Print Page Options
Previous Prev Day Next DayNext

Chronological

Read the Bible in the chronological order in which its stories and events occurred.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
અયૂબ 6-9

અયૂબનો જવાબ

પછી અયૂબે આ મુજબ જવાબ આપ્યો:

“અરે! મારા દુ:ખો અને વેદનાઓને ત્રાજવે
    તોળી શકાય એમ હોત તો!
તો તે સમુદ્રોની રેતી કરતાઁ પણ વજનમાં વધારે હોત.
    મારા વચનો મૂર્ખ જેવા લાગવાનું એજ કારણ છે.
સર્વસમર્થ દેવે મને તેના બાણથી ભરી દીધો છે.
    તેમના વિષમય બાણથી મારો આત્મા વીંધાઇ ગયો છે.
    દેવના ભયાનક શસ્રો મારી સામે મૂકાયા છે.
જંગલી ગધેડા જ્યારે ઘાસ મળે છે ત્યારે ભૂંકતા નથી.
    જ્યારે ઘાસ મળતું હોય ત્યારે બળદો બરાડા પાડતા નથી.
મીઠા વગરનો બેસ્વાદ ખોરાક કોણ ખાય?
    અથવા ઇડાના સફેદ ભાગનો કોઇ સ્વાદ હોય છે?
હું તેને અડકવા નથી માગતો;
    એ જાતના ખાવાનાથી હું થાકી ગયો છું.

“અરે! દેવ મારી પ્રાર્થના સ્વીકારે
    અને મારી આશા પૂરી કરે!
મને થાય છે દેવ મને કચરી નાખે,
    જરા આગળ વધે અને મને મારી નાખે.
10 અને જો એ મને મારી નાખે, તો મને એક વાતનો દિલાસો થશે,
    મને એક વાતની ખુશી થશે,
    કે આટલું બધું દુ:ખ હોવા છતાં મે પવિત્ર દેવનાં વચનો પ્રમાણે ચાલવાની ના પાડી નથી.

11 “હવે મારામાં એવું તે કર્યું બળ છે કે હું સહન કયેર્ જાઉં?
    અને એવો તે કેવો મારો અંત આવવાનો છે કે હવે હું ધીરજ રાખું?
12 શું હું કાઇં પથ્થર જેવો મજબૂત છું?
    શું મારું શરીર પિત્તળનું બનેલું છે?
13 અત્યારે મને મારી જાતને મદદ કરવાની શકિત નથી કારણકે
    મારી પાસેથી સફળતા લઇ લીધી છે.

14 “મુસીબતમાં પડેલા માણસને એના મિત્રોનો સાથ હોવો જોઇએ,
    કદાચને તે સર્વસમર્થ દેવને ત્યજીદે.
15 પણ તમે, મારા ભાઇઓ, મને વિશ્વાસુ ન હતા.
    હું તમારા પર વિશ્વાસ કરી શકું નહિ;
    તમે ઝરણાં જેવા છો જે કોઇવાર વહે છે અને બીજી કોઇવાર નહિ.
16 ઝરણાઓ ઘેરા હોય છે જ્યારે તેઓ બરફ અને હિમથી ભરેલા હોય છે.
17 પરંતુ ગરમીમાં તે શોષાઇ જાય છે,
    અને એમના પેટ સૂકાઇ જાય છે;
18 વેપારીઓ વળાંક ને અનુસરીને જતા જતા રણમાં આવી જાય છે
    અને તેઓ અશ્ય થઇ જાય છે.
19 તેમના વેપારીઓ પાણીની શોધ કરે છે.
    શેબાના મુસાફરો આશાપૂર્વક રાહ જુએ છે.
20 તેઓને ખાત્રી હતી કે તેઓને પાણી મળશે,
    પરંતુ તેઓ નિરાશ થયા હતા.
21 તેવીજ રીતે તમે મારા કઠિન સમયમાં ગભરાઇ જઇને મારાથી મોઢું ફેરવી
    અને મને મદદ કરવાની ના પાડી હતી.
22 મેં તને પૂછયું હતું! કે, મેં તમારી સલાહ માટે પૂછયું હતું?
23     શું મે તમને કહ્યું, ‘મને મારા શત્રુના પંજામાંથી બચાવો?
હેરાન કરનારાઓથી મને મુકત કરો?
    પણ તમે મને મુકત રીતે તમારી સલાહ આપી.’

