Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 37

દાઉદનું ગીત.

દુષ્ટ લોકો પ્રતિ ગુસ્સે થઇશ નહિ.
    અને અન્યાય કરનારની ઇર્ષા કરતો નહિ.
કારણ તેઓ તો ઘાસ અને લીલા છોડવા જેવાં છે
    જે ચીમળાઇને મરી જશે.
યહોવાનો વિશ્વાસ કર અને સત્કર્મ કર, તો તું તારા દેશમાં રહીશ
    અને તે (યહોવા) વિશ્વસનીયતાથી જે આપે તેનો આનંદ માણ.
યહોવા સાથેના તારા સબંધોનો આનંદ માણ;
    ખાતરી રાખ કે તારા હૃદયની ઇચ્છાઓ તેના (યહોવા) દ્વારા પૂર્ણ થશે.
તું જે કંઇ કર્મ કરે તે સર્વ યહોવાને આધીન કર,
    તું એના પર ભરોસો રાખ, અને તે તારા સર્વ કામ ફળીભૂત કરશે.
તે તારું ન્યાયીપણું પ્રભાતની જેમ પ્રકાશિત કરશે,
    અને તારા પ્રામાણિકપણાને બપોરના સૂર્ય ની જેમ તેજસ્વી કરશે.
    અને તારી નિર્દોષતાની સર્વ માણસોને જાણ થશે.
યહોવાની સમક્ષતામા શાંત થાં, અને ધીરજથી તેમની વાટ જો,
    જે કુયુકિતઓથી ફાવી જાય છે એમના પર તું ખીજવાતો નહિં.
ખીજાવાનું બંધ કર. અને તારો ગુસ્સો ત્યાગી દે,
    આટલો બેચેન ન બન કે તું પણ કઇંક અનિષ્ટ કામ કરી બેસે.
કારણ, દુષ્કમીર્ઓનો વિનાશ થશે.
    અને જેઓ યહોવાની મદદની રાહ જુએ છે તેમને ભૂમિ મળશે.
10 થોડા સમયમાં દુષ્ટ લોકોનો જડમૂળથી નાશ થઇ જશે.
    તું તેમને શોધવાની સખત મહેનત કરીશ તોપણ તને તેમના નામોનિશાન નહિ મળે.
11 નમ્ર લોકોને દેશનું વતન પ્રાપ્ત થશે;
    તેઓને સર્વ વસ્તુઓનો આશીર્વાદ મળશે.
    તેઓને મનની અદ્ભૂત શાંતિ મળશે અને સુખી થશે.

