Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
પુનર્નિયમ 32

32 “અરે! હે આકાશો, હું કહું તે કાને ધરો,
    અને હે પૃથ્વી, તુ માંરા શબ્દો સાંભળ.
માંરા ઉપદેશો વર્ષાની જેમ વરસશે,
    માંરાં શબ્દો ઝાકળની જેમ પડશે
    ઘાસ પર પડતા વર્ષાના ટીંપાની જેમ,
    ફુલ પર પડતા છાંટાની જેમ ખરશે.
હું યહોવાની મહાનતા પ્રગટ કરીશ આવો, આવો, અને તેની મહાનતા ગાઓ.

“યહોવા અચળ ખડક છે, તેમનાં કાર્યો પણ સંપૂર્ણ છે;
    કારણ તેઓ હંમેશા ન્યાયની સાથે છે,
    તે જે કઇ કરે તે ન્યાયી અને ઉત્તમ છે.
તે સર્વદા વિશ્વાસપાત્ર છે!
    તેનામાં કંઇ પણ દુષ્ટતા નથી.
તમે ઇસ્રાએલીઓ ભ્રષ્ટ થયા અને પાપથી ખરડાયા.
    તમે એનાં, કેવાં કુટિલ-કપટી દુષ્ટ સંતાન નીવડયાં!
ઓ મૂર્ખ લોકો!
    જરા તો વિચારો, શું તમે યહોવાને આ બદબો આપો છો?
એ શું તે તમાંરા પિતા નથી, જેણે તમને જન્મ દીધો?
    અરે! એણે જ તમને સજર્યા, સ્થાપ્યા અને દૃડ કર્યાં.

“ભૂતકાળનું તમે જરા સ્મરણ તો કરો;
    કેવા હતા તમાંરા પૂર્વજો!
પૂછો તમાંરા પિતાને, તે તમને કહેશે;
    પૂછો તમાંરા વડીલોને, તે પણ જણાવશે.
પરાત્પર યહોવાએ પૃથ્વી પર,
    પ્રજાઓને વિભાજીત કર્યા,
પ્રત્યેકને ભૂમિ વહેંચીને બાંધી આપી,
    સરહદ દેવદૂતોની સંખ્યા સમ પ્રજાઓને સ્થાપી.
પરંતુ તેમણે કોઇને ઇસ્રાએલ માંટે ન નીમ્યા,
    કારણ, ઇસ્રાએલ દેવની પોતાની પ્રજા છે.

10 “વેરાન-રણમાં એમનું રક્ષણ કર્યું હતું,
    અને આંખની કીકીની જેમ સંભાળ કરીં હતી.
11 જેમ કોઈ ગરૂડ પોતાના માંળાની ચોકી કરે
    અને પોતાના બચ્ચાં ઉપર ચક્કર માંર્યા કરે
અને તેમને પોતાની પાંખો ઉપર ઉપાડી લે
    તેમ તેમણે સંભાળ લીધી અને ઇસ્રાએલ પર કૃપા કરી.
12 એકલા યહોવાએ જ તેમને દોર્યા હતા.
    કોઈ વિદેશી દેવોનો તેને સાથ ન્હોતો.
13 દેવે તેઓને ફળવંત પ્રદેશ આપ્યા,
    ખેતરોનો મોલ ખવડાવ્યો,
ને કરાડોમાંના મધ અને જૈતૂનના તેલ;
    આપ્યા અને ઉચ્ચ પ્રદેશમાં લઇ જઇ સ્થાપ્યા.
14 યહોવાએ તેમને ગાયોનું
    અને બકરીઓનું દૂધ,
શ્રેષ્ઠ ઘેટાં અને સારામાં સારા ઘઉ આપ્યાં.
    તેઓએ દ્રાક્ષોમાંથી શ્રેષ્ઠ પીણું દ્રાક્ષારસ પીધો.