24 “મને કહો મેં શું પાપ કર્યુ છે?
    મને શીખવો અને હું તમને અટકાવીશ નહિ.
25 સત્ય વચન ઘણાં અસરકારક હોય છે.
    પણ તમારી દલીલો કાઇપણ પૂરાવા કરતી નથી.
26 શું તમે માનો છો કે તમે મને ફકત શબ્દોથી સુધારી શકો?
    પણ હતાશ માણસના શબ્દો પવન જેવા હોય છે.
27 અનાથોના ભાગની વસ્તુઓ જીતવા માટે
    તમે કદાચ જુગાર પણ રમો એવા છો.
    અથવા તમારા મિત્રોના ભોગે નફો કરો છો.
28 મારી સામે જુઓ!
    હું તમારી આગળ જૂઠું નહિ બોલું.
29 આટલેથી અટકી જાવ, મને અન્યાય ન કરો,
    આટલેથી અટકો, મેં કાઇ ખોટું કર્યું નથી.
30 તમે એમ માનો છો કે હું જૂઠું બોલું છું?
    સાચું અને ખોટુ એ બે વચ્ચેનો ભેદ હું પારખી શકતો નથી?”

અયૂબે કહ્યું:

“શું પૃથ્વી પર માણસે મુશ્કેલીઓ વેઠવી પડતી નથી?
    શું માણસનું જીવન મહેનતાણું આપી કામે રાખેલ કામદાર જેવી નથી?
એ તો આતુરતાથી છાંયડાની રાહ જોનાર સેવક
    અને પોતાના પગારની રાહ જોનાર મહેનતાણુ લઇ કામે રહેલા કામદાર જેવી છે.
મારે અર્થહીન મહિનાઓ
    અને કંટાળાભરેલી રાત્રિઓ પસાર કરવી પડે છે.
હું જ્યારે સૂવા જાઉ છું
    ‘ત્યારે પહેલા વિચારું છું કે ઊઠવાના સમયને થવાને કેટલી વાર લાગશે?’
રાત્રિ પસાર થયા કરે છે. હું
    સૂર્ય ઊગે ત્યાં સુધી પડખા ફેરવ્યા કરું છુ.
મારા શરીર પર ધૂળ જામી જાય છે અને એમાં કીડા પડ્યાં છે.
    મારી ચામડી સૂકાઇને તરડાઇ ગઇ છે.

“મારા દિવસો વણકરના કાંટલા કરતાઁ વધુ ઝડપી છે,
    અને આશાઓ વિનાનો મારા જીવનનો અંત આવે છે.
દેવ યાદ રાખજો, મારું જીવન માત્ર એક શ્વાસ છે.
    હું ફરી કંઇ સારું જોઇશ નહિ.
દેવ, તમે મને ફરી જોશો નહિ; થોડીવાર પછી
    તમે મને શોધશો પણ હું ચાલ્યો ગયો હોઇશ.
જેમ વાદળાં વિખેરાઇ અને અલોપ થઇ જાય છે,
    જે કબરમાં જાય છે ને ફરી કદી ઉપર આવશે નહિ.
10 તે પોતાને ઘેર ફરી કદી પાછો ફરશે નહિ,
    તે કુટુંબથી અને ઘરથી હમેશ માટે દૂર થઇ જશે.

