Print Page Options
Previous Prev Day Next DayNext

Chronological

Read the Bible in the chronological order in which its stories and events occurred.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
અયૂબ 35-37

35 વળી અલીહૂએ અનુસંધાનમાં કહ્યું,

“અયૂબ, તું દેવને પૂછ,
    ‘જો કોઇ દેવને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરે તો તેને શું ફાયદો થાય?
    જો મે પાપ ન કર્યા હોત તો મને વધારે ફાયદો થાત?’
તું એમ માને છે કે,
    ‘આમ કહેવું તે યોગ્ય છે? તું કહે છે;
    દેવ કરતા હું વધારે સાચો સત્ય છું?’

“હું તને તથા તારા બધા મિત્રોને
    એક સાથે જવાબ આપીશ.
ઊંચે આકાશમાં જો! જો વાદળાં
    તારા કરતાં કેટલાં ઊંચા છે!
અયૂબ, જો તમે પાપ કરો, તો તેમાં દેવને કોઇ રીતે હાનિ થવાની નથી.
    જો તમારી પાસે ખૂબ પાપ ભર્યા હોય તો તેમાં દેવનું કાંઇ નુકસાન નથી.
અને અયૂબ, જો તું સારો હોય તો તે કોઇ રીતે દેવને સહાયરૂપ નથી.
    તારી પાસેથી દેવને કાંઇ મળવાનું નથી.
અયૂબ, તુ જે કાંઇ સારું કે ખરાબ કાર્ય કરે છે તે તારી જેમ ફકત બીજાઓને અસર થાય છે.
    તેઓ દેવને મદદ કે હાનિ કરતા નથી.

“જો દુષ્ટ લોકોને હાનિ થાય તો તેઓ મદદ માટે પોકાર કરશે.
    તેઓ શકિતશાળી લોકો પાસે જાય છે અને મદદ માંગે છે.
10 પરંતુ તે દુષ્ટ લોકો, તેઓને મદદ કરવાનું દેવને કહેતા નથી.
    તેઓ કહેશે નહિ મારા સર્જનહાર દેવ ક્યાં છે?
    દેવ જેઓ ઉત્સાહ ભંગ છે, તેઓને મદદ કરે છે. તો તે ક્યાં છે?
11 જે દેવે આપણને પશુઓ અને પંખીઓ કરતાં
    વધારે સમજુ બનાવ્યા છે તો તે ક્યાં છે!
12 તેઓ બૂમો પાડે છે, પણ કોઇ એમને સાંભળતું નથી,
    કારણકે એમનામાં અનિષ્ટનું અભિમાન હોય છે.
13 એ સાચું છે, દેવ તેઓની નિરર્થક માંગણીઓ પર ધ્યાન આપશે નહિ.
    સર્વસમર્થ દેવ તેઓ તરફ જરા પણ ધ્યાન આપશે નહિ.
14 તેથી અયૂબ, તું કહે છે કે, તું તેને જોતો નથી,
    ત્યારે દેવ તેને સાંભળશે નહિ.
તું કહે છે કે તું દેવને મળવાની તકની રાહ જુએ છે
    અને તારી નિર્દોષતા સાબિત કરે છે.

15 “અયૂબ, વિચારે છે કે દેવ દુષ્ટ લોકોને સજા કરતા નથી.
    તે વિચારે છે કે દેવ પાપ જોતા નથી.
16 તેથી અયૂબ, તેની અર્થ વગરની વાતો કરે છે.
    અયૂબ જાણે તે મહત્વશીલ હોય તેમ વતેર્ છે.
    એ સહેલાઇથી જાણી જવાય છે કે અયૂબને તે શેના વિશે બોલે છે તેની તેને ખબર નથી.”

