Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
પુનર્નિયમ 33-34

સર્વ વંશોને મૂસાના અંતિમ આશીર્વાદ

33 દેવના વિશ્વાસુ સેવક મૂસાએ પોતાના મૃત્યુ પહેલાં ઇસ્રાએલીઓને આ પ્રમાંણે આશીર્વાદ આપ્યા હતા.

“મૂસાએ કહ્યું, યહોવા આપણી પાસે સિનાઈ પર્વત પરથી આવ્યા.
    તે સેઈર પર્વત પરથી પોતાના લોકો સામે સૂર્યની જેમ પ્રગ્રટ થયા.
    પારાન પર્વત પરથી તે પ્રકાશ્યા.
તેમની સાથે 10,000 દૂતો હતા.
    અને તેમને જમણે હાથે ઝળહળતી જવાળા હતી.
હા, યહોવા પોતાનાના લોકોને ચાહે છે,
    તેના બધા પવિત્ર લોકો તેના હાથમાં છે.
તેઓ તેના પગ આગળ બેસે છે, અને તેનો ઉપદેશ ગ્રહણ કરે છે.
મૂસાએ અમને જે નિયમનું પાલન કરવાનું કહ્યું હતું
    તે જ અમાંરો યાકૂબના વંશજોના મૂલ્યવાન વારસો છે.
યહોવા ઇસ્રાએલી લોકોના રાજા છે,
    જયારે ઇસ્રાએલીઓના બધા વંશો પોતાના આગેવાનો સહિત ભેગા
    મળ્યા ત્યારે તેમને પોતાના રાજા તરીકે પસંદ કર્યા હતા.”

રૂબેનને આશીર્વાદ

મૂસાએ રૂબેન વંશ વિષે કહ્યું,

“રૂબેન સદા જીવંત રહો,
    પરંતુ તેનું કુળસમૂહ હંમેશા નાનું રહે.”

યહૂદાને આશીર્વાદ

યહૂદા માંટે મૂસાએ કહ્યું,

“હે યહોવા, યહૂદાનો પોકાર સાંભળજે,
    અને તેને તેના લોકો પાસે લાવ,
તેને બળ આપજો અને એમના દુશ્મનોનો સામનો કરવામાં એમને સહાય કરજો.”

લેવીઓને આશીર્વાદ

ત્યારબાદ મૂસાએ લેવી વંશ વિષે કહ્યું,

“હે યહોવા, લેવી વંશજો તમાંરા સાચા સેવકો છે,
    તેઓ ઉરીમ અને તુમ્મીમ રાખે છે.
માંસ્સાહ મુકામે તેં લેવીની પરખ કરી હતી,
અને મરીબાહના ઝરણાં આગળ તેં એમની કસોટી કરી હતી.
અને તેઓએ તમાંરી આજ્ઞા માંથે ચઢાવી હતી.
તેઓ તમાંરી સાથેના કરારને વળગી રહ્યા હતા.
પોતાના માંતાપિતાને તેમણે કહ્યું હતું;
અમે તમને જરા પણ ઓળખતા નથી.
અને તેઓએ પોતાના ભાઈઓ
    અને સંતાનોને પણ ઓળખવાનો ઇન્કાર કર્યો હતો.
10 તારો નિયમ લેવીઓ ઇસ્રાએલને શીખવશે
અને તેઓ તમાંરી ધૂપવેદી
    તથા દહનાર્પણની વેદી સમક્ષ સેવાઓ આપશે.

11 “હે યહોવા, તારા આશીર્વાદથી એમની સંપત્તિની વૃદ્વિ કરજે,
    તેઓની પર પ્રસન્ન રહેજે,
તેમના દુશ્મનોની કમર તોડી નાખજે,
    જેથી તેઓ ફરી વાર બેઠા જ ન થઈ શકે.”

બિન્યામીનને આશીર્વાદ

12 પછી બિન્યામીન વિષે મૂસાએ કહ્યું,

“તે યહોવાનો પ્રિય છે,
    દેવના રક્ષણમાં તે સુરક્ષિત છે.
પરાત્પર દેવ સદાય તેનું રક્ષણ કરે છે.
    અને એ તેના ખોળામાં વસે છે.”

