Print Page Options
Previous Prev Day Next DayNext

Chronological

Read the Bible in the chronological order in which its stories and events occurred.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
આમોસ 1-5

ભૂમિકા

યહૂદિયાના રાજા ઉઝિઝયા અને ઇસ્રાએલના યોઆશના પુત્ર રાજા યરોબઆમના સમયમાં, આમોસ તકોઆ જાતિના ભરવાડોમાંનો એક હતો આ ઇસ્રાએલ વિષેના સંદેશાઓ છે જે તેને ધરતીકંપ થયાના બે વર્ષ પહેલા.

અરામને સજા

તેણે કહ્યું,
“યહોવા સિયોનમાંથી ગર્જના કરશે,
    યરૂશાલેમ મોટેથી કહેશે;
ભરવાડો આક્રંદ કરશે,
    અને કામેર્લની ટોચ સૂકાઇ જશે.”

યહોવા આ પ્રમાણે કહે છે: “દમસ્કના લોકોએ વારંવાર પાપ કર્યા છે, અને હું તે ભૂલીશ નહિ. હું તેઓને શિક્ષા કર્યા વગર રહીશ નહિ. જેમ અનાજ ધોકાવાની લોખંડની ગાડીથી ધોકાવાય છે, તેમ ગિલયાદમાં મારા લોકોને તેઓએ માર્યા છે. પરંતુ હું હઝાએલના મહેલને આગ ચાંપીશ, ને તે બેન-હદાદના મહેલોને ભસ્મીભૂત કરી દેશે.

“વળી હું દમસ્કના દરવાજાઓ તોડી નાખીશ, અને આવેનની ખીણમાંના લોકોનો નાશ કરીશ. બેથ-એદેનના નેતાઓને શિક્ષા કરીશ. અરામના લોકો દેશ નિકાલ થયેલની જેમ કીર પાછા ફરશે.” આ યહોવાના શબ્દો છે.

પલિસ્તીઓને સજા

યહોવા કહે છે: “ગાઝાના લોકોએ વારંવાર પાપ કર્યા છે. તેઓએ ધીમે ધીમે ઘસડીને આખા સમાજને અદોમના લોકોને ગુલામ તરીકે સોપી દીધેલ છે. આ માટે હું તેઓને જરૂર શિક્ષા કરીશ, હું ગાઝાની દીવાલોને આગ લગાડીશ અને આગ નગરના સર્વ કિલ્લેબંધી કરેલા ઘરોને નષ્ટ કરી નાંખશે. હું આશ્દોદના બધા લોકોને મારી નાખીશ. એક્રોન અને આશ્કલોનના રાજાનો પણ નાશ કરીશ. બાકી રહેલા પલિસ્તીઓ નાશ પામશે, તેમ દેવ યહોવા કહે છે.”

તૂરના લોકોને સજા

યહોવા કહે છે: “તૂરના લોકોએ વારંવાર પાપ કર્યા છે. અને હું તે ભૂલીશ નહિ, હું તેને શિક્ષા કર્યા વિના છોડીશ નહિ, તેઓએ ઇસ્રાએલ સાથેની મિત્રતાના કરારનો ભંગ કર્યો છે. અને ઇસ્રાએલ પર હુમલો કરીને સમગ્ર પ્રજાને દેશનિકાલ થયેલાની જેમ અદોમ લઇ આવ્યા. 10 તેને માટે હું તેઓને જરૂર શિક્ષા કરીશ, હું તૂરની દીવાલોને આગ લગાડીશ અને આગ શહેરના સર્વ કિલ્લેબંધી કરેલા ઘરોને નષ્ટ કરી નાખશે.”

અદોમને સજા

11 યહોવા કહે છે: “અદોમના લોકોએ વારંવાર પાપ કર્યા છે અને હું તેમને ભૂલી જઇશ નહિ. હું તેને શિક્ષા કર્યા વિના છોડીશ નહિ. તેણે દયાને નેવે મૂકીને હાથમાં તરવાર લઇને પોતાના જાતભાઇઓ યાકૂબના વંશજોનો પીછો કર્યો હતો. તેનો ક્રોધ સદા ભભૂકતો જ રહ્યો. તેનો રોષ કદી શમ્યો જ નહિ, 12 તે માટે હું જરૂર તેને સજા કરીશ. હું ‘તેમાનને’ આગ લગાડીશ અને આગ ‘બોસ્રાહના’ કિલ્લાને નષ્ટ કરી નાખશે.”

