Print Page Options
Previous Prev Day Next DayNext

Old/New Testament

Each day includes a passage from both the Old Testament and New Testament.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
અયૂબ 8-10

બિલ્દાદ શૂહીનો અયૂબને જવાબ

ત્યારે બિલ્દાદ શૂહીએ અયૂબને જવાબ આપ્યો,

“તું ક્યાં સુધી આવી વાતો કર્યા કરીશ?
    તારા તોફાની શબ્દો ક્યાં સુધી વંટોળિયાની જેમ તારા મુખમાંથી નીકળ્યા કરશે?
શું દેવ અન્યાય કરે છે? સર્વસમર્થ દેવ,
    જે વાત સાચી છે તેને શું બદલે છે?
જો તારા સંતાનોએ તેમની વિરૂદ્ધ પાપ કર્યા હશે,
    તો તેણે તેમને તે માટે સજા કરી છે.
જો તું ખંતથી દેવની શોધ કરશે
    અને એમની કરુણા યાચશે,
અને તું જો પવિત્ર અને સારો હોઇશ તો
    એ તને ઝડપથી મદદ કરવા આવશે
    અને તને તારાં કાયદેસરના ઘરને, પાછા આપી દેશે.
પછી તારી પાસે પહેલા હતું
    તેના કરતા ઘણું વધારે હશે.

“તું પહેલાની પેઢીઓને પૂછી જો!
    જાણી લે આપણા પિતૃઓ શું શીખ્યા હતા?
આપણે તો આજકાલના છીએ,
    અને કાંઇજ જાણતા નથી.
    અહીં પૃથ્વી પરનું આપણું જીવન પડછાયા જેવું અલ્પ છે.
10 તેઓ કદાચ તને શીખવી શકશે.
    કદાચ તેઓ તને તેઓ જે બાબત શીખ્યા હોય તે શીખવી શકે.

11 “શું કાદવ વિના કમળ ઊગે?
    જળ વિના બરુ ઊગે?
12 ના, જો પાણી સૂકાઇ જાય તો
    તેઓ પણ સૂકાઇ જશે.
13 લોકો જે ઈશ્વરને ભૂલી જાય છે તે પેલા બરુઓ જેવા છે.
    જે વ્યકિત ઈશ્વરને ભૂલી જાય છે તેને આશા રહેશે નહિ.
14 તે માણસ પાસે અઢેલવા માટે કાઇ નથી.
    તેની સુરક્ષા કરોળિયાના જાળ જેવી છે.
15 જો એક વ્યકિત કરોળિયાના જાળાને અઢેલી
    ને ટેકો લે તો તે તૂટી જાય
તે કરોળીયાના જાળાનો આશ્રય લે છે
    પણ તે તેને ટેકો આપશે નહિ.
16 તે માણસ વનસ્પતિના એક છોડ જેવો છે જેની પાસે પુષ્કળ પાણી અને સૂર્ય પ્રકાશ છે.
    તેની ડાળીઓ આખા બગીચામાં ફેલાય છે.
17 પથ્થર પર ઉગવાની જગ્યા શોધતા
    તે જથ્થાબંદ પથ્થરોને ઢાંકી દે છે.
18 પણ જો એને એકવાર ઊખેડવામાં આવે તો
    પછી એ ઊગ્યાં હતાં કે નહિ એની ખબર પણ પડે નહિ.
19 આ તો તેના માર્ગનું સુખ છે,
    અને જમીનમાંથી બીજા છોડ ઊગી નીકળે છે!
20 પરંતુ દેવ નિર્દોષ લોકોને કદી અસમર્થ કરશે નહિ,
    અને અધમીર્ને કદી મદદ કરશે નહિ.
21 તેઓ તારા ચહેરાને હાસ્યથી
    અને તારા હોઠોને આનંદના પોકારોથી ભરી દેશે.
22 તારો તિરસ્કાર કરનારા દુશ્મનો શરમથી છુપાઇ જશે
    અને દુષ્ટોના ઘરબાર નાશ પામશે.”