યૂસફના આશીવાંદ

13 પછી તેણે યૂસફ વંશ વિષે કહ્યું,

“યહોવા, તેના પ્રદેશને ખૂબ લાભ આપો,
    ઉપરથી આકાશની વૃષ્ટિ
    અને નીચેથી પાતાળના જળથી દેવ તેની ભૂમિને આશીર્વાદિત કરો.
14 સૂર્ય તેમને શ્રેષ્ઠ પાક મેળવવા
    તથા ચંદ્ર તેમને શ્રેષ્ઠ ફળો મેળવવા મદદ કરે.
15 એના પ્રાચીન પર્વતો અને જૂના પર્વતો
    ઉત્તમ ફળોથી લચી રહો.
16 પૃથ્વીની સમગ્ર સમૃદ્વિ એને મળો.
બળતાં ઝાંખરામાં પ્રગટ થયેલ યહોવાની તેના આશીર્વાદોથી તેને આશીર્વાદિત કરે એમના ઉપર કૃપાવૃષ્ટિ થાઓ,
    કારણ કે, બધા ભાઈઓથી તેને જુદો કરવામાં આવ્યો હતો, તેમના પર સર્વ આશીર્વાદ ઊતરો.
17 એ મહાન પ્રતાપી બળદના જેવો છે,
    એનાં શિંગડાં રાની સાંઢના જેવાં છે,
જે ભોંકી ભોંકીને તે પ્રજાઓને પૃથ્વીને છેડે હાંકી કાઢશે.
    એફાઈમના અસંખ્ય યોદ્વાઓ
અને મનાશ્શાના હજારો યોદ્વાઓ
    એના શિંગડાં છે.”

ઝબુલોન અને ઇસ્સાખારને આશીર્વાદ

18 પછી મૂસાએ ઝબુલોન અને ઇસ્સાખાર વંશો વિષે કહ્યું,

“ઝબુલોન, તેની મુસાફરીઓમાં આશીર્વાદિત થાઓ
અને ઇસ્સાખાર તેના તંબુઓમાં આશીર્વાદિત થાઓ.
19 તેઓ બીજા લોકોને તેમની સાથે જોડાવા બોલાવશે,
    તેઓ બલિઓ બરાબર રીતે અર્પશે,
તેઓ સમુદ્રની સમૃદ્ધિ માંણશે,
    અને રેતીમાં છુપાયેલ ભંડારોને ભોગવશે.”

ગાદને આશીર્વાદ

20 ગાદના આશીર્વાદો:

“ગાદના પ્રદેશને વિસ્તારનાર આશીર્વાદીત હો!
ગાદ સિંહ જેવો છે, તેના શિકારને ઝડપવા તૈયાર છે,
    અને પછી તે તેઓના હાથોને કાઢી અને તેમની ખોપરીઓ ભાંગી નાખે છે.
21 તેણે પોતાના માંટે ઉત્તમમાં ઉત્તમ પ્રદેશ કર્યો હતો.
    કારણ કે, તેને આગેવાન તરીકેનો ભાગ ફાળવવામાં આવ્યો હતો.
તેણે લોકોને નેતૃત્વ પૂરૂં પાડયું, કારણ કે,
    ઇસ્રાએલ માંટેની યહોવાની આજ્ઞાઓ
    અને ન્યાયચુકાદાનો તેણે અમલ કર્યો.”

દાનને આશીર્વાદ

22 મૂસાએ દાન વિષે કહ્યું,

“દાન તો સિંહનું બચ્ચું છે-તે બાશાનમાંથી ઢોળાવો પરથી ફાળ ભરતું આવે છે.”

નફતાલીને આશીર્વાદ

23 ત્યારબાદ નફતાલી વિષે તેણે કહ્યું,

“નફતાલી પર તો યહોવાની કૃપા અપરંપાર છે,
    તેના પર યહોવાના અસીમ આશીર્વાદ છે.
તેનો પ્રદેશ ગાલીલના સરોવરથી છેક દક્ષિણ સુધી વિસ્તરે છે.”

આશેરને આશીર્વાદ

24 આગળ જતાં તેણે આશેર વિષે કહ્યું,

“બધા પુત્રોમાં આશેર સૌથી વધારે વહાલો હોવાથી વધુ માંનીતો હતો તેથી વધુ લાભ પામ્યો છે.
    તે પોતાના પગ જૈતતેલમાં બોળે છે,
    તેના પ્રદેશમાં મબલખ તેલ પેદા થાય છે.
25 તેની ભૂંગળો લોખંડ અથવા પિત્તળની થશે,
    તે સદા માંટે બળવાન રહે.”

