Print Page Options
Previous Prev Day Next DayNext

Old/New Testament

Each day includes a passage from both the Old Testament and New Testament.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
2 શમુએલનું 21-22

શાઉલના કુળનો વિનાશ અને અંત

21 દાઉદના શાસનકાળ દરમ્યાન ત્રણ વર્ષ સુધી દેશમાં દુષ્કાળ પડયો, આથી દાઉદે યહોવાને પ્રાર્થના કરી અને યહોવાએ જવાબ આપ્યો, “શાઉલ અને તેના ખૂનીઓના કુટુંબ[a] આ કુળ માંટે કારણરુપ છે, કારણ તેણે ગિબયોનીઓની હત્યા કરી હતી.” તેથી રાજા દાઉદે ગિબયોનના લોકોને બોલાવ્યા, તેઓ ઇસ્રાએલીઓના પુત્રો નહોતાં પણ તેઓ ત્યાં રહેતા બીજા અમોરીઓના પુત્રો હતાં. ઇસ્રાએલપુત્રોએ તેઓનો નાશ નહિ કરવા માંટે પ્રતિજ્ઞા લીધી હતી, પણ શાઉલને ઇસ્રાએલ અને યહૂદા માંટે ઊંડી લાગણી હતી તેથી તેણે તેઓનો વિનાશ કરવાનો પ્રયત્ન કર્યો હતો.

આથી દાઉદે ગિબયોનના લોકોને બોલાવ્યા અને કહ્યું, “હું તમાંરા માંટે શું કરું? હું કેવું પ્રાયશ્ચિત કરું તો તમે યહોવાના લોકો અમાંરા માંટે પ્રાર્થના કરો કે, દેવ અમને આશીર્વાદ આપે?”

“તેમણે અમાંરા માંટે જે કર્યુ છે તેના બદલા તરીકે સોનું અને ચાંદી શાઉલના કુટુંબ માંટે પૂરતા નથી અને અમને ઇસ્રાએલના કોઇ પણ માંણસને માંરી નાખવાનો અધિકાર નથી.”

એટલે દાઉદે કહ્યું, “તો તમે માંરી પાસે શું કરાવવા માંગો છો?”

તેઓએ કહ્યું, “જે માંણસે અમાંરો નાશ કરવાનું અને આખા ઇસ્રાએલમાંથી અમાંરું નિકંદન કાઢવાનું યોજયું હતું. એટલે તમે અમને તેના સાત પુત્રો સુપ્રત કરો અને અમે તેમને યહોવાએ પસંદ કરેલા રાજા શાઉલના ગામ ગિબયાહમાં લઇ જઇશું અને ફાંસી આપીશું.”

રાજાએ કહ્યું. “હું તેઓને તમને સોંપી દઈશ.” પરંતુ દાઉદ અને યોનાથાને યહોવાની સાક્ષીએ લીધેલી પ્રતિજ્ઞાને કારણે દાઉદે યોનાથાનના પુત્ર અને શાઉલના પૌત્ર મફીબોશેથની સુરક્ષા કરી. દાઉદે યોનાથાનના પુત્ર મફીબોશેથને જીવતો છોડી મૂક્યો. દાઉદે રિસ્પાહ અને શાઉલના પુત્રો અમોર્ની અને મફીબોશેથને પણ આપ્યા અને શાઉલની પુત્રી મેરાબના જે મહોલાહના બાઝિર્લ્લાય આદ્રીયેલની પત્ની હતી તેના પાંચ પુત્રોને પણ, તેણે તેઓને લઇને ગિબયોનના લોકોને આપ્યા. ગિબયોનીઓએ આ માંણસોને ગિલ્યાદ પર્વત પર લઇ ગયા અને યહોવા સમક્ષ ફાંસીએ લટકાવ્યા, તે સાતેય જણ એક સાથે માંર્યા ગયા. તે સમયે જવની કાપણીની શરૂઆત થઇ રહી હતી.