આમ્મોનને સજા

13 યહોવા કહે છે: “આમ્મોનના લોકોએ વારંવાર પાપ કર્યા છે, તેમણે પોતાની સરહદ વિસ્તારવા માટે ગિલયાદમાં ગર્ભવતી સ્ત્રીઓનાં પેટ પણ ચીરી નાખ્યાં છે; આથી હું તેમને જરૂર સજા કરીશ. 14 હું રાબ્બાહની દીવાલોને આગ લગાડીશ અને આગ નગરના સર્વ કિલ્લેબંધી મહેલો, ઘરોને નષ્ટ કરી નાખશે. ચારેતરફ યુદ્ધનાદ થશે, અને જાણે પ્રચંડ વાવાઝોડાનો પ્રકોપ થઇ રહ્યો હોય એમ લાગશે. 15 તેઓના રાજાઓ અને તેઓના અમલદારો સાથે દેશવટો લેશે.” આ યહોવાના શબ્દો છે.

મોઆબને સજા

યહોવા કહે છે: “મોઆબના લોકોએ વારંવાર પાપ કર્યા છે અને હું તેમને ભૂલી જઇશ નહિ. તેમણે અદોમના રાજાના હાડકાં બાળીને ચૂરો કરી નાખ્યાં હતાં; આથી હું તેમને જરૂર સજા કરીશ. હું મોઆબને આગ લગાડીશ અને આગ કરીયોથના કિલ્લેબંધી મહેલો મકાનોને નષ્ટ કરી દેશે. યુદ્ધના આક્રંદ અને રણશિંગડાંના અવાજો મધ્યે મોઆબ નાશ પામશે. હું તેના રાજકર્તાને ત્યાંજ મારી નાખીશ અને તેની સાથે તેના સર્વ અમલદારોને મારી નાખીશ.” આ યહોવાના વચન છે.

યહૂદિયાને સજા

યહોવા કહે છે: “યહૂદિયાએ વારંવાર પાપ કર્યુ છે હું તેઓને શિક્ષા કર્યા વગર રહીશ નહિ. એ લોકોએ મારા નિયમોનો અનાદર કર્યો છે, અને મારી આજ્ઞાઓ માની નથી. તેમના પિતૃઓ જે ખોટા દેવોને અનુસરતા હતા તેમણે તેમને ખોટે માર્ગે દોર્યા છે; આથી હું તેમને જરૂર સજા કરીશ. હું યહૂદિયા પર આગ લગાડીશ અને આગ યરૂશાલેમના કિલ્લેબંધી મહેલો મકાનોને નષ્ટ કરશે.”

ઇસ્રાએલને સજા

યહોવા કહે છે: “ઇસ્રાએલના લોકોએ વારંવાર પાપ કર્યા છે અને હું તે ભૂલીશ નહિ. હું તેને શિક્ષા કર્યા વિના છોડીશ નહિ. તેઓએ ન્યાયી લોકોને ચાંદીના બદલામાં વેચ્યા છે અને ગરીબોને બૂટની જોડીના બદલામાં વેચ્યા છે. તેઓએ ગરીબોને ધૂળમાં પગતળે કચડ્યા છે. અને નમ્ર લોકોને સાચા માર્ગમાંથી દૂર ધકેલી દેવામાં આવ્યાં છે. પિતા અને પુત્ર એક જ સ્ત્રી પાસે ગયા છે અને મારું પવિત્ર નામ બગાડ્યું છે. તેઓ વેદીની બાજુમાં ધીરેલા નાણાંની સુરક્ષા તરીકે લીધેલાં કપડાં પર સૂઇ જાય છે. અને તેઓના દેવના મંદિરમાં આવતા લોકો પાસેથી દંડ તરીકે લીધેલા નાણાંનો દ્રાક્ષારસ પીએ છે.