15 “પરંતુ યશુરૂને પસંદ કરેલા લોકોએ ચરબી વધારી અને રાજદ્રોહ કર્યો.
    ઇસ્રાએલના લોકો જાડાં અને ખાધે સુખી હતાં અને બગડી ગયા હતાં.
તેમના સર્જનહાર દેવને છોડી દીધા.
    તેમને બચાવનારા તેમના બળવાન તારણહારની ધૃણા કરવાનું શરુ કર્યું.
16 અન્ય દેવોની કરી પૂજા, યહોવામાં ઇર્ષ્યા જગાડી;
    આચારો પાળી દેવનો રોષ વહોર્યો.
17 જે દેવ ન હતાં એવા દૈત્યોને તેઓ બલિ ચઢાવવા લાગ્યાં.
    જેઓ આસપાસની અજ્ઞાત પ્રજાઓમાંથી આવ્યા હતાં અને જેમની ભૂતકાળમાં પિતૃઓએ પૂજા કરી નહોતી
    એવા દેવોની ભકિત કરીને સૌએ તેમને અર્પણો ચઢાવ્યાં.
18 તેઓ તેમના સર્જનહાર, તેમના બળવાન તારણહાર દેવને ભૂલી ગયા
    અને તેઓ તેમને જન્મઆપનાર દેવને ભૂલી ગયા.

19 “આ જોઇને યહોવા રોષે ભરાયા,
    તેનાં પુત્રો અને પુત્રીઓએ તેને ગુસ્સે કર્યા.
20 તેમણે વિચાર્યુ,
‘હું વિમુખ થઈ જાઉં એ લોકોથી,
    ને જોંઉ તો ખરો,
શા હાલ થાય છે એ લોકોના, એ પેઢી દગાબાજ અને વિશ્વાસઘાતી છોકરાં છે,
જોઉ તો ખરો, કેવી એ લોક પોક ભૂકે છે?
21 કહેવાતા દેવોની પૂજા કરીને એ લોકોએ માંરામાં ઇર્ષ્યા જગાડી છે.
    અને મૂર્તિઓની કરી પૂજા, વહોર્યો છે એમણે માંરો રોષ;
હવે તો હું પણ કહેવાતી પ્રજા વડે એમનામાં ઇર્ષ્યા જગાડીશ;
    અપીર્મુજ પ્રેમ વિદેશી પ્રજાઓને, હું એમનો જગાડીશ રોષ.
22 એ મુજ ક્રોઘાગ્નિ ભભૂકી ઉઠયો છે,
    પાતાળના તળિયા સુધી બધુ ભસ્મ થશે.
    અને મૂળમાંથી આખા પર્વતને અને પૃથ્વીને
    અને પાકને ભરખી જશે.

23 “‘પછી હું તે લોકો પર એક પછી એક આફતો ઉતારીશ;
    તરકશનાં માંરાં તીક્ષ્ણ તીરોથી હું તેઓને વીંધી નાખીશ.
24 કરી દુકાળ, રોગચાળો અને મરકી;
    જશે તેમનો કોળિયો.
અને છૂટા મૂકીશ હું તેમના પર,
    ઝેરી નાગો અને જનાવરો જંગલી.
25 ઘર બહાર તરવાર તેમને પૂરા કરશે,
    ને ઘરમાં ભયથી ફફડી મરશે;
જુવાન સ્ત્રી-પુરુષ કે વૃદ્વો,
    વળી ધાવણાં બાળક પણ નહિ બચે.

26 “‘દૂરના દેશોમાં તેઓને વિખેરી નાખવાનો મે નિર્ણય કર્યો હતો,
    તેમનું સ્મરણ સુદ્ધાં ન રહે, તેવો મેં સંકલ્પ કર્યો હતો.
27 પરંતુ મને ભય છે એવો કે
    તેમનાં શત્રુઓ ખોટું સમજશે;
અમાંરા બાહુબળથી ઇસ્રાએલનો
    કર્યો વિનાશ-બડાશ હાંકશે.
    “યહોવાએ તેમનો વિનાશ નથી કર્યો.”’