12 દુષ્ટો ન્યાયીઓની વિરુદ્ધ ખરાબ યુકિતઓ ઘડે છે
    અને તેમની જ સામે પોતાના દાંત પીસે છે.
13 પ્રભુ જુએ છે કે તેમનો કાળ નજીક આવ્યો છે;
    તેથી તે દુષ્ટ માણસોની હાંસી ઉડાવે છે.
14 દુષ્ટોએ દરિદ્રી અને કંગાળનો, તથા સત્ય આચરણ કરનારનો સંહાર કરવા ખુલ્લી તરવાર લીધી છે,
    અને ધનુષ્યથી નિશાન તાક્યું છે.
15 તેઓની પોતાની જ તરવાર તેઓના પોતાના જ હૃદયને વિંધશે;
    અને તેઓનાઁ ધનુષ્યને ભાંગી નાંખવામાં આવશે.
16 નીતિમાન લોકો પાસે જે અલ્પ છે,
    તે દુષ્ટ લોકોની વિપુલ સંપત્તિ કરતાં વધારે સારું છે.
17 કારણ, દુષ્ટ લોકોના હાથોની શકિતનો નાશ કરવામાં આવશે
    પણ યહોવા નીતિમાન લોકોની કાળજી લેશે અને તેમને ટેકો આપશે.
18 યહોવાને યથાથીર્ઓના સર્વ પ્રસંગોની ખબર છે,
    તેની દ્રૃષ્ટિમાં તેઓ નિર્દોષ છે, તેઓનો વારસો સદાય ટકી રહેશે
19 યહોવા તેઓની વિકટ સંજોગોમાં
    પણ કાળજી રાખે છે,
દુકાળનાં સમયે
    પણ તે સવેર્ તૃપ્ત થશે.
20 પણ દુષ્ટો અને યહોવાના શત્રુઓ,
    ઘાસની જેમ ચીમળાઇ જશે,
અને ધુમાડા ની
    જેમ અદ્રશ્ય થઇ જશે.
21 દુષ્ટો ઉછીનું લે છે ખરા પણ પાછું કદી આપતા નથી,
    ન્યાયી જે આપવામાં ઉદાર છે તે કરુણાથી વતેર્ છે.
22 જેઓ યહોવાથી આશીર્વાદિત છે, તેઓ પૃથ્વીનું વતન પામશે,
    પણ જેઓ દેવથી અભિશાપિત છે તેઓનો અવશ્ય સંપૂર્ણ વિનાશ થશે.
23 યહોવા ન્યાયીને માર્ગ બતાવે છે, અને તેના પગલાં સ્થિર કરે છે.
    યહોવા પ્રસન્ન થાય છે તેથી તેનું જીવન સ્થિર કરે છે.
24 તેઓ ઠોકર ખાશે છતાં પડશે નહિ,
    કારણ કે તેમને ટેકો આપવા માટે અને સ્થિર રાખવાં માટે યહોવા ત્યાં છે.
25 હું જુવાન હતો અને હવે વૃદ્ધ થયો છું.
    છતાં ન્યાયીને તરછોડ્યા હોય કે
    તેનાં સંતાન ભીખ માંગતા હોય એવું કદાપિ મેં જોયું નથી.
26 તે ન્યાયીઓ છે ઉદાર, તેઓ હંમેશા પોતાની પાસે જે છે તે છૂટથી બીજાને આપે છે.
    તેઓના સવેર્ સંતાનોને યહોવાના આશીર્વાદ મળશે.
27 ભૂંડાથી દૂર થા, અને ભલું કર;
    અને દેશમાં સદાકાળ રહે.
28 કારણ, યહોવા ન્યાય અને પ્રામાણિકતાને ઇચ્છે છે
    તે તેમના વિશ્વાસુ ભકતોને કદી છોડી દેતાં નથી;
તે તેમનું સદા રક્ષણ કરશે
    અને દુષ્ટોનાં સંતાનોનો વિનાશ કરશે.
29 ન્યાયીઓ વતનનો વારસો પામશે,
    અને સદાકાળ ત્યાં નિવાસ કરશે.
30 ન્યાયીની વાણી ડહાપણ ભરેલી છે,
    તેની જીભ સદા ન્યાયની વાત કરે છે.
31 તેમનાં પોતાના હૃદયમાં યહોવાનું નિયંત્રણ છે,
    અને તેમાંથી તે કદાપિ ચલિત થતાં નથી.

32 દુષ્ટો સદા ન્યાયી માણસોની જાસૂસી કરે છે, અને તેઓને મારી નાખવાના લાગ શોધતાં ફરે છે.
33 પણ યહોવા દુષ્ટ માણસોના હાથમાં ન્યાયીઓને પડવા દેશે નહિ.
    ભલે તેઓને ન્યાયાલયોમાં લઇ જાય તોય તેઓ દોષિત ઠરાવાશે નહિ.
34 ધીરજથી યહોવાની રાહ જુઓ અને તેના માર્ગને અનુસરો, અને યહોવા તમને વિજયી કરશે
    અને તમને જે દેશનું વચન અપાયેલું હતું તે તમને વારસામાં મળશે,
    અને તમે દુષ્ટ લોકોનો નાશ થતો જોશો.