“તમે જ્યારે કેનાનમાં દાખલ થયા ત્યારે અમોરીઓ ત્યાં હતા, તેઓ દેવદારના વૃક્ષ જેવા ઊંચા અને ઓક વૃક્ષ જેવા ખડતલ હતા. પણ તમારા માટે મેં તેઓને સમાપ્ત કર્યા હતા, હા, મે તેઓની શાખાઓ અને તેઓના મૂળિયાઓનો નાશ કર્યો.

10 “વળી હું તમને મિસરમાંથી સાથે બહાર લઇ આવ્યો, અને મેં તમને વન્યપ્રદેશ થકી ચાળીસ વર્ષ સુધી માર્ગદર્શન આપ્યું જેથી તમે અમોરીઓના રાષ્ટને તાબામાં લઇ શકો. 11 મેં તમારા પુત્રોમાંથી અનેકને પ્રબોધકો અને નાઝીરીઓ બનાવ્યા. હે ઇસ્રાએલના લોકો, શું એ સાચું નથી?” આ હું યહોવા કહું છું. 12 “પણ તમે નાઝીરીઓને દ્રાક્ષારસ પાયો; અને પ્રબોધકોને આજ્ઞા કરી કે, પ્રબોધ કરશો નહિ. 13 જુઓ, જેમ ગાડું ભારને લીધે દબાઇ જાય છે, તેમ હું તમને તમારી જગ્યાએ જમીન પર દબાવી દઇશ. 14 અને ઝડપી દોડનારની દોડ નકામી જશે. બળવાનની તાકાત લુપ્ત થઇ જશે. અને જાણીતા નામાંકિત યોદ્ધાઓ પણ પોતાનો જીવ બચાવી શકશે નહિ. 15 ધનુર્ધારીઓ તેઓની જમીન કબ્જામાં રાખી શકશે નહિ અને જેઓ ઝડપથી દોડી શકે છે તેઓ પોતાને બચાવવા ભાગી શકશે નહિ અને ઘોડેસવારો તેઓનો પોતાનો જીવ બચાવી શકશે નહિ. 16 યોદ્ધાઓમાનો સૌથી બહાદુર પણ તે દિવસે શસ્ત્રો મૂકી નાસી જશે.” એમ યહોવા કહે છે.

ઇસ્રાએલને ચેતવણી

હે ઇસ્રાએલના લોકો, તમને આખી પ્રજાને યહોવા મિસરમાંથી બહાર લઇ આવ્યા હતા. હવે તમારી વિરૂદ્ધ યહોવાએ જે વચનો કહ્યાં છે તે સાંભળો: “પૃથ્વી પરના સર્વ લોકોમાંથી ફકત તમને જ મેં પસંદ કર્યા છે. આ માટે હું તમારા સર્વ ગુનાઓ માટે તમને શિક્ષા કરીશ.”

ઇસ્રાએલને સજા આપવાનું કારણ

શું બે જણા મળવાને સંમત
    થયા વગર સાથે જઇ શકે?
શું શિકાર હાથમાં આવ્યા
    વગર સિંહ જંગલમાં ગર્જના કરશે?
જો સિંહના બચ્ચાએ કાંઇ પકડ્યું ન હોય
    તો પોતાના બિલમાંથી રાડો પાડે?
જાળનો ઊપયોગ કર્યા
    વગર કોઇપણ પક્ષીને કેવી રીતે પકડી શકે?
સિવાય કે કોઇ પકડાય ફાંસલાની
    કમાન બંધ થાય?
રણશિંગડું નગરમાં વગાડવામાં આવે
    તો લોકો ડર્યા વિના રહે?
શું યહોવાની મરજી વિના યહોવાના હાથ વિના
    નગર પર આફત આવે ખરી?

