાવશે.
    પરંતુ બાબિલમાં અંધાધૂંધી પેદા કરશે.”

35 યહોવા કહે છે,
“બાબિલવાસીઓને માથે, બાબિલના વતનીઓને માથે,
    તેના આગેવાનો અને સમજણા પુરુષોને
    માથે તરવાર ઝઝૂમે છે.
36 તેના જૂઠા યાજકોને માથે પણ તરવાર ઝઝૂમે છે.
    તેમની અક્કલ બહેર મારી જશે.
તેના યોદ્ધાઓને માથે પણ તરવાર ઝઝૂમે છે.
    તેમના હાથ હેઠા પડશે.
37 તેના ઘોડાઓ તથા રથો યુદ્ધમાં નાશ પામશે.
    બીજા મિત્ર દેશોમાંથી આવેલા
યોદ્ધાઓ સ્ત્રીઓ જેવા નિર્બળ થશે,
    તેની સર્વ સંપત્તિ લૂંટાઇ જશે.
38 તેનાં જળાશયો સુકાઇ જશે, શા માટે?
    કારણ કે સમગ્ર દેશ મૂર્તિઓથી ભરપૂર છે
અને લોકો તે મૂર્તિઓ પ્રત્યેના
    પ્રેમમાં પાગલ થઇ ગયા છે.
39 આથી ત્યાં બાબિલ નગરમાં વગડાના જાનવરો
    અને જંગલી વરુઓ વાસો કરશે, શાહમૃગો ત્યાં વસશે.
    ત્યાં ફરી કદી માણસો વસશે નહિ અને યુગોના યુગો સુધી તે આમ જ રહેશે.”
40 યહોવા કહે છે કે, “જેમ સદોમ તથા ગમોરા
    અને તેઓની આસપાસના નગરોનો નાશ કર્યો
તેવી જ રીતે હું બાબિલનો નાશ કરીશ.
    તે સમયથી તે નગરોમાં કોઇ વસવાટ કરતું નથી,
એવી જ રીતે ફરીથી કોઇ બાબિલમાં વસશે નહિ.

41 “જુઓ, ઉત્તરમાંથી એક પ્રજા,
    એક બળવાન પ્રજા આવી રહી છે;
    પૃથ્વીને દૂરને છેડે મોટા મોટા રાજાઓ યુદ્ધની તૈયારી કરી રહ્યા છે.
42 લોકોએ ધનુષ્ય અને તરવાર ધારણ કરી છે;
    તેઓ ક્રૂર અને ઘાતકી છે.
    ઘોડે ચઢીને સાગરની જેમ ગર્જના કરતા આવે છે.
એકેએક માણસ, હે બાબિલ,
    તારી સામે યુદ્ધ માટે સજ્જ છે.
43 જ્યારે બાબિલના રાજાએ આ સમાચાર સાંભળ્યાં
    ત્યારે તેના હાથ લાચાર થઇને હેઠા પડ્યા.
પ્રસૂતિની વેદનાથી પીડાતી સ્ત્રીની જેમ એકાએક આવી પડેલા ભયને
    કારણે તે તીવ્ર વેદનાથી પીડાવા લાગ્યો.”

44 યહોવા કહે છે, “જેવી રીતે ચારો ચરતાં
    ઘેટાં પર સિંહ તરાપ મારે,
તે જ પ્રમાણે હું બાબિલની પર ત્રાટકીશ
    મને જે કોઇ ગમશે તેને
    હું તેમની પર નીમીશ.
મારા સમાન કોણ છે?
    અને કોણ મને પડકારી શકે છે?
ક્યો ઘેટાપાળક મારી વિરુદ્ધ
    ઊભો રહી શકે છે?”

45 માટે હવે બાબિલ વિષે મારા મનમાં શી યોજના છે;
    તે સાંભળી લો;
“અને ખાલ્દીઓ માટે મેં ઘડેલી
    યોજનાઓ વિષે નાનામાં નાના ઘેટાંને
પણ ઘસડી લઇ જશે અને તેમના નસીબે
    તેમના ઘેટાંના વાડાને ભયગ્રસ્ત કરાશે.
46 બાબિલના પતનથી સમગ્ર
    પૃથ્વી થથરી ઉઠશે
અને તેનો આર્તનાદ બધી
    પ્રજાઓમાં વિશ્વભરમાં સંભળાશે.”

ગીતશાસ્ત્ર 28-29

દાઉદનું ગીત.