35 અનુકુળ ભૂમિમાં રોપેલા લીલા વૃક્ષની જેમ,
    મેં દુષ્ટને મોટા સાર્મથ્યમાં ફેલાતો જોયો.
36 હું ફરી ત્યાં થઇને ગયો ત્યારે તે ત્યાં નહોતો;
    મેં તેને શોધ્યો, પરંતુ તેનો પત્તો મળ્યો નહિ.
37 હવે જે નિર્દોષ છે તેનો વિચાર કરો. જે પ્રામાણિક છે તેનો વિચાર કરો.
    કેમ કે શાંતિપ્રિય લોકો તેમના વંશજો માટે ઉજ્જવળ ભવિષ્ય પામશે.
38 પણ દુષ્ટો સમૂળગા વિનાશ પામશે,
    અંતે તેઓના વંશજોનો અંત આવશે.
39 યહોવા ન્યાયીઓનો ઉદ્ધાર કરે છે.
    સંકટ સમયે માત્ર યહોવા જ તેમનું તારણ-આશ્રયસ્થાન છે.
40 જે યહોવા પર ભરોસો રાખે છે, તેઓને તે દુષ્ટોથી છોડાવીને તારે છે;
    તેઓની આવીને સહાય કરે છે; કારણ, તેમણે તેનો આશરો લીધો છે.

હબાક્કુક 3:1-18

હબાક્કુકની પ્રાર્થના

પ્રબોધક હબાક્કુકે આ પ્રાર્થના યહોવાને કરી, રાગ શિગ્યોનોથ.

હે યહોવા, તમારા વિષે હવે મેં સાંભળ્યું છે,
    અને મને ચિંતા થાય છે,
ભૂતકાળમાં જેમ તમે કર્યું હતું
    તેમ અમારી જરૂરિયાતના આ સમયમાં ફરી વાર અમારી સહાય કરો.
આ જરૂરિયાતના સમયમાં તમારી જાતને બતાવો,
    તમારા ક્રોધમાં દયાળુ થવાનું ભૂલતા નહિ.

દેવ તેમાનથી આવે છે,
    પવિત્ર દેવ પારાનના પર્વત પરથી આવે છે.

તેનો પ્રકાશ આકાશમાં પથરાય છે;
    તેની કિતીર્ પૃથ્વી પર ફેલાય છે.
સૂર્ય જેવું છે તેનું અનુપમ તેજ, કિરણો પ્રગટે છે તેના હાથમાંથી;
    ત્યાં જ છુપાયેલું છે તેનુ સાર્મથ્ય.
મરકી જાય છે તેની આગળ આગળ,
    ને રોગચાળો જાય છે તેને પગલે-પગલે.
તે ઊભા થાય છે
    અને પૃથ્વીને હલાવે છે,
    તેની નજરથી લોકોને
વિખેરી નાખે છે,
    પ્રાચીન પર્વતોના ટૂકડે ટૂકડા થઇ જાય છે,
પ્રાચીન ટેકરીઓ નમી જાય છે,
    તેઓ હંમેશા આવાજ હતા.

મેં કૂશાનના તંબુઓને વિપત્તિમાં જોયા છે;
    મેં મિદ્યાનમાં તંબુઓને હલતા જોયા છે.
હે યહોવા, તમે નદીઓ પર ગુસ્સે થયા છો?
    શું તમે ઝરણાઓ પર રોષે ભરાયા છો?
શું તમારો ક્રોધ સમુદ્ર પર છે?
    જેને કારણે તમે ઘોડાઓને, વિજ્યી રથો પર સવારી કરી રહ્યાં છો?

જ્યારે તમે તમારું મેઘધનુષ્ય બહાર કાઢો છો,
    તે તમે લોકોને આપેલા વચનની નિશાની હતી,
પૃથ્વીએ નદીઓને વહેંચી નાખી છે.