અયૂબનો વળતો જવાબ

ત્યારે અયૂબે જવાબ આપ્યો:

“હા, હું જાણું છું કે તું સાચું બોલે છે.
    પરંતુ દેવ સાથેની દલીલ માણસ કેવી રીતે જીતી શકે?
જો દેવ તેની સાથે દલીલ કરે,
    તો દેવના 1,000 પ્રશ્ર્નોમાંથી શું ઓછામાંઓછો એકનો જવાબ તે આપી શકશે?
તે વિદ્વાન તથા સર્વસમર્થ છે,
    કોઇપણ માણસ ઇજા પામ્યા વગર દેવ સામે લડી શકે તેમ નથી.
તે દેવ જ્યારે ગુંસ્સે થાય છે ત્યારે પર્વતોને હલાવી દે છે અને તેઓને તેની ખબર પડતી નથી.
દેવ પૃથ્વીને હલાવવા ધરતીકંપો મોકલે છે.
    દેવ પૃથ્વીના પાયાઓ હલાવી નાખે છે.
જો તે આજ્ઞા કરે, તો સૂર્ય ઊગશે નહિ,
    અને એ તારાઓને ગોંધી શકે છે જેથી તેઓ ઝગમગી શકે નહિ.
તેણે એકલે હાથે આકાશને પાથર્યુ છે,
    અને સમુદ્રના મોજા પર ચાલે છે.
તેણે સપ્તષિર્, મૃગશીર્ષ તથા કૃત્તિકા બનાવ્યા છે.
    તેણે દક્ષિણી આકાશના નક્ષત્રો સર્જ્યા છે.
10 દેવ અદભુત કાર્યો કરે છે જે લોકો સમજી શકતા નથી.
    અને કોઇ ગણી ન શકે તેનાથી વધારે ચમત્કારી કાર્યોનો કર્તા છે.
11 તે મારી બાજુમાંથી પસાર થાય છે; પણ હું તેમને જોઇ શકતો નથી.
    તે આગળ ચાલ્યા જાય છે, પણ હું તેમને જોઇ શકતો નથી.
12 તે જો ઓચિંતાના આવે અને તેમને જે કઇં જોઇતું હોય તે ઝડપમારી પડાવી લે તો તેમને કોણ રોકી શકે?
    તેને કોણ પૂછી શકે, ‘તમે આ શું કરો છો?’
13 ઈશ્વર તેમનો ગુસ્સો રોકશે નહિ રહાબનાં મદદગારો પણ દેવથી ડરે છે.
    માણસનો ગર્વ તેની સામે ઓગળી જાય છે.
14 તો પછી માત્ર મારા જેવા કઇ દલીલોને
    બળે એની સામે ઊભા રહી શકે?
15 નિર્દોષ હોવા છતાં હું તેમને જવાબ આપી શકતો નથી
    મારા ન્યાયાધીશ પાસે દયાની ભીખ માંગું એટલું જ હું કરી શકું.
16 હું જો એની સામે ફરિયાદ કરું અને તે જવાબ આપે તો.
    મને ખાત્રી છે તે મારું સાંભળશે નહિ.
17 તે મને કચરી નાખવા તોફાન મોકલશે.
    કારણ વગર તે મને વધારે ઘાયલ કરશે.
18 તે મને શ્વાસ લેવા દેશે નહિ,
    પણ મને મુશ્કેલીઓથી ભરપૂર કરી દેશે.
19 હું દેવને હરાવી શકીશ નહિ,
    તે ખુબજ શકિતશાળી છે.
હું દેવને ન્યાયાલયમાં લઇ જઇને
    મારી તરફ નિષ્પક્ષ રહેવાનો આગ્રહ કરી શકીશ નહિ.
20 હું નિર્દોષ છું, પણ હું જે કાંઇ કહું છું તેમાં હું ગુનેગાર જ દેખાઉ છું,
    હું નિર્દોષ છું પણ જ્યારે હું બોલુ છુ, મારુ મોઢુ મને અપરાધી સાબિત કરે છે.
21 હું નિર્દોષ છુઁ, પણ શું વિચાર કરવો તે હું જાણતો નથી.
    હું મારા પોતાના જીવનને ધિક્કારું છું.
22 ‘માણસ કદાચ ભલે વાંક વગરનો કે અનિષ્ટ હોય પરંતુ દરેકને સરખીજ વસ્તુ થાય છે.
    તે બધાનો નાશ કરે છે.’
23 જ્યારે કોઇ ભયંકર બાબત બની જાય અને એક નિર્દોષ માણસને મારી નાખવામાં આવે તો શું દેવ તેના પર હસશે?
24 જ્યારે દુષ્ટ માણસ એક પ્રદેશને કબ્જામાં લઇ લે છે, તો તે ન્યાયાધીશોને શું થઇ રહ્યું છે તે જોવા માટે રોકે છે?
    એ જો સાચું હોય તો પછી દેવ કોણ છે?