દાઉદ અને રિસ્પાહ

10 ત્યારબાદ રિસ્પાહે શોકના વસ્ત્રો લીધા અને ખડક ઉપર મૂક્યાં, તે કાપણીની શરૂઆતથી તે ચોમાંસુ આવ્યું ત્યાં સુધી ત્યાં રહ્યાં. રિસ્પાહે શબ ઉપર ચોકી પહેરો રાખ્યો. તે દિવસે દરમ્યાન કોઈ જંગલી પક્ષીને કે રાત દરમ્યાન કોઈ જંગલી પશુને તેના પર આવવા દેતી નહોતી.

11 જયારે દાઉદને આયાની પુત્રી રિસ્પાહે એટલે શાઉલની ઉપપત્નીએ જે કર્યુ હતું તેની જાણ થઈ, 12 ત્યારે તે યાબેશ ગિલયાદના લોકો પાસે ગયો અને શાઉલનાં અને તેના પુત્ર યોનાથાનનાં અસ્થિ લઈ લીધાં. જે દિવસે પલિસ્તીઓએ ગિલયાદના ડુંગર ઉપર શાઉલને હરાવ્યો હતો તે દિવસે તેઓએ શાઉલ અને તેના પુત્રોનાં મૃતદેહોને બેથશાનના દરવાજા પર ખુલ્લા ચોકમાં લટકાવ્યાં હતાં, તે સ્થળેથી તેઓ તેઓના અસ્થિ લાવ્યા હતા. 13 દાઉદ શાઉલનાં અને તેના પુત્ર યોનાથાનનાં અસ્થિ ત્યાંથી લઈ આવ્યો, જે સાત જણને ફાંસી આપવામાં આવી હતી તેમનાં અસ્થિ પણ ભેગાં કરવામાં આવ્યાં. 14 પછી બિન્યામીન પ્રદેશના શાઉલના પિતા કીશની કબરમાં તેઓએ શાઉલના અને તેના પુત્ર યોનાથાનનાં અસ્થિ દફનાવ્યાં. બધું રાજાની આજ્ઞા પ્રમાંણે કરવામાં આવ્યું, ત્યારબાદ યહોવાએ તેઓની દેશ માંટેની પ્રાર્થના સાંભળી.

પલિસ્તીઓ સાથે યુદ્ધ

15 ફરીથી પલિસ્તીઓ અને ઇસ્રાએલીઓની લડાઇ થઇ. દાઉદ અને તેનું આખું સૈન્ય તે વખતે પૂર જોશમાં લડ્યા. દાઉદ થાકી ગયો. 16 તે વખતે યિશ્બીબનોબ વિરાટકાય માંણસોમાંનો એક હતો, તેની પાસે નવી તરવાર અને એક ભાલો હતો, તે આશરે સાડાસાત પાઉન્ડનો હતો. તેને દાઉદને માંરી નાખવો હતો. 17 પરંતુ સરૂયાનો પુત્ર અબીશાય દાઉદનું રક્ષણ કરવા આવી પહોંચ્યો.

તેણે પેલા પલિસ્તીઓ પર હુમલો કરીને તેને માંરી નાખ્યો, ત્યાર બાદ દાઉદના માંણસોએ તેને આગ્રહ કર્યો કે, “હવે કદી તમાંરે અમાંરી સાથે યુદ્ધમાં આવવું નહિ, ઇસ્રાએલનો દીવો હોલવાઈ જાય તેવું જોખમ અમાંરે શા માંટે લેવું?”

18 થોડા સમય પછી ફરીથી પલિસ્તીઓ સાથે ગોબમાં યુદ્ધ થયું, એ વખતે હુશાથી સિબ્બખાયે સાફ કે જે બીજો વિરાટકાય માંણસ હતો તેને માંરી નાખ્યો.

19 ફરીથી ગોબમાં પલિસ્તીઓ સાથે બીજું યુદ્ધ થયું એલ્હાનાએ ગિત્તી ગોલ્યાથના ભાઈને માંરી નાખ્યો, જેની પાસે એક ભાલો વણકરની સાળના પાટડા જેવો મોટો હતો.

20 ત્યારબાદ ફરીથી પલિસ્તીઓ સાથે ગાથમાં યુદ્ધ થયું, તેમાં એક મહાકાય યોદ્વો એવો હતો જેને તેના હાથમાં અને પગમાં છ છ આંગળીઓ હતી, તે પણ મહાકાય માંણસોના કુળનો હતો. 21 આ માંણસે ઇસ્રાએલને પડકાર કર્યો અને તેઓની ઠેકડી ઊડાડી પણ દાઉદના ભાઈ શિમાંયના પુત્ર યોનાથાને તેને માંરી નાખ્યો.