11 “મને મારો ઊભરો ઠાલવવા દો,
    મારો આત્મા સંકટમાં છે તેથી હું શાંત રહીશ નહિ.
    હું બોલીશ; મારા આત્માની વેદનાને કારણે હું મારું દુ:ખ રડીશ.
12 હે દેવ! તમે મને એકલો શા માટે મૂકતા નથી?
    શું હું સમુદ્ર કે સમુદ્રનું પ્રચંડ પ્રાણી છું કે તમે મારો ચોકી-પહેરો રાખો છો?
13 જ્યારે હું એમ કહું છું, હવે પથારીમાં સૂઇ જાઉં
    ત્યારે મને ચેન પડશે, મને કળ વળશે.
14 ત્યારે તમે મને ભયાનક સ્વપ્નો દ્વારા બીવડાવો છો.
    અને સંદર્શનોથી મને ગભરાવો છો.
15 ત્યાં હું જીવવાને બદલે ગુંગળાઇને
    મરી જાઉ તો વધારે સારું.
16 હવે હું ત્રાસી ગયો છું.
    મારે કાયમ માટે જીવવું નથી.
મને એકલો રહેવા દો.
    મારા જીવનનો કોઇ અર્થ નથી!
17 દેવ, તમે મનુષ્યને મહત્વપૂર્ણ શા માટે ગણો છો?
    તમારે શા માટે તેને માન આપવું જોઇએ?
    તમે શા માટે તેના પર ધ્યાન આપવાની પણ તસ્દી લો છો?
18 રોજ સવારે તમે તેની મુલાકાત કરો છો
    અને તમે પ્રત્યેક ક્ષણે તેની કસોટી કરો છો?
19 શા માટે તમે મને છોડી દેતાં નથી?
    હું મારું થૂંક ગળું એટલો સમય પણ તમે મને એકલો કેમ મૂકતા નથી?
20 દેવ, તમે લોકો ઉપર ધ્યાન આપો, જો મે પાપ કર્યુ હોય,
    કાંઇ વાંધો નહિ, હું શું કરી શકું?
તમે શા માટે મને તમારું નિશાન બનાવ્યો છે?
    જેથી હું બોજારૂપ થઇ ગયો છું?
21 તમે મને ખોટુ કરવા બદલ શા માટે સીધી રીતે માફ કરતા નથી?
    તમે મારા પાપોને શા માટે સીધી રીતે માફ કરતા નથી?
થોડાજ સમયમાં હું મરી જઇશ અને માટીમાં મળી જઇશ.
    તમે મને શોધશો, પણ હું ત્યાં હોઇશ જ નહિ.”

બિલ્દાદ શૂહીનો અયૂબને જવાબ

ત્યારે બિલ્દાદ શૂહીએ અયૂબને જવાબ આપ્યો,

“તું ક્યાં સુધી આવી વાતો કર્યા કરીશ?
    તારા તોફાની શબ્દો ક્યાં સુધી વંટોળિયાની જેમ તારા મુખમાંથી નીકળ્યા કરશે?
શું દેવ અન્યાય કરે છે? સર્વસમર્થ દેવ,
    જે વાત સાચી છે તેને શું બદલે છે?
જો તારા સંતાનોએ તેમની વિરૂદ્ધ પાપ કર્યા હશે,
    તો તેણે તેમને તે માટે સજા કરી છે.
જો તું ખંતથી દેવની શોધ કરશે
    અને એમની કરુણા યાચશે,
અને તું જો પવિત્ર અને સારો હોઇશ તો
    એ તને ઝડપથી મદદ કરવા આવશે
    અને તને તારાં કાયદેસરના ઘરને, પાછા આપી દેશે.
પછી તારી પાસે પહેલા હતું
    તેના કરતા ઘણું વધારે હશે.

“તું પહેલાની પેઢીઓને પૂછી જો!
    જાણી લે આપણા પિતૃઓ શું શીખ્યા હતા?
આપણે તો આજકાલના છીએ,
    અને કાંઇજ જાણતા નથી.
    અહીં પૃથ્વી પરનું આપણું જીવન પડછાયા જેવું અલ્પ છે.
10 તેઓ કદાચ તને શીખવી શકશે.
    કદાચ તેઓ તને તેઓ જે બાબત શીખ્યા હોય તે શીખવી શકે.