પરંતુ પોતાના સેવક પ્રબોધકોને પોતાના મનસૂબાની જાણ કર્યા વિના સૈન્યોનો દેવ યહોવા કશું જ કરતો નથી. સિંહે ગર્જના કરી છે, કોણ ભયથી નહિ ધ્રુજે? મારા યહોવા દેવે તેની ઈચ્છા પ્રગટ કરી છે. કોણ તેનું ભવિષ્ય ભાખી જાહેરાત કર્યા વગર રહી શકે?

આશ્દોદની અને મિસરના મહેલોમાં રહેતાં લોકોને જાહેર કરી જણાવો કે, “સમરૂનની આસપાસના પર્વત ઉપર તમે ભેગા થાઓ. ત્યાં મચેલી અંધાધૂંધી અને ઇસ્રાએલના સર્વ ગુનાઓનો શરમજનક તમાશો નિહાળો.” 10 યહોવા કહે છે: “ન્યાયથી વર્તવું એટલે શું, એ તમારા લોકો ભૂલી ગયા છે. તેઓ બધા તો બસ, હિંસા અને શોષણથી ચોરી અને લૂંટથી પોતાના ઘર ભરે છે.”

11 તેથી પ્રભુ યહોવા કહે છે, “દુશ્મન આવે છે, તે દેશ પર આક્રમણ કરશે અને તમારા કિલ્લાઓ તોડી પાડશે અને તમારા મહેલોને લૂંટી લેશે.”

12 યહોવા કહે છે કે,

“જેમ કોઇ ભરવાડ સિંહના મોમાંથી માત્ર બે
    પગ કે કાનનો એકાદ ટુકડો બચાવી લે છે,
તેમ સમરૂનના પલંગોમાં
    તથા રેશમી ગદેલાના બિછાના
પર બેસનાર ઇસ્રાએલીઓમાંથી
    બહુજ થોડા બચવા પામશે.”

13 આ વચનો સાંભળો અને યાકૂબના વંશજો સામે સાક્ષી રાખો. સૈન્યોનો દેવ મારા યહોવા દેવ આમ કહે છે, “યાકૂબના વંશની વિરૂદ્ધ સાક્ષી પૂરો. 14 હું ઇસ્રાએલને તેના પાપો માટે શિક્ષા કરીશ તે દિવસે હું બેથેલની વેદીઓને ધિક્કારીશ, વેદી પરના શિંગડા કાપી નાખવામાં આવશે. અને તેઓ જમીન પર પડી જશે. 15 હું શિયાળાના મહેલો તથા ઉનાળાના મહેલો, બન્નેનો નાશ કરીશ; અને હાથીદાંતના મહેલો નાશ પામશે ને ઘણા નિવાસસ્થાનોનો નાશ કરીશ.” એમ યહોવા કહે છે.

દેવ તરફ ફરવાનો ઇસ્રાએલનો ઇન્કાર

હે સમરૂન પર્વત પર રહેતી બાશાનની તંદુરસ્ત ગાયો, તમે કે જે ગરીબોને હેરાન કરો છો અને દુર્બળોને સતાવો છો, તમે કે જે તમારા પતિને કહો છો, “ચાલો આપણે પીએ.” તમે આ વચનો સાંભળો.

સૈન્યોનો દેવ મારા માલિક યહોવાએ તેની પવિત્રતાને નામે પ્રતિજ્ઞા લીધી છે કે, તમારા પર આપત્તિના દિવસો આવી પડશે કે જ્યારે પશુની જેમ તમારા નાકમાં વાળી સાથે તમને લઇ જવામાં આવશે. તમારામાંના બાકી રહેલાઓને માછલી પકડવાના ગલ વડે ઘસડી જવામાં આવશે. દીવાલના બાકોરામાંથી તમને સીધા તમારા નગરમાંથી લઇ જવામાં આવશે અને તમને હામોર્નમાં ફેંકવામાં આવશે.