36 વળી અલીહૂએ આગળ અનુસંધાનમાં કહ્યું,

“જરા લાંબો સમય મને નિભાવી લે,
    દેવના પક્ષમાં હું થોડા વધુ શબ્દો છે કહેવા ઇચ્છું છું.
હું મારું જ્ઞાન એકેએક સાથે વહેચીશ, દેવે મારું સર્જન કર્યુ
    અને તે ન્યાયી છે તે હું સાબિત કરીશ.
હું તને જણાવું છું કે તે ખરેખર સત્ય છે
    કેમ કે હું સંપૂર્ણ જ્ઞાની છું.

“દેવ મહા બળવાન છે, પણ એ કોઇનો તિરસ્કાર કરતા નથી.
    દેવ ખૂબ બુદ્ધિમાન છે, પણ ખૂબ વિદ્વાન પણ છે.
એ દુષ્ટોને જીવતા રહેવા દેતા નથી;
    પણ ગરીબોનો ન્યાય કરે છે.
જે સચ્ચાઇથી રહે છે, તે લોકો પર દેવ નજર રાખે છે.
    તે તેઓને રાજાઓની સાથે સિંહાસન પર બેસાડે છે અને તેઓ સદાય ઉચ્ચ સ્થાન પર રહે છે.
તેથી જો લોકોને સજા થઇ છે,
    જો તેઓ સાંકળ અને દોરડાથી બંધાયેલા છે, તો તેઓએ કાંઇક ખોટું કર્યું છે.
અને દેવ તેને કહેશે, તેઓએ શું કર્યું હતું.
    દેવ તેને કહેશે કે તેઓએ પાપ કર્યા હતા.
    દેવ તેઓને કહેશે તેઓ ઉદ્ધત હતા.
10 દેવ તેઓને પાપ કરવાનું મૂકી દેવાનો આદેશ આપશે
    અને તેઓના શિક્ષણ તરફ કાન ઉઘાડે છે.

11 “તેઓ જો એનું માને અને એની સેવા કરે તો તેઓ તેમનું બાકીનું જીવન સમૃદ્ધિમાં ગાળશે.
    તેઓના વર્ષો સુખથી ભરેલા હશે.
12 પરંતુ જો તેઓ એનું ન માને તો તેઓ અજ્ઞાનમાંજ મૃત્યુ પામે
    અને મૃત્યુલોકમાં પહોંચી જાય.

13 “લોકો જે દેવની ચિંતા કરતા નથી જ્યારે આખો વખત તેઓ દુ:ખી રહે છે.
    દેવ તેઓને શિક્ષા કરે છે ત્યારે પણ તેઓ તેમને મદદ માટે પ્રાર્થના કરતા નથી.
14 તેઓ હજુ જુવાન હશે મરી જશે.
    અને તેમનો જીવ દુષ્ટોની સાથે નાશ પામે છે.
15 પણ દુષ્ટલોકોને તેઓના દુ:ખ દ્વારા નરમ બનાવે છે.
    દેવ તે દુ:ખ દ્વારા લોકોને જગાડી અને તેને સાંભળતા કરે છે.

16 “તેણે તને દુ:ખમાંથી દૂર કર્યો છે, તેણે તને નિરાંતનું જીવન આપ્યું છે.
    તેણે તને પુષ્કળ પ્રમાણમાં ખોરાક પીરસ્યો છે.
17 પરંતુ હવે અયૂબ, તું દોષિત ઠરાયો.
    તેથી તને એક દુષ્ટ વ્યકિતની જેમ સજા થઇ.
18 હવે તમે સાવધ રહેજો, જેથી સમૃદ્ધિ તમને ફોસલાવે નહિઁ,
    લાંચ તમારું મન બદલાવે નહિ.
19 સંકટમાં તારી અઢળક સમૃદ્ધિ તને શા કામની?
    તારી શકિત તારા શા કામની?
20 રાતે આવવાની ઇચ્છા કરતો નહિ.
    લોકો રાત્રિમા અલોપ થઇ જવાનો પ્રયત્ન કરે છે.
    તેઓ વિચારે છે કે તેઓ પોતાને દેવથી સંતાડી શકશે.
21 અયૂબ, તેઁ ખૂબજ પીડા ભોગવી છે.
    પણ અનિષ્ટ પસંદ કરતો નહિ કંઇ પણ ખોટું નહિ કરવાની સાવચેતી રાખજે.