11 “શું કાદવ વિના કમળ ઊગે?
    જળ વિના બરુ ઊગે?
12 ના, જો પાણી સૂકાઇ જાય તો
    તેઓ પણ સૂકાઇ જશે.
13 લોકો જે ઈશ્વરને ભૂલી જાય છે તે પેલા બરુઓ જેવા છે.
    જે વ્યકિત ઈશ્વરને ભૂલી જાય છે તેને આશા રહેશે નહિ.
14 તે માણસ પાસે અઢેલવા માટે કાઇ નથી.
    તેની સુરક્ષા કરોળિયાના જાળ જેવી છે.
15 જો એક વ્યકિત કરોળિયાના જાળાને અઢેલી
    ને ટેકો લે તો તે તૂટી જાય
તે કરોળીયાના જાળાનો આશ્રય લે છે
    પણ તે તેને ટેકો આપશે નહિ.
16 તે માણસ વનસ્પતિના એક છોડ જેવો છે જેની પાસે પુષ્કળ પાણી અને સૂર્ય પ્રકાશ છે.
    તેની ડાળીઓ આખા બગીચામાં ફેલાય છે.
17 પથ્થર પર ઉગવાની જગ્યા શોધતા
    તે જથ્થાબંદ પથ્થરોને ઢાંકી દે છે.
18 પણ જો એને એકવાર ઊખેડવામાં આવે તો
    પછી એ ઊગ્યાં હતાં કે નહિ એની ખબર પણ પડે નહિ.
19 આ તો તેના માર્ગનું સુખ છે,
    અને જમીનમાંથી બીજા છોડ ઊગી નીકળે છે!
20 પરંતુ દેવ નિર્દોષ લોકોને કદી અસમર્થ કરશે નહિ,
    અને અધમીર્ને કદી મદદ કરશે નહિ.
21 તેઓ તારા ચહેરાને હાસ્યથી
    અને તારા હોઠોને આનંદના પોકારોથી ભરી દેશે.
22 તારો તિરસ્કાર કરનારા દુશ્મનો શરમથી છુપાઇ જશે
    અને દુષ્ટોના ઘરબાર નાશ પામશે.”

અયૂબનો વળતો જવાબ

ત્યારે અયૂબે જવાબ આપ્યો:

“હા, હું જાણું છું કે તું સાચું બોલે છે.
    પરંતુ દેવ સાથેની દલીલ માણસ કેવી રીતે જીતી શકે?
જો દેવ તેની સાથે દલીલ કરે,
    તો દેવના 1,000 પ્રશ્ર્નોમાંથી શું ઓછામાંઓછો એકનો જવાબ તે આપી શકશે?
તે વિદ્વાન તથા સર્વસમર્થ છે,
    કોઇપણ માણસ ઇજા પામ્યા વગર દેવ સામે લડી શકે તેમ નથી.
તે દેવ જ્યારે ગુંસ્સે થાય છે ત્યારે પર્વતોને હલાવી દે છે અને તેઓને તેની ખબર પડતી નથી.
દેવ પૃથ્વીને હલાવવા ધરતીકંપો મોકલે છે.
    દેવ પૃથ્વીના પાયાઓ હલાવી નાખે છે.
જો તે આજ્ઞા કરે, તો સૂર્ય ઊગશે નહિ,
    અને એ તારાઓને ગોંધી શકે છે જેથી તેઓ ઝગમગી શકે નહિ.
તેણે એકલે હાથે આકાશને પાથર્યુ છે,
    અને સમુદ્રના મોજા પર ચાલે છે.
તેણે સપ્તષિર્, મૃગશીર્ષ તથા કૃત્તિકા બનાવ્યા છે.
    તેણે દક્ષિણી આકાશના નક્ષત્રો સર્જ્યા છે.
10 દેવ અદભુત કાર્યો કરે છે જે લોકો સમજી શકતા નથી.
    અને કોઇ ગણી ન શકે તેનાથી વધારે ચમત્કારી કાર્યોનો કર્તા છે.
11 તે મારી બાજુમાંથી પસાર થાય છે; પણ હું તેમને જોઇ શકતો નથી.
    તે આગળ ચાલ્યા જાય છે, પણ હું તેમને જોઇ શકતો નથી.
12 તે જો ઓચિંતાના આવે અને તેમને જે કઇં જોઇતું હોય તે ઝડપમારી પડાવી લે તો તેમને કોણ રોકી શકે?
    તેને કોણ પૂછી શકે, ‘તમે આ શું કરો છો?’
13 ઈશ્વર તેમનો ગુસ્સો રોકશે નહિ રહાબનાં મદદગારો પણ દેવથી ડરે છે.
    માણસનો ગર્વ તેની સામે ઓગળી જાય છે.
14 તો પછી માત્ર મારા જેવા કઇ દલીલોને
    બળે એની સામે ઊભા રહી શકે?
15 નિર્દોષ હોવા છતાં હું તેમને જવાબ આપી શકતો નથી
    મારા ન્યાયાધીશ પાસે દયાની ભીખ માંગું એટલું જ હું કરી શકું.
16 હું જો એની સામે ફરિયાદ કરું અને તે જવાબ આપે તો.
    મને ખાત્રી છે તે મારું સાંભળશે નહિ.
17 તે મને કચરી નાખવા તોફાન મોકલશે.
    કારણ વગર તે મને વધારે ઘાયલ કરશે.
18 તે મને શ્વાસ લેવા દેશે નહિ,
    પણ મને મુશ્કેલીઓથી ભરપૂર કરી દેશે.
19 હું દેવને હરાવી શકીશ નહિ,
    તે ખુબજ શકિતશાળી છે.
હું દેવને ન્યાયાલયમાં લઇ જઇને
    મારી તરફ નિષ્પક્ષ રહેવાનો આગ્રહ કરી શકીશ નહિ.
20 હું નિર્દોષ છું, પણ હું જે કાંઇ કહું છું તેમાં હું ગુનેગાર જ દેખાઉ છું,
    હું નિર્દોષ છું પણ જ્યારે હું બોલુ છુ, મારુ મોઢુ મને અપરાધી સાબિત કરે છે.
21 હું નિર્દોષ છુઁ, પણ શું વિચાર કરવો તે હું જાણતો નથી.
    હું મારા પોતાના જીવનને ધિક્કારું છું.
22 ‘માણસ કદાચ ભલે વાંક વગરનો કે અનિષ્ટ હોય પરંતુ દરેકને સરખીજ વસ્તુ થાય છે.
    તે બધાનો નાશ કરે છે.’
23 જ્યારે કોઇ ભયંકર બાબત બની જાય અને એક નિર્દોષ માણસને મારી નાખવામાં આવે તો શું દેવ તેના પર હસશે?
24 જ્યારે દુષ્ટ માણસ એક પ્રદેશને કબ્જામાં લઇ લે છે, તો તે ન્યાયાધીશોને શું થઇ રહ્યું છે તે જોવા માટે રોકે છે?
    એ જો સાચું હોય તો પછી દેવ કોણ છે?