દેવનો મહિમાં ગાતો મૂસા

26 “હે ઇસ્રાએલ, તમાંરા દેવ જેવો બીજો કોઈ દેવ નથી,
તે આકાશમાંથી વાદળ પર સવાર થઇને
    તેના ગૌરવમાં તમને મદદ કરવા આવે છે.
27 સનાતન દેવ તમાંરો રક્ષક છે,
    તેના અનંત બાહુ તને ઝીલી લે છે.
તેણે દુશ્મનોને તારી આગળથી હાકી કાઢયા છે,
    અને તને એમનો વિનાશ કરવાની આજ્ઞા કરી છે.
28 ઇસ્રાએલીઓ નિશ્ચિત થઈને સુરક્ષામાં વાસ કરે છે.
    યાકૂબના વંશજો મબલખ અનાજ
અને દ્રાક્ષારસના ભંડાર સમી ધરતી પર,
    અકળ વરસાવતા આકાશ નીચે સુરક્ષિત રહે છે.
29 હે ઇસ્રાએલ, તું આશીર્વાદિત છે!
    તમાંરા આશીર્વાદો કેવા મહાન છે!
યહોવાના હાથે ઉદ્વાર થનાર તારા જેવી બીજી કોઈ પ્રજા નથી.
    યહોવા ઢાલની જેમ તારૂં રક્ષણ કરે છે.
    તે તને વિજય અપાવનાર તરવાર જેવા છે.
તમાંરા દુશ્મનો તમાંરા પગમાં પડશે,
    તમે તમાંરા પગ વડે તેઓને છૂંદી નાખશો
    અને તેઓની પવિત્ર જગ્યાઓને કચરી નાખશો.”

મૂસાનું મૃત્યુ

34 ત્યારબાદ મૂસા મોઆબના મેદાનમાંથી યરીખોની પૂવેર્ આવેલા નબો પર્વત પર, પિસ્ગાહના શિખર પર ચઢયો, અને યહોવાએ તેને સમગ્ર પ્રદેશ બતાવ્યો: ગિલયાદથી દાન સુધીનો પ્રદેશ, આખો નફતાલીનો પ્રદેશ, એફાઈમ અને મનાશ્શાનો પ્રદેશ, પશ્ચિમ સમુદ્ર સુધીનો યહૂદાનો સમગ્ર પ્રદેશ, નેગેબનો પ્રદેશ અને ખજૂરીઓના નગર યરીખોથી સોઆર સુધીનો સપાટ પ્રદેશ. પછી યહોવાએ મૂસાને કહ્યું, “આ રહ્યો તે પ્રદેશ જે તેમના વંશજોને આપવાનું મેં ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબને વચન આપ્યું હતું. ‘મેં તને તારી સગી આંખે એ જોવા દીધો છે, પણ તું તેમાં આગળ જઈને પ્રવેશ કરવા નહિ પામે.’”

આમ, યહોવાનો સેવક મૂસા તેમના કહ્યા પ્રમાંણે મોઆબની ભૂમિમાં મૃત્યુ પામ્યો. તેને એ જ મોઆબની ભૂમિમાં બેથપેઓરની સામેની કોઈ ખીણમાં દફનાવવામાં આવ્યો, પરંતુ આજ સુધી કોઈને તેની કબરની ખબર નથી. મૂસા મૃત્યુ પામ્યો ત્યારે તેની ઉમર 120 વર્ષની હતી. તેના શરીરે શકિત ગુમાંવી ન હતી કે તેની આંખોની શકિત ઓછી થઈ નહોતી. મોઆબના મેદાનમાં ઇસ્રાએલીઓએ ત્રીસ દિવસ સુધી મૂસાના મૃત્યુનો શોક પાળ્યો. અને ત્યાર બાદ શોકના દિવસો પૂરા થયા.

નવો આગેવાન યહોશુઆ

નૂનનો પુત્ર યહોશુઆ જ્ઞાનના આત્માંથી ભરપૂર હતો, કારણ કે મૂસાએ તેના મસ્તક પર પોતાનો હાથ મૂકયો હતો, તેથી ઇસ્રાએલી લોકો યહોશુઆને આધિન રહેતા અને યહોવાએ મૂસા દ્વારા આપેલી આજ્ઞાઓ પાળતા હતા.

10 ત્યાર બાદ ઇસ્રાએલમાં મૂસા જેવો કોઈ બીજો પ્રબોધક થયો નથી; યહોવાએ તેને પ્રત્યક્ષ દર્શન આપી તેની સાથે વાતો કરી હતી. 11 મિસરના દેશમાં ફારુન અને તેના અમલદારો તથા સમગ્ર દેશ વિરુદ્ધ યહોવાએ તેની પાસે જે ચમત્કારો અને પરચાઓ કરાવ્યા તેવા બીજા કોઈ પ્રબોધકે કર્યા નથી. 12 સમગ્ર ઇસ્રાએલી પ્રજાના દેખતાં તેમણે જે મહાન અને આશ્ચર્યજનક કૃત્યો કર્યા, તેવાં કૃત્યો અન્ય કોઈ પ્રબોધક કરી શકયો નથી.