22 “દેવ પોતાના સાર્મથ્ય વડે મહિમાવાન કાર્યો કરે છે.
    એના જેવો ગુરુ છે કોણ?
23 એમણે શું કરવું એ કોઇ એમને કહી શકે ખરું?
    તમે ખોટું કર્યુ છે ‘એમ એમને કોણ કહી શકે?’
24 તેમણે પ્રતાપી કાર્યો કરેલા છે.
    તેમણે કરેલાં મહાન કાર્યો માટે તેમની સ્તુતિ કરવાનું યાદ રાખ.
    લોકોએ દેવની સ્તુતિ વર્ણવતા ઘણા ગીતો લખ્યા છે.
25 દેવે જે કાઇં કર્યુ છે તે બધાએ જોયું છે,
    દૂર દેશાવરમાં પણ લોકો તે જોઇ શકે છે.
26 દેવ એટલાં મહાન છે કે આપણે તેમને સમજી શકતા નથી.
    કેટલા સમયથી દેવ છે તે કોઇ સમજી શકે એમ નથી.

27 “દેવ, પૃથ્વી પરથી પાણીને ઊંચે લઇ જઇ
    અને તેનું ઝાકળ અને વરસાદમાં રૂપાંતર કરે છે.
28 જે વાદળોમાંથી પૃથ્વી પર વરસે છે
    અને અનેક લોકો પર પડે છે.
29 દેવ કેવી રીતે વાદળો પાથરે છે,
    અને તેમાં થતી ગર્જનાઓને કોઇ સમજી શકે છે ખરું?
30 જુઓ, દેવ પૃથ્વી પર વિજળી ફેલાવે છે
    અને મહાસાગરના ઊંડામાં ઊંડા ભાગને ઢાંકી દે છે.
31 દેવ પોતાના અદ્ભૂત અંકુશ વડે, તે લોકો પર શાસન કરે છે
    અને તેઓને ભરપૂર ખોરાક પૂરો પાડે છે.
32 તેઓ પોતાના હાથથી વીજળીને પકડે છે
    અને જ્યાં તેને પાડવી હોય ત્યાં પડવાની આજ્ઞા કરે છે.
33 ગર્જના ચેતવણી આપે છે કે તોફાન નજીક આવી રહ્યું છે.
    તે દ્વારા પણ સમાચાર પહોંચાડે છે કે તોફાન નજીક આવી રહ્યું છે.