22 આ ચારેય મહાકાય માંણસો ગાથના હતા, અને એ બધા જ દાઉદના સૈનિકોના હાથે માંર્યા ગયા હતા.

દાઉદની આભારસ્તુતિનું ગાન

22 યહોવાએ દાઉદને તેના સર્વ શત્રુઓના અને શાઉલના હાથમાંથી ઉગારી લીધો ત્યારે તેણે આ પ્રમાંણે યહોવાનાં ગુણગાન ગાયાં.

યહોવા માંરો ખડકછે તે માંરો કદી નિષ્ફળ ન જાય એવો આશરો છે, તે માંરૂં છુપાવાનું સ્થળ છે, માંરું શરણ છે.
    ઓ માંરા દેવ ખડક, હું એમની શરણ લઉં છું
તે માંરી ઢાલ છે તથા માંરા તારણનું શિંગ;
    માંરો ઊંચો બુરજ તથા આશ્રય સ્થાન છે.
યહોવા જે સ્તુતિપાત્ર છે,
    તેને હું હાંક માંરીશ;
    એમ હું માંરા શત્રુઓથી બચી જઇશ.

માંરા ઉપર મોતનાં મોજાં ચારેબાજુથી ફરી વળ્યાં હતાં,
    અને તે પૂરે મને બીવડાળ્યો અને મને મોતના સ્થળે ઘસડી રહ્યું હતું.
કબરનાં દોરડાએ મને ઘેરી લીધો હતો:
    મૃત્યુની જાળ માંરી સામે મૂકવામાં આવી હતી.
મેં સંકટ સમયે યહોવાને પોકાર કર્યો,
    માંરા દેવને મેં પોકાર કર્યો;
યહોવાએ પોતાના મંદિરમાં સાદ સાંભળ્યો;
    અને માંરી અરજ તેને કાને પહોચી.
પૃથ્વી હાલી અને કાંપી ઊઠી,
    આકાશોના પાયા ધ્રૂજયા;
    કારણ કે યહોવા ગુસ્સે થયા હતાં.
તેના નાકમાંથી ધૂમાંડો બહાર કાઢે છે,
    દેવના મુખમાંથી જવાળાઓ બહાર આવે છે
    અને તે થી કોલસાં સળગે છે.
10 દેવ આકાશ ફાડીને નીચે ઉતરી આવ્યાં,
    અને તે અંધકારમય ગાઢવાદળ પર ઉભા રહ્યાં.
11 યહોવા કરૂબ દેવદૂત પર બેઠા અને ઊડ્યાં,
    તેઓ પવનની પાંખો ઉપર ચઢીને ઊડ્યાં.
12 દેવે કાળા વાદળો તંબૂની જેમ પોતાની આસપાસ વીંટાળ્યાં.
    તેમણે જળ એકઠું કરી અને ગાઢા ગર્જતા વાદળોમાં આસપાસ અંધકારનું રૂપાંતર કર્યું.
13 તેમની સામે રહેલા પ્રકાશમાંથી
    અગ્નિના કોલસા સળગ્યા.
14 યહોવાએ ત્રાડ પાડી,
    પરાત્પર દેવે પોતાનો અવાજ સંભળાવ્યો.
15 યહોવાએ વિજળીની જેમ બાણ છોડ્યા અને શત્રુઓને વિખેરી નાખ્યા.
    તેઓ અસ્વસ્થ બની ભાગી ગયા.

16 યહોવા ભારપૂર્વક બોલ્યા, જાણે એના નાક તણા ફૂંફાડે;
    પવન તેમના મોઢામાંથી બહાર ફૂંકાયો, સાગરનાં પાણી પાછા ઠેલાયા,
સાગરના તળિયાં દેખાવા લાગ્યા,
    પૃથ્વીના પાયા હચમચી ગયા.

