Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 106:1-12

યહોવાની સ્તુતિ કરો!
યહોવાનો આભાર માનો, કારણકે તે ભલા છે,
    તેમનો સાચો પ્રેમ સદાકાળ છે!
યહોવાના મહાન કૃત્યો કોણ વર્ણવી શકે?
    તેમની સંપૂર્ણ સ્તુતિ કોણ કરી શકે?
ધન્ય છે તેઓને જેઓ ન્યાયને અનુસરે છે,
    અને હંમેશા જે સાચું છે તે જ કરે છે.

હે યહોવા, તમે તમારા લોકો પર કૃપા કરો;
    ત્યારે મને યાદ રાખશો, અને તમે જેઓને બચાવ્યાં છે તે લોકોમાં મારો સમાવેશ કરવાનું યાદ રાખશો.
જેથી તમારા પસંદ કરેલાઓનું કલ્યાણ હું જોઉં;
    તમારી પ્રજાનાં આનંદમાં હું પણ આનંદ માણું;
અને તમારા વારસોની સાથે
    હું હર્ષનાદ કરું.
અમારા પિતૃઓની જેમ અમે પણ પાપ કર્યુ છે;
    અન્યાય કર્યા છે, અમે દુષ્ટતા કરી છે.
મિસરમાઁના તમારાં ચમત્કારોમાંથી
    અમારા પિતૃઓ કાઇં શીખ્યાં નહિ,
અને તેઓ તમારો પ્રેમ અને દયા જલ્દી ભૂલી ગયા,
    તેઓએ રાતા સમુદ્ર પાસે તમારી વિરુદ્ધ બંડ પોકાર્યું.

તો પણ, પોતાના નામની માટે
    અને તેઓને પોતાના પરાક્રમ દેખાડવાં માટે તેણે તેમને તાર્યા.
તે દેવે રાતા સમુદ્રને આદેશ આપ્યો એટલે તે સૂકાઇ ગયો,
    અને તેણે અમારા પિતૃઓને ઊંડા સમુદ્રમાંથી રેતીના રણ જેવી સૂકી ભૂમિ પર દોર્યા.
10 તેમણે તેઓને વૈરીઓના હાથમાંથી તાર્યા;
    અને દુશ્મનનાં હાથમાંથી તેઓને છોડાવ્યા.
11 તેઓના દુશ્મનો પર પાણી ફરી વળ્યું;
    તેઓમાંનો એકેય બચ્યો નહિ.

12 ત્યાર પછી જ તેના લોકોએ તેમનાં શબ્દો પર વિશ્વાસ કર્યો
    અને તેમની પ્રશંસામાં સ્તુતિ ગાઇ.

ન્યાયાધીશો 5:12-21

12 “યહોવાના લોકો નગરમાંથી બહાર દોડી આવ્યા.
    દબોરાહ, ઊભી થા અને યહોવાની સ્તુતિ ગાઓ,
અબીનોઆમના પુત્ર બારાક, ઊભો થા,
    અને દુશ્મનોને પકડી લે.

13 “પછી યહોવાના લોકોમાંથી બચેલા શક્તિશાળી યોદ્ધાઓની સામે નીચે આવ્યા.
    યોદ્ધાઓની વિરૂદ્ધ તેઓ માંરી સાથે નીચે આવ્યા.

14 “એફ્રાઈમના લોકો જેઓ
    અમાંલેકી વચ્ચે રહેતા હતાં,
તે બિન્યામીન, તારા લોકો
    સાથે નીચે આવ્યા.
માંખીરથી સેનાપતિઓ
    કૂચ કરીને ધસી આવ્યા,
ઝબુલોનના કુળસમૂહના
    અધિકારીઓ પણ આવી પહોંચ્યા.
15 ઈસ્સાખારના આગેવાનો દબોરાહ સાથે હતાં:
    ઈસ્સાખારના લોકો બારાકની સાથે રહ્યાં,
    તેના હુકમથી તેઓ લડાઈના મેદાનમાં ગયા.

“પણ રૂબેનના કુળનાં સૈનિકો લાંબા સમય સુધી ચર્ચા કરતા રહ્યાં તેથી તેઓ લડવા માંટે ન ગયા.
16 કેમ તમે ઢોરની કોંઢમાં બેસી રહ્યાં હતાં?
ઘેટાંના ટોળા માંટે વગાડવામાં આવતું સંગીત સાંભળતા રૂબેનના
    સૈનિકો લાંબા વખત સુધી ચર્ચા કરતા હતાં.
17 યર્દન નદીની બીજી બાજુએ ગિલયાદના
લોકો ઘરમાં જ રહ્યાં,
    દાનના લોકો વહાણો પાસે શા માંટે રહ્યાં?
આશેરના લોકો સમુદ્રકાંઠે રોકાઈ રહ્યાં,
    અને તેઓ ખાડી પાસે રાહ જોતા રહ્યાં.