10     થરથર ધ્રુજે છે તને જોઇને પર્વતો,
મૂશળધાર વરસે છે વરસાદ,
    અને સાગર કરે છે ઘોર ગર્જના,
    ને હેલે ચડે છે તેના મોજા કેવા!
11 રા વેગીલા બાણોના ઝબકારથી,
    અને તારા ચકચકતા ભાલાના ચળકાટથી;
    સૂર્ય અને ચંદ્ર પોતપોતાના સ્થાનમાં થંભી ગયા છે.
12 તમે ગુસ્સામાં પૃથ્વી પર પગ પછાડો છો,
    અને ક્રોધમાં, પ્રજાઓને પગતળે કચડી નાખો છો.
13 તમે તમારા લોકોના ઉધ્ધારને માટે,
    વળી તમારા અભિષિકતના
ઉધ્ધારને માટે પણ બહાર ગયા.
    તમે દરેક દુષ્ટ કુળના નેતાઓને કાપી નાખો છો
    અને જમીનથી ગળા સુધી તેમને ખુલ્લા પાડો છો.

14 તમે લડવૈયાઓના માથા તેમના
    પોતાના જ ભાલાઓથી વીંધી નાખો છો.
જ્યારે તેઓ વાવાઝોડાની જેમ
    અમને મારી નાખવા આવ્યા.
સંતાઇ ગયેલા ગરીબોને ભસ્મસાત કરનારા
    લોકોની જેમ તેઓ આનંદ માને છે.
15 તમે જ્યારે તમારા ઘોડા પર સવાર થઇને સાગરમાંથી પાછા ફરો છો,
    ત્યારે પાણી ખળભળી જાય છે.
16 એ સાંભળીને તો હું ધ્રુજી ઊઠું છું;
    મારા હોઠ અને મારા પગતળેથી ધરતી ખસી જાય છે,
મારાઁ હાડકાં સડી જાય છે, મારું આખું શરીર ધ્રુજે છે,
    પણ હું ધીરજપૂર્વક આફતના દિવસની રાહ જોઉં છું જ્યારે
તે લોકોનું લશ્કર અમારી સામે ચઢી આવશે.

યહોવાથી હંમેશા આનંદમાં રહો

17 ભલેને અંજીરીને ફૂલના બેસે,
    ને દ્રાક્ષની લતાઓને દ્રાક્ષા ન આવે;
જૈતૂનનો પાક નિષ્ફળ જાય,
    ને ખેતરોમાં ધાન ન પાકે,
કોડમા ઢોરઢાંખર ના રહે,
    ને નાશ પામે વાડામાં ને તબેલામા, ઘેટાંબકરાં,
18 છતા હું યહોવાથી આનંદિત રહીશ, અને દેવ,
    જે મારું તારણ છે, તેનાથી હું આનંદિત થઇશ.

ફિલિપ્પીઓ 3:12-21

ધ્યેય સુધી પહોંચવાનો પ્રયત્ન

12 હું નથી કહેવા માંગતો કે દેવની જેવી ઈચ્છા હતી તેવો જ હું છું. હજી હું તે સિદ્ધિને પામ્યો નથી. પરંતુ તે ધ્યેયને પ્રાપ્ત કરવાના મારા પ્રયત્નો સતત ચાલું છે, ખ્રિસ્ત મારી પાસે આમ કરાવવા માંગે છે. અને તેથી તેણે જ મને તેનો બનાવ્યો છે. 13 ભાઈઓ અને બહેનો, મને ખબર છે, હું એ સિદ્ધિને નથી પામ્યો પરંતુ હમેશા એક કામ હું કરું છું: કે હું ભૂતકાળની વસ્તુઓને ભૂલી જાઉ છું. મારી સમક્ષ જે ધ્યેય હોય છે તેને પ્રાપ્ત કરવા હમેશા પ્રયત્નશીલ રહું છું. 14 તેથી હમેશા ધ્યેય પ્રાપ્તિમાં હું પ્રયત્નશીલ રહું છું તેથી પુરસ્કૃત થાઉ છું આ પુરસ્કાર મારો છે કારણ કે ખ્રિસ્ત ઈસુ વડે દેવે મને સ્વર્ગીય જીવન માટે બોલાવ્યો છે.