28 “ઇસ્રાએલ સમજણ વગરની
    મૂર્ખ પ્રજા છે.
29 તેઓમાં હોશિયારી-સમજણ
    હોત તો કેવું સારૂં?
    કયાં જઈ રહ્યા છે એટલું પણ જાણતા હોત તો કેવું સારું?
30 એક માંણસ કહો શી રીતે હજારને હરાવે?
    10,000 ને બે માંણસ કહો શી રીતે નસાડે?
સિવાય કે ખડક સમાં યહોવાએ
    તેમને તજયા હોય;
કે પછી તે સૌને દુશ્મનોના
    હાથમાં સોંપ્યા હોય.
31 અન્ય પ્રજાઓ પાસે આપણા ખડક સમ ખડક નથી, આપણા શત્રુઓ પણ તે જાણે છે.
32 તેઓની દ્રાક્ષ લતાઓ અને ખેતરો અદોમ
અને ગમોરાહની જેમ કડવાશ અને ઝેરથી ભરેલા છે.
33     વિષવેલ જેવા કડવા વખ, ને સર્પના જીવલેણ વિષ જેવા.
    દ્રાક્ષારસ તેઓ પીએ છે.

34 “યહોવા કહે છે:
‘સજા માંરી પાસે રક્ષિત છે,
    મેં તેને માંરા સંગ્રહખાનામાં તાળું માંરી રાખ્યાં છે.
35 હું બદલો લઇશ,
    હું તેમના દુશ્મનોને સજા કરીશ;
તેનાં દુશ્મનો લપસી પડશે,
    તેમના વિનાશનો દિવસ નજીક છે.’

36 “યહોવાનો ન્યાય તેના લોકોના પક્ષમાં હશે,
    તેઓ દયા દર્શાવી સૌને બચાવી લેશે;
ગુલામ અને મુકત બંનેની શકિત
    ક્ષીણ થતાં જોઈ તે દુ:ખી થશે.
37 યહોવા તે સમયે લોકોને, પૂછશે કે
    ‘તેઓના દેવો કયાં છે?
    જેમને બળવાન તારણહાર “ખડક” માંન્યા હતા, તે તમાંરા દેવો કયાં છે?
38 કહેવાતા દેવ, જેમનું શરણું તમે લીધું હતું,
    જે તમાંરા બલિની ચરબી ખાતાં હતા;
જે પેયાર્પણનો દ્રાક્ષારસ પીતા હતા,
    તે તમાંરી મદદમાં કેમ આવતા નથી?

39 “‘હું જ એકલો દેવ છું.
    બીજો કોઇ દેવ નથી,
શું તમે નથી જોતા?
    હું જ માંરું છું, ને હું જ જીવાડું છું,
હું જ કરું છું ઘાયલ,
    ને હું જ કરૂં છું સાજા;
તમને મુજ હાથમાંથી કોઇ છોડાવી શકે?
40 હું માંરો હાથ આકાશ તરફ ઊંચો કરું છું.
અને સમ ખાઉ છું કે
    હું સદાય જીવંત છું.
41 કે હું જ માંરી ચળકતી તરવારની ધાર કાઢીશ,
    અને ન્યાય કરીશ;
    દુશ્મનો પર હું વેર વાળીશ
    અને જે મને ધિક્કારે છે તેને હું સજા કરીશ.
42 માંરા બાણો માંરા દુશ્મનોનું લોહી પીશે,
    અને માંરી તરવાર જેઓને માંરી નાખવામાં આવ્યાં છે,
તે તથા કેદીઓના માંસની મિજબાની કરશે.
તે તેઓના આગેવાનોના માંથા કાપી નાખશે.’

43 “ઓ દેશજાતિઓ, દેવના લોકોનો જયનાદ કરો;
    તે પોતાના સેવકોના ખૂનનો બદલો લેશે,
કરશે સજા તે પોતાના દુશ્મનોને,
ને કરશે પાવન પોતાના લોકોના દેશને.”

મૂસા તેનું ગીત લોકોને શીખવે છે

44 મૂસાએ અને યહોશુઆએ આ ગીતના શબ્દો લોકોના સમક્ષ ગાઈ સંભળાવ્યા. 45 મૂસાએ તમાંમ ઇસ્રાએલીઓને આ વચનો આપવાનું પૂરૂં કર્યા પછી. 46 તેણે કહ્યું, “આજે મેં તમાંરી સમક્ષ જે વચનો ઉચ્ચાર્યા છે તે હૈયે કોતરી રાખજો, તમાંરા વંશજોને આ નિયમનાં વચનોનું પાલન કરવાનું જણાવજો. 47 આ નિયમો ફકત શબ્દો જ નથી, તે તમાંરું જીવન છે! તેને આધિન થઈને પાલન કરશો તો યર્દન નદી ઓળંગીને જે દેશનો, તમે કબજો મેળવશો તેમાં તમે દીર્ઘકાળ સુખી અને સમુદ્વ આયુષ્ય ભોગવશો.”