આ યહોવાના વચન છે. “બેથેલ અને ગિલ્ગાલ જઇ; બલિદાન અપીર્ તમારા પાપ વધારતાં જાઓ. રોજ સવારે તમારા બલિદાન અર્પણ કરો. અને અઠવાડિયામાં બે વાર તમારાં દશાંશ-ઊપજનો દશમો ભાગ ધરાવો. ખમીરવાળી રોટલી આભાર અર્પણ તરીકે અર્પણ કરો અને તમારી મરજી મુજબના અર્પણો ક્યારે લાવશો તેની જાહેરાત કરો. કારણકે હે ઇસ્રાએલીઓ, આમ કરવું તમને ગમે છે.”

“આ કારણથી મે તમને મારા તરફથી તમારા નગરમાં ભૂખ્યા પેટે રાખ્યા. અને તમારી વસાહતોમાં દુકાળ ઉત્પન્ન કર્યો. તેમ છતાં તમે મારી પાસે આવ્યા નહિ.” આ યહોવાના વચનો છે.

“કાપણીને ત્રણ મહિનાનો સમય હતો, ત્યારથી મેં તમારે ત્યાં વરસાદ વરસાવતો અટકાવી દીધો. એક ગામમાં વરસાદ વરસતો અને બીજામાં ન વરસાવતો. એક ખેતરમાં વરસતો અને બીજામાં ન વરસતા તે સુકાઇ જતું. તેથી બે – ત્રણ ગામના લોકો લથડિયાં ખાતા પાણી માટે બીજા એક ગામમાં જતા. પણ પાણી પામતા નહિ. તેમ છતાં તમે પાછા મારે શરણે ન આવ્યા.” આ યહોવાના વચન છે.

“મેં તમારા આનાજના ખેતરો સૂકવી નાખ્યા, તમારા બાગો અને દ્રાક્ષના બગીચાઓ તડકાથી શામળાં પાડી દીધા, તીડ તમારાં અંજીરના વૃક્ષો અને જૈતૂનના ફૂલ ઝાડના બગીચા ખાઇ ગયા, છતાઁ તમે મારી તરફ પાછા ફર્યા નહિ.” આ યહોવાના વચનો છે.

10 “મેં મિસરમાં મરકીનો રોગચાળો ફેલાવ્યો હતો. તમારા જુવાન યોદ્ધાઓનો તરવારથી મેં સંહાર કર્યો. તમારા ઘોડાઓનું હું હરણ કરી ગયો, તમારી છાવણીઓને મેં મૃતદેહોથી ગંધાતી કરી મૂકી, છતાં તમે પાછા મારે શરણે ન આવ્યાં.” આ યહોવાના વચન છે.

11 “મેં જેમ સદોમ અને ગમોરામાં કર્યુ હતું, તેમ તમારા પર ત્રાસદાયક આફતો મોકલાવી, તમે આગમાંથી કાઢેલા લાકડાના ઢીમચા જેવા થઇ ગયા; છતાં તમે મારી પાસે પાછા આવ્યા નહિ.” આ યહોવાના વચનો છે.

12 “એ માટે, હે ઇસ્રાએલ, હું તને એ જ હાલતમાં મુકીશ, હું તારા એવા જ હાલ કરીશ. માટે તમે મને, તમારા દેવને મળવા તૈયાર થાઓ.”

13 હાં તું તારી જાતને તૈયાર કર, જેને તું મળવાનો છે
    તે પર્વતોને બનાવનાર, વાયુનો સર્જનહાર છે.
    એ જ છે જે મનુષ્ય શું વિચારે છે તે પ્રગટ કરે છે.
તે એ જ છે જે પ્રભાતને અંધકારમાં ફેરવી નાખે છે
    અને દુનિયાની ઉંચાઇ પર ચાલે છે.
    તેનું નામ સૈન્યોનો દેવ યહોવા છે.

પશ્ચાતાપની હાકલ

હે ઇસ્રાએલના વંશજો તમારા માટે હું દુ:ખનાં ગીતો ગાઉં છું તે સાંભળો,

ઇસ્રાએલની વિશુદ્ધતા ભાંગી પડી છે.
    તે ફરીથી ઊભી થઇ શકશે નહિ;
તેણે તેની પોતાની જ જમીનનો ત્યાગ કર્યો છે.
    અને તેને ઊભા થવા માટે મદદ કરે તેવું કોઇ નથી.