17 તેમણે ઉપરથી હાથ લંબાવી ને મને બચાવ્યો;
    તેમણે મને મુશ્કેલીરૂપી ઊંડા પાણીમાંથી મજબૂત રીતે પકડી અને બહાર કાઢયો.
18 મને શકિતશાળી શત્રુઓથી ઉગાર્યો,
    માંરા શત્રુઓ માંરાથી બળવાન હતા, તેમનાથી બચાવ્યો.
19 અણધારી આફત માંરા ઉપર આવી,
    અને માંરા પર શત્રુઓએ હુમલો કર્યો.
20 યહોવાએ મને આધાર આપ્યો, અને ભયમાંથી મને ઉગાર્યો;
    તેઓ માંરા પર પ્રસન્ન હતા, તેથી માંરા જીવનનો ઉદ્ધાર કર્યો.
21 હું જે સાચું છે તે કરું છું અને કાંઇ ખોટું કર્યુ નથી.
    મને યહોવા પાસેથી હંમેશા માંરા કર્મ પ્રમાંણે બદલો મળે છે.
22 હું યહોવાના માંર્ગ પર સદા ચાલ્યો છું,
    દેવથી વિમુખ થઈ કશું ભૂડું કર્યું નથી.
23 મેં સાચા હૃદયથી સદા
    તેમના આદેશનું પાલન કર્યુ છે.
24 હું નિર્દોષ છું ને પોતાને દેવ સન્મુખ,
    પાપથી દૂર રાખ્યો છે.
25 તેથી દેવે માંરી સચ્ચાઇ પ્રમાંણે મને બદલો આપ્યો,
    એમની દ્રષ્ટિમાં મેં કોઇ ખોટું કામ કર્યુ નથી.

26 ભલાની સાથે તમે ભલા બનો છો,
    ને સાત્ત્વિક સાથે તમે સાત્ત્વિક છો.
27 જેઓ સીધા છે તેમની સાથે તમે સીધા રહો છો,
    પણ મહાપ્રપંચી લોકોની ચાલાકી પણ નકામી થઇ જાય છે.
28 નિર્બળ અને ગરીબોને તમે મદદ કરો છો,
    ને ગવિર્ષ્ઠોને તમે શરમિંદા બનાવો છો.
29 હે યહોવા, તમે જ માંરા દીપક છો,
    તમે જ માંરા જીવનનો અંધકાર દૂર કરો છો.
30 યહોવા, આપની મદદથી હું સૈનિકો સાથે દોડી શકું છું,
    દેવની મદદથી હું દુશ્મનોની દીવાલો કૂદીને જઇ શકું છું.

31 દેવનો માંર્ગ સંપૂર્ણ ર્છ, દેવની વાણી સત્ય છે;
    જે કોઈ તેમનામાં વિશ્વાસ રાખે છે,
    તેનુ હંમેશા રક્ષણ થશે.
32 એકલા યહોવા આપણા એક માંત્ર દેવ,
    ને એ જ આપણા તારણહાર છે.
33 દેવ એ માંરો મજબૂત ગઢ છે,
    તે સારા લોકોને તેમને માંર્ગે ચાલવામાં મદદ કરે છે.
34 યહોવા માંરા પગોને હરણના પગ જેવા તેજ ગતિના બનાવે છે,
    અને ઊચા શિખરો પર સ્થિર પગલે ફેરવે છે.
35 યહોવા મને યુદ્ધનું પ્રશિક્ષણ આપે છે,
    અને માંરા ભુજો પિત્તળના ધનુષ્યને ખેચી શકે છે.

36 યહોવા તમે માંરું રક્ષણ કર્યુ છે, અને મને વિજયી બનાવ્યો છે.
    અને તમાંરી મદદે મને મહાન બનાવ્યો છે.
37 યહોવા માંરા પગો અને પગની ઘૂંટીઓને આપ મજબૂત કરો,
    જેથી હું લથડ્યા વગર ચાલી શકું.
38 હું માંરા શત્રુઓ પાછળ જઇશ અને તેઓનો નાશ કરીશ;
    જયાં સુધી હું તેઓ સવેર્નો નાશ નહિ કરું ત્યાં સુધી હું ફરીશ નહિ.
39 મેં માંરા શત્રુઓનો નાશ કર્યો છે,
    મેં તેઓનો સંપૂર્ણ પણે નાશ કર્યો છે.
તેઓ પાછા ઊભા થઇ શકશે નહિ,
    તેઓ અહીં માંરા પગ નીચે પડ્યાં છે.