25 “મારા દિવસો એક દોડવીર કરતા પણ વધારે ઝડપથી પસાર થઇ જાય છે.
    મારા દિવસો પસાર થઇ રહ્યા છે અને તેમા કોઇ આનંદ નથી.
26 ઝડપથી પસાર થતા વહાણની જેમ અંતે પોતાના શિકાર પર
    તૂટી પડતા ગરૂડની જેમ મારા દિવસો ચાલ્યાં જાય છે.

27 “જો હું એમ કહું કે ‘હું મારા દુ:ખ વિષે ભૂલી જઇશ.
    અને ખુશ થઇને દેવ સામે ફરિયાદ ન કરવાનો નિર્ણય કરું.’
28 વાસ્તવમાં કશું બદલાતું નથી. વ્યથા હજી પણ મને ડરાવે છે.
    હું જાણું છું કે તમે મને નિર્દોષ નહિ ગણો.
29 હું પહેલેથીજ ગુનેગાર ઠરાયો છું.
    તો હું ફોકટ શા માટે શ્રમ કરું છું?
30 જો હિમથી હું મારું શરીર ધોઉં
    અને સાબુથી મારા હાથ ચોખ્ખાં કરું.
31 તો પણ દેવ મને ખાઇમાં નાખી દેશે
    અને મારા પોતાનાં જ વસ્ત્રો મને ઘૃણા કરશે.
32 હું મારો પોતાનો બચાવ કરી શકતો નથી કારણકે તમે મારા જેવા માણસ નથી.
આપણે એક બીજાને ન્યાયાલયમાં મળી શકીએ તેમ નથી.
    તમે માણસ હોત તો આપણે સારી રીતે વાદ-વિવાદ કરી શક્યાં હોત.
33 મારી ઇચ્છા છે, કોઇ આડતિયો હોત કે જે બંને પક્ષને સાંભળી શકે.
    હું ઇચ્છું છું એવું કોઇ હોત જે આપણ બંનેનો ન્યાય કરી શક્યો હોત.
34 હું ઇચ્છું છુઁ, દેવનો શિક્ષા દંડ મારા પરથી લઇલે એવું કોઇ હોત,
    તો પછી દેવ મને ક્યારેય ડરાવશે નહિ.
35 તો હું દેવનો ડર રાખ્યા વગર તેને મોઢામોઢ કહી દઇશ.
    પણ હમણાં હું એમ કરી શકું તેમ નથી.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International