ગીતશાસ્ત્ર 119:145-176

કોફ

145 મેં ખરા હૃદયથી અરજ કરી છે, હે યહોવા,
    મને ઉત્તર આપ, હું તમારા નિયમોનું પાલન કરીશ.
146 “મારું રક્ષણ કરો” મેં તમને પ્રાર્થના કરી છે;
    એટલે હું તમારા નિયમોનું પાલન કરીશ.
147 પ્રભાત થતાં પહેલા મેં પ્રાર્થના કરી;
    અને મે તમારી વાતની આશા રાખી.
148 તારા વચનનું મનન કરવા માટે;
    મારી આંખો રાતના છેલ્લા પહોર અગાઉ ઊઘડી ગઇ હતી.
149 તમારી કૃપા પ્રમાણે મારી વાણી સાંભળો;
    હે યહોવા, તમારા ન્યાયવચનો પ્રમાણે મને જિવાડો.
150 તમારા નિયમનો ભંગ કરનારા અને દુષ્ટ પ્રપંચ ઘડનારા
    મારા પર હુમલો કરવા આવી રહ્યાં છે.
151 હે યહોવા, તમે મારી નજદીક છો;
    અને તમારી સર્વ આજ્ઞાઓ સત્ય છે.
152 લાંબા સમય પૂવેર્ તમારા સાક્ષ્યોમાંથી મેં જાણ્યું
    કે તમે તેઓને સદાને માટે સ્થાપ્યાં છે.

રેશ

153 મારા સંકટ સામે જુઓ અને મારી રક્ષા કરો;
    કારણ, હું તમારો નિયમ ભૂલતો નથી.
154 મારી લડતને લડો અને મને બચાવો!
    મને તમારા વચન પ્રમાણે જીવવા દો.
155 દુષ્ટ અન્યાયીઓથી તારણ દૂર રહે છે;
    કારણકે તે તમારા નિયમો શોધતા નથી.
156 હે યહોવા, તારી કરુણા ધણી મહાન છે;
    તારાં ન્યાયવચનો પ્રમાણે મને જિવાડ.
157 મને સતાવનારા, મારા શત્રુઓ ઘણા છે;
    છતાં હું તારા નિયમોથી પાછો હઠી ગયો નથી.
158 જ્યારે મેં વિશ્વાસઘાતીઓને જોયા; ત્યારે મેં તેમનો અસ્વીકાર કર્યો;
    કારણકે, તેઓ તમારા વચનનું પાલન કરતાં નથી.
159 હું તમારા શાસનો પર કેટલો બધો પ્રેમ રાખુ છું,
    તે ધ્યાનમાં લે જો હે યહોવા, તમારી કૃપા અનુસાર તમે મને જિવાડો.
160 તમારા બધાં વચનો અથથી તે ઇતિ સુધી સત્ય છે;
    અને તમારા સર્વ ન્યાયી વચનો અનંતકાળ સુધી ટકવાના છે.

શીન

161 મને સરદારોએ વિના કારણ સતાવ્યો છે;
    પણ મારું હૃદય તમારાં વચનોનો ભય રાખે છે.
162 જેમ કોઇકને મોટો ખજાનો મળે
    તેમ તમારા વચન મને રાજી કરે છે.
163 હું અસત્યને ધિક્કારું છું, હું તેમનો તિરસ્કાર કરું છું
    પરંતુ હું તમારા નિયમને ચાહું છું.
164 તમારા યથાર્થ અને ન્યાયી વચનોને કારણે,
    હું દિવસમા સાત વખત તમારી સ્તુતિ કરું છું.
165 તમારા નિયમ પર પ્રેમ રાખનારાઓને અત્યંત શાંતિ મળે છે;
    તેઓને કોઇ પણ ઠોકર ખવડાવી શકે તેમ નથી.
166 હે યહોવા, તમારા તારણની મેં આશા રાખી છે;
    કારણ, મે તમારી આજ્ઞાઓ પાળી છે.
167 હું તમારા સાક્ષ્યોને અનુસર્યો
    અને તેથી હું તેમના પર ઘણો પ્રેમ રાખું છું.
168 હું તમારા બધાં શાસનો અને સાક્ષ્યોને અનુસર્યો છું,
    હે યહોવા, હું જે કરું તે બધુ તમે જાણો છો.

