Add parallel Print Page Options

ઈસુના ઉપદેશમાં દૃષ્ટાંતનો ઉપયોગ

(માર્ક 4:10-12; લૂ. 8:9-10)

10 પછી ઈસુના શિષ્યોએ તેને આવીને પૂછયું, “તું લોકોને દૃષ્ટાંતો દ્વારા શા માટે શીખવે છે?”

11 ઈસુએ શિષ્યોને કહ્યું, “આકાશના રાજ્ય અને તેના મર્મો વિષે તમને સમજવાનો અધિકાર આપવામાં આવ્યો છે પરંતુ તે બીજા લોકોને આપવામાં આવ્યો નથી. 12 જેની પાસે સમજ છે, તેને આપવામાં આવશે અને તેની પાસે તેની જરૂરિયાત કરતાં પણ પુષ્કળ થશે, પણ જેની પાસે સમજ નથી, તેની પાસે જે થોડી ઘણી છે તે પણ ગુમાવી બેસશે. 13 આથી હું દૃષ્ટાંત દ્વારા તેમને કહું છું કે તમે નજર કરશો અને તમને દેખાશે. લોકો જુએ છે પણ હકીકતમાં તેઓ જુએ છે છતાં તેઓ જોતા નથી. તેઓ સાંભળે છે, પણ હકીકતમાં તેઓ સાંભળતા નથી અને સમજતા પણ નથી. 14 તેથી યશાયા પ્રબોધકે ભવિષ્યવાણી કરી છે તે સાચી પડી છે:

‘તમે લોકો સાંભળશો અને સાંભળતા જ રહેશો,
    પણ કદી સમજશો નહિ.
તમે જોઈ શકશો છતાં પણ કદી પણ જોઈ શકશો નહિ.
    અને તમે શું જુઓ છો તે સમજી શકશો નહિ તેમના કિસ્સામાં આ સાચું સાબિત થયું છે.
15 કેમ કે આ લોકોનું હૃદય લાગણી વિહિન થઈ ગયું છે.
    તેઓને કાન છે, પણ ભાગ્યે જ સાંભળે છે,
    અને તેઓએ પોતાની આંખો બંધ કરી છે.
કારણ સત્ય જોવું નથી,
    નહિ તો તેઓ પોતાની આંખોથી જુએ,
    પોતાના કાનથી સાંભળે,
    અને પોતાના હૃદયથી સમજી પાછા ફરે તો હું
તેઓને સાજા કરું.’ (A)

16 પણ તમે આશીર્વાદ પામેલા છો, કારણ કે તમારી આંખો જોઈ શકે છે અને તમારા કાન સાંભળી શકે છે. ને સમજી શકે છે. 17 હું તમને સત્ય કહું છું કે ઘણા પ્રબોધકો અને સારા માણસો તમે જે જુઓ છો તે જોવા ઈચ્છતા હતા પરંતુ તેઓ જોઈ શકયા નહિ. અને ઘણા પ્રબોધકો અને સારા માણસો તમે જે સાંભળો છો તે સાંભળવા ઈચ્છતા હતા પરંતુ તે સાંભળી શકયા નહિ.

Read full chapter