યહોવા મારા માલિક કહે છે,

“જે નગરમાંથી હજારો યોદ્ધાઓ કૂચ કરી બહાર નીકળતા હતા
    ત્યાં માત્ર સો જ રહ્યાં હશે.
અને જ્યાંથી સો કૂચ કરીને નીકળ્યા હતા
    ત્યાં પાછા ફરેલા માત્ર દસ જ હશે.”

યહોવા ઇસ્રાએલને પોતાની પાસે આવવા પ્રોત્સાહિત કરે છે

ઇસ્રાએલના લોકોને યહોવા કહે છે:
“મને શોધો, તો તમે જીવશો;
    પણ બેથેલની શોધ ન કરો,
ને ગિલ્ગાલમાં ન જશો,
    ને બેર-શેબા ન જાઓ;
કારણકે ગિલ્ગાલના લોકોને બંદીવાસમાં લઇ જવામાં આવશે
    અને બેથેલ અતિશય દુ:ખમાં આવી પડશે.
યહોવાને શોધો, તો તમે જીવશો,
    તેમ નહિ કરો તો તે અગ્નિની જેમ યૂસુફના ઘરની આરપાર, પ્રસરી જશે.
    તે ભસ્મ કરી નાખશે અને બેથેલ પાસે તેને ઓલવવા માટે કોઇ નહિ હોય.
હે દુષ્ટ લોકો, તમે ગરીબ અને પગતળે કચડાયેલા માટે ‘ન્યાય’
    એક કડવી ગોળી બનાવી છે.
સચ્ચાઇ એ તમારા માટે એક નિરર્થક શબ્દ છે.
    જે કૃત્તિકા સપ્તષિર્ અને મૃગશિરનો રચનાર છે,
જે ગાઢ અંધકારને પ્રભાતમાં ફેરવી નાખે છે.
    અને દિવસને અંધારી રાતમાં ફેરવી નાખે છે,
જે સાગરના જળને બોલાવીને વરસાદ તરીકે
    પૃથ્વી પર વરસાવે છે, તેનું નામ યહોવા છે.”

ઇસ્રાએલીઓ દ્વારા કરાયેલાં દુષ્ટ કાર્યો

અત્યંત શકિતશાળી વેગથી અને પૂર્ણ શકિતથી તે વિનાશકારક આક્રમણ સજેર્ છે.
    અને કિલ્લા તોડી પાડે છે.
10 જે પ્રબોધકો ન્યાયાલયમાં અન્યાયનો સામનો કરે છે તે પ્રામાણિક ન્યાયાધીશોને અને જે પ્રબોધકો સત્ય બોલે છે
    તેનો તમે તિરસ્કાર કરો છો.
11 તમે ગરીબોને પગ તળે કચડો છો
    અને તેમની પાસેથી અનાજ પડાવી લો છો,
તેથી તમે ઘડેલા પથ્થરનાઁ જે ઘર બાંધ્યાં છે,
    તેમાં તમે રહેવા નહિ પામો.
તમે રમણીય દ્રાક્ષાવાડીઓ રોપી છે,
    પણ તેનો દ્રાક્ષારસ તમે પીવા નહિ પામો;
12 કારણકે તમારાં પાપો ઘણા છે અને ખૂબ ત્રાસદાયક છે.
    હું જાણું છું કે જે ન્યાયના માર્ગને અનુસરે છે,
તેને હેરાન કરો છો,
    ને તમે લાંચ લો છો
    અને ગરીબને ન્યાયાલયમાં ન્યાયથી વંચિત રાખો છો.
13 આથી, એ કારણે શાણા લોકો તમારી શિક્ષાના
    ભયંકર દિવસે યહોવા સમક્ષ ચૂપ રહેશે,
કેમ કે આ સમય ભૂંડો છે.
14     જીવવું હોય તો ભલાઇને શોધો, બૂરાઇને નહિ,
જેથી તમે કહો છો તેમ,
    સૈન્યોનો દેવ યહોવા તમારી જોડે રહે.
15 બૂરાઇને ધિક્કારો, ને ભલાઇ ઉપર પ્રેમ રાખો,
    અને ન્યાયાલયમાં ન્યાયની પ્રતિષ્ઠા કરો.
તો કદાચ સૈન્યોનો દેવ યહોવા બાકી
    રહેલા લોકો ઉપર દયા કરે.