હે યહોવા, તમને મદદ માટે પ્રાર્થના કરૂં છું.
    હે મારા ખડક, તમારા કાન બંધ રાખતો નહિ,
    કારણકે તમે મારા મદદના
પોકાર નો જવાબ નહિ આપો તો
    મારી ગણના કબરમાંના મૃત લોકો જેવી જ થશે.
હે યહોવા, મદદ માટેની મારી બૂમો સાંભળો.
    તમારી પરમપવિત્રસ્થાન તરફ હું હાથ ઊંચા કરું છું;
    અને તમારી સહાય માટે ખરા મનથી પ્રાર્થના કરું છું.
મને દુષ્ટતા કરનારા અને પાપીઓ વચ્ચે ધકેલી ન દેતા.
    તે કુકમીર્ઓ તેમના પડોશીઓને “સલામ”[a] કરે છે
પરંતુ તેઓ તેમની વિરુદ્ધ
    દુષ્ટતા કરવાની યોજના કરી રહ્યાં છે.
તમે તેમને તેમની દુષ્ટતા પ્રમાણે ફળ આપજો,
    તેમને તેમની સર્વ દુષ્ટતાનો તમે બદલો વાળી આપજો;
    જે ભારી શિક્ષાને તેઓ યોગ્ય છે, તમે તેમને તે શિક્ષા કરો.
તેઓ યહોવાની, તેમના મહાન કર્મોની
    અને તેમના હાથનાં કામોની સંપૂર્ણ અવગણના કરે છે;
જૂનાં પુરાણાં મકાનની જેમ યહોવા તેઓને તોડી પાડશે
    અને ફરી કદી સ્થાપિત કરશે નહિ.
યહોવાની સ્તુતિ થાઓ,
    કારણ તેમણે મારા કાલાવાલા સાંભળ્યા છે.
યહોવા મારું સાર્મથ્ય અને ભયસ્થાનોમો મારી ઢાલ છે.
    મારા હૃદયે તેમનો ભરોસો રાખ્યો છે, અને મને તેમની સહાય મળી છે.
મારા હૃદયમાં અત્યંત આનંદ થાય છે,
    તેમની સ્તુતિ ગાઇને હું તેમનો આભાર માનું છુ.
યહોવા તેમનાં લોકોને મજબૂત બનાવે છે.
    યહોવા તારણહાર છે, અને તેમના પસંદ કરેલાઓનું સાર્મથ્ય છે.

હે યહોવા, તમારા લોકોનો તમે ઉદ્ધાર કરો,
    અને તમારા વારસાને આશીર્વાદ આપો.
    વળી તેઓનું હંમેશા પાલનપોષણ કરી તમારા લોકોને ઊંચકી રાખો.

દાઉદનું ગીત.

હે પરાક્રમી યહોવાના દૂતો, તમે સૌ તેમની સ્તુતિ કરો;
    તેમના ગૌરવ અને સાર્મથ્ય માટે સૌ યહોવાની સ્તુતિ કરો.
યહોવાના ગૌરવ માટે સ્તુતિ કરો.
    યહોવાના ભવ્ય નામ માટે તમે ગાઓ તમારા પવિત્ર વસ્રો
પહેરીને આવો અને તેમની ઉપાસના કરો,
    આવો અને તેમનું ભજન કરો.
યહોવાનો સાદ સમુદ્રો પર ગાજે છે;
    ગૌરવવાન દેવ મહાસાગર પર ગર્જના કરે છે.
યહોવાનો સાદ તેમની શકિત નિરૂપે છે,
    યહોવાનો સાદ તેમનો મહિમા નિરૂપે છે.
યહોવાના સાદથી ગંધતરુઓ ભાંગી ગયા છે.
    લબાનોનનાં વિશાળ ગંધતરુઓ યહોવા તોડે છે.
યહોવા હેમોર્ન પર્વતને અને લબાનોનનાં પર્વતોને, ધ્રુજાવે છે.
    તે તેમને વાંછરડાની જેમ કૂદાવે છે.
યહોવાનો સાદ વીજળીઓને ભેદી અને ગર્જના કરે છે.
યહોવાના સાદના પડઘા રણને,
    અને કાદેશના રણને ધ્રુજાવે છે.
યહોવાનો સાદ દેવદારના વૃક્ષોને ધ્રુજાવે છે
    અને બધા ઉપાસના કરનારાઓ તેના મંદિરમાં સ્તુતિ કરે છે.
“યહોવાનો મહિમા થાય.”

10 યહોવા જળપ્રલય સમયે સત્તાસ્થાને ત્યાં બિરાજમાન થયા હતા;
    અને યહોવા સર્વકાળ રાજા તરીકે બિરાજમાન થનાર છે.
11 યહોવા પોતાના લોકોને સાર્મથ્ય આપશે,
    અને તેઓને શાંતિનો આશીર્વાદ આપશે.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International