40 દેવ તમે મને યુદ્ધ માંટે શકિતશાળી બનાવ્યો,
    અને તમે માંરા શત્રુઓને હરાવ્યાં.
41 તમે માંરા શત્રુઓને ભગાડ્યા છે અત:
    હું તેઓને હરાવી શકુ છું.
42 તેઓએ પરિણામ વગર
    મદદ મેળવવા પ્રયત્નો કર્યા,
તેઓ યહોવા પાસે પણ મદદ માંટે ગયા.
    પરંતુ તેમણે તેઓને પ્રત્યુત્તર આપ્યો નહિ.
43 મેં માંરા શત્રુઓને માંરીને
    ટૂકડાં કરી નાખ્યા હતા.
તેઓ રસ્તાની ધૂળ જેવા થઇ ગયાં હતાં.
    હું તેઓ પર, જાણે તેઓ ધૂળ હોય તેમ ચાલ્યો.

44 જ્યારે માંરા લોકોએ માંરી સામે બળવો કર્યો ત્યારે તમે મને બચાવ્યો અને માંરી રક્ષા કરવા આવ્યા.
    તમે મને દેશનો રાજકર્તા બનાવ્યો.
    જે લોકોને હું કદી જાણતો પણ ન હતો, હવે માંરી સેવા કરે છે.
45 બીજા દેશના લોકો માંરી આજ્ઞાનું પાલન કરે છે.
    તેઓ જ્યારે માંરો હુકમ સાંભળે છે કે તરત તેઓ માંરા હુકમ મુજબ વર્તવા તૈયાર થઇ જાય છે.
46 અન્ય દેશોના લોકો ભયભીત થશે,
    તેઓ પોતાના છૂપાવાના સ્થાનોથી ભયથી થરથર ધ્રૂજતા બહાર આવશે.

47 યહોવા જીવંત છે,
    હું ખડકની પ્રશંસા કરૂં છું.
    દેવ મહાન છે તે એક ખડક છે જે માંરું તારણ કરે છે.
48 દેવે માંરા માંટે થઇને માંરા દુશ્મનો ઉપર વેર વાળ્યું,
    તેમણે દેશોને અંકુશમાં રાખવાની સત્તા મને આપી છે.
49     માંરા દુશ્મનોથી મને છોડાવે છે;

ને માંરા વિરોધીઓ સામે માંરું મસ્તક ઊંચું રાખે છે;
    ને હિંસાથી તે માંરું સદા રક્ષણ કરે છે.
50 એ માંટે હે યહોવા, હું હંમેશા આપનો આભાર માંનીશ.
    હું દેશોમાં હંમેશા તમાંરી સ્તુતિ કરીશ.
    અને તમાંરા નામનાં સ્તોત્રો ગાઈશ.

51 યહોવા તેના રાજાને ઘણા યુદ્ધોમાં વિજયો અપાવવામાં મદદ કરે છે.
    યહોવા તેમના પસંદ કરેલા રાજાને સાચો પ્રેમ અને દયા દર્શાવે છે.
    દેવ દાઉદ અને તેનાં વંશજો પ્રત્યે, સદાકાળને માંટે કર્તવ્ય પાલન કરે છે.

લૂક 18:24-43

24 જ્યારે ઈસુએ જોયું કે તે માણસ દિલગીર થયો છે ત્યારે તેણે કહ્યું, “ધનવાન માણસ માટે દેવના રાજ્યમાં પ્રવેશવું મુશ્કેલ છે! 25 ઊંટને સોયના નાકામાંથી પસાર થવું સહેલું છે પણ ધનવાનોને દેવના રાજ્યમાં પ્રવેશવું મુશ્કેલ છે.”

કોણ તારણ પામશે?

26 જ્યારે લોકોએ આ સાંભળ્યું, તેઓએ કહ્યું, “તો પછી કોનું તારણ થશે?”

27 ઈસુએ ઉત્તર આપ્યો, “માણસો માટે જે કરવું અશક્ય છે તે બાબત દેવ કરી શકે છે!”

28 પિતરે કહ્યું કે, “જુઓ, અમે અમારી પાસે જે બધું હતું તેનો ત્યાગ કરીને તારી પાછળ આયા છીએ!”