મૂસા નબો પર્વત પર

48 તે જ દિવસે યહોવાએ મૂસાને કહ્યું, 49 “મોઆબના પ્રદેશમાં યરીખોની સામે અબારીમના પર્વતોમાં નબો પર્વત પર જા, તેની ટોચ પર ચઢીને ઇસ્રાએલી લોકોને હું જે કનાનનો પ્રદેશ આપવાનો છું તે તું જોઈ લે. 50 તારો ભાઈ હારુન હોર પર્વત પર મૃત્યુ પામીને તારા પૂર્વજો સાથે જોડાઈ ગયો, તેમ તે દેશ જોયા પછી તારે પણ એ જ પર્વત પર મૃત્યુ પામીને પિતૃલોકમાં જવાનું છે, 51 કારણ કે તમે સીનના રણમાં કાદેશ આગળ આવેલા મરીબાહનાં ઝરણા નજીક માંરા પર અવિશ્વાસ કરીને ઇસ્રાએલીઓ આગળ માંરું અપમાંન કર્યુ હતું. 52 તેથી સર્વ ઇસ્રાએલીઓને જે દેશ આપનાર છું. તેને તૂ દૂરથી જોઈ શકીશ. પણ તેમાં પ્રવેશ કરી શકીશ નહિ.”

ગીતશાસ્ત્ર 119:121-144

હાયિન

121 મેં જે સારું અને સાચું છે તે કર્યુ છે;
    યહોવા, મને મારા પર જુલમ કરનારના હાથમાં ન સોંપો.
122 તમારા સેવક માટે સારી વસ્તુઓ તૈયાર કરો.
    ઉદ્ધત લોકોને મારા પર જુલમ કરવા ન દો.
123 તમારા તારણની અને પવિત્રવચનની રાહ જોતાં જોતાં
    મારી આંખો નિસ્તેજ થઇ ગઇ છે.
124 તમારી કૃપા પ્રમાણે તમારા સેવકની સાથે વર્તજો;
    અને તમારા વિધિઓ મને શીખવજો.
125 હું તો તમારો સેવક છું, મને શાણપણનું વરદાન આપો,
    જેથી હું તમારા સાક્ષ્યોને જાણી શકું.
126 હે યહોવા, હજુ સમય છે કઇંક પગલા ભરો;
    કારણકે દુષ્ટ માણસોએ નિયમોનું ખંડન કર્યુ છે.
127 જ્યારે હું સોના કરતાં,
    શુદ્ધ સોના કરતાય વધુ તમારી આજ્ઞાઓ પર પ્રેમ રાખું છું.
128 તમારા શાસનો પ્રમાણે હું મારી સવેર્ વર્તણૂંક યથાર્થ રાખું છું;
    અને હું દરેક જૂઠા માર્ગને ધિક્કારું છું.

પે

129 તમારા નિયમો અદભૂત છે;
    તેથી હું તેમને આધિન છું.
130 તમારા વચનો એક તિરાડ જેવા છે જે અંધારા ઓરડામાં પ્રકાશ પાથરે છે,
    અને તેથી એક સામાન્ય માણસ પણ સમજી શકે છે.
131 તમારાં વચનો માટે મને ઉત્સુકતા છે;
    હું મારું મો ઉઘાડીને તલપી રહ્યો છું.
132 તમારા પર પ્રેમ કરનારાઓ સાથે તમે જે રીતે વતોર્ છો;
    તેમ તમે મારા તરફ જોઇને મારા પર દયા કરો.
133 હે યહોવા, તમારા વચનપ્રમાણે મને દોરો.
    કોઇપણ દુષ્ટતાને મારા પર શાસન ન કરવા દો.
134 જુલમી માણસોમાંથી મને બચાવો,
    જેથી હું તમારા શાસનોનું પાલન કરી શકું.
135 તમારા સેવક પર તમારા મુખનો પ્રકાશ પાડો;
    અને તમારા બધાં નિયમો મને શીખવો.
136 તેઓ તમારા નિયમો પાળતા નથી,
    તેથી મારી આંખોમાંથી ચોધારા આંસુ વહે છે.