25 “મારા દિવસો એક દોડવીર કરતા પણ વધારે ઝડપથી પસાર થઇ જાય છે.
    મારા દિવસો પસાર થઇ રહ્યા છે અને તેમા કોઇ આનંદ નથી.
26 ઝડપથી પસાર થતા વહાણની જેમ અંતે પોતાના શિકાર પર
    તૂટી પડતા ગરૂડની જેમ મારા દિવસો ચાલ્યાં જાય છે.

27 “જો હું એમ કહું કે ‘હું મારા દુ:ખ વિષે ભૂલી જઇશ.
    અને ખુશ થઇને દેવ સામે ફરિયાદ ન કરવાનો નિર્ણય કરું.’
28 વાસ્તવમાં કશું બદલાતું નથી. વ્યથા હજી પણ મને ડરાવે છે.
    હું જાણું છું કે તમે મને નિર્દોષ નહિ ગણો.
29 હું પહેલેથીજ ગુનેગાર ઠરાયો છું.
    તો હું ફોકટ શા માટે શ્રમ કરું છું?
30 જો હિમથી હું મારું શરીર ધોઉં
    અને સાબુથી મારા હાથ ચોખ્ખાં કરું.
31 તો પણ દેવ મને ખાઇમાં નાખી દેશે
    અને મારા પોતાનાં જ વસ્ત્રો મને ઘૃણા કરશે.
32 હું મારો પોતાનો બચાવ કરી શકતો નથી કારણકે તમે મારા જેવા માણસ નથી.
આપણે એક બીજાને ન્યાયાલયમાં મળી શકીએ તેમ નથી.
    તમે માણસ હોત તો આપણે સારી રીતે વાદ-વિવાદ કરી શક્યાં હોત.
33 મારી ઇચ્છા છે, કોઇ આડતિયો હોત કે જે બંને પક્ષને સાંભળી શકે.
    હું ઇચ્છું છું એવું કોઇ હોત જે આપણ બંનેનો ન્યાય કરી શક્યો હોત.
34 હું ઇચ્છું છુઁ, દેવનો શિક્ષા દંડ મારા પરથી લઇલે એવું કોઇ હોત,
    તો પછી દેવ મને ક્યારેય ડરાવશે નહિ.
35 તો હું દેવનો ડર રાખ્યા વગર તેને મોઢામોઢ કહી દઇશ.
    પણ હમણાં હું એમ કરી શકું તેમ નથી.