29 ઈસુએ કહ્યું કે, “હું તમને સત્ય કહું છું, દેવના રાજ્ય માટે દરેક વ્યક્તિ જે પોતાના ઘરનો, પત્નીનો, ભાઈઓનો, માતાપિતા અને બાળકોનો ત્યાગ કરશે, તે 30 તેણે જે ત્યાગ કર્યો છે તે ઉપરાંત ઘણું વધારે પ્રાપ્ત કરશે. તે માણસ આ જીવનમાં અનેકગણું મેળવશે. અને તે માણસ મૃત્યુ પામે, પછી તે દેવ સાથે સદાને માટે રહેશે.”

ઈસુ મૃત્યુમાંથી ઊઠશે

(માથ. 20:17-19; માર્ક 10:32-34)

31 પછી ઈસુએ બાર પ્રેરિતો સાથે એકલા વાત કરી. ઈસુએ તેઓને કહ્યું કે, “ધ્યાનથી સાંભળો! આપણે યરૂશાલેમ જઇએ છીએ. દેવે પ્રબોધકોને જે કંઈ માણસના દીકરા વિષે લખવાનું કહ્યું હતું તે બનશે! 32 તેના લોકો તેના વિરોધી બનશે. અને તેને બીનયહૂદિ લોકોને સ્વાધીન કરશે. લોકો તેની મશ્કરી કરશે, તેને અપમાનિત કરશે અને તેની પર થૂંકશે. 33 તેઓ તેને કોરડા મારશે અને પછી મારી નાખશે. પણ તેના મૃત્યુ પછી ત્રીજા દિવસે તે સજીવન થઈને ઊઠશે.” 34 શિષ્યોએ આ સમજવા પ્રયત્ન કર્યો, પણ તેઓ તમજી શક્યા નહિ, તેનો અર્થ તેઓનાથી ગુપ્ત રહ્યો.

ઈસુ આંધળા માણસને સાજો કરે છે

(માથ. 20:29-34; માર્ક 10:46-52)

35 ઈસુ યરેખોના શહેર નજીક આવ્યો. ત્યાં રસ્તાની બાજુએ એક આંધળો માણસ બેઠો હતો. આંધળો માણસ પૈસા માટે લોકો પાસે ભીખ માંગતો હતો. 36 જ્યારે આ માણસે રસ્તા પરથી પસાર થતાં લોકોનો અવાજ સાંભળ્યો, તેણે પૂછયું, “શું થઈ રહ્યું છે?”

37 લોકોએ તેને કહ્યું કે, “નાસરેથનો ઈસુ અહીંથી પસાર થઈ રહ્યો છે.”

38 આંધળો માણસ ઉત્સાહમાં આવી ગયો અને બોલ્યો કે, “ઈસુ, દાઉદના દીકરા! કૃપા કરીને મને મદદ કર!”

39 જે લોકો આગળ હતા અને સમૂહને દોરતા હતા તેઓએ આંધળા માણસની ટીકા કરી. તેઓએ તેને શાંતિ જાળવવા કહ્યું, પણ ઔંધળો માણસ વધારે જોરથી બૂમો પાડવા લાગ્યો, “દાઉદના દીકરા! મને મદદ કર!”

40 ઈસુ ત્યાં થોભી ગયો અને બોલ્યો, “પેલા આંધળા માણસને મારી પાસે લાવ!” જ્યારે આંધળો માણસ નજીક આવ્યો, ઈસુએ તેને પૂછયું કે, 41 “તારી ઈચ્છા મારી પાસે શું કરાવવાની છે?”

આંધળા માણસે કહ્યું કે, “પ્રભુ, મારે ફરીથી દેખતા થવું છે.”

42 ઈસુએ તેને કહ્યું કે, “જો! તું સાજો થઈ ગયો છે કારણ કે તને વિશ્વાસ છે.”

43 પછી તે માણસ જોઈ શક્યો. તે માણસ ઈસુની પાછળ દેવનો મહિમા પ્રગટ કરતો કરતો ગયો. બધા લોકો જેઓએ આ જોયું તેઓએ આ જે કંઈ બન્યું છે તે માટે દેવની આભારસ્તુતિ કરી.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International