ઘણોજ દુ:ખી સમય આવી રહ્યો છે

16 આથી સૈન્યોનો યહોવા મારા માલિક કહે છે,
“શેરીને ખૂણે ખૂણે શોક થશે, શેરીએ શેરીએ હાય! હાય! ના પોકારો સંભળાશે.
    લોકો ધંધાદારી રાજિયા ગાનારાઓ સાથે ખેડૂતોને
    પણ આક્રંદ કરવા બોલાવશે;
17 દ્રાક્ષની બધી વાડીઓમાં શોક થશે.
    કારણ કે હું આ સર્વ જગ્યાઓથી પસાર થઇશ
    અને બધી વસ્તુનો નાશ કરીશ.”
એમ યહોવ્ કહે છે.
18 “તમે કહેશો, યહોવાનો દિવસ પાસે હોત તો કેવું સારું;
    દેવ સર્વ શત્રુઓથી અમારો બચાવ કરે.
પણ તમને તે દિવસનો સ્પષ્ટ ખ્યાલ નથી.
    તે દિવસ પ્રકાશ અને સમૃદ્ધિ નહિ પરંતુ અંધકાર અને ન્યાય શાસન લાવશે.
19 તે તો જેમ કોઇ માણસ સિંહથી ભાગી જાય;
    ને તેને રીંછ ભેટે,
અથવા ઘરમાં જઇને ભીંતનો ટેકો લે,
    ને તેને સાપ કરડે તેવો.
20 યહોવાનો દિવસ સાચે જ અંધકારભર્યો છે,
    પ્રકાશભર્યો નથી; એનો અંધકાર એવો ગાઢ છે કે જેમાં પ્રકાશનું એકે કિરણ નથી.”

યહોવા ઇસ્રાએલીઓની ઉપાસનાનો અસ્વીકાર કરે છે

21 યહોવા કહે છે:
“હું ધિક્કારુ છું, હા,
    હું તમારા ઉત્સવોને ધિક્કારું છું,
    મને તમારી ધામિર્ક સભાઓ ગમતી નથી.
22 હા, જો કે તમે તમારાં દહનાર્પણ
    અને ખાદ્યાર્પણ લાવશો.
તોયે હું તેનો સ્વીકાર કરીશ નહિ.
    હું તમારા હૃષ્ટપુષ્ટ શાંત્યર્પણોની સામે પણ જોઇશ નહિ.
23 તમારા ગીતો મારાથી દૂર કરો.
    મારા કાનમાં તે ઘોંઘાટ સમાન છે.
તમારું વાદ્યસંગીત તમને ગમે તેટલું કર્ણપ્રિય લાગે
    પણ હું તે સાંભળીશ નહિ.
24 પણ ભલે સચ્ચાઇને સદા વહેતા ઝરણાંની જેમ
    અને ન્યાય ને પાણીથી ભરપૂર નદીની જેમ વહેવા દો.
25 હે ઇસ્રાએલના વંશજો, જ્યારે તમે ચાળીસ વર્ષ સુધી વન પ્રદેશમાં હતાં,
    શું તમે મને યજ્ઞબલિ અર્પણ કર્યા હતાં?
    મને બલિદાનો અર્પણ કર્યાં હતાં?
26 તમે હંમેશા તમારા રાજા સિક્કૂથને અને તારારૂપી દેવ કીયૂનની મૂર્તિઓને માથે ચઢાવી છે.
    આ મૂર્તિઓને તમે જ બનાવેલી હતી.
27 તેથી હું તમને દમસ્કની હદ પાર દૂર દેશવાટે મોકલી દઇશ.”
    આ વચનો તેના છે
    જેનું નામ સૈન્યોનો દેવ યહોવા છે.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International