10 “હું જીવનથી કંટાળી ગયો છું. હું મુકત રીતે ફરિયાદ કરીશ.
    હું દુ:ખ અને કડવાશથી બોલીશ.
હું દેવને કહીશ કે, ‘મને દોષિત ન ઠરાવો;
    તમે મારી સાથે શા માટે ઝગડો કરો છો તે મને બતાવો.
દેવ, શું મને દુ:ખ આપીને તમને આનંદ મળે છે?
    એવું લાગે છે તમે જે સર્જન કર્યુ છે તેની તમને કાળજી નથી.
અથવા તો કદાચ તમે દુષ્ટ લોકોની યોજનાઓથી ખુશ થાઓ છો?
    શું તને ચર્મચક્ષુ છે, અથવા શું તું માણસની જેમ જુએ છે?
શું તમારા દિવસો અમારા દિવસો જેટલાં ટૂંકાં છે?
    તમારું જીવન માણસના જીવન જેટલું ટૂંકુ છે
કે તમે મારી ભૂલ શોધો છો
    અને મારા પાપ શોધો છો.
તમે સારી રીતે જાણો છો કે હું નિર્દોષ છું.
    તમે જાણો છો કે તમારા હાથમાંથી મને કોઇ બચાવી શકે તેમ નથી.
તમે તમારા પોતાના હાથે મને ઘડ્યો છે,
    પરંતુ હવે તેઓ ભેગા થઇને મારો વિનાશ કરે છે.
યાદ રાખો કે હું માટીમાંથી બનેલો છું.
    શું હવે તમે મને પાછો માટીમાં મેળવી દેશો?
10 તમે મને એક બાટલીમાંથી બીજીમાં એમ દૂધની જેમ રેડ્યો છે
    અને મને પનીરની જેમ વલોવો છો.
11 તમે મને ચામડી અને માંસથી મઢી લીધો.
    તમે મને હાડકાં અને સ્નાયુઓથી વણી લીધો છે.
12 તમે મને જીવન આપ્યું, મારી સાથે દયાળુ રહ્યાં,
    તમે મારું ધ્યાન રાખ્યું અને મારા આત્માનું રક્ષણ કર્યું.
13 છતાં તમારા હૃદયમાં તો તમે આ છુપાવ્યું હતું.
    હું જાણું છું કે તમારા મનમાં આ હતું:
14 તમે જોતા હતાં કે હું પાપ કરું છું કે નહિ,
    એવા ઇરાદાથી કે જો હું પાપ કરું તો મને શિક્ષા કર્યા વગર છોડવો નહિ.
15 જો હું પાપ કરું, તો મારે માટે બહું ખરાબ થશે.
    પણ જો હું નિર્દોષ હોઇશ તો
પણ હું મારું માથું ઊપર ઉઠાવી શકીશ નહિ.
    હું ખૂબજ શરમિંદો અને મુંઝાયેલો છું.
16 જો હું અભિમાની હોઉ તો તમે સિંહની જેમ મારી પાછળ છો
    અને ફરીથી તમે મારી સામે
    તમારી અદભૂત શકિત બતાવો છો.
17 તમે મારી વિરુદ્ધ નવા સાક્ષીઓ લાવો છો,
    અને મારા ઉપર તમારો રોષ વધારો છો:
અને મારો સામનો કરવા
    એક પછી એક સૈન્ય મોકલો છો.
18 તો પછી તમે મને શા માટે ગર્ભમાંથી બહાર કાઢયો?
    એના કરતાં તો હું મૃત્યુ પામ્યો હોત, કોઇએ મને જોયો સુદ્ધાં ન હોત તો એ કેવું સારું થાત!
19 હું ઇચ્છું છું કે હું ક્યારેય જીવ્યો ન હોત!
    હું ઈચ્છું છું કે હું મારી માતાના ગર્ભમાંથી સીધો કબરમાં લઇજવાયો હોત.
20 તમને ખબર નથી કે
    હું હવે થોડા સમય
    માટે જીવવાનો છું?
21 મૃત્યુના પડછાયા અને અંધકારનો પ્રદેશ, કે જ્યાંથી કોઇ પાછા આવતું નથી
    ત્યાં હું જાઉ તે પહેલા મારી પાસે જે થોડો સમય બચ્યો છે તેનો આનંદ મને માણી લેવા દો.
22 આ મૃત્યુ દેશ તો મધ્યરાત્રિના ઘોર અંધકાર જેવો દેશ છે;
    એ તો મૃત્યુછાયાનો દેશ છે જ્યાં બધું અસ્તવ્યસ્ત છે તથા પ્રકાશ પણ અંધકારરૂપ છે.’”

પ્રેરિતોનાં કૃત્યો 8:26-40

ઈથિઓપિયાના એક માણસને ફિલિપનો બોધ

26 પ્રભુના દૂતે ફિલિપને કહ્યું. તે દૂતે કહ્યું, “તૈયાર થઈ જા અને દક્ષિણમાં જા. યરૂશાલેમથી ગાઝા જવાના રસ્તેથી જા. આ રસ્તો રેતીના રણમાં થઈને જાય છે.”