તાવ

169 હે યહોવા, મારી પ્રાર્થનાઓ સાંભળો;
    અને તમે વચન આપ્યું છે તે પ્રમાણે મને સમજણ આપો.
170 મારી પ્રાર્થનાને તમારી સમક્ષ આવવા દો;
    અને તમારા વચન પ્રમાણે મને ઉગારો.
171 મારા હોઠો તમારી સ્તુતિ ઉચ્ચારશે,
    કારણકે, તમે મને તમારા વિધિઓ શીખવો છો.
172 મને તમારા વચનોનો જવાબ આપવા દો, અને મને મારું ગીત ગાવા દો.
    કારણ કે, તમારી આજ્ઞાઓ પૂર્ણ ન્યાયી છે.
173 મને મદદ કરવા તમારો હાથ તૈયાર થાઓ કારણ કે,
    મેં તમારાં શાસનોને અનુસરવાનું પસંદ કર્યુ છે.
174 હે યહોવા, હું તારા તારણ માટે અભિલાષી છું;
    તમારો નિયમ એ જ મારો આનંદ છે.
175 મારા આત્માને જિવાડો જેથી હું તમારી સ્તુતિ કરી શકું;
    તમારા ન્યાયવચનો મને મદદરૂપ થાઓ.
176 હું ભૂલા પડેલા ઘેટાઁની જેમ ભટકી ગયો છું;
    તમે આવો
અને મને તમારા સેવકને શોધી કાઢો.
    કારણકે હું તમારી આજ્ઞાઓને ભૂલ્યો નથી.

યશાયા 60

દેવના લોકો માટે ભાવિ મહિમા

60 “હે યરૂશાલેમ, પ્રકાશી ઊઠ! તારા પર
    યહોવાનો મહિમા ઉદય પામ્યો છે
    ને તે ઝળહળી રહ્યો છે.
જુઓ, પૃથ્વી પર હજી અંધકાર છવાયેલો છે
    અને લોકો હજી ઘોર તિમિરમાં છે,
પણ તારા પર યહોવા ઉદય પામે છે
    અને તેનો મહિમા તારા પર પ્રગટે છે.
પ્રજાઓ તમારા પ્રકાશ તરફ આવશે;
    તેમના પરાક્રમી રાજાઓ પણ તમારા ચળકતા ઉજાસને નિહાળવા આવશે.
તું જરા ઊંચી નજર કરીને ચારે તરફ જો;
    બધા ભેગા થઇને તારા તરફ આવે છે.
દૂર દૂરથી તારા પુત્રો આવશે
    અને તારી પુત્રીઓને તેમની આયાઓ તેડીને લાવશે,

“એ જોઇને તમારી આંખો ખુશીથી ચળકશે
    અને તમારાં હૃદયો પ્રફુલ્લિત થશે,
સમુદ્રની સંપત્તિ તમારી પાસે આવશે,
    દૂર દેશાવરોની સમૃદ્ધિ તમને અપાશે.
ઊંટોના ટોળાથી તમારો દેશ છવાઇ જશે.
    તેઓ મિદ્યાન અને એફાહમાંના પ્રદેશમાંથી આવશે,
શેબાથી પણ બધાં આવશે;
    સોનું અને લોબાન લઇને આવશે,
    યહોવાનાં સ્તોત્ર ગાતાં ગાતાં આવશે.
કેદારના અને નબાયોથનાં બધાં ઘેટાંબકરાં
    તારા વિધિવત યજ્ઞ માટે લાવવામાં આવશે
અને યહોવાની યજ્ઞ વેદી પર
    તેને પ્રસન્ન કરવા બલિ તરીકે હોમાશે
અને તે એના મહિમાવંતા
    મંદિરનો મહિમા વધારશે.
વાદળની જેમ
    અને પોતાના માળા તરફ જતાં કબૂતરોની
    જેમ ઊડતાં આ શું જાય છે?
હા, એ તો દૂર દેશાવરના વહાણ ભેગાં થઇને આવે છે
    અને તાશીર્શના વહાણો એમાં આગળ છે.
તેઓ તમારા દેવ યહોવાને નામે,
    તને મહિમાવંત બનાવનાર ઇસ્રાએલના પરમપવિત્ર દેવને નામે,
તારા સંતાનોને સોનાચાંદી સાથે
    દૂર દૂરથી પાછાં આવે છે.”
10 યહોવા યરૂશાલેમને કહે છે,
“વિદેશીઓ આવશે અને તારા નગરોના કોટને ફરી બાંધશે.
    અને તેમના રાજાઓ તારા ગુલામ બનશે.
કારણ ક્રોધ ચઢતાં મેં તને પ્રહાર કર્યો હતો.
    પણ હવે હું મારી કૃપામાં
    તારા પર દયા કરીશ.
11 તારા દરવાજા સદાય ખુલ્લા રહેશે,
    રાતે કે દિવસે કદી બંધ થશે નહિ,
    જેથી તેમાં થઇને વિદેશી રાજાઓ પોતાની સમૃદ્ધિ લઇને આવે.
12 પરંતુ જે પ્રજા કે રાજ્ય તારી તાબેદારી સ્વીકારવાની ના પાડશે તેનો નાશ થશે,
    તે ખેદાનમેદાન થઇ જશે.
13 લબાનોનનાં ગૌરવરૂપ ચિનાર,
    સરળ અને સરુનું કિમતી લાકડું મારા પવિત્રસ્થાનની શોભા વધારવા,
મારી પાદપીઠનો મહિમા કરવા
    તારી પાસે લાવવામાં આવશે.
14 જેઓએ તારા પર ત્રાસ કર્યો તેઓના પુત્રો તારી પાસે નમતા આવશે;
    અને જેઓએ તને તુચ્છ માન્યું તેઓ સર્વ
તારા પગનાં તળિયાં સુધી નમશે;
    અને તેઓ તને ‘યહોવાનું નગર’,
‘ઇસ્રાએલના પવિત્ર દેવનો મહિમાવંત
    પર્વત એવા નામથી તેઓ સંબોધશે.’