18 “પણ ઝબુલોનના લોકોએ જીવ જોખમમાં મૂકયો, નફતાલીના લોકોએ પણ યુદ્ધના મેદાનમાં પ્રાણ આપવાની હિંમત કરી મૃત્યુનો સામનો કર્યો.
19 રાજાઓ આવ્યા અને તાઅનાખમાં આવેલી મગિદોના નદીની નજીક યુદ્ધ શરું થયું.
    કનાનના રાજાઓ યુદ્ધ ચડયા,
પણ તેઓને લૂંટ તરીકે ચાંદી ન મળી, જેના માંટે તેઓ લડયા હતાં.
20 આકાશના તારાઓ પણ લડયા.
    તેઓ આકાશમાંના તેમના ભ્રમણ માંર્ગોમાંથી સીસરા સામે લડયા.
21 પ્રાચીન કીશોન નદીના ધસમસતા પૂર
    તેમને તાણી ગયા, ઓ માંરા આત્માં,
મજબૂત બન અને આગળ ધસ.

1 યોહાન 5:13-21

હવે આપણી પાસે અનંતજીવન છે

13 હું આ પત્ર, જે દેવના પુત્રમાં વિશ્વાસ કરે છે એવા તમને લોકોને લખું છું. જેથી તમે જાણશો કે હવે તમારી પાસે અનંતજીવન છે. 14 આપણે દેવ પાસે શંકા વગર આવી શકીએ છીએ. એનો અર્થ એ છે કે આપણે દેવ પાસે તેની ઈચ્છાનુસાર કંઈ પણ માગીએ તો દેવ આપણને સાંભળે છે. 15 દરેક વખતે આપણે તેની પાસે માગીએ છીએ ત્યારે દેવ આપણને ધ્યાનથી સાંભળે છે. તેથી આપણે જાણીએ છીએ કે તેની પાસે આપણે જે માગીએ તે વસ્તુઓ તે આપણને આપે છે.

16 ધારો કે કોઇ વ્યક્તિ ખ્રિસ્તમાં તેના ભાઇ અથવા બહેનને પાપ કરતા જુએ છે (પાપ કે જે મરણકારક નથી) તો તે વ્યક્તિ એ તેની બહેન અથવા ભાઇ જે પાપ કરે છે તેઓના માટે પ્રાર્થના કરવી જોઈએ. પછી ભાઈ કે બહેનને દેવ જીવન આપશે. જેમનું પાપ અનંત મૃત્યુમાં દોરી જતુ નથી એવા લોકો વિશે હું વાત કરું છું. એવું પણ પાપ છે જે મરણકારક છે. તે વિશે હું કહેતો નથી કે પ્રાર્થના કરવી. 17 ખોટું કરવું તે હંમેશા પાપ છે. પરંતુ એવું પણ પાપ છે જે અનંત મૃત્યુ તરફ દોરી જતું નથી.

18 આપણે જાણીએ છીએ કે કોઇ પણ વ્યક્તિ જે દેવનો બાળક બન્યો છે તે પાપ કર્યા કરતો નથી. દેવનો પુત્ર દેવના બાળકને સુરક્ષિત રાખે છે.[a] શેતાન પણ તે વ્યક્તિને ઈજા કરી શકતો નથી. 19 આપણે જાણીએ છીએ કે આપણે દેવના છીએ. પરંતુ શેતાન આખી દુનિયાને કાબુમાં રાખે છે 20 અને આપણે જાણીએ છીએ કે દેવનો પુત્ર ઈસુ ખ્રિસ્ત આવ્યો છે. દેવના પુત્રએ આપણને સમજ આપી છે. હવે આપણે દેવને ઓળખી શકીએ છીએ. દેવ જે સાચો છે. અને આપણું જીવન તે સાચા દેવ અને તેના પુત્રમાં છે, ઈસુ ખ્રિસ્ત તે જ ખરો દેવ છે, અને તે અનંતજીવન છે. 21 તેથી, વહાલાં બાળકો, તમારી જાતને જૂઠા દેવોથી દૂર રાખો.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International