સાદે

137 હે યહોવા, તમે ન્યાયી છો,
    તમારા ન્યાયવચનો યથાર્થ છે.
138 તમે તમારા સાક્ષ્યો અમને આપ્યા,
    ખરેખર અમે તેમનો વિશ્વાસ કરી શકીએ.
139 તમારા માટેનો મારો ઉત્સાહ મને ક્ષીણ કરી રહ્યો છે,
    કારણ મારા શત્રુઓ તમારા નિયમોને ભૂલી ગયાં છે.
140 તમારા શબ્દો તદૃન નિર્મળ છે;
    અને તેથી આ તમારો સેવક તમારા શબ્દોને ચાહે છે.
141 જો કે હું યુવાન છું અને લોકો મને માન આપતાં નથી,
    હું તમારા શાસનોને કદી ભૂલી જતો નથી.
142 તમારું ન્યાયીપણું તો અનંતકાળ ટકશે;
    તમારો નિયમ સાચા અને વિશ્વસનીય છે.
143 મને ઉપાધિઓ અને આપત્તિઓએ જકડી લીધો છે.
    પરંતુ તમારી આજ્ઞામાં મારી પ્રસન્નતા રહે છે.
144 તમારા સાક્ષ્યો સદાકાળ ન્યાયયુકત છે,
    માટે મને સમજણ આપ, જેથી હું જીવતો રહીશ.

યશાયા 59

પાપ સંબંધી ચેતવણી ને યહોવાની સહાય

59 જુઓ, યહોવાનો હાથ કઇં એવો નિર્બળ નથી કે તે તમારો બચાવ ન કરી શકે અથવા તેનો કાન એવો બહેરો નથી કે સાંભળી ન શકે. પણ તમારા પાપોએ તમારી અને દેવની વચ્ચે આડ ઊભી કરી છે; તમારાં પાપને કારણે તે તેમને દર્શન આપતો નથી કે નથી સાંભળતો. તમારા હાથ લોહીથી, ને અપરાધોથી ખરડાયેલા છે; ને તમારી જીભ જૂઠું બોલે છે અને દગાફટકાથી વાત કરે છે. અદાલતમાં સાચી ફરિયાદ કરવાં કોઇ જતું નથી. સૌ પોકળ દલીલો પર આશા બાંધે છે, ને સૌ કોઇ જૂઠાણું ચલાવે છે. દુષ્ટ મનસૂબા ઘડે છે અને અધર્મ આચરે છે. તેઓ સાપનાં ઇંડા સેવે છે અને કરોળિયાનાં જાળાં ગૂંથે છે; જે એ ઇંડા ખાય છે તે મોતને ભેટે છે, ને જે ઈંડુ ફૂટે છે તેમાંથી સાપ નીકળે છે.

તેમનાં જાળાં કઇં વસ્ત્ર તરીકે કામ આવવાનાં નથી, કોઇ તેને પહેરી શકવાનું નથી.

તેમનાં કર્મો કુકર્મો છે અને તેમના હાથ હિંસા આચરે છે. દુષ્ટ કૃત્યો કરવા તેમના પગ દોડી જાય છે, ને નિર્દોષનું લોહી રેડવા તેઓ ઉતાવળા થાય છે, તેઓ હંમેશા કાવાદાવાના જ વિચાર કરતા હોય છે, અને પોતાની પાછળ વિનાશ અને પાયમાલી મુકતા જાય છે, તેઓ શાંતિનો માર્ગ જાણતા નથી. તેમના માર્ગમાં કોઇ ન્યાય નથી. તેમના માર્ગો છેતરામણા છે અને એ માર્ગે જનારા કોઇને શાંતિ મળતી નથી.