27 તેથી ફિલિપ તૈયાર થઈને ગયો. રસ્તામાં તેણે એક ઈથિઓપિયાના માણસને જોયો. તે એક ખોજો હતો. તે ઈથિઓપિયા (હબશીઓ) ની રાણી કંદિકાના હાથ નીચે એક મહત્વનો અમલદાર હતો. તે તેણીના બધા ધનભંડારની કાળજી રાખવા માટે જવાબદાર હતો. આ માણસ યરૂશાલેમ ભજન કરવા ગયો હતો. 28 હવે તે તેના ઘર તરફના રસ્તે પાછો ફરી રહ્યા હતો. ત્યાં તે તેના રથમાં બેસીને યશાયા પ્રબોધકનું પુસ્તક વાંચતો હતો.

29 આત્માએ ફિલિપને કહ્યું, “પેલા રથ પાસે જા અને તેની નજીકમાં ઊભો રહે.” 30 તેથી ફિલિપ રથ નજીક ગયો. અને તે માણસને વાંચતા સાંભળ્યો. તે યશાયા પ્રબોધકનું પુસ્તક વાંચતો હતો. ફિલિપે તેને કહ્યું, “તું જે વાંચે છે તે શું તું સમજે છે?”

31 તે માણસે કહ્યું, “હું કેવી રીતે સમજી શકું? મને કોઇ માર્ગદર્શન આપનારની જરુંર છે.” પછી તેણે રથમાં આવીને તેની સાથે બેસવા નિમંત્રણ આપ્યું. 32 શાસ્ત્રનું જે પ્રકરણ વાંચતો હતો તે આ પ્રમાણે હતું કે:

“ઘેટાંની જેમ તેને મારી નાંખવા માટે લઈ જવામાં આવ્યો.
તે એક હલવાન જેમ જ્યારે કોઇ તેનું ઊન કાતરે ત્યારે મૌન રહે છે. તેમ તેણે પોતાનું મોંઢું ખોલ્યું નહિ.
    તે કંઈ જ બોલ્યો નહિ.
33 તે શરમાળ હતો, અને તેના બધા હક્કો છિનવાઈ ગયા હતા.
પૃથ્વી પરના તેના જીવનનો અંત આવ્યો;
    તેના પરિવારના સંદર્ભમાં હવે કોઇ વર્ણન મળશે નહિ.” (A)

34 તે અમલદારે ફિલિપને કહ્યું, “કૃપા કરીને મને કહે. તેના સંદર્ભમાં કહેનારો પ્રબોધક કોણ છે? તે તેના પોતા વિષે કહે છે કે બીજા કોઇ માટે કહે છે?” 35 ફિલિપે બોલવાનું શરું કર્યુ. તેણે આ શાસ્ત્રથી જ શરુંઆત કરીને પેલા માણસને ઈસુના સંદર્ભમાં સુવાર્તા કહી.

36 જ્યારે તેઓ રસ્તા પરથી પસાર થતા હતા ત્યારે તેઓ એક જગ્યાએ આવ્યા જ્યાં પાણી હતું. તે અમલદારે કહ્યું, “જુઓ! અહી પાણી છે! અહી બાપ્તિસ્મા લેવામાં મને કોઈ અડચણ પડે તેમ નથી.” 37 ફિલિપે જવાબ આપ્યો, જો તું તારા સંપૂર્ણ હ્રદયથી વિશ્વાસ કરતો હોય તો તું કરી શકે. તે અમલદારે કહ્યું, “મને વિશ્વાસ છે કે ઈસુ ખ્રિસ્ત તે દેવનો દીકરો છે.” 38 પછી અમલદારે રથને ઊભો રાખવા આજ્ઞા કરી. ફિલિપ અને અમલદાર બંને પાણીમાં નીચે ઉતર્યા. અને ફિલિપે તેને બાપ્તિસ્મા આપ્યું. 39 જ્યારે તેઓ પાણીમાંથી બહાર આવ્યા ત્યારે પ્રભુનો આત્મા ફિલિપને લઈ ગયો. અમલદારે પછી તેને ફરીથી કદી જોયો નહિ. અમલદારે તેના ઘર તરફ ચાલવા માંડ્યું. તે ખુશ હતો. 40 ફિલિપ અશ્દોદ નામના શહેરમાં જોવામાં આવ્યો. તે અશ્દોદથી કૈસરિયા સુધીના માર્ગમાં બધા શહેરમાં સુવાર્તા પ્રગટ કરતો ગયો.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International