15 “તું એક નગરી હતી જે ત્યકતા અને તિરસ્કૃત હતી,
    કોઇ તારામાંથી પસાર થતું નહોતું;
પણ હું તને કાયમ માટે માનવંતી
    અને આનંદના ધામરૂપ બનાવીશ.
16 વિદેશી ભૂમિઓ અને તેના રાજામહારાજાઓ
    તારું પોતાની માતાની જેમ પાલન કરશે,
ત્યારે તને ખબર પડશે કે હું,
    યહોવા તારો તારક છું,
    હું યાકૂબનો મહાબળવાન દેવ, તારો રક્ષક છું.

17 “હું તમને કાંસાને બદલે સોનું
    અને લોખંડને બદલે ચાંદી
તેમજ લાકડાને બદલે કાંસુ
    અને પથ્થરને બદલે લોઢું આપીશ.
તારા પ્રશાસક શાંતિ
    અને ન્યાયપૂર્વક શાસન ચલાવે એમ હું કરીશ,
18 તારી ભૂમિમાં હિંસાનું, વિનાશનું
    કે પાયમાલીનું નામ સાંભળવા નહિ મળે.
તમારી ભીતો ‘તારણ’ કહેવાશે
    અને તમારા દરવાજાઓ ‘સ્તુતિ’ કહેવાશે.

19 “હવે પછી તને દિવસ દરમ્યાન પ્રકાશ માટે સૂર્યની કે રાત્રે પ્રકાશ માટે ચંદ્રની જરૂર નહિ રહે,
    કારણ, હું તારો દેવ યહોવા,
તારો શાશ્વત પ્રકાશ બની રહીશ,
    અને તારો દેવ તારો મહિમા હશે.
20 તારો સૂર્ય હવે કદી આથમશે નહિ
    કે તારો ચંદ્ર છુપાશે નહિ,
કારણ, હું યહોવા તારો શાશ્વત પ્રકાશ બની રહીશ
    અને તારા દુ:ખના દિવસોનો અંત આવશે.

21 “વળી તમારા સર્વ લોકો ધામિર્ક થશે.
    તેઓ સદાકાળ પોતાના દેશનું વતન પામશે,
કારણ કે હું મારા પોતાના હાથે
    તેઓને ત્યાં સ્થાપીશ;
    અને એમ મારો મહિમા થશે.
22 છેક નાનું કુટુંબ પણ સંખ્યામાં વૃદ્ધિ પામીને કુળસમૂહ બનશે.
    ને જે નાનકડું ટોળું છે
તે વૃદ્ધિ પામીને પરાક્રમી પ્રજા બનશે.
    હું યહોવા, સમયની સંપૂર્ણતાએ
    તે સર્વ પૂર્ણ કરીશ.”

માથ્થી 8

ઈસુ માંદા માણસને સાજો કરે છે

(માર્ક 1:40-45; લૂ. 5:12-16)

ઈસુ પર્વત પરથી નીચે ઉતર્યો. લોકોનો મોટો સમુદાય તેની પાછળ પાછળ ગયો. પછી એક કોઢથી પીડાતો માણસ તેની પાસે આવ્યો, પગે પડ્યો અને કહ્યુ, “હે પ્રભુ, તું ઈચ્છે તો મને સાજો કરવાની શક્તિ તારી પાસે છે.”