15 આપણે બધા જે આત્મીય રીતે પરિપકવ થયા છીએ તેમણે આ રીતે વિચારવું જોઈએ. આમાંની કોઈ વસ્તુ સાથે જો તમે સંમત નથી થતા તો, દેવ તમને એ સ્પષ્ટ કરશે. 16 પરંતુ જે સત્ય આપણને લાધી ચૂક્યુ છે તેને અનુસરવાનું આપણે ચાલુ રાખવું જોઈએ.

17 ભાઈઓ અને બહેનો, તમારે બધાએ મારા જેવું જીવન જીવનાનો પ્રયત્ન કરવો જોઈએ, અને એમ તમને બતાવ્યા પ્રમાણેનું જીવન જે જીવતો હોય તેઓનું અનુકરણ કરો. 18 ઘણા લોકો ખ્રિસ્તના વધસ્તંભના દુશ્મન જેવું જીવન જીવે છે. મે તમને ધણી વાર આ લોકો વિષે કહ્યું છે અને હમણાં પણ તેઓના વિષે રડતા રડતા કહું છું. 19 જે રીતે આ લોકો જીવે છે તેથી તેઓ તેઓનો વિનાશ નોંતરે છે અને દેવની સેવા નથી કરતા. તેઓનો દેવ તેઓનું પેટ છે, શરમજનક કૃત્યો કરે છે અને તેને માટે ગૌરવ અનુભવે છે. તેઓ માત્ર પાર્થિવ વસ્તુનો જ વિચાર કરે છે. 20 આપણું પોતાનું સ્થાન આકાશમાં છે અને આપણે આપણા તારનારની આકાશમાંથી આવવા માટે રાહ જોઈએ છીએ. આપણો તારનાર તે પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. 21 તે આપણા નિર્બળ શરીરને બદલી તેઓને તેના પોતાના જેવા મહિમાવાન બનાવશે. ખ્રિસ્ત પોતાની શક્તિ કે જેના વડે તે બધી વસ્તુ ઉપર શાસન કરે છે, તેનાથી આમ કરી શકશે.

યોહાન 17:1-8

ઈસુ તેના શિષ્યો માટે પ્રાર્થના કરે છે

17 ઈસુએ આ વાતો કહી રહ્યાં પછી તેણે આકાશ તરફ જોયું. ઈસુએ પ્રાર્થના કરી, “પિતા, સમય આવ્યો છે. તારા દીકરાને મહિમાવાન કર. જેથી દીકરો તને મહિમાવાન કરે. તેં દીકરાને સર્વ લોકો પર અધિકાર આપ્યો છે. જેથી દીકરો તે બધા લોકોને અનંતજીવન બક્ષે. જે તેં તેને આપ્યું છે. અને આ અનંતજીવન છે કે માણસો તને ઓળખી શકે, ફક્ત ખરા દેવ, અને તે માણસો ઈસુ ખ્રિસ્તને ઓળખી શકે. જેને તેં મોકલ્યો છે. તેં મને જે કરવાનું સોંપ્યું છે તે કામ મે પૂરું કર્યુ છે. મેં તેને પૃથ્વી પર મહિમાવાન કર્યો છે. અને હવે, હે પિતા, તારી સાથે મને મહિમાવાન કર. જગતની શરુંઆત થતાં પહેલાં તારી સાથે મારો જે મહિમા હતો તે મને આપ.”

“તેં મને જગતમાંથી કેટલાક માણસો આપ્યા. મેં તેઓને તું કોના જેવો છે તે બતાવ્યું છે. તે માણસો તારા હતા. અને તેં મને તેઓ આપ્યા છે. તેઓએ તારા ઉપદેશનું પાલન કર્યુ છે. હવે તેઓ જાણે છે કે તેં મને આપેલી દરેક વસ્તુ તારી પાસેથી આવે છે. તેં મને જે વચનો આપ્યા છે તે મેં તેઓને આપ્યા. તેઓએ તે વચનોને સ્વીકાર્યા. તેઓ જાણે છે કે હું તારી પાસેથી આવ્યો છું અને તેઓને વિશ્વાસ છે કે તેં મને મોકલ્યો છે.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International