ઇસાએલના પાપોથી મુશ્કેલીઓનું આવવું

તેથી આપણને ન્યાય મળતો નથી,
આપણી મુકિત હજી દૂર છે.
    અમે અજવાળાની આશા રાખીએ છીએ,
પણ જુઓ અંધકારમાં; તેજ ઝંખીએ છીએ
    અને અંધકારમાં અટવાઇએ છીએ.
10 આપણે અંધજનની જેમ ભીંતે
    હાથ દઇને ફાંફા મારીએ છીએ,
આપણે ભરબપોરે જાણે અંધારી
    રાત્રિ હોય એમ ઠોકર ખાઇએ છીએ;
    જાણે આપણે ભટકતાં મૃત લોકો ના હોઇએ!
11 આપણે બધા રીંછની જેમ ઘૂરકીએ છીએ,
    ને હોલાની જેમ કણીએ છીએ.
આપણે ન્યાયને ઝંખીએ છીએ,
    પણ ન્યાય મળતો નથી,
તારણની આશા રાખીએ છીએ,
    પણ તે અમારાથી દૂર રહે છે.
12 હે યહોવા, અમે તારા અનેક અપરાધો કર્યા છે
    અને અમારાં પાપ અમારી વિરુદ્ધ સાક્ષી પૂરે છે.
અમને અમારા પાપોનું ભાન છે,
    અમારા પાપ અમે જાણીએ છીએ.
13 તારી સામે અમે બળવો કર્યો છે
    અને તારો નકાર કર્યો છે,
અમે તમને,
    અમારા દેવને અનુસરવાનું છોડી દીધું છે,
અમે ઘોર ત્રાસ
    અને બળવાની વાતો કરીએ છીએ,
અમે જૂઠાણાંઓ વિચારીએ છીએ
    અને તેને જ ઉચ્ચારીએ છીએ.
14 અમે ન્યાયને પાછો કાઢીએ છીએ
    અને ધર્મને આઘો રાખીએ છીએ.
ન્યાયીપણું નગરનાં ચોકમાં ઠોકર ખાય છે,
    અને પ્રામાણિકતાને પ્રવેશવા દેવામાં આવતી નથી.
15 હા, સત્યનો સદંતર અભાવ છે,
    અને જે સત્યને વળગી રહેવા પ્રયત્ન કરે છે તેના ઉપર આક્રમણ થાય છે.

યહોવાએ સર્વ દુષ્ટતા નિહાળી છે
    અને પાપની વિરુદ્ધ કોઇ પગલું લેવામાં આવ્યું નથી તેથી તે નારાજ થાય છે.
16 યહોવાએ આ જોયું છે અને તે ન્યાયના અભાવથી અપ્રસન્ન થયા છે.
    દીનદલિતોની સાથે થવા કોઇ તૈયાર નથી,
એ જોઇને તે નવાઇ પામ્યા છે.
    આથી તે પોતાના જ બાહુબળથી અને ન્યાયીપણાથી વિજય પ્રાપ્ત કરશે.
17 તે મુકિતનું બખતર ચઢાવશે
    અને માથે વિજયનો ટોપ ધારણ કરશે,
વેરના વાઘા પહેરશે
    અને ઉપર ક્રોધનો ઝભ્ભો ઓઢશે.
18 તે દરેકને તેના કર્મ પ્રમાણે બદલો આપશે.
    શત્રુઓ પર રોષ ઉતારશે,
દુશ્મનોને દંડ દેશે
    અને દૂર દેશાવરના લોકોને પણ સજા કરશે.
19 ત્યારબાદ પૂર્વથી પશ્ચિમ સુધી લોકો યહોવાના નામથી ડરશે
    અને તેના પ્રતાપથી થરથર ધ્રુજશે;
કારણ તે ધસમસતા પૂરની
    અને પ્રચંડ વાયુની જેમ ઘસી આવશે.
20 પણ સિયોનને માટે, પોતાના લોકોમાંથી જેઓ પાપથી પાછા ફર્યા હશે
    તેમને માટે તો તે ઉદ્ધારકરૂપે આવશે. આ યહોવાના પોતાના વચન છે.