ઈસુએ તે માણસને સ્પર્શ કર્યો અને કહ્યું કે, “હું તને સાજો કરવા ઈચ્છું છું, સાજો થઈ જા!” અને તરત જ તે માણસ કોઢથી સાજો થઈ ગયો. ઈસુએ તેને કહ્યું કે, “જે કાંઈ બન્યું છે તે વાત કોઈને પણ કરતો નહિ. અહીંથી સીધો જ યાજક પાસે જા અને ત્યાં તારી જાતને બતાવ. મૂસાના આદેશ પ્રમાણે અર્પણ ચઢાવ જેથી લોકો જાણી શકે કે તું સાજો થયો છે.”

ઈસુ અધિકારીના નોકરને સાજો કરે છે

(લૂ. 7:1-10; યોહ. 4:43-54)

ઈસુ કફર-નહૂમ આવ્યો, ઈસુ શહેરમાં પ્રવેશ્યો કે તરત જ એક લશ્કરી અધિકારી, તેની પાસે આવ્યો અને મદદ માટે વિનંતી કરી. લશ્કરી અધિકારીએ કહ્યું કે, “હે પ્રભુ, મારો નોકર ખૂબજ બિમાર છે, તે પથારીવશ છે અને પક્ષઘાતી છે.”

ઈસુએ લશ્કરી અધિકારીને કહ્યું કે, “હું જઈશ અને તેને સાજો કરીશ.”

લશ્કરી અધિકારીએ કહ્યું કે, “હે પ્રભુ, તું મારા ઘરે આવે એવો હું યોગ્ય માણસ નથી. જો તું કેવળ શબ્દ કહે તો મારો નોકર સાજો થઈ જશે. હું મારા અધિકારીઓને આધીન છું. મારા હાથ નીચેના સૈનિકો મારી સત્તાને આધીન છે. એકને હું કહું છું કે ‘જા’ તો તે જાય છે. બીજાને કહું છું કે, ‘આવ’, તો તે આવે છે અને મારા નોકરને કહું છું કે, ‘આ કર’ તે તે તરત જ મારી આજ્ઞા પાળે છે. હું જાણુ છું કે આ કરવાની સત્તા તારી પાસે છે.”

10 ઈસુ આ સાંભળી ખૂબજ નવાઈ પામ્યો અને તેની સાથે આવતા લોકોને કહ્યું કે, “હું તમને સત્ય કહું છું, મેં ઈસ્રાએલમાં પણ કદી કોઈ વ્યક્તિમાં આવો વિશ્વાસ જોયો નથી. 11 હું તમને કહું છું કે પૂર્વ અને પશ્ચિમમાંથી ઘણા લોકો આવશે અને આકાશના રાજ્યમાં ઈબ્રાહિમ, ઈસહાક અને યાકૂબની સાથે બેસશે. 12 અને જેમના માટે આકાશી રાજ્ય તૈયાર કરવામાં આવેલું છે, તેમને બહારના અંધકારમાં ફેંકી દેવાશે. તેઓ ત્યાં રૂદન કરશે પીડાથી દાંત કચકચાવશે.”

13 પછી ઈસુએ લશ્કરી અધિકારીને કહ્યું કે, “ઘરે જા અને તારો નોકર તેં જે રીતે વિશ્વાસ કર્યો છે તે રીતે તે સાજો થઈ જશે.” અને બરાબર તે જ સમયે તેનો નોકર સાજો થઈ ગયો.

ઈસુએ ઘણા લોકોને સાજા કર્યા

(માર્ક 1:29-34; લૂ. 4:38-41)

14 જ્યારે ઈસુ પિતરને ઘેર ગયો ત્યારે તેણે તેની સાસુને તાવથી પીડાતી દીઠી. 15 ઈસુએ તેના હાથને સ્પર્શ કર્યો અને તેનો તાવ ઉતરી ગયો. તે ઉઠીને ઈસુની સેવા કરવા લાગી.

16 સાંજ પડી ત્યારે તેઓ ઘણા અશુદ્ધ આત્મા વળગેલા લોકોને ઈસુની પાસે લાવ્યા, ઈસુએ અશુદ્ધ આત્માઓને બહાર કાઢ્યા. તેમ જ બધા જ માંદાઓને પણ સાજા કર્યા. 17 ઈસુએ આ કર્યુ જેથી યશાયાએ કહેલ ભવિષ્યવાણી પૂર્ણ થાય:

“તેણે આપણા રોગો લઈ લીધા અને તેણે આપણા મંદવાડ પોતાનામાં સ્વીકાર્યા.” (A)

ઈસુને અનુસરવાની ઈચ્છા

(લૂ. 9:57-62)

18 ઈસુએ જોયું કે તેની ચારે બાજુ લોકોની ભીડ જામી છે, તેથી તેણે પોતાના શિષ્યોને સરોવરના સામા કિનારે જવા કહ્યું. 19 પછી એક શાસ્ત્રી તેની પાસે આવ્યો અને કહ્યું કે, “ઉપદેશક, તું જ્યાં જઈશ ત્યાં હું તારી પાછળ આવીશ.”