37 “વીજળી અને ગર્જના મને બીવડાવે છે.
    મારું હૃદય મારી છાતીમાં ધડકારા કરે છે.
દેવની ગર્જના તથા તેના મુખમાંથી
    નીકળતી વાચા ધ્યાન થી સાંભળ.
આખા આકાશને તે વીજળીથી ઝળકાવે છે,
    એ ધરતીના એક છેડાથી બીજા છેડા સુધી ફરે છે.
વીજળીનો ચમકારો થાય ત્યાર પછી દેવની ગર્જનાના અવાજ સાંભળી શકાય છે,
    દેવ તેના મહત્વથી ગર્જના કરે છે.
જ્યારે વીજળી ચમકે છે, દેવનો અવાજ ગજેર્ છે.
તેમની ગર્જનાનો અવાજ ભવ્ય હોય છે.
    જે મહાન કૃત્યો કરે છે જે આપણે સમજી શકતા નથી.
દેવે બરફને કહ્યું,
    ‘પૃથ્વી પર પડો’
દેવે વરસાદને કહ્યું,
    ‘પૃથ્વી પર મૂશળધાર વરસો.’
અને આ રીતે એ માણસોને કામે જતાં અટકાવે છે,
    જેને લીધે તેઓ સમજશે કે તે શું કરી શકે છે.
ત્યારે પશુઓ તેમની ગુફામાં ભરાઇ જાય છે
    અને એમાં પડ્યાં રહે છે.
દક્ષિણ દિશામાંથી વંટોળિયો આવે છે,
    ઉત્તર દિશામાંથી ઠંડા પવનો ઊતરી આવે છે.
10 દેવના શ્વાસથી હિમ બને છે,
    અને સમુદ્રો થીજી જાય છે.
11 તે ધાડા વાદળોને પાણીથી ભરી દે છે
    અને તેમાં વીજળીઓ ચમકાવે છે.
12 દેવ વાદળોને આખી પૃથ્વી પર વિખેરાઇ જવાનો આદેશ આપે છે.
    વાદળો દેવની આજ્ઞા પ્રમાણે કરે છે.
13 દેવ પૂર લાવી લોકોને શિક્ષા કરવા અથવા તો
    પાણી લાવી પોતાનો પ્રેમ દર્શાવવા વાદળો બનાવે છે.

14 “હે અયૂબ, સાંભળ, જરા થોભ,
    અને દેવના અદ્ભૂત કાર્યોનો વિચાર કર!
15 દેવ વાદળોને કેવી રીતે નિયંત્રણમાં રાખે છે
    અને વાદળોમાંથી વીજળીને કેવી રીતે ચમકાવે છે એ શું તું જાણે છે?
16 તે કેવી રીતે હવામાં વાદળાંને અદ્ધર સમતુલીત રાખે છે તે તું જાણે છે?
    વાદળો દેવના અદભૂત સર્જનોનું એક દ્રષ્ટાંત છે અને દેવ તેઓ વિષે સર્વ જાણે છે.
17 પણ અયૂબ, તું આ બાબતો જાણતો નથી.
    તું એટલુંજ જાણે છે કે તને જ્યારે પરસેવો થાય ત્યારે તારા કપડાં તારી ચામડી ને ચોંટી જાય છે.
અને જ્યારે દક્ષિણ દિશામાંથી હુફાળો પવન વાય છે
    ત્યારે બધું શાંત અને સૂમસામ થઇ જાય છે.
18 શું તમે પથરાયેલા આકાશને ચકચકીત કરેલા પીતળની
    જેમ ચમકીલુ બનાવામાં દેવને મદદ કરી શકશો?

19 “અયૂબને કહેવા દો કે અમારે દેવને શું કહેવું!
    અમારા માં અંધકાર છે!
    અમે એની સાથે દલીલો કરી શકતા નથી.
20 હું દેવને કહીશ નહિ કે મારી ઇચ્છા તેની સાથે બોલવાની હતી.
    એતો પોતેજ પોતાનો વિનાશ માગવા જેવું થશે.
21 હવે પવને આકાશને ચોખ્ખું કર્યુ છે
    અને ત્યાં એટલું બધુ અજવાળું છે કે અમે સૂર્ય સામે જોઇ શકતા નથી.
22 તે જ રીતે આકાશમાંથી આપણી ઉપર આવતા અને આંખોને આંજી દેતા
    દેવના ભવ્ય પ્રતાપ સામે પણ આપણે જોઇ શકતા નથી.
23 સર્વસમર્થ દેવ મહાન છે! આપણે તેને સમજી શકતા નથી.
    દેવ ખૂબજ શકિતશાળી છે પણ તે આપણી સાથે ન્યાયી છે.
    આપણને નુકસાન પહોચાડવું દેવને ગમતું નથી.
24 એ કારણથી લોકો દેવનો આદર કરે છે.
    પણ જે અભિમાની છે અને પોતાની જાતને વિદ્વાન માને છે,
    દેવ તે લોકોને માન આપતા નથી.”

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International