21 યહોવા કહે છે કે, “આ મારો તમારી સાથેનો કરાર છે; મેં મારો આત્મા જે તારા પર છે, ને મારાં વચનો જે તારા મુખમાં મૂક્યાં છે તે તારા મુખમાંથી તારા સંતાનના મુખમાંથી, તથા તારા સંતાનના સંતાનનાં મુખમાંથી હમણાંથી તે સર્વકાળપર્યંત અલોપ થનાર નથી.”

માથ્થી 7

ઈસુ બીજાને દોષિત ન ઠરાવવા વિષે શિક્ષણ આપે છે

(લૂ. 6:37-38, 41-42)

“બીજાઓને દોષિત ન ઠરાવો, અને દેવ તમને દોષિત ઠરાવશે નહિ. તમે જે રીતે બીજાનો ન્યાય કરશો, તે જ રીતે તમારો પણ ન્યાય થશે તમે બીજાઓનો ન્યાય કરવા જે માપનો ઉપયોગ કરો છો, તે જ માપનો ઉપયોગ તમારા ચુકાદા માટે થશે.

“જો તારી આંખમાં ભારોટિયો હોય તે તું જોઈ નથી શકતો તો તારા ભાઈની આંખમાંનું તણખલું શા માટે જુએ છે? તું તારા ભાઈને કેવી રીતે કહી શકે, ‘તારી આંખમાં જે તણખલું છે તે મને કાઢવા દે?’ જ્યારે તારી આંખમાં મોટો ભારોટિયો હોય! ઓ ઢોંગી તું પહેલાં તારી આંખમાંનો મોટો ભારોટિયો દૂર કર, પછી તું સારી રીતે જોઈ શકીશ. અને તારા ભાઈની આંખમાંથી તણખલું કાઢી શકીશ.

“જે પવિત્ર છે તે કૂતરાઓની આગળ ના નાંખો અને ભૂંડોની આગળ મોતી ન વેરો. કદાચ તેઓને પગ નીચે કચડી નાંખે અને તમારા તરફ પાછા ફરી તમને ફાડી નાખે.

જે જોઈએ છે તેના માટે દેવને પ્રાર્થના કરો

(લૂ. 11:9-13)

“દેવ પાસે માંગવાનું ચાલું રાખો, અને દેવ તમને આપશે, શોધવાનું ચાલું રાખો, અને તમને જડશે. ખખડાવવાનું ચાલું રાખો અને દરવાજો તમારા માટે ઉઘડી જશે. કારણ કે જે માંગે છે તેને એ જરૂરથી મળે છે, જે શોધતા રહે છે તેમને જરૂરથી પ્રાપ્ત થાય છે. અને જે ખટખટાવે છે, તેમને માટે દરવાજા અવશ્ય ઉઘડી જાય છે.

“તમારામાંના કોઈ એકને દોકરો છે? જો તારો દીકરો તારી પાસે રોટલી માંગે તો શું તું તેને પથ્થર આપીશ? ના! 10 જો તારો દીકરો તારી પાસે માછલી માંગે તો તું તેને સર્પ આપશે? ના! 11 તમે ભૂડા છતાં તમે પોતાના બાળકોને સારો ખોરાક આપી જાણો છો તો તમારા આકાશમાંના પિતાની પાસે માંગશો તો તમને જરૂર સારી વસ્તુઓ આપશે.

અગત્યનો નિયમ

12 “તમે બીજા પાસે જેવા વ્યવહારની અપેક્ષા રાખતા હોય એવો જ વ્યવહાર તમે તેઓની સાથે રાખો. મૂસાના નિયમશાસ્ત્ર અને પ્રબોધકોની વાતોનો સારાંશ એ જ છે.

આકાશ અને નરકનો માર્ગ

(લૂ. 13:24)

13 “સાંકડા કરવાજામાંથી દાખલ થાઓ, કારણ કે જે દરવાજો પહોળો છે અને જે રસ્તો સરળ છે, તે વિનાશ તરફ દોરે છે. ઘણા લોકો તે રસ્તેથી જાય છે. 14 જે દરવાજો સાંકડો છે, અને જે રસ્તો નાનો છે, તે સાચા જીવન તરફ દોરે છે. ફક્ત થોડા જ લોકોને તે જડે છે.

મનુષ્યોનાં કૃત્યોને ઓળખો

(લૂ. 6:43-44; 13:25-27)

15 “જૂઠા પ્રબોધકોથી સાવધાન રહો. તેઓ તમારી પાસે ઘેટાંના વેશમાં આવે છે. પણ તેઓ વરુંઓ જેવા ભયંકર હોય છે. 16 તમે આવા લોકોને તેઓ જે વસ્તુઓ કરે છે તેનાથી ઓળખી શકશો. જેમ કાંટાળી ઝાડી પરથી દ્રાક્ષ અને કાંટાળી ઊંટકટારી પરથી અંજીર મળી શક્તા નથી. તેમ ખરાબ લોકો પાસેથી સારી વસ્તુની અપેક્ષા રાખી શકો નહિ. 17 તે જ પ્રમાણે પ્રત્યેક સારું વૃક્ષ સારાં ફળ આપે છે ને ખરાબ વૃક્ષ નઠારાં ફળ આપે છે. 18 તે જ પ્રમાણે સારું ઝાડ નઠારા ફળ આપી શક્તું નથી, અને ખરાબજાડ સારા ફળ આપી શક્તું નથી. 19 જે વૃક્ષ સારાં ફળ આપી શક્તાં નથી તેને કાપીને અગ્નિમાં નાંખી દેવામાં આવે છે. 20 તેથી તમે આવા લોકોને તેઓ કેવાં ફળો આપે છે તેના પરથી ઓળખી શકશો.

21 “જે મને પ્રભુ, પ્રભુ કહે છે, તે દરેક વ્યક્તિ આકાશના રાજ્યમાં પ્રવેશ કરશે એમ તો નહિ, પણ જેઓ મારા આકાશમાંના પિતાની ઈચ્છા પ્રમાણે કરે છે તેઓ જ આકાશમાં પ્રવેશી શકશે. 22 એ અંતિમ દિવસે ઘણા લોકો મને કહેશે, પ્રભુ અમે તારા માટે નથી બોલ્યા? તો શું અમે તારા નામે પ્રબોધ કર્યો નથી? અને તારા નામે ભૂતોને[a] કાઢયાં નથી? અને તારા નામે બીજા ઘણા પરાકમો કર્યા નથી? 23 પછી હું તેઓને કહીશ, ‘તમે અહીથી ચાલ્યા જાઓ, તમે ભૂંડા છો, મેં તમને કદી પણ ઓળખ્યા નથી.’

એક ડાહ્યો અને એક મૂર્ખ માણસ

(લૂ. 6:47-49)

24 “જે કોઈ વ્યક્તિ મારા વચનોને સાંભળે છે અને તે પ્રમાણે આચરણ કરે છે તે ખડક પર મકાન બાંધનાર ડાહ્યા માણસ જેવો છે. 25 ધોધમાર વરસાદ પડ્યો, પૂર આવ્યું અને તે ઘર પર વાવાઝોડું ફુંકાયું છતાં પણ તે ઘર તૂટી પડ્યું નહિ કારણ કે તેનો પાયો ખડક ઉપર બાંધેલો હતો.

26 “પરંતુ જે વ્યક્તિ મારા આ વચનોને ધ્યાનથી સાંભળે છે પરંતુ તે પ્રમાણે વર્તતો નથી તે રેતી પર ઘર બાંધનાર મૂર્ખ માણસ જેવો છે. 27 ધોધમાર વરસાદ આવ્યો, પૂર આવ્યું અને વાવાઝોડાના સપાટા લાગ્યા ત્યારે તે મકાન મોટા અવાજ સાથે જમીનદોસ્ત થઈ ગયું.”

28 ઈસુએ જ્યારે આ વચનો કહેવાનું પુરું કર્યુ, ત્યારે તેના ઉપદેશથી લોકો અચરત પામ્યા. 29 કારણ કે ઈસુ અધિકાર સાથે ઉપદેશ આપતો હતો, નહિ કે તેમના શાસ્ત્રીઓની જેમ.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International