20 ઈસુએ તેને કહ્યુ કે, “શિયાળોને રહેવા માટે દરો હોય છે, પંખીઓને રહેવા માટે માળા હોય છે, પણ માણસના દીકરાને[a] માથું ટેકવાની પણ જગા નથી.”

21 ઈસુના શિષ્યોમાંના બીજા એકે આવી તેને કહ્યું કે, “હે પ્રભુ પહેલા મને જવા દે અને મારા પિતાને દફનાવવા દે. પછી હું તને અનુસરીશ.”

22 પરંતુ ઈસુએ તેને કહ્યું, “મારી પાછળ આવ. ને મુએલાએને પોતાના મૂએલાઓને દાટવા દે.”

ઈસુ તોફાનને શાંત પાડે છે

(માર્ક 4:35-41; લૂ. 8:22-25)

23 ઈસુ એક હોડીમાં જઈને બેઠો, તેના શિષ્યો પણ તેની સાથે ગયા 24 એ હોડીએ કિનારો છોડયો કે તરત જ દરિયામાં મોટું તોફાન શરૂ થયું ને ઉછળતાં મોજાથી હોડી ઢંકાઈ જવા લાગી. પરંતુ ઈસુ તો ઊઘતો હતો. 25 શિષ્યો ઈસુની પાસે ગયા અને તેને જગાડ્યો અને કહ્યું કે, “હે પ્રભુ, અમને બચાવ! અમે ડૂબી જઈશું!”

26 ઈસુએ કહ્યું કે, “તમે શા માટે ભયભીત થાઓ છો? તમને પૂરતો વિશ્વાસ નથી?” પછી ઈસુ ઉભો થયો અને પવન અને મોંજાને ધમકાવ્યા, પછી સમુદ્ર સંપૂર્ણ શાંત થઈ ગયો.

27 આથી લોકો આશ્ચર્યચકિત થઈ ગયા અને બોલ્યા, “અરે આ માણસ કેવા પ્રકારનો છે? જેની આજ્ઞાને પવન અને સમુદ્ર પણ માને છે!”

ઈસુ બે માણસોમાંથી ભૂતોને કાઢે છે

(માર્ક 5:1-20; લૂ. 8:26-39)

28 સમુદ્રને સામે કિનારે ગદરાનીના[b] દેશમાં ઈસુ આવ્યો ત્યાં તેને અશુદ્ધ આત્માઓ વળગેલા બે માણસો મળ્યા. તેઓ કબરોની વચમાં રહેતા હતાં તે એટલા બધા બિહામણા હતા કે ત્યાં થઈને કોઈ જઈ શક્તું ન હતું. 29 તેઓ બૂમ પાડવા લાગ્યા, “ઓ દેવના દીકરા, તું અમારી પાસે શું અપેક્ષા રાખે છે? નિશ્ર્ચિત સમય પહેલા અમને શિક્ષા કરવા આવ્યો છે?”

30 ત્યાંથી થોડેક દૂર ભૂંડનું ટોળું ચરતું હતું. 31 અશુદ્ધ આત્માઓએ વિનંતી કરી કે, “જો તું અમને કાઢી જ મૂકવાનો હોય તો, તું અમને એ ભૂંડોના ટોળામાં જવા દે.”

32 ઈસુએ તેઓને કહ્યું, “જાઓ” અને અશુદ્ધ આત્માઓ ભૂંડોનાં ટોળામાં પેઠા. ભૂંડનું આખું ટોળું ટેકરીની ધાર પરથી સમુદ્રમાં ધસી ગયું અને પાણીમાં ડૂબી મર્યુ. 33 ભૂંડો ચરાવનારા ત્યાંથી શહેરમાં નાઠા અને બધીજ બાબતો જેવી કે અશુદ્ધ આત્માઓ વળગેલા માણસે સાથે જે બન્યું હતું તે જણાવ્યું. 34 આખું નગર ઈસુને મળવા બહાર આવ્યું અને જ્યારે લોકોએ તેને જોયો ત્યારે વિનંતી કરી કે, અમારા સીમોમાંથી તું ચાલ્યો જા.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International