Revised Common Lectionary (Semicontinuous)
નિર્દેશક માટે. રાગ: ગિત્તિથ આસાફના ગીતોમાંનુ એક.
1 દેવ જે આપણું સાર્મથ્ય છે તેમની સમક્ષ મોટેથી સ્તુતિ ગાઓ,
યાકૂબના દેવ સમક્ષ હર્ષનાદ કરો.
10 કારણ, મિસર દેશમાંથી તમને બહાર કાઢી લાવનાર
હું ‘યહોવા’ તમારો દેવ છું!
તમારું મુખ ઉઘાડો અને હું તેને ભરી દઇશ.
હું તમને ખવડાવીશ.
11 “પણ ના! મારા લોકોએ મને સાંભળી નહિ;
ઇસ્રાએલ મારી ચેતવણી સ્વીકારવા ઇચ્છતુ નથી.
12 તેથી તેઓને મેં જવા દીધા તેમના અંધારિયાં તથા હઠીલા માર્ગે;
અને તેઓની ઇચ્છા પ્રમાણે જીવવા દીધા.
13 મારા લોકો મારું સાંભળે તો કેવું સારું! અરે,
ઇસ્રાએલ મારું અનુસરણ કરો અને મારા માર્ગો પર ચાલે તો કેવું સારું!
14 તો હું તેઓના શત્રુઓને પરાજીત કરું અને વહેલા નમાવું;
અને તેઓના વેરીની વિરુદ્ધ, મારો હાથ ઝડપથી ઉપાડું!
15 જેઓ યહોવાને ધિક્કારે છે તેઓ તેમની સામે ભયથી ધૂજશે;
પણ તેમની સજા તો સદાને માટે રહેશે.
16 પરંતુ તમને હું, શ્રેષ્ઠ ઘઉંથી તૃપ્ત કરીશ;
અને તમને, ખડકમાંના મધથી સંતોષ આપીશ.”
યર્મિયાની યહોવાને ફરિયાદ
12 હે યહોવા, હું તમારે વિષે ફરિયાદ કરું છું
ત્યારે સત્ય તમારે પક્ષે હોય છે.
તેમ છતાં ન્યાયના એક મુદ્દા વિષે મારે તને પૂછવું છે,
દુષ્ટ માણસો કેમ સુખસમૃદ્ધિ પામે છે?
બદમાશો કેમ નિરાંતે જીવે છે?
2 તમે તેઓને રોપો છો, તેઓનાં મૂળ ઊંડા જાય છે.
અને તેઓનો વેપાર વધતો જાય છે,
તેઓ ઘણો નફો કરે છે.
અને ધનવાન થાય છે.
તેઓ કહે છે, “દેવની કૃપાથી!” સાચા હૃદયથી તેઓ તમારો આભાર માનતા નથી.
3 હે યહોવા, તમે મને જાણો છો,
તમારા પ્રત્યેની મારી ભકિત તમે ક્યાંય જોઇ છે?
તેઓને ઘેટાંની જેમ કતલખાને ખેંચીને લઇ જા,
અને કતલના દિવસ સુધી તેઓને રાખી મૂક.
4 અને હે યહોવા, ક્યાં સુધી ભૂમિ શોક કરશે?
તેઓનાં દુષ્ટ કાર્યોને કારણે ક્યાં સુધી ખેતરમાંનું લીલું ઘાસ
પણ સૂકાતું રહેશે અને આક્રંદ કરતું રહેશે!
વનચર પશુ-પક્ષીઓ પણ ચાલ્યા ગયા છે.
દેશ ઉજ્જડ થઇ ગયો છે તેમ છતાં લોકો કહે છે,
“આપણે શું કરીએ છે તે દેવ જોઇ શકતો નથી!”
દેવનો યર્મિયાને જવાબ
5 યહોવાએ કહ્યું, “જો માણસો સાથે દોડતાં
તું થાકી જાય તો પછી ઘોડાઓ સાથે શી રીતે હોડમાં ઊતરશે?
જો તું સલામત પ્રદેશમાં નિશ્ચિંત નથી તો,
યર્દનના કાંઠે આવેલાં જંગલમાં તારું શું થશે?
6 અને આના કારણે તારા પોતાનાં ભાઇઓ
અને તારા પોતાના કુટુંબે પણ તને દગો દીધો છે.
તેઓ તને મારી નાખવા માટે તારી પીઠ પાછળ મોટી બૂમો પાડે છે.
તેઓ ગમે તેટલા મીઠા શબ્દોથી તારી સાથે વાત કરે,
છતાં પણ તેઓનો વિશ્વાસ કરીશ નહિ.”
યહોવાએ પોતાના લોકોનો અને યહૂદાનો ત્યાગ કર્યો
7 પછી યહોવાએ કહ્યું, “મારા લોકોનો,
મારા વારસાનો મેં ત્યાગ કર્યો છે;
મારી અતિપ્રિય પ્રજાને
મેં શત્રુઓને સ્વાધીન કરી છે.
8 મારા લોકો જંગલમાંના સિંહની જેમ મારી સામે થયા છે.
અને મારી સામે ભયંકર ગર્જનાઓ કરે છે, તેથી હું તેમનો તિરસ્કાર કરું છું.
9 મારા પોતાના લોકો
કાબરચીતરાં બાજ જેવા છે;
બીજા બધાએ ચારેબાજુએથી તેમના પર હલ્લો કર્યો છે.
ચાલો, જંગલનાં સર્વ પશુઓ એકઠા થાઓ
અને મિજબાનીમાં જોડાઇ જાઓ.
10 ઘણા ઘેટા પાળકો મારી દ્રાક્ષનીવાડીનો નાશ કર્યો છે અને મારું ખેતર પગ તળે ખૂંદી નાખ્યું છે.
તેમણે મારા રળિયામણા ખેતરને વેરાન વગડો બનાવી દીધું છે.
અને મારી નજર આગળ તેને ખેદાનમેદાન કરી નાખ્યું છે.
11 તેઓએ આખી ભૂમિને
વેરાન કરી નાખી છે,
કારણકે ત્યાં રહેતી કોઇ
પણ વ્યકિત તેની કાળજી લેતી નથી.
12 વગડાના ઉજ્જડ ટેકરાઓ પર થઇને ધાડપાડુઓના ધાડાં ધસી આવ્યા છે.
કારણ કે મારી તરવાર બધું ભરખી રહી છે.
દેશનાં આ છેડાથી પેલા છેડા સુધી
બધાના જીવને અશાંતિ છે.
13 મારા લોકોએ ઘઉં વાવ્યા છે
અને કાંટા લણ્યા છે.
મહેનત તો ઘણી કરી છે,
પણ કશું પ્રાપ્ત થયું નથી.
મારા ઉગ્ર રોષને લીધે
તેઓની ફસલ નકામી ગઇ છે.”
દેવના કૃપાદાનોના સારા કારભારી બનો
7 એ સમય નજીક છે કે જ્યારે બધીજ વસ્તુઓનો અંત થશે. તેથી તમારા મન શુદ્ધ રાખો, અને તમારી જાત ઉપર નિયંત્રણ રાખો. તમને પ્રાર્થના કરવામાં આ મદદરૂપ બનશે. 8 વધુ મહત્વનું એ છે કે, એક બીજા પર આગ્રહથી પ્રીતિ કરો. પ્રીતિ બધા પાપોને ઢાંકે છે. 9 કોઇ પણ જાતની ફરીયાદ વગર એકબીજાને પરોણા રાખો. 10 તમારામાનાં દરેકને દેવ તરફથી આત્મિક કૃપાદાન પ્રાપ્ત થયું છે. દેવે તેની કૃપા વિવિધ રીતે તમને દર્શાવી છે. અને તમે એવા સેવક છો કે જે દેવના કૃપાદાનના ઉપયોગ માટે જવાબદાર છો. તેથી સારા સેવકો બનો. અને એકબીજાની સેવા કરવા કૃપાદાનનો ઉપયોગ કરો. 11 જો કોઈ વ્યક્તિ બોધ કરે તો તેણે દેવના વચન પ્રમાણે બોધ કરવો જોઈએ. અને જે સેવા કરે છે તેણે દેવ થકી પ્રાપ્ત થયેલ સાર્મથ્ય વડે સેવા કરવી જોઈએ. તમારે એવાં જ કાર્યો કરવા જોઈએ કે જેથી બધી બાબતોમાં ઈસુ ખ્રિસ્ત દ્ધારા દેવ મહિમાવાન થાય તેને સદાસર્વકાળ મહિમા તથા સત્તા